________________
ગૌત્તમભાઈ અને આરતીબેન સતીષને લઈને બીજા અઠવાડિયે શંખેશ્વર ગયા અને ભક્તિભાવ સાથે સેવા પૂજા કરી.
અત્યારે સતીષનું ધ્યાન માત્ર અભ્યાસમાં જ છે. દસમા ધોરણની તૈયારીમાં પણ પડી ગયો. ગૌત્તમભાઈ અને આરતીબેનના મસ્તક પરથી ચિંતાનો બોજ હળવો થઈ ગયો.
આ મંત્ર આરાધના
3ૐ હ્રીં શ્રીં ધૃતકલ્લોલ પાર્શ્વનાથાય નમઃ |
આ મંત્રના દરરોજ ૧૦૮ વાર જાપ કરવા. એક જ સમયે અને સ્થાને બેસીને ધર્મ આરાધન કરવું જરૂરી છે. અખંડ દીવો અને ધુપ જાપ કરતી વખતે ચાલુ રહેવા જોઈએ. વિદ્યાભ્યાસ માટે લાભદાયી છે.
ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ધૃતકલ્લોલ પાર્શ્વનાથાય નમઃ |
આ મંત્રનું આરાધન દરરોજ સવારે સ્નાન કરીને, ચોખા વસ ધારણ કરીને કરવું. દરરોજ ૧૦૮ વાર જાપ અર્થાત એક બાંધી માળા કરવી. માનસિક ચિંતા દૂર કરવામાં ફળદાયી છે.
ૐ હ્ શ્રીં શ્રીં હ્રીં શ્રુતકલ્લોલ પાર્શ્વનાથાય નમઃ |
આ મંત્રના ૧૨,૫૦૦ જાપ આઠ દિવસમાં કરી લેવા ત્યારબાદ દરરોજ એક બાંધી માળા કરવી, સુખ, વૈભવ તેમજ આરોગ્ય માટે આ જાપ ગુણકારી છે.
: સંપર્કઃ શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ જૈન દેરાસર
મુ.પો. સુથરી તા. અબડાસા, જી. કચ્છ, (ઉ.ગુ.) - ૩૭૦૪૯૦ ફોન નં : (૦૨૮૩૨) ૨૮૪૨૨૩
શ્રી ધૃતકલ્લોલજી પાર્શ્વનાથ
૧૪૮