________________
२५८
सूत्रार्थमुक्तावलिः संस्तुतेति, संस्तुताः-सम्बन्धिनस्ते द्विविधाः पूर्वसंस्तुता: पितृव्यादयः, पश्चात्संस्तुताः श्वशुरादयः, एवंविधानि गृहाणि भक्ताद्यर्थं न प्रविशेत्, यतो गृहस्थो तेभ्यः पूर्वमेवाशनादि भिक्षवे दानार्थं कुर्यात्, अतः कर्मोपदानमेतत्, किन्तु तथाविधं ग्रामादिकं प्रविष्टो भिक्षुः स्वजनकुलं विदित्वा केनचित्स्वजनेनाज्ञातं एवैकान्तमपक्रम्यानालोके तिष्ठेत्, प्राप्ते भिक्षावसरे तथाविधग्रामाद्यनुप्रविश्येतरकुलेभ्य उद्गमादिदोषरहितां वेषमात्रादवाप्तामुत्पादनादिदोषरहितां भिक्षामन्विष्य ग्रासैषणादोषरहितां तामाहारयेत् । तत्रोत्पादनादोषा: धात्रीदूतीनिमित्ताजीविकावनीपकचिकित्साक्रोधादि संस्तवविद्यामंत्रचूर्णयोगमूलपिण्डाः षोडश साधुसमुत्थाः, ग्रासैषणादोषाश्च संयोजनाप्रमाणाङ्गारधूम्रकारणदोषाः, कालेनानुप्रविष्टोऽपि भिक्षुः क्रियमाणमाधाकर्मिकमशनाद्याहृतमेव प्रत्याख्यास्यामीति मन्वानो न तूष्णीम्भावेनोपेक्षेत, मातृस्थानप्राप्तिप्रसङ्गात्, किन्तु संस्क्रियमाणं दातारं नाधाकर्मिक आहारो मे कल्पत इति वदन् प्रतिषेधयेत्, तथापि यदि कुर्यान्नो गृह्णीयादिति ॥ ६२ ॥
વળી બીજા નિયમને કહે છે. સૂત્રાર્થ - સંસ્તુત આવાસના ત્યાગ વડે (પૂર્વક) બીજેથી શુદ્ધ આહારને) ગ્રહણ કરવો જોઈએ.
ભાવાર્થ - સંસ્તુતઃ = સંબંધિ (સંસારી) તે બે પ્રકારે. (૧) પૂર્વસંસ્તુત = પિતરાઈ સગા (પિયરીયા) (૨) પશ્ચાત્ સંસ્તુત = સાસરીયા-શ્વસુરપક્ષ. તે બંને પ્રકારના ઘરને વિષે ભોજનાદિ માટે પ્રવેશ ન કરવો જોઈએ. આવા ઘરમાં ગૃહસ્થ પ્રથમ જ સાધુને અશનાદિ વહોરાવે તેથી તે (રસોઈ બનતા થયેલી જે વિરાધના) કર્મબંધનું કારણ બને છે. પરંતુ, તેવા ગામમાં ગયેલ મુનિ સ્વજનોને ખ્યાલ ન આવે તેવી અજ્ઞાત તેમજ એકાંત જગ્યા. જયાં વધારે લોકોની અવર-જવર ન હોય તેવા સ્થાનમાં ઊભો રહે અને જયારે ગોચરીનો સમય થાય ત્યારે પોતાના સ્વજન સિવાયના કુલમાં ઉદ્ગમ આદિ દોષ રહિત સાધુને વેષમાત્રથી જ મળેલ ગોચરી (પોતાની કોઈપણ ઓળખાણ વિના મળેલી) ઉત્પાદનાદિ દોષ રહિત મેળવીને પ્રારૈષણાદિ દોષ રહિત તેવી ભિક્ષા વાપરે.
તેમાં ઉત્પાદના દોષ=ધાત્રી, દૂતી, નિમિત્ત, આજીવિકા, વનપક, ચિકિત્સા, ક્રોધાદિ, સંસ્તવ, વિદ્યા, મંત્ર, ચૂર્ણ, યોગ, મૂલપિંડ. આ સોળ દોષ જે સાધુથી થતા છે. અને સંયોજના, અપ્રમાણ, અંગાર, ધૂમ, કારણાભાવ આ પાંચ ગ્રામૈષણાના દોષ છે. ગૃહસ્થને ત્યાં કાલે જ ભિક્ષા માટે ગયેલો મુનિ ગૃહસ્થને ત્યાં આધાકર્મી આદિ ભોજન બનતું હોય તો મેં નિર્દેશનું પચ્ચખાણ કર્યું છે. એમ માનીને મૌન ન રહે કારણ કે તેમ કરવાથી માયાનો પ્રસંગ આવે છે.
પરંતુ, તે વખતે આહાર બનાવતાં દાતારને કહે કે મને આધાકર્મી આહાર કલ્પતો નથી. તો પણ ગૃહસ્થ જો આરંભ-સમારંભ કરે તો તેવો આહાર સાધુએ ગ્રહણ ન કરવો જોઈએ. દરા