________________
આ નગરીનું નામ ઈંદ્રપુર હોવાનું જણાય છે. આ નગરી સુખી અને સમૃદ્ધ હતી. સાતમા તીર્થંકર ભગવંત શ્રી સુપાર્શ્વનાથ સ્વામીના કાળથી આ નગરી જૈનોના પવિત્ર તીર્થધામ તરીકેનું સ્થાન પામી છે. આ નગરીમાં દેવોએ શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનો વિશાળ રત્નમય સુવર્ણસ્તૂપ નિર્માણ કર્યો હતો. ત્રેવીશમાં તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુના સમયમાં આ સ્તૂપને ઈંટોથી મઢવામાં આવ્યો હતો. આઠમા સૈકામાં આ સ્તૂપનો જીર્ણોધ્ધાર શ્રી બપ્પભટ્ટસૂરિની મંગલ વાણીથી થયો હતો. એવું કહેવાય છે કે જ્યારે આ સ્તૂપનો ઉત્સવ થતો હતો ત્યારે ઠેરઠેરથી જૈનસંઘો યાત્રાર્થે આવતા હતા. દેવોએ નિર્માણ કરેલ રત્નમય સુવર્ણસ્તૂપમાં શ્રી હરિભદ્રસૂરિએ ૧૫ ઉપવાસની તપશ્ચર્યા કરીને ઉધઈથી નાશ પામેલ ‘મહાનિશીથ સૂત્ર’નું અનુસંધાન કરીને ગ્રંથને વ્યવસ્થિત કર્યો હતો.
Als
મથુરાની જાહોજલાલી અપૂર્વ હતી. એ સમયે મથુરાના બારણાંની ઉત્તરંગા પર અદ્વૈત પ્રતિમાની ગૌરવભેર સ્થાપના કરાતી. મકાનોની રક્ષા માટે આ પ્રકારના મંગલ ચૈત્યના નિર્માણનો રિવાજ પ્રસિધ્ધ હતો. હાલ જૈનોના મકાનોના મુખ્ય દ્વારના બારસાખ પર ‘અષ્ટમંગલ’ મૂકવામાં આવે છે.
ઈ.સ. પૂર્વે બીજી સદીથી વિક્રમના ૧માં સૈકા સુધી મથુરામાં જૈન સંસ્કૃતિનો વ્યાપ વિસ્તર્યો હતો. વિદ્યા અને કલામાં મહા યોગદાન રહ્યું હતું. ‘માથુરી વાચના’ અથવા તો ‘સ્કાંદિલી વાચના' નામથી પ્રખ્યાતિ પામેલી આગમ વાચનાનું સૌભાગ્ય મથુરાને જ મળેલું. વિક્રમ સંવત ૩૫૭ થી ૩૭૦ ના ગાળામાં વિચ્છિન્ન થતાં શ્રુતની રક્ષા કાજે આર્ય સ્કંદિલે પૂરી લગનથી માથુરી વાચનામાં આગમ વાચના ના પાઠને વિશુધ્ધ કર્યાં.
આ નગરીનો ભૂતકાળ ભવ્યતાથી ઓપે છે. શ્રીકૃષ્ણ વાસુદેવનો જન્મ આ નગરીમાં થયો હતો. સંવત ૮૨૬માં શ્રી બપ્પભટ્ટસૂરિના ઉપદેશથી આમ રાજાએ મથુરા તીર્થનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. તેણે બનાવેલા નૂતન શ્રી મહાવીર સ્વામી જિનાલયની પ્રતિષ્ઠા પણ શ્રી બપ્પભટ્ટસૂરિએ કરી હતી.
શ્રી મહાવીર સ્વામીના જીવે શ્રી વિશ્વભૂતિ મુનિના ભવમાં બળનું નિયાણું
શ્રી ક્લ્પદ્રુમજી પાર્શ્વનાથ
૯૧