________________
४४
सूत्रार्थमुक्तावलिः કેવી રીતે એક વિગેરે નામ જાણવા તે અહીં કહે છે.
સૂત્ર-દશ નામના ભેદો ૧-એકનામ, ર-જીવ, અજીવ, ૩-દ્રવ્ય,ગુણ,પર્યાય, ૪-આગમ, લોપ પ્રકૃતિ, વિકાર, ૫-નામિક નૈપાતિક, આખ્યાતિક, ઔપસર્ગિક, મિશ્ર, ૬-ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, લાયોપથમિક, પારિણામિક, સાત્રિપાતિક, ૭-૬, ઋષભ, ગાન્ધાર, મધ્યમ, પંચમ, પૈવત, નિષાદ, ૮-વિભક્તિ પ્રથમ, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી, સંબોધન, ૯-વીર, શૃંગાર, અદ્ભુત, રૌદ્ર, બ્રીડનક, બીભત્સ, હાસ્ય, કરુણ, શાંત, ૧૦-ગૌણ, નાગૌણ, આદાનપદ, પ્રતિપક્ષપદ, પ્રધાનતા, અનાદિ સિદ્ધાંત, નામ, અવયવ, સંયોગ, પ્રમાણ.
નાગ્નેતિ- જે કોઈ એક સત્ એવા એક પણ નામથી સર્વે પણ વિવક્ષિત પદાર્થો કહેવાને શક્ય થાય તે એક નામ, જીવ-અજીવ ભેદવાળા દ્રવ્યોના જ્ઞાનાદિ અને રૂપાદિ ગુણોના નારકત્વ અને કૃષ્ણત્વ વિગેરેના એક ગુણ પર્યાયોના જે કોઈ નામો લોકમાં રૂઢ છે તે સર્વે નામત્વ એવા સામાન્યને (સામાન્ય નામને) અવ્યભિચારી હોવાથી એક નામ શબ્દથી કહેવાય છે. તેથી આ એક નામ થયું.
જીવા જીવાભ્યામિતિ-વિદ્યમાન એવી સર્વે પણ વસ્તુ હી શ્રી વિગેરે સ્વરૂપવાળા એક અક્ષરવાળા નામથી કહેવાય છે. અથવા લજ્જા-બુદ્ધિ-દેવતા વિગેરે અનેક અક્ષરવાળા નામથી કહેવાય છે. આથી એકાક્ષર કે અનેકાક્ષર એવા બે નામથી વિવલિત સર્વ પદાર્થોનું કથન થતું હોવાથી દ્વિનામ કહેવાય છે અથવા તો જગતમાં જે વસ્તુ છે તે જીવ નામથી, અજીવ નામથી થવા યોગ્ય છે એટલે જીવ-અજીવ એવા બે નામથી વિવક્ષિત સર્વ વસ્તુનો સંગ્રહ થતો હોવાથી દ્વિનામ થાય છે એ પ્રમાણે સામાન્ય નામથી અને વિશેષ નામથી સર્વ પદાર્થોનો સંગ્રહ થઈ શકે છે.
દ્રવ્યગુણ પર્યાવૈરિતિદ્રવ્ય-ગુણ-પર્યાય ભેદથી વસ્તુ ત્રણ પ્રકારની છે. ધર્માસ્તિકાય વિગેરે દ્રવ્ય સ્વરૂપ છે. વર્ણ-ગંધ વિગેરે ગુણ સ્વરૂપ છે. એક-ગુણત્વ-કાલ– વિગેરે પર્યાય સ્વરૂપ છે અને તેવી રીતે જે કોઈ નામ છે. તે સર્વે પણ દ્રવ્ય નામથી-ગુણ નામથી-પર્યાય નામથી થવા યોગ્ય છે. આનાથી પર કોઈપણ નામ નથી, તેથી સર્વનો પણ આનાથી સંગ્રહ થઈ જતો હોવાથી ત્રિનામ એવું કહેવાય છે. આ પ્રમાણે દ્રવ્ય વિગેરે નામો સામાન્યથી સ્ત્રીલીંગ, પુલિંગ-નપુંસકલિંગ એવા ત્રણ પ્રકારના હોવાથી ત્રિનામ થાય છે.
આગમ-લોપ-પ્રકૃતિ વિકાસૈતિ-નમ્ સુડ઼ વિગેરે આગમ છે. તેનાથી બનેલા નામ આગમનામ છે. જેવી રીતે “પનિ' અહીં “નપુંસર્ચ ફતવ'એવા સૂત્રથી નમ્ આગમ થતો હોવાથી તેનાથી પધાની એવું નામ બને છે. “સંર-પાર' વિગેરે સુડું આગમથી બને છે. “મનિષા' ઇત્યાદિ નામો સર વિગેરેના લોપથી થાય છે. “સરસિકં વષે વાન' વિગેરે