Book Title: Sambodhi
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan
Catalog link: https://jainqq.org/explore/004934/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ -આચાર્ય મહાપ્રજ્ઞ Spclla Page #2 -------------------------------------------------------------------------- ________________ ‘સંબોધિ”માં સમાયેલો છે. મેઘને આપવામાં આવેલો ભગવાન મહાવીરનો પ્રતિબોધ. આ પ્રતિબોધ પ્રત્યેક વ્યક્તિ માટેનો પ્રતિબોધ છે. મોહ-વિજય, અજ્ઞાન-વિલય તથા આત્માનુશાસનનો પ્રતિનિધિ ગ્રંથ એટલે ‘સંબોધિ'. સંબોધિની ઉપાસના કરીને અનેક આત્માઓ મેઘ બની ચૂક્યા છે, તેમજ અનેક આત્માઓ બની શકશે. આત્માનું શુદ્ધ સ્વરૂપ સચ્ચિદાનંદ છે. તે આત્મોપાસના દ્વારા પ્રબુદ્ધ બને છે. “ગીતા”નો અર્જુન કુરુક્ષેત્રના સમરાંગણમાં ગ્લાન બને છે, જ્યારે ‘સંબોધિ'નો મેઘકુમાર સાધનાની સમરભૂમિમાં ગ્લાન બને છે. ગીતાના ગાયક યોગીરાજ કૃષ્ણ છે, જ્યારે ‘સંબોધિ'ના ગાયક ભગવાન મહાવીર છે. અર્જુનનું પૌરુષ કૃષ્ણનો ઉપદેશ સાંભળીને જાગી ઊઠ્ય અને મહાવીરની સંબોધી સાંભળીને મેઘકુમારનો આત્મા ચૈતન્યથી ઝગમગી ઊઠ્યો. ગીતાદર્શનમાં ઇશ્વરાર્પણનો જે મહિમા છે, તે જ મહિમા જૈનદર્શનમાં આત્માર્પણનો છે. જૈનદર્શનના મત મુજબ આત્મા જ પરમાત્મા કે ઇશ્વર છે. સંબોધિની ઉપાસના જ For Private & Personal use Page #3 -------------------------------------------------------------------------- ________________ બોરિ આચાર્ય મહાપ્રજ્ઞ અનેકાન્ત ભારતી પ્રકાશન અમદાવાદ-૧૫. Page #4 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી આવૃત્તિ અનુવાદક તથા સંપાદક : I રોહિત શાહ હિન્દી આવૃત્તિ અનુવાદક : મુનિ શુભકરણ મુનિ દુલહરાજ સમ્પાદકઃ - મુનિ ધનંજયકુમાર સંસ્થાપક-નિર્દેશક : | શુભકરણ સુરાણા આવૃત્તિ : . પ્રથમ, પ્રજાસત્તાકદિન, ૯૯ પ કિંમત : ૮૦/ પ્રકાશક : સંતોષકુમાર સુરાણા, નિર્દેશક અનેકાન્ત ભારતી પ્રકાશન ઈ/૨, ચારુલ, સહજાનંદ કોલેજ પાસે, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ માર્ગ, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫. ફોનઃ ૬૪૬૭૭૩૯, ૨૧૬૭૧૨૯ E-mail : anekant1001@yahoo.com લેસર ટાઈપસેટિંગ : શ્રી ગ્રાફિક્સ શાહીબાગ, અમદાવાદ-૪. ફોન-૨૮૬૮૦૭૦. મુદ્રક : મારુતિ પ્રિન્ટર્સ શાહીબાગ, અમદાવાદ-૪. ફોન-૫૬૨૧૩૧૨, ૫૬૨૫૫૫૯. Page #5 -------------------------------------------------------------------------- ________________ આમુખ લગભગ પચાસસો વર્ષ જૂના વાત છે. મગધસમ્રાટ શ્રેણિકની યશોગાથા દિગ્-દિગંતમાં વ્યાપ્ત હતી. તેમની પટરાણીનું નામ ધારિણી હતું. એક વખત તે પોતાના સુસજ્જિત શયનગૃહમાં સૂતી હતી. અપર રાત્રીના સમયે તેને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેણે જોયું કે એક વિશાળકાય હાથી લીલા કરતો-કરતો તેનાં મુખમાં પ્રવેશી રહ્યો હતો. સ્વપ્ન જોઈને તે ઊઠી. મહારાજ શ્રેણિકને નિવેદન કરતાં તેણે કહ્યું, ‘પ્રભો, આ સ્વપ્નનું ફળ શું હશે ?' મહારાજ શ્રેણિકે સ્વપ્નવિદોને બોલાવીને સ્વપ્નફળ જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરી. સ્વપ્નવિદોએ કહ્યું, ‘રાજન, રાણીએ ઉત્તમ સ્વપ્ન નિહાળ્યું છે. તેના ફળસ્વરૂપ આપને અર્થલાભ થશે, પુત્રલાભ થશે; રાજ્યલાભ થશે અને ભોગસામગ્રીની પ્રાપ્તિ થશે.’ રાજા અને રાણી અત્યંત પ્રસન્ન થયાં. સમય પસાર થયો. મહારાણીએ ગર્ભ ધારણ કર્યો. બે મહિના વીતી ગયા. ત્રીજો મહિનો ચાલતો હતો. રાણીના મનમાં કલ્પના જાગી. એક દોહદ પેદા થયું. અકાળે વાદળો ઊમટી આવ્યાં હોય તથા તેમાં ક્રીડા કરવાની તક મળે એવું દોહદ ઉત્પન્ન થયું. તેણે વિચાર્યું કે, ‘એ માતા-પિતાને ધન્ય છે કે જે મેઘ ઋતુમાં, વરસતા વરસાદમાં, અત્ર-તંત્ર વિહરીને આનંદ પ્રાપ્ત કરે છે. જો હું પણ હાથી ૮ પર બેસીને ઝરમર-ઝરમર વરસતા વરસાદમાં જંગલમાં વિહાર કરવાનું મારું દોહદ પૂર્ણ કરી શકી હોત તો કેવું સારું !' રાણીએ આ દોહદની ચર્ચા રાજા શ્રેણિક સંબોધિત ૩ Page #6 -------------------------------------------------------------------------- ________________ સાથે કરી. તે વખતે વર્ષાઋતુ નહોતી. વાદળ વરસવાની વાત અત્યંત અશક્ય હતી. રાજા ચિંતિત થઈ ઊઠયો. તેણે પોતાના મહામાત્ય અભયકુમારને સમગ્ર હકીકત કહી. મહામાત્ય રાજા-રાણીને આશ્વાસન આપીને દોહદપૂર્તિની યોજના વિચારવા લાગ્યા. અભયકુમારે દેવતાની આરાધના કરવા માટે એક અનુષ્ઠાનનો આરંભ કર્યો. ખટ્ટમની તપસ્યા કરીને, તે મંત્રવિશેષની આરાધનામાં ઓતપ્રોત બન્યા. ત્રણ દિવસ પૂરા થયા. દેવતાએ પ્રત્યક્ષ આવીને આરાધનાનું પ્રયોજન પૂછયું. અભયકુમારે ધારિણીના મનમાં ઉત્પન્ન અકાળ મેઘવર્ષામાં ભ્રમણ કરવાની વાત રજૂ કરી. દેવતાએ કહ્યું, “અભય ! તમે શ્રદ્ધા રાખો. હું દોહદપૂર્તિ કરી દઈશ.' થોડોક સમય પસાર થયો. એક દિવસ અચાનક આકાશમાં વાદળો ઊમટી આવ્યાં. સમગ્ર આકાશ મેઘાચ્છન્ન થઈ ગયું. વીજળીઓ ચમકવા લાગી. વાદળોની ભયાનક ગર્જનાઓ થવા લાગી. વરસાદ વરસવા લાગ્યો. વર્ષાઋતુનો આભાસ થવા લાગ્યો. રાણી ધારિણી પોતાનાં પરિવારજનોથી પરિવૃત થઈને, હાથી ઉપર આરૂઢ થઈને વનક્રીડા કરવા માટે નીકળી પડી. પોતાની ઇચ્છા અનુસાર ક્રીડા સંપન્ન કરીને તે મહેલમાં પાછી વળી. તેનું દોહદ પૂર્ણ થયું. નવ માસ અને નવ દિવસ વિત્યા રાણીએ એક પુત્રરત્નને જન્મ આપ્યો. ગર્ભકાળમાં મેઘનું દોહદ ઉત્પન્ન થવાને કારણે નવજાત શિશુનું નામ મેઘકુમાર રાખવામાં આવ્યું. વૈભવપૂર્ણ લાલન-પાલનથી વિકસતા શિશુ મેઘકુમારે આઠ વર્ષ પૂરાં કરીને નવમાં વર્ષમાં પ્રવેશ કર્યો. માતા-પિતાએ તેને સર્વકલા નિપુણ બનાવવાના ઉદ્દેશથી કલાચાર્ય પાસે શિક્ષણ ગ્રહણ કરવા માટે મોકલ્યો. તે ક્રમશઃ બોંતેર કલાઓમાં પારંગત થઈ ગયો. મેઘકુમારે યૌવનમાં પ્રવેશ કર્યો. આઠ સુંદર રાજકન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ થયું. એક વખત ભગવાન મહાવીર રાજગૃહ નગરમાં પધાર્યા. મેઘકુમાર ઝરુખામાં બેઠો-બેઠો નગરની શોભા નિહાળી રહ્યો હતો. તેણે જોયું તો નગરનાં હજારો નરનારી એક જ દિશા તરફ જઈ રહ્યાં હતાં. તેના મનમાં જિજ્ઞાસા જાગી. તેણે પોતાના પરિચારકોને પૂછ્યું. પરિચારકોએ ભગવાનના સમવસરણની વાત કરી. સંબોધિ - ૪ Page #7 -------------------------------------------------------------------------- ________________ મેઘકુમારનું મન ભગવાનના સમવસરણ (સભા)માં ઉપસ્થિત થવા માટે ઉત્સુક થઈ ઊઠયું. અશ્વ ઉપર આરૂઢ થઈને તે ભગવાનના સમવસરણમાં ગયો. ભગવાનની અમોઘ વાણી સાંભળીને તે અત્યંત પ્રસન્ન થયો. તેનું વૈરાગ્યબીજ અંકુરિત થઈ ઊઠવ્યું. પૂર્વસંચિત કર્મોની લઘુતા થકી તેના મનમાં પ્રવજ્યાની ભાવના ઉત્પન્ન થઈ. તે મહેલમાં પાછો આવ્યો. તેણે માતા-પિતાને કહ્યું, ‘હું પ્રવજ્યા ગ્રહણ કરવા માટે ઉત્સુક છું.’ આવો વિચાર સાંભળીને મહારાણી ધારિણી આકુળ-વ્યાકુળ થઈ ઊઠી. તે પોતાના પ્રિય પુત્રનો વિયોગ ઇચ્છતી નહોતી. માતા ધારિણી અને પુત્ર મેઘ વચ્ચે દીર્ઘ સંવાદ ચાલ્યો. માતાએ તેને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો. મેઘનું મન મોક્ષાભિમુખ થઈ ચૂક્યું હતું. માતાની વાતોનો તેના પર કોઈ પ્રભાવ ન પડચો. તેણે માતાને સંસારની અસારતા તથા દુઃખપ્રચુરતાથી અવગત કરી. માતાએ અંતે કહ્યું, ‘હે પુત્ર, તું પ્રવજિત થવા ઇચ્છે છે, અમારા સૌથી અલગ થવા ઇચ્છે છે તો ભલે, સુખેથી પ્રવજિત થઈ થજે. પરંતુ, હે વત્સ ! અમારી પણ એક વાત તું માન. અમે તને અમારી આંખે એક વખત રાજા સ્વરૂપે જોવા ઇચ્છીએ છીએ. તું એક દિવસ માટે પણ રાજા બની જા. પછી તારી ઇચ્છા મુજબ કરજે.' મેઘકુમારે એક દિવસ માટે રાજા બનવાની વાતનો સ્વીકાર કર્યો. મેઘકુમારના રાજ્યાભિષેકની તૈયારીઓ શરૂ થઈ. શુભમુહૂર્તો રાજ્યાભિષેકની વિધિ સંપન્ન થઈ. મેઘકુમાર રાજા બની ગયો. સૌ કોઈએ તેને વધામણીઓ પાઠવી. રાજ્યસંપદા મેઘકુમારને લોભાવી ન શકી. એક દિવસ વીતી ગયો. મેઘકુમારની દીક્ષાની તૈયારીઓ થવા લાગી. આવશ્યક ઉપકરણો લાવવામાં આવ્યાં. પરિવાર અને નગરજનોથી પરિવૃત થઈને મેઘકુમાર ભગવાન મહાવીર પાસે પહોંચ્યો. માતા-પિતાએ ભગવાનને વિનંતી કરતાં કહ્યું, ‘હે દેવ, અમારો આ પુત્ર મેઘ આપનાં ચરણોમાં પ્રવર્જિત થવા ઇચ્છે છે. તે નવનીત (માખણ) જેવો સુકોમળ છે. તે ભરપૂર કામભોગોની વચ્ચે ઉછેર પામ્યો છે, છતાં કામરજોથી તે જરા પણ સ્પષ્ટ નથી, ભોગોમાં આસક્ત નથી. કાદવમાં ઉત્પન્ન થતું પંકજ કાદવથી લિપ્ત નથી થતું, એ જ રીતે આ કુમાર ભોગવિલાસથી નિર્લિપ્ત છે. આપ તેને આપનો શિષ્ય બનાવીને અમને કૃતાર્થ કરો.’ સંબોધિ ૫ Page #8 -------------------------------------------------------------------------- ________________ ભગવાને મેઘને પ્રવજિત થવાની આજ્ઞા આપી. મેઘકુમાર પોતાનાં આભૂષણો ઉતારવા લાગ્યો. આ દશ્ય નિહાળીને માતાનું મન વિહ્વળ થઈ ઊઠડ્યું. તે પોતાના પુત્રને એક અકિંચન ભિન્ન તરીકે ઘેર-ઘેર ભિક્ષા માટે ભટકતો જોવા ઇચ્છતી નહોતી. તેનું મન આક્રંદ કરવા લાગ્યું. તેનું હૃદય ચીરાવા લાગ્યું, પરંતુ... ભગવાન મહાવીરે પોતે મેઘકુમારને પ્રવજિત કર્યો, તેનો કેશલોચ કર્યો. ભગવાને સ્વયં તેને સાધુચર્યાની જાણકારી આપતાં કહ્યું, 'હે વત્સ ! હવે તું (અપ્રમાદપણે) મુનિ બની ગયો છે. હવે તારા જીવનની દિશા બદલાઈ ગઈ છે. હવે તારે યતનાપૂર્વક ચાલવાનું છે, યતનાપૂર્વક બેસવાનું છે, યતનાપૂર્વક સૂવાનું છે, યતનાપૂર્વક ઊભા રહેવાનું છે, યતનાપૂર્વક બોલવાનું છે અને યતનાપૂર્વક જ ભોજન લેવાનું છે. આ ચર્યામાં લેશમાત્ર પણ પ્રમાદ ન થવો જોઈએ. યતના સંયમ છે, મોક્ષ છે. અયતના અસંયમ છે, બંધન છે.' પ્રથમ દિવસ પૂર્ણ થયો. રાત્રિ શરૂ થઈ. વિધિ અનુસાર તમામ શ્રમણોને સૂઈ જવાની જગા નિશ્ચિત થઈ. મુનિ મેઘકુમાર એક દિવસનો દીક્ષિત મુનિ હતો. તેનું શયનસ્થાન સૌથી છેલ્લે હતું. તે સ્થાન દરવાજાની તદ્દન નજીક હતું. શતાધિક મુનિ સ્વાધ્યાય વગેરે માટે રાત્રે બહાર આવવા-જવા લાગ્યા. કેટલાક મુનિ પ્રસવણ માટે બહાર ગયા. તે વખતે દરવાજા પાસે સૂતેલા મુનિ મેઘકુમારની નિદ્રા ઊડી ગઈ. સર્વત્ર અંધકાર વ્યાપેલો હતો. કશું જ સ્પષ્ટ દેખાતું નહોતું. બહાર જતાઆવતા મુનિઓના પગ-સ્પર્શ થકી મુનિ મેઘ વિચલિત થઈ ઊઠયો. તેનું શરીર ધૂળના રજકણવાળું થયું. તેણે નિદ્રા માટે ખૂબ પ્રયત્નો કર્યા, પરંતુ તમામ પ્રયત્નો વ્યર્થ રહ્યા. તેણે વિચાર્યું કે, હું રાજકુમાર હતો. કેવા સુખમાં હું ઉછર્યો હતો ! તમામ પ્રકારની સુવિધાઓ મને ઉપલબ્ધ હતી. તમામ શ્રમણો મારી સાથે વાત કરતા હતા, મારો આદર કરતા હતા. મારી સાથે મીઠી-મીઠી વાતો કરતા અને મને વિવિધ પ્રકારનાં રહસ્યો સમજાવતા હતા. આજે હું પ્રવજિત થયો છું. તેમના સમુદાયમાં જોડાઈ ગયો છું. હવે કોઈપણ શ્રમણ ન તો મારી સાથે વાતચીત કરે છે કે ન તો મારાં આદર-સન્માન કરે છે. તેઓ સૌ મને ઠોકરો મારી રહ્યા છે. હું નિદ્રા પણ લઈ શકતો નથી. આવા અનપેક્ષિત મુનિ-જીવન કરતાં તો હું ગૃહેવાસમાં પાછો વળી જાઉં એ જ સારું કહેવાશે. ત્યાં મારો પૂર્વવત્ ઠાઠ-માઠ સંબોધિત૬ Page #9 -------------------------------------------------------------------------- ________________ હશે. સૂર્યોદય થતા. હું ભગવાન મહાવીરને જણાવીને મારા ઘેર પાછો ચાલ્યો જઈશ.” આવી માનસિક દુવિધાની જાળમાં ફસાયેલા મુનિ મેઘકુમારની રાત ખૂબ લાંબી થઈ ગઈ. જેમ-તેમ રાત વીતી. સૂર્યોદય થયો. મુનિ મેઘકુમાર, ભગવાન પાસે પહોંચ્યો. વંદન-નમસ્કાર કરીને મૌનપણે બેસી ગયો. ' ભગવાને તેની મનઃસ્થિતિને પારખતાં કહ્યું, “હે મેઘ ! તું એક રાતનાં આટલાં અલ્પ કષ્ટોથી વિચલિત થઈને ઘેર જવાની તૈયારી કરવા લાગ્યો?” મુનિ મેઘ બોલ્યો, ‘ભંતે ! આપ યથાર્થ કહી રહ્યા છો. મારું મન વિચલિત થઈ ગયું છે.' ભગવાન અતીન્દ્રિય દષ્ટા હતા. તેઓ સઘળું જાણતા હતા. જે બની ચૂક્યું છે, જે બની રહ્યું છે અને જે બનવાનું છે. તેમનું જ્ઞાન નિરાવરણ હતું, કાલાતીત અને ક્ષેત્રાતીત હતું. મેઘકુમારને તેના પૂર્વભવનું વૃત્તાંત જણાવતાં ભગવાન બોલ્યા, હે મેઘ ! સાંભળ, હું તારા પૂર્વભવનું વૃત્તાંત તને કહી રહ્યો છું. આજના આ રાજકુમારના ભવથી ત્રણ જન્મ પૂર્વે તું વૈતાઢચ પર્વતની તળેટીના સઘન જંગલમાં હાથી સ્વરૂપે હતો. તારું નામ સુમેરુપ્રભ હતું. તું યૂથપતિ હતો. તારા પરિવારમાં અનેક હાથી અને અનેક હાથિણીઓ હતાં. તું આનંદપૂર્વક દિવસો પસાર કરતો હતો. તે સર્વત્ર નિર્ભય બનીને ફરતો હતો. એક વખત ગ્રીષ્મઋતુનો સમય હતો. જેઠ મહિનો હતો. બળબળતો તાપ હતો. એકાએક પ્રચંડ તોફાન ઊમટયું અને વૃક્ષોનાં ઘર્ષણથી જંગલમાં દાવાનળ પ્રજળી ઊઠયો. ચારે તરફ પશુઓ દોડાદોડ કરવા લાગ્યાં. તું એ વખતે વૃદ્ધ થઈ ગયો હતો. તારું શરીર જર્જરિત હતું. તારું બળ ક્ષીણ થઈ ગયું હતું. સમગ્ર યૂથ આમ-તેમ વેર-વિખેર થઈ ગયું હતું. હું એકલો પડી ગયો હતો. તરસ લાગવાને કારણે તે પાણીની શોધમાં જઈ રહ્યો હતો. એવામાં તેં એક સરોવર જોયું. તેમાં પાણી ઓછું અને કીચડ વધુ હતો. પાણી પીવાની તૃષ્ણાથી તું તેમાં પ્રવેશ્યો અને કીચડમાં ફસાઈ ગયો. એ વખતે એક યુવાન હાથીએ તને જોયો. તેને પૂર્વવરની સ્મૃતિ થઈ. તે ક્રોધથી ચિત્કાર કરતો તારી નજીક આવ્યો અને પોતાના દંતશૂળ દ્વારા તારા ઉપર પ્રહાર કરવા લાગ્યો. તું શક્તિહીન હતો, તેથી પ્રતિકાર ન કરી શક્યો. તને મૃતપ્રાયઃ કરીને તે સંબોધિ ૨૭ Page #10 -------------------------------------------------------------------------- ________________ યુવાન હાથી અત્યંત પ્રસન્ન થયો. વેરનો બદલો લઈ શકવાની પ્રસન્નતાથી તેના આનંદની અવધિ નહોતી. ચિંતાતુર અવસ્થામાં તારું મૃત્યુ થયું. ત્યાંથી તું વિંધ્યાચળ પર્વતની તળેટીમાં ગંગા નદીના દક્ષિણ કિનારે ફરીથી હાથી રૂપે ઉત્પન્ન થયો. તું યુવાન થયો. હસ્તિયૂથનો સ્વામી બન્યો. તારું યૂથ અત્યંત વિશાળ હતું. એક વખત તેં દાવાનળ જોયો. તારું મન એકાગ્ર બન્યું. તને પૂર્વભવની સ્મૃતિ થઈ. દાવાગ્નિથી ઉત્પન્ન કષ્ટ સાક્ષાત થઈ ગયાં. તેં તારી સુરક્ષા માટે એક યોજન ભૂમિને સમતલ બનાવી દીધી જેથી દાવાનળની આપત્તિથી બચી શકાય. એક વખત અચાનક વનમાં આગ લાગી. તમામ વન્ય પશુઓ ભયભિત થઈને જીવ બચાવવા માટે આમ-તેમ દોડવા લાગ્યાં. તું પણ તારા પરિવાર સહિત સુરક્ષિત મંડળમાં પહોંચી ગયો. અન્ય પણ અનેક વન્ય પશુઓ ત્યાં પહોંચી ગયાં હતાં. ત્યાં અગ્નિનો ભય નહોતો કારણ કે ત્યાં ઘાસ, વૃક્ષો-લતાઓ નહોતાં. સમગ્ર મેદાન સમતલ હતું. તેં શરીરને ખંજવાળવા માટે તારો એક પગ ઊંચો કર્યો. શરીર ખંજવાળી રહ્યા પછી તું તારો પગ નીચે મૂકવા ગયો. તે એકાએક જોયું તો તારા પગની નીચે એક સસલો પોતાનો જીવ બચાવવા માટે આવીને બેસી ગયો હતો. પગ મૂકવાથી તે મૃત્યુ પામશે એવી આશંકાથી તેં તારો એ પગ ઊંચો જ રાખ્યો. એવી સ્થિતિમાં એક દિવસ પસાર થયો. બે દિવસ પસાર થયા. દાવાનળ હજી શાંત થયો નહોતો. ત્રીજા દિવસનો પૂર્વા પણ પસાર થયો. ધીમે-ધીમે આગ શાંત થઈ. તમામ પશુઓ પોત-પોતાનાં સુરક્ષિત સ્થાને પાછાં વળ્યાં. તારો હસ્તિ-પરિવાર પણ ચાલ્યો ગયો. તે સસલો પણ દોડી ગયો. હવે તેં તારો ઊંચે રાખેલો પગ નીચે મૂકવા પ્રયત્ન કર્યો. પરંતુ તારો પગ અકડાઈ ગયો હતો. તે નીચે મૂકી શકાયો નહીં. તારું ભારેખમ શરીર લથડી પડયું. ત્રણ દિવસનાં ભૂખ-તરસ તથા ત્રણ પગ ઉપર આટલા લાંબા સમય સુધી ઊભા રહેવાને કારણે તારી શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. તું નીચે ઢળી પડ્યો. એ વખતે તારું આયુષ્ય સો વર્ષનું હતું. તું તરત જ મૃત્યુ પામ્યો. ત્યાંથી તું શ્રેણિકના ઘેર પુત્ર તરીકે પેદા થયો. . ‘પશુની એ યોનિમાં તું સમ્યગ્દર્શનથી સમન્વિત નહોતો, છતાં તેં એ વિકરાળ અને અસામાન્ય વેદનાને સમભાવપૂર્વક સહન કરી હતી. એ અપૂર્વ તિતિક્ષા થકી તને મનુષ્યજન્મ મળ્યો છે. આજે તું સમ્યગ્દર્શનસંપન્ન મુનિ છે. આજે માત્ર એક સંબોધિ - ૮ Page #11 -------------------------------------------------------------------------- ________________ જ રાતમાં તુચ્છ શારીરિક કષ્ટોથી તું વિચલિત થઈ ગયો ? તું આટલો બધો અધીર બની ગયો ? ઘેર પાછા જવાની મનઃસ્થિતિ તે કરી લીધી ? તું તારા પૂર્વજન્મની સ્મૃતિ કર અને વિચાર કર કે એ કષ્ટોની તુલનામાં આ કષ્ટો કેવાં મામૂલી છે ! ક્યાં મેરુ અને ક્યાં રાઈ ?' ' મેઘનું સુષુપ્ત ચૈતન્ય જાગી ઊઠયું. તેના મનમાં એક નવી ચેતના દોડવા લાગી. તેનું ચિત્ત એકાગ્ર બની ગયું. પૂર્વજન્મની સ્મૃતિ તાજી થઈ અને તેની સમક્ષ ચલચિત્રની જેમ અતીતનાં તમામ દશ્યો રજૂ થવા લાગ્યાં. તેમણે સમગ્ર ઘટનાનો સાક્ષાત્કાર કર્યો. ભગવાન મહાવીરે જેવી વાત કરી તેવું જ અક્ષરશઃ તાદશ્ય થવા લાગ્યું. પૂર્વજન્મની ઘટનાનો સાક્ષાત્કાર કરીને તે ગદ્ગદ થઈ ઊઠયો. તેની સંવેગ બમણો થઈ ગયો. આંખોમાંથી આનંદનાં આંસુ ટપકવા લાગ્યાં. તેનું હૃદય હર્યાન્વિત થઈ ઊઠયું. સમગ્ર શરીર રોમાંચિત થઈ ગયું. તે તરત જ ભગવાનને વંદના-નમસ્કાર કરીને બોલ્યો, 'ભગવન્! આજથી બે આંખો મારી પોતાની રહેશે, બાકીનું સમગ્ર શરીર આ નિર્ગળ્યો માટે સમર્પિત રહેશે. ભંતે ! આપે મને પુનઃ સંયમમાં સ્થિર કર્યો છે. આપ મને પુનઃ સંયમજીવન પ્રદાન કરો અને કૃતાર્થ કરો.” ભગવાને તેને પુનઃ સંયમમાં આરૂઢ કર્યો. હવે નિન્ય મેઘ મુનિચર્યાનું અપ્રમત્તભાવે પાલન કરતો-કરતો વિહરણ કરવા લાગ્યો. તેણે પાંચ સમિતિઓ અને ત્રણ ગુમિઓ જીવનગત કરી લીધી. તમામ વેશ્યાઓ આત્માભિમુખ કરીને તે જનપદ વિહાર કરવા લાગ્યો. સંવેગ વધતો જતો હતો. તેણે પોતાની જાતને સંયમ માટે સમર્પિત કરીને તપોયોગની સાધનામાં લીન કરી દીધું. ભગવાન મહાવીરની અનુજ્ઞા પ્રાપ્ત કરીને તેણે ભિક્ષની બાર પ્રતિમાઓની ક્રમશઃ આરાધના કરી. 'ગુણરત્ન સંવત્સરનામના તપોયોગ દ્વારા આત્માને ભાવિત કરતો કરતો તે એક વખત રાજગૃહનગરમાં પહોંચ્યો. ત્યાં ગુણશીલ નામના ઉદ્યાનમાં રોકાયો. રાત્રે તે ધર્મજાગરણ કરી રહ્યો હતો. તેના મનમાં એક વિકલ્પ જાગ્યો. મારો તપોયોગ સાનંદ ચાલી રહ્યો છે. મારું સમગ્ર શરીર તપસ્યાથી કૃશ થઈ ચૂક્યું છે. મારામાં હજી પણ થોડીક શક્તિ બાકી છે. જ્યાં સંબોધિ૯ Page #12 -------------------------------------------------------------------------- ________________ સુધી ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષકાર-પરાક્રમ વિદ્યમાન છે ત્યાં સુધી મારે સંયમમાં વિશેષ પરાક્રમ કરવું છે. પ્રાતઃકાળ થતાં જ હું ભગવાન મહાવીરની અનુજ્ઞા મેળવીને ગણધર ગૌતમ વગેરે શ્રમણો તથા શ્રમણીઓ પાસે ક્ષમાયાચના કરીને વિપુલ પર્વત ઉપર ધીમે-ધીમે આરોહણ કરી, ત્યાં પૃથ્વી શિલાપટ્ટ ઉપર પ્રાયોપગમન અનશન સ્વીકારી લઈશ.” - પ્રાતઃકાળ થયો. તે ભગવાન મહાવીર પાસે ગયો. વંદના-નમસ્કાર કરીને, હાથ જોડી એક તરફ મૌનરૂપે ઉપાસનામાં બેસી ગયો. ભગવાને તેના મનની વાત અભિવ્યક્ત કરતાં કહ્યું, “મેઘ ! તેં જે વિચાર્યું છે એમ જ કરવાનું શ્રેયસ્કર છે. વિલંબ ન કરીશ.' મેઘે અનશન સ્વીકારી લીધું. અનેક નિર્ગળ્યો અગ્લાનભાવે તેમની પરિચર્યા કરવા લાગ્યા. મુનિ મેઘ અગિયાર અંગ ભણી ચૂક્યો હતો. તેના સંયમપર્યાયનું બારમું વર્ષ સમાપ્ત થઈ રહ્યું હતું. એક માસના અનશન પૂરા કરીને મુનિ મેઘકુમાર મૃત્યુ પામ્યા. પરિચર્યામાં નિયુકત શ્રમણો તેનાં પાત્રો-ઉપકરણો લઈને ભગવાન પાસે પહોંચ્યા અને બોલ્યા, ભંતે! આ પાત્રો-ઉપકરણો અણગાર મેઘનાં છે. ભંતે! મેઘ અહીંથી મૃત્યુ પામીને ક્યાં ગયો છે?” ભગવાને કહ્યું, તે અહીંથી મૃત્યુ પામીને વિજય નામના મહાવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો છે. તેનું આયુષ્ય તેત્રીસ સાગરનું છે. આયુષ્ય સમાપ્ત થતાં તે મહાવિદેહમાં ઉત્પન્ન થશે અને ત્યાં સમસ્ત કર્મોનો ક્ષય કરીને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ જશે.' ----- મુનિ દુલહારાજ સંબોધિ ૧૦ Page #13 -------------------------------------------------------------------------- ________________ આશીર્વચન પ્ર|ગૈતિહાસિક કાળની ઘટના છે. જૈન ધર્મના આદિ તીર્થંકર ભગવાન ઋષભ આ ધરતી ઉપર હતા. એક દિવસ તેમના અઠ્ઠાણુ પુત્રો ભેગા મળીને આવ્યા. તેમણે ભગવાનને વિનંતી કરી, ‘ભરતે અમારા સૌનાં રાજય છીનવી લીધાં છે. અમે અમારું રાજ્ય પાછું મેળવવાની આશાથી આપના શરણમાં આવ્યા છીએ.’ ભગવાને કહ્યું, ‘હું તમને એ રાજ્ય તો પાછું અપાવી શકતો નથી, પરંતુ એવું રાજય આપી શકું છું કે જેને કોઈ છીનવી ન શકે.’ પુત્રોએ પૂછ્યું, ‘તે રાજય કયું છે ?’ ભગવાને કહ્યું, ‘તે રાજય છે- આત્માની ઉપલબ્ધિ. પુત્રોએ પૂછ્યું, ‘તે શી રીતે મળી શકે ?’ ભગવાને કહ્યું, ‘સંબુગ્ઝહ કિં ન બુઝ્રહ, સંબોહિ ખલુ પેચ્ચ દુલ્લહા । નો હ વણમંતિ રાઇઓ, ણો સુલભં પુણરાવિ જીવિ.સંબોધિ પ્રાપ્ત કરો. તમે સંબોધિ શા માટે પ્રાપ્ત નથી કરતા ? વીતી ગયેલી રાત પાછી મળતી નથી. આ મનષ્યભવ પણ વારંવાર સુલભ નથી.’ આમ જૈન ધર્મની સાથે સંબોધિનો પ્રાગૈતિહાસિક સંબંધ છે. સંબોધિ શું છે ? તે છે આત્મમુક્તિનો માર્ગ, એ તમામ માર્ગ કે જે આપણને આત્માની સંપૂર્ણ સ્વાધીનતા તરફ સંબોધિ ર ૧૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ લઈ જાય છે. તે એક શબ્દમાં સંબોધિ કહેવાય છે. બોધિના ત્રણ પ્રકાર છે : જ્ઞાનબોધિ, દર્શનબોધિ, ચારિત્રબોધિ. ત્રણ પ્રકારના બુદ્ધ હોય છે : જ્ઞાનબુદ્ધ, દર્શનબુદ્ધ, ચારિત્રબુદ્ધ. જૈન દર્શનનો એવો અભિમત છે કે આપણે માત્ર જ્ઞાન થકી આત્મમુક્તિ પામી શકતા નથી, માત્ર દર્શન અને માત્ર ચારિત્ર થકી પણ તેને પામી શકતા નથી. તેની પ્રાપ્તિ આ ત્રણેયના સમવાય થકી એટલે કે અવિકલ સંબોધિ દ્વારા જ થઈ શકે છે. જૈન ધર્મ વસ્તુતઃ પ્રાચીન ધર્મ છે. તેના બાવીસ તીર્થંકરો પ્રાગૈતિહાસિક કાળમાં થયા છે. પાર્શ્વ અને મહાવીર ઐતિહાસિક વ્યક્તિ છે. જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો આ પ્રમાણે છે - ૧. આત્મા છે. ૨. તેનો પુનર્જન્મ થાય છે. ૩, તે કર્મનો કર્તા છે. ૪. તે કૃતકર્મનાં ફળનો ભોક્તા છે. ૫. બંધન છે અને તેનાં કારણો છે. ૬. મોક્ષ છે અને તેનાં કારણો છે. જૈન દર્શન અનુસાર મુક્ત જીવ જ પરમાત્મા હોય છે. આ સિદ્ધાંત મુજબ પ્રત્યેક આત્મામાં પરમાત્મા બનવાની ક્ષમતા છે. કાળ, સ્વભાવ, પુરુષાર્થ વગેરેનો ઉચિત યોગ મળે તો આત્મા પરમાત્મા બની જાય છે, બંધનથી મુક્ત થઈને પોતાના વિશુદ્ધ રૂપમાં તે પ્રગટ થઈ જાય છે, જૈન દર્શન આદિથી અંત સુધી આધ્યાત્મિક દર્શન છે. તેનું સમગ્ર ચિત્ર આત્મકર્તૃત્વની રેખાઓથી નિર્મિત છે. ઈશ્વર-કર્તૃત્વની અપેક્ષાએ આત્માકર્તૃત્વ સાથે આપણો નિકટનો સંબંધ છે. આપણે પોતાના કર્તૃત્વને ઇષ્ટ દિશા તરફ સંબોધિ ૧૨ Page #15 -------------------------------------------------------------------------- ________________ વાળી શકીએ છીએ, પરંતુ તેના કર્તુત્વને ઈષ્ટ દિશા તરફ વાળી શકતા નથી કે જેનો આપણી સાથે સીધો સંબંધ ન હોય. તેથી જીવનના નિર્માણ અને વિકાસમાં આત્મકર્તુત્વના સિદ્ધાંતનો બહુ મોટો યોગ છે. “સંબોધિ’માં આદિથી અંત સુધી એનું જ વ્યાવહારિક સંકલન છે. તેનો રચનાક્રમ શ્રીમદ્ ભગવદ્ ગીતા જેવો છે. યોગીરાજ કૃષ્ણની જેમ તેના ઉપદેશક તીર્થકર ભગવાન મહાવીર છે. “સંબોધિ’નો અર્જુન ભંભાસાર શ્રેણિકનો પુત્ર મુનિ મેઘકુમાર છે. તેની સંવાદાત્મક શૈલી શિક્ષિત અને અલ્પશિક્ષિત સૌ કોઈ માટે સમાન ઉપયોગી બની રહેશે. સંબોધિ શબ્દ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યગ્યારિત્રને પોતાની અંદર સમાવીને રહેલો છે. સમ્યગ્દર્શન વગર જ્ઞાન અજ્ઞાન બની રહે છે અને ચારિત્રના અભાવે જ્ઞાન તથા દર્શન નિષ્ક્રિય બની રહે છે. આત્મદર્શન માટે આ ત્રણેનું સમાન તેમજ અપરિહાર્ય મહત્ત્વ છે. આ દૃષ્ટિને ધ્યાનમાં રાખીને તેનું નામ સંબોધિ' રાખવામાં આવ્યું છે. લેખકે પોતાની પ્રતિપાદન-પદ્ધતિમાં સમય અનુસાર કેટલું પરિવર્તન કરી લીધું છે, એનો ખ્યાલ તેમના અગાઉના અને વર્તમાન સાહિત્યને જોવાથી જ આવી જાય છે. ‘સંબોધિ’નાં પદ જયાં સરળ અને રોચક બની ગયાં છે, ત્યાં એટલી જ સફળતાપૂર્વક તેઓ ઊંડાણમાં ગયા છે. તેમની સરળતા અને મૌલિકતાનું એક કારણ એ પણ છે કે તેઓ ભગવાન મહાવીરની મૂળભૂત વાણી ઉપર આધારિત છે. ઘણાં બધાં પા તો અનુદિત છે પરંતુ તેમનું સંયોજન સર્વથા નવીન શૈલી ધરાવે છે. આશા છે કે અધ્યાત્મજિજ્ઞાસુ વ્યક્તિઓને આ ગ્રંથ ઉત્તમ આહાર પૂરો પાડશે. મને ગૌરવ છે કે મારા સાધુસમુદાયે મૌલિક સાહિત્યસર્જનની દિશામાં પ્રગતિ કરી છે અને કરી રહ્યો છે. હું ઇચ્છું છું કે લેખક પોતાનાં સાધના, ચિંતન અને અભિવ્યક્તિમાં ઉત્તરોત્તર સફળ નીવડે. -------------- ગણાધિપતિ તુલસી. સંબોધિ૧૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ બ સાદ્વાદ જ તો છે, કે કશું જ નવું નથી A બનતું અને કશું જ જૂનું નથી થતું. એક સમય એવો { આવે છે કે જ્યારે જૂનું નવું બની જાય છે અને એક સમય એવો આવે છે કે જ્યારે નવું બધું જૂનું બની જાય છે. આ ગ્રંથ ન તો નવો છે કે ન તો જૂનો છે. જૂનો એટલા માટે નથી કે તેની ભાષા અર્ધમાગધી { નથી, ભગવાનની ભાષા તેમાં નથી. નવો એટલા માટે નથી કે ભાવના અને તત્ત્વજ્ઞાન મારાં પોતાનાં નથી. ભગવાને જે કહ્યું તેનો જ અનુવાદ છે. પુષ્પોની સુરભિમાં માળીનું (માળા બનાવનારનું) [ પોતાનું શું હોય છે ? તેના માટે તો એટલું જ પર્યાપ્ત છે છે કે તે ફૂલોની પસંદગી કરે અને એક દોરામાં તેને ગૂંથી દે. સંતશ્રી તુલસીએ મને પ્રોત્સાહિત કર્યો અને હું એકાએક માળી બનવા માટે નીકળી પડ્યો. માળીનું કાર્ય સર્વથા મૌલિક નથી, તેમ સર્વથા - સહજ પણ નથી. યોજના નિર્માણ કરતાં ઓછી કઠિન નથી હોતી. ઉચિત સ્થાન અને સમયે યોજિત કરવાની દષ્ટિ સૂક્ષ્મ હોવી જોઈએ, પારદર્શક હોવી { જોઈએ. હું મારી દષ્ટિને સૂક્ષ્મ કે પારદર્શક માનું કે છે. ન માનું, એ બંનેય ગૌણ પ્રશ્નો છે. મુખ્ય વાત છે એટલી છે જે કે એક નિમિત્ત મળ્યું અને આ ગ્રંથનું પ્રણયન થઈ ગયું. અનેક લોકોએ કહ્યું- એક સ્વાધ્યાય ગ્રંથની 1 અપેક્ષા છે, જે ન તો બહુ મોટો હોય કે ન તો બહુ 1 નાનો હોય; જેમાં જીવનની વ્યાખ્યાહોય, જીવનનું ને દર્શન હોય. હું સ્વયં અનુભવતો હતો કે જૈન સંબોધિ . ૧૪ Page #17 -------------------------------------------------------------------------- ________________ - - પરંપરાના આધુનિકકાળમાં તત્ત્વજ્ઞાનના અધ્યયન તરફ જેટલું ધ્યાન છે, એટલું જીવનદર્શન તરફ નથી. તેનું પરિણામ જેટલું મળવું જોઈએ એટલું ઇષ્ટ નથી મળતું જીવનના શુદ્ધીકરણ માટે આગ્રહ નથી હોતો, એવા સંજોગોમાં તત્વજ્ઞાનનો આગ્રહ ક્યારેક દુરાગ્રહનું રૂપ ધારણ કરી લે છે. અનાગ્રહ સ્યાદ્વાદનો મૂળ મંત્ર છે, પરંતુ જીવનના શુદ્ધીકરણ વગર તેનો વિકાસ થતો નથી. જેટલા વિકાર છે તે તમામ મોહની પરિણતિ છે. દષ્ટિમોહથી દર્શન વિકૃત બને છે અને ચારિત્રમોહથી આચાર વિકૃત બને છે. દષ્ટિનો વિકાર ટકી રહે એવા સંજોગોમાં તત્ત્વજ્ઞાન આવે તોય શું અને ન આવે તોય શું? તેથી ભગવાને કહ્યું, ‘દષ્ટિ સમ્યક હોય (મોહ ક્ષીણ હોય) તો જ્ઞાન સમ્યફ હોય છે, દષ્ટિ સમ્યફ ન હોય (મોહ ક્ષીણ ન હોય) તો જ્ઞાન પણ સમ્યક્ નથી હોતું. સારાંશ એ છે કે જ્ઞાનના આલોકમાં દષ્ટિ સમ્યફ નથી હોતી, દષ્ટિના આલોકમાં જ્ઞાન સમ્યક્ હોય છે.” સંક્ષેપમાં આ ગ્રંથનું પ્રતિપાદન આટલું જ છે. વિસ્તાર દષ્ટિએ તેના ૧૬ અધ્યાય છે અને ૭૮૬ શ્લોક છે. આચારાંગ, સૂત્રપ્તાંગ, સ્થાનાંગ, ભગવતી, જ્ઞાતાધર્મ કથા, ઉપાસક દશા, પ્રશ્ન વ્યાકરણ, દશાશ્રુત સ્કંધ વગેરે આગમોમાંથી સાર સંગ્રહિત કરીને મેં તેનું પ્રણયન કર છે. ગીતાદર્શનમાં ઈશ્વરાર્પણનો જે મહિમા છે, એ જ મહિમા જૈન દર્શનમાં આત્માર્પણનો છે. જૈન દષ્ટિ મુજબ આત્મા જ પરમાત્મા કે ઈશ્વર છે. તમામ આત્મવાદી દર્શનોમાં ધ્યેયની સમાનતા છે. મોક્ષ કે પરમાત્મ પદમાં ચરણ પરિણતિ આત્મવાદનું ચરમ લક્ષ્ય છે. સાધનોના વિસ્તારમાં જૈન દર્શન સમતાને સર્વોપરિ સ્થાન આપે છે. સંયમ, અહિંસા, સત્ય વગેરે તેના જ અંગ-ઉપાંગ છે. “ગીતા”નો અર્જુન કુરુક્ષેત્રના સમરાંગણમાં ગ્લાનિ અનુભવે છે, તો “સંબોધિ'નો મેઘકુમાર સાધનાની સમરભૂમિમાં ગ્લાનિ અનુભવે છે. “ગીતા'ના ગાયક યોગીરાજ શ્રીકૃષગ છે અને સંબોધિના ગાયક ભગવાન મહાવીર છે. અર્જુનનું પૌરુષ કૃષ્ણનો ઉપદેશ સાંભળીને જાગી ઊર્યું તો મહાવીરની વાણી સાંભળીને મેઘકુમારનો આત્મા ચૈતન્યથી ઝળહળી ઊઠડ્યો. દીવાથી દીવો પ્રગટ છે. એકનો પ્રકાશ બીજાને પ્રકાશિત કરે છે. મેઘ જે પ્રકાશ પામ્યો, એ જ પ્રકાશ અહીં વ્યાપક સ્વરૂપે છે. ક્યારેક-ક્યારેક જ્યોતિનો એક કણ પણ જીવનને જ્યોતિર્મય બનાવી દે છે. સંબોધિ - ૧૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથનો અનુવાદ સહજ, સરળ અને સંક્ષિપ્ત છે. ભગવાનની દષ્ટિકોણ અત્યંત સહજ છે, પરંતુ જે જેટલું સહજ હોય છે તે એટલું જ ગહન બની રહે છે. આ ઊંડાણ તેનું સહજ રૂપ છે, તરનારને ભલે તે અસહજ લાગે. ઊંડાણ માપવા માટે વિશદ્ વ્યાખ્યાની અપેક્ષા છે. હું સરળ સંસ્કૃત લખવાનો અભ્યાસી નથી, પરંતુ તેને ભાષા-સારલ્ય ઉપર ગણાધિપતિએ મને સાશ્ચર્ય આશીર્વાદ આપ્યા, તેને હું મારા જીવનની સફળતાનો પ્રકાશસ્તંભ સમજું છું. તેના આઠ અધ્યાય મેં આચાર્ય શ્રી તુલસી (વર્તમાનમાં સ્વ. ગણાધિપતિ)ની મુંબઈ યાત્રા (ઈ.સ.૧૯૫૩-૫૪) દરમ્યાન લખ્યા હતા અને બાકીના આઠ અધ્યાય કલકત્તા યાત્રા દરમ્યાન (ઈ.સ.૧૯૫૯-૬૦) લખ્યા હતા. આમ બે ભવ્ય યાત્રાઓના આલોકમાં તેની રચના થઈ છે. આ ગ્રંથમાં મેં એકાદ બે વખત સંશોધન પરિવર્ધન કર્યું છે. ગત વર્ષે ગણાધિપતિ શ્રી તુલસીની નિશ્રામાં અનેક વિજ્ઞ સંતોની સામૂહિક પરિષદમાં આ ગ્રંથનું પારાયણ થયું અને ત્યારે અત્ર-તત્ર નવા નિર્મિત ૮૩ શ્લોકો તેમાં ઉમેર્યા વર્તમાનમાં આ ગ્રંથ પોતાના ૭૮૬ શ્લોકોમાં સમગ્ર જૈન દર્શનને સમાવી રહ્યો છે. ભગવાનની વાણીમાંથી મેં જે મેળવ્યું, તેને ભગવાનની ભાવનામાં જ પ્રસ્તુત કરીને હું મને સૌભાગ્યશાળી સમજું છું. –––––––ા આચાર્ય મહાપ્રજ્ઞ સંબોધિ - ૧૬ Page #19 -------------------------------------------------------------------------- ________________ કાળ અનંત છે. સત્ય અનંત છે. સત્યના સાક્ષાત્કારનો પ્રયાસ અનંતકાળથી ચાલી રહ્યો છે. અનંત વ્યક્તિઓએ સત્યને શોધ્યું અને T. મેળવ્યું. અનંત વ્યક્તિઓ તેને શોધશે અને પામશે. અગણિત વ્યક્તિઓ તેને શોધી રહી છે, કેટલીક વ્યકિતઓ તેને પામી રહી છે અને કેટલીક વ્યક્તિઓ ભટકી રહી છે. અનંત અતીત, અનંત ભવિષ્ય અને ક્ષણિક વર્તમાનની આ અમર કથા છે. | સત્ય અનંત છે તેથી તે અમર છે. કહે છે કે સત્ય સુધી પહોંચવાના અનંત માર્ગો છે.. ના, એ સાચું નથી. સત્ય એક છે અને તેની ઉપલબ્ધિનો માર્ગ પણ એક જ છે. એ માર્ગ છે. “સંબોધિ'. મહાવીરે કહ્યું, “સંબુઝહ, કિં ન ) બુઝહ ' ' સબુદ્ધ બનો. શા માટે બોધિને પ્રાપ્ત કરતા નથી ?” “સંબોહિ ખલુ પેચ્ચ દુલહા'- સંબોધિનો અવસર પ્રાપ્ત છે. તેનો ઉપયોગ કરો. આગળ સંબોધિ ! દુર્લભ છે. અસ્તિ-નાસ્તિ, અમરત્વ-મૃત્યુ, જ્ઞાન- I અજ્ઞાન, સ્થિતિ-ગતિ, ક્રિયા-અક્રિયા, સંબોધિ - ૧૭ સર કરી સરકાર ની સરકાર પર આકરા કરવા લાગી છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ધ્રુવ-પરિણામી વગેરે વંદ્વોમાં ફસાશો નહીં. આ કંદોના ધુમ્મસને વિદીર્ણ કરો. સમગ્ર અંતઃકરણ ઝગમગી ઊઠશે. સ્વયંને જાણો. સ્વયં અનંત છે. જે અનંતને જાણે છે તે અનંત બની જાય છે. સંબોધિ” અનંતના યાત્રાપથનો માર્ગદીપક છે. તેને પેટાવવાનો નથી હોતો, તે પ્રદીપ્ત જ રહે છે. તેને બનાવવામાં નથી આવતો, તે સ્વયંભૂ છે. તે ન નિર્માતા છે કે ન નિર્મિતિ છે. તે ન કર્તા છે કે ન કૃતિ છે. તે ન ભ્રષ્ટા છે કે ન સૃષ્ટિ છે. તે માત્ર છે, તે છે માત્ર અસ્તિ'. મહાપ્રન્સે કહ્યું, આપણે જે પામવા ઈચ્છીએ છીએ તે આપણી પાસે છે. બહારથી આપણે કશું જ લેવાનું નથી. આપણે ખાલી થઈ જવાનું છે. સંબોધિ'નું સંગાન ખાલી થવાનું શીખવે છે, વિજાતીયનો ઉચ્છેદ કરવાનું શીખવે છે. ખાલી થતાં જ સત્તા અનાવૃત્ત થઈ જાય છે. તે અનંત છે, તે અનિર્વચનીય છે. સંબોધિ' સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્રનો દિશાબોધ છે. તે ગતિ પણ છે અને ગંતવ્ય પણ છે. તે સાધન પણ છે અને સિદ્ધિ પણ છે. તે પૂર્ણતા પણ છે અને રિતતા પણ છે. સંબોધિ” અપ્રતિબદ્ધ હોય છે. જે અપ્રતિબદ્ધ છે એ જ અનંત છે. . એ શબ્દ અને વાદની પેલે પારની સ્થિતિ છે કે જ્યાં સઘળા શબ્દો નિસાર અને વાદ નિપ્રાણ બની રહે તે અશબ્દ અને અવાદ છે. તેથી અનંત છે. સંબોધિ ૨૧૮ Page #21 -------------------------------------------------------------------------- ________________ મહાપ્રજ્ઞ સ્વયં સંબુદ્ધ છે. તેમણે સંબોધિને સ્વયં જીવી છે અને આજે પણ જીવી રહ્યા છે. કહેવાય છે કે મહાવીરને જાણવા હોય તો મહાવીર બનીને જાણો. મહાવીર જેવી રીતે ચાલતા હતા તેવી રીતે ચાલો, જેવી રીતે બેસતા હતા તેવી રીતે બેસો, જેવી રીતે બોલતા હતા તેવી રીતે બોલો, જેવી રીતે ખાતા હતા તેવી રીતે ખાઓ, જેવી રીતે સૂતા હતા તેવી રીતે સૂઓ, જેવી રીતે ધ્યાન કરતા હતા તેવી રીતે ધ્યાન કરો- આમ કરવું એ જ મહાવીરને જાણવું છે. આમ કરવું એ જ મહાવીર બનવું છે એ જ ઊર્ધ્વરોહણ છે, ચેતનાનું સાક્ષાત્કરણ છે. મેં યત્કિંચિત પ્રયાસ કર્યો અને મહાવીર બનવાની દિશા સ્પષ્ટ થઈ ગઈ. મહાપ્રજ્ઞે આ રહસ્યોદ્ઘાટન કર્યું. મેં પણ એ જ સમજ્યું છે. એ જ એકમાત્ર કાર્ય છે આપણા માટે કરણીય. જે આ દિશામાં પ્રસ્થિત છે, હું તેમને શત શત પ્રમામ કરું છું. ‘સંબોધિ’ને વ્યાખ્યાબદ્ધ કરવાનું કઠિન છે, પરંતુ તેને જીવવાનું કઠિનતમ છે. કઠિનતમ ત્યાં સુધી કે જ્યાં સુધી તેને જીવવામાં ન આવે. આપણે તેને જીવવાનું શરૂ કરીએ તો તે સહજ, સરળ બની રહે છે એવો મારો પોતાનો અનુભવ છે. ન આ ‘સંબોધિ’ના સંગાન દ્વારા પ્રત્યેક વ્યક્તિના હૃદયની બારી ખૂલશે અને ત્યારે એ આધ્યાત્મિક સંગીતની સરગમ થકી સંબોધિ કલ્પાયિત નહીં, જીવંત બનીને જીવનને અનરાધાર આનંદમાં નિમગ્ન કરી દેશે. મુનિ દુલહરાજ સંબોધિ ઃ ૧૯ Page #22 -------------------------------------------------------------------------- ________________ महावीर Sou – રોહિત શાહ 63 ત્તમ ગ્રંથના અનુવાદ-સંપાદનનું કાર્ય એ સદ્ભાગ્ય છે. એવું સદ્ભાગ્ય આચાર્ય મહાપ્રજ્ઞજીએ મને અનેક વખત બક્ષ્ય છે. ‘સંબોધિ’ મારા એ સદ્ભાગ્યનું શિખર છે. હિન્દુધર્મ અને જૈન ધર્મ સૈદ્ધાંતિક રીતે તદ્દન ભિન્ન છે, છતાં તે બન્ને ધર્મની કથાઓ વચ્ચે ઘણું સામ્ય જોવા મળે છે. ખાસ કરીને ભગવાન કૃષ્ણ અને તીર્થંકર મહાવીરના જીવનની ઘટનાઓમાં, તીર્થંકર મહાવીરે પોતાના જમણા પગના અંગુઠા વડે મેરૂ પર્વતને ડોલાવ્યો હતો, ભગવાન કૃષ્ણે ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચકયો હતો. તીર્થંકર મહાવીર નિર્ભય-અભય હતા. બાળપણમાં મિત્રો સાથે રમતા હતા ત્યારે એકાએક આવી ચડેલા નાગને તેમણે પકડી લીધો હતો, તથા મહાવિષધર ચંડકૌશિક નાગને ઉગાર્યો હતો. ભગવાન કૃષ્ણે કાલિંદી (યમુના) નદીમાં રહેતા નાગને નાથ્યો હતો. તીર્થંકર મહાવીરે ચંદનબાળાનો ઉદ્ધાર કર્યો હતો. ભગવાન કૃષ્ણે કુબ્જાનો ઉદ્ધાર કર્યો હતો. તીર્થંકર મહાવીરે મુનિ મેઘકુમારની અવઢવ દૂર કરી હતી, ભગવાન કૃષ્ણે અર્જુનની અવઢવ દૂર કરી હતી. આવા અનેક પ્રસંગોમાં સામ્ય જોવા મળે છે. આમ છતાં મહાવીર સંયમમાર્ગના પુરસ્કર્તા રહ્યા છે, જયારે કૃષ્ણના વ્યક્તિત્વમાં રસિકતા અનુભવાય છે. બન્નેમાં અપ્રમાદ તો કેન્દ્રમાં જ છે. બન્નેનાં માર્ગ અલગ હોવા છતાં, પોતપોતાની રીતે બંને સાચા છે. રસિકતા વગરનો સંયમ અને સંયમ વગરની રસિકતા ઉભય અપૂર્ણ જ ગણાય ને ? ભગવાન કૃષ્ણે મહાભારતના સંગ્રામ વખતે અર્જુનના પ્રશ્નોના ઉત્તર રૂપે જે બોધ આપ્યો, તે ભગવદ્ ગીતા તરીકે ઓળખાયો. તીર્થંકર મહાવીરે સંબોધિ . ૨૦ For Frivate & Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ આ જ કાન પકડયા ,નું + - + ર ા # ૧ મુનિ મેઘકુમારના સંકલ્પ-વિકલ્પની અવઢવ વખતે જે જ્ઞાન આપ્યું તે “સંબોધિ તરીકે ઓળખાયું. સંબોધિ'ના કુલ ૭૮૬ શ્લોકમાં સમ્યક્ જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિસ્તૃત સમજ છે, અને એક રીતે જૈન દર્શનનો સાર પણ એ જ છે. ગીતાનો ઉપદેશ માત્રા હિન્દુઓ માટે નથી તેમ “સંબોધિ”નું જ્ઞાન માત્ર જેનો માટે જ નથી. કોઈપણ ધર્મની વ્યક્તિ, કોઈપણ યુગમાં આ બન્ને ગ્રંથોના બોધ-જ્ઞાનને આચરણમાં ઉતારીને આત્મકલ્યાણ કરી શકે છે. - આચાર્ય મહાપ્રજ્ઞ એવા અધ્યાત્મ-મનીષી છે કે જેઓ ઇતિહાસમાં વર્તમાનને અને વર્તમાનમાં ઈતિહાસને સમાવીને, ભવિષ્યની કેડી કંડારે છે. એમની શૈલી એમના વ્યાપક અભ્યાસ, ગહન ચિંતન અને પારદર્શક ચારિત્રમાંથી સ્વયં પ્રગટી રહે છે. તત્ત્વની ઉત્કૃષ્ટ સામગ્રીને તેઓ સહજ, સરળ અને લોકભોગ્ય શૈલીમાં પ્રસ્તુત કરી દે છે. તેઓ જેટલો આદર અધ્યાત્મનો કરે છે, એટલો જ વિવેક વિજ્ઞાન પ્રત્યે પણ દાખવે છે. સ્વસ્થ અને તટસ્થ વિચાર એટલે જ આચાર્ય મહાપ્રજ્ઞ ! “અનેકાન્ત ભારતી પ્રકાશન'ના સંસ્થાપક/ નિર્દેશક શ્રી શુભકરણજી સુરાણા ગુજરાતી જિજ્ઞાસુઓ માટે જે પુરષાર્થ કરી રહ્યા છે, જે નિષ્ઠા દાખવી રહ્યા છે, તે શબ્દોમાં વ્યક્ત કરવાનું મારે મન તો મુશ્કેલ છે જ. તેમની વત્સલ લાગણીનો હું ઋણી છું. પાલિતાણાનિવાસી શ્રી વેણીભાઈ પી. દોશી અધ્યાત્મ સાહિત્યના અભ્યાસુ છે અને પોતાનાં સ્વજનોને પણ અવાર-નવાર અધ્યાત્મ સાહિત્યની રસલહાણ કરાવતા રહે છે. અનેકાન્ત ભારતી પ્રકાશન દ્વારા પ્રકાશિત કેટલાક અણમોલ ગ્રંથો જિજ્ઞાસુ ભાવકો સુધી પહોંચાડવાની લાગણી તેઓ સતત દાખવતા રહે છે. સંબોધિ' ગ્રંથ માટે પણ તેમના તરફથી મળેલો સહયોગ સ્મરણીય બની રહેશે. તેમની અધ્યાત્મસાહિત્યપ્રીતિને હું હૃદયપૂર્વક બિરદાવું છું. પ્રત્યેક ગ્રંથના પ્રકાશન પછી, ભાવકોના પ્રતિભાવોની અમને તીવ્ર પ્રતીક્ષા રહે છે. આપનો કીમતી પ્રતિભાવ અમને માર્ગદર્શન આપશે તથા પ્રોત્સાહન પણ પૂરું પાડશે. મકરસંક્રાન્તિ, ૯૯ અનેકાન્ત' ડી-૧૧, રમણકલા એપાર્ટમેન્ટ, સંઘવી હાઈસ્કૂલ રેલવે ક્રોસિંગ પાસે, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. ફોનઃ ૭૪૭૩૨૦૭ સંબોધિત, ૨૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ (૧.] (સ્થિરીકરણ સુિખ-દુઃખ મીમાંસા (આત્મકર્તુત્વવાદ ૪. ) (સહજાનંદ મીમાંસા (મોક્ષ-સાધન-મીમાંસા لا لا لا لا لا لا لا لنا لنا لنا (ક્રિયાક્રિયાવાદ (આજ્ઞાવાદ ] [બંધ-મોક્ષવાદ 0000000000 00 00 00 િિમથ્યા-સમ્યજ્ઞાન-મીમાંસા ૧૦) (સંવતચર્ચા (આત્મમૂલક ધર્મ-પ્રતિપાદનો ન્શિય-હેય-ઉપાદેય. સિાધ્ય-સાધન સંજ્ઞાન ગૃહસ્થ ધર્મ પ્રબોધન ગૃિહીધર્મચર્યા (૧૬મન પ્રસાદ મન:પ્રસાદ ) = For pic d mase Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ના નામ છે છે. જો, E પર કારક કફ * * : .: :: ' કરે. દરેક પ્રશ્ન એ હું આચાર્ય મહાપ્રફTA . . Page #26 -------------------------------------------------------------------------- ________________ અર્થસૌજન્ય પૂજ્ય માતુશ્રી સ્વ. કાનીદેવી બુધમલજી બચ્છાવતની પુણ્યસ્મૃતિમાં હજારીમલ બછાવત પરિવાર અમદાવાદ પૂજ્ય સ્વ પિતાશ્રી ભંવરલાલજી સુરાણાની પુણ્યસ્મૃતિમાં મેસર્સ નિર્મલકુમાર જૈન ૯૪, હીરાભાઈ માર્કેટ, દિવાન બલ્લુભાઈ માર્ગ, અમદાવાદ-૩૮૦૦૨૨. ફોન: ૫૪૬૫૦૧૫. - - - - - - - - - - અનેકાન્ત ભારતી પ્રકાશન (પેન) - "શ્રી મીઠાલાલ પોરવાલ [ સિંગલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ] શ્રી ચંદનમલ ભંવરલાલ સુરાણા [ અરૂણા પ્રોસેસર્સ પ્રા. લિ. ]. Page #27 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ સ્થિરીકરણ Page #28 -------------------------------------------------------------------------- ________________ Page #29 -------------------------------------------------------------------------- ________________ ત 00 00.00 00. 00.0 આમુખ ભગવાન મહાવીર રાજગૃહમાં પધાર્યા. પરિષદ વંદના માટે પહોંચી. ભગવાને પ્રવચન આપ્યું. સૌએ સાંભળ્યું. સમ્રાટ શ્રેણિકનો પુત્ર મેઘકુમાર સમવસરણમાં ઉપસ્થિત હતો. તેણે માત્ર સાંભળ્યું જ નહીં, પરંતુ પ્રવચનને હૃદયંગમ કરી લીધું. તેના અંતર્મનમાં વૈરાગ્યનો અંકુર ફૂટ્યો. માતા-પિતાની અનુમતિ લીધી અને ભગવાન પાસે દીક્ષિત થયો. તે શ્રમણ બન્યો. દીક્ષાની પ્રથમ રાત્રે જે કાંઈ બન્યું તેનાથી તે વિચલિત થઈ ઊઠ્યો. તે વિચલનને દૂર કરવા માટે ભગવાને અતીન્દ્રિય શૈલીનો પ્રયોગ કર્યો. તેને પૂર્વજન્મની સ્મૃતિનો મંત્ર આપી દીધો. આવા પ્રસંગો વખતે ભગવાન આ શૈલીના વિશેષ ઉપયોગ કરતા હતા તે શૈલી આ પ્રસંગમાં પણ ખૂબ સાર્થક બની. મેઘકુમારની સંબોધિ દૃઢ થઈ ગઈ. આદિનાથ ભગવાન ઋષભે પોતાના અઠ્ઠાણું પુત્રોને સંબોધિનો ઉપદેશ આપ્યો હતો. सम्बुज्झह किं न बुज्झह संबोहि खलु पेच्च दुल्लहा । તેઓ સંબુદ્ધ થઈ ગયા. મેઘકુમારની ઘટના એ જ સંબોધિની પુનરાવૃત્તિ જેવી માલૂમ પડે છે. તે — Page #30 -------------------------------------------------------------------------- ________________ Page #31 -------------------------------------------------------------------------- ________________ સ્થરીકરણ १. ऐं ॐ स्वर्भूर्भुवस्त्रय्यास्त्राता तीर्थंकरो महान् । વર્ધમાનો વર્ધમાનો, જ્ઞાન-તન-સમ્પવા IT अहिंसामाचरन् धर्म, सहमानः परीषहान् । वीर इत्याख्यया ख्यातः, परान् सत्त्वानपीडयन् ।। अहिंसातीर्थमास्थाप्य, तारयन् जनमण्डलम् । चरन् ग्राममनुग्रामं, राजगृहमुपेयिवान् ।। (ત્રિવિશેષF) ત્રિલોકીના ત્રાતા મહાન તીર્થંકર વર્ધમાન અહિંસાતીર્થની સ્થાપના કરીને લોકોનો ઉદ્ધાર કરતા કરતા એક ગામથી બીજે ગામ વિહાર કરતા રાજગૃહ પધાર્યા. તેઓ જ્ઞાન અને દર્શનની સંપદા થકી વર્ધમાન બની રહ્યા હતા. તેમનો આચાર અહિંસાધર્મનો હતો. તેઓ કોઈપણ પ્રાણીને પીડિત કરતા નહોતા અને અહિંસાના અનુપાલન માટે પરીષહો સહન કરતા હતા, તેથી તેઓ ‘વીર' તરીકે પ્રખ્યાત થયા. (૧, ૨, ૩) ૪. નાનીસંતાસંતી, તાપીમૂનતિઃ | तमाजग्मुर्जना भूयः, सुचिरां शांतिमिच्छवः ।। જે વિભિન્ન પ્રકારના શારીરિક, માનસિક અને ભાવાત્મક સંતાપોથી સંતપ્ત હતા, તેનું ઉમૂલન કરવા ઇચ્છતા હતા, ચિરશાંતિના તેઓ ઇચ્છુક હતા, તે લોકો મોટી સંખ્યામાં ભગવાનની પાસે પહોંચ્યા. (૪) ૧. ૐ –આ મંગલમય બીજમંત્ર છે. ૨. સ્વર્ગ, ભૂમિ અને રસાતલ સંબોધિ - ર૯ Page #32 -------------------------------------------------------------------------- ________________ મહારાજ શ્રેણિકનો પુત્ર ‘મેઘ’ ભગવાન પાસે પહોંચ્યો તેનાં કર્મ અને આશ્રવ અલ્પ હતાં. તે ભવ્ય (મોક્ષગામી) હતો. તેણે ભગવાનની વાણી સાંભળી, વિરક્ત બન્યો અને પોતાનાં માતાપિતાની સ્વીકૃતિ લઈને દીક્ષિત થઈ ગયો. (૫) ૬. कठोरो भूतलस्पर्शः, स्थानं निर्ग्रन्थसंकुलम् । मध्येमार्गं शयानस्य, विक्षेपं निन्यतुर्मनः ।। પ્રથમ રાત્રીની ઘટના છે. ત્રણ બાબતોએ તેના મનને ચંચળ બનાવી મૂક્યું ભૂમિનો સ્પર્શ કઠોર હતો. પહેલી વાત બીજી વાત તે જગાએ ઘણી મોટી સંખ્યામાં નિર્પ્રન્થો હતા. ત્રીજી વાત તે માર્ગની વચ્ચે સૂઈ રહ્યો હતો. આવતા-જતા નિર્પ્રન્થોના સ્પર્શ થકી તેની નિદ્રામાં અવરોધ પેદા થતો હતો. (૬) श्रेणिकस्यात्मजो मेघो, भव्यात्माल्परजोमलः । श्रुत्वा भगवतो भाषां, विरक्तो दीक्षितः क्रमात् ।। — - ૮. - ૭. त्रियामा शतयामाऽभूत्, नानासंकल्पशालिनः । निस्पृहत्वं मुनीनां तं प्रतिक्षणमपीडयत् ।। " તેના મનમાં જાત-ભાતના સંકલ્પો ઉત્પન્ન થવા લાગ્યા. તેને માટે તે ત્રિયામા-ત્રણ પ્રહરની રાત શતયામા-એકસો પ્રહર જેટલી દીર્ઘ બની ગઈ. ખાસ કરીને સાધુઓનો નિઃસ્પૃહભાવ તેને હર ક્ષણે ઢંઢોળવા લાગ્યો. (૭) ૬. ચિર પ્રતીક્ષિત સૂર્યનું પ્રથમ કિરણ પ્રગટ્યું. તે અસ્થિર વિચારો સહિત ભગવાન મહાવીર પાસે પહોંચ્યો. (૮) चिरं प्रतीक्षितो रश्मिः, रवेरुदयमासदत् । महावीरस्य सान्निध्यमभजत् सोऽपि चञ्चलः । । विधाय वन्दनां नम्रः, विदधत् पर्युपासनाम् । विनयावनतस्तस्थौ, विवक्षुरपि मौनभाक् ।। For સંબોધિ ૬ ૩૦se Only Page #33 -------------------------------------------------------------------------- ________________ તે વિનયાવનત થઈને ભગવાનને વંદના કરી તેમની પપાસનામાં (સમીપે) બેસી ગયો. તે બોલવા ઇચ્છતો હતો, છતાં સંકોચને કારણે મૌન રહ્યો. (૯) ૨૦. ક્રોમત મુવીનું પ્ર૬, મેઘ ! વૈરાયવનપ | इयता स्वल्पकष्टेन, कातरस्त्वमियानभूः ।। ભગવાને મૃદુ સ્વરમાં કહ્યું, મેઘ ! તું વિરક્ત હોવાં છતાં આટલા નાનકડા કષ્ટથી આટલો બધો અધીર કેમ થઈ ગયો ? (૧૦) ११. पश्य स्तिमितया दृष्ट्या, कष्टं तत्पौर्वदेहिकम् । असम्यक्त्वदशायाञ्च, वत्स ! सोढं त्वया हि यत् ।। વત્સ ! તું તારા મનને એકાગ્ર કર અને સ્થિર-શાંત દૃષ્ટિથી તારા પૂર્વજન્મનાં કષ્ટ નિહાળ. તે વખતે તું સમ્યગ્દષ્ટિ નહોતો, છતાં તે અપાર કષ્ટો સહન કર્યા હતાં. (૧૧) मेघः प्राह १२. कथं मयाऽथ किं कष्टं, स्वीकृतं ब्रूहि तत् प्रभो ! न स्मरामि न जानामीत्यस्मि बोर्बु समुत्सुकः ।। મેઘ બોલ્યો, પ્રભુ મેં કેવાં કષ્ટો સહ્યાં અને કેવી રીતે સહ્યાં, તે ન તો મને યાદ છે કે ન તો તેના વિષે હું કાંઈ જાણું છું. પ્રભુ ! હું તે જાણવા આતુર છું, આપ મને તે જણાવો. (૧૨) भगवान् प्राह १३. भगवान् प्राह सत्योद्यं, घटना पौर्वदेहिकी । जातिस्मृतिं विना वत्स ! बोर्बु शक्या न जन्तुभिः ।। ભગવાને કહ્યું, વત્સ! તું સાચું કહે છે. જાતિ-સ્મૃતિ વગર કોઈપણ જીવ પૂર્વજન્મની ઘટના જાણી શકતો નથી. (૧૩) १४. ईहापोहं तथैकाग्रयं, विना सा नैव जायते । સંસ્મરી: બ્ધિતા પૂતા, પ્રદુઃJર્ય પ્રયત્નતિઃ | - ૧: પૂર્વજન્મની સ્મૃતિ કરાવનારું જ્ઞાન. સંબોધિ ૩૧ Page #34 -------------------------------------------------------------------------- ________________ ઈહા, અપોહ અને મનની એકાગ્રતા વગર જાતિ-સ્મૃતિ જ્ઞાન ઉત્પન્ન થતું નથી. જે સંસ્કાર ઊંડાણપૂર્વક સંચિત હોય છે, તે ઊંડા પ્રયત્નો દ્વારા જ પ્રગટ થતા હોય છે. (૧૪) १५. मेरुप्रभाऽभिधो हस्ती, त्वमासीः पूर्वजन्मनि । विन्ध्यस्योपत्यकाचारी, विहारी स्वेच्छया वने ।। મેઘ ! તું પૂર્વજન્મમાં “મેરુપ્રભ” નામનો હાથી હતો. તે વિંધ્ય પર્વતની તળેટીમાં આવેલા વનમાં સ્વચ્છંદતાપૂર્વક વિહાર કરતો હતો. (૧૫) १६. व्यधा भयाद् वनवह्नेः, मण्डलं योजनप्रमम् । लब्धपूर्वानुभूतिस्त्वं, दीर्घकालिकसंज्ञितः ।। તે વખતે તું સમનસ્ક હતો. તેને પૂર્વજન્મનું સ્મરણ થયું. તે દાવાનળથી બચવા માટે ચાર કોષ જેટલી જગા તૈયાર કરી. (૧૬) ૨૭. ઘીસી ૩ત્પાટિતાઃ સર્વે, નતા વૃક્ષા ગુર્મ: | ___ अकारीभैः सप्तशतैः, स्थलं हस्ततलोपमम् ।। તે સાતસો હાથીઓનો સહયોગ લઈને બધું ઘાસ, ડાળીઓ, વૃક્ષો અને નાનકડા છોડવાઓ ઉખાડી નાખ્યા અને તે જગાને હથેળી જેવી સાફ કરી દીધી. (૧૭) १८. एकदा वह्निरुद्भूत, आरण्या पशवस्तदा । निर्वैराः प्राविस्तित्र, हिंस्रास्तदितरे तथा ।। એક વખત ત્યાં દાવાનળ પ્રજળ્યો. તે વખતે જંગલનાં હિંસક અને અહિંસક - તમામ પશુઓ પરસ્પરનાં વેરઝેર ભૂલીને તે જગામાં પ્રવેશી ગયાં. (૧૮) १९. यथैकस्मिन् बिले शान्ता, निवसन्ति पिपीलिकाः । अवात्सुः सकलास्तत्र, तथा वह्नेर्भयद्रुताः ।। ૧. દીર્ઘકાલિકસંશ-સમનસ્ક, મનવાળું. ૨. ભયાનક જંગલી જાનવર ૩. હરણ વગેરે શાંત પશુઓ. સંબોધિ , ૩૨ Page #35 -------------------------------------------------------------------------- ________________ જેવી રીતે એકજ દરમાં અસંખ્ય કીડીઓ શાંતિથી રહે છે, એ ૪ રીતે દાવાનળથી ભયગ્રસ્ત બનેલાં પશુઓ શાંતરૂપે તે સ્થળમાં રહેવા લાગ્યાં. (૧૯) २०. मण्डलं स्वल्पकालेन, जातं जन्तुसमाकुलम् । वितस्तिमात्रमप्यासीत्, न स्थानं रिक्तमद्भुतम् ।। થોડા સમયમાં તે જગા વન્ય પશુઓથી ખીચોખીચ ભરાઈ ગઈ. એ આશ્ચર્યની વાત હતી કે ત્યાં તસુભાર પણ જગા ખાલી રહી નહોતી. (૨૦) ૨૧. વિધાતું પાત્રવૃત્તિ, ત્વયા પાર વૈશ્ર્વિતઃ । स्थानं रिक्तं समालोक्य, शशकस्तत्र संस्थितः ।। તેં તારા શરીરને ખંજવાળવા માટે તારો એક પગ ઊંચો કર્યો. તારા તે પગની નીચેની જગા ખાલી જોઈને ત્યાં એક સસલું આવીને બેસી ગયું. (૨૧) ૨૨. 3 कृत्वा कण्डूयनं पादं, दधता भूतले पुनः । शशको निम्नगोऽलोकि, त्वया तत्त्वं विजानता ।। ૨૨. તવાનુમ્પિના તંત્ર, ન હત: સ્વાવસો મા । इति चिन्तयता पादः, त्वया संधारितोऽन्तरा ।। (યુમ્) ખંજવાળ્યા પછી જ્યારે તું તારો પગ પાછો નીચે મૂકવા ગયો ત્યારે તે ત્યાં પગની ખાલી જગામાં સસલાને બેઠેલું જોયું. તું તત્ત્વને જાણતો હતો. (૨૨) તારા ચિત્તમાં અનુકંપા-અહિંસાનો ભાવ જાગ્યો. ‘સસલું મારા પગ નીચે કચડાઈ ન જાય’– એમ વિચારીને તેં તારા પગને ઊંચો જ રાખ્યો (જમીન ઉપર ન મૂક્યો). (૨૩) ૨૪. શુમેનાવ્યવસાયેન, સેશ્યયા ૬ વિશુદ્ધયા । संसारः स्वल्पतां नीतो, मनुष्यायुस्त्वयार्जितम् ।। સંબોધિ ર ૩૩ Page #36 -------------------------------------------------------------------------- ________________ શુભ અધ્યવસાય અને વિશુદ્ધ લડ્યા (ભાવ) દ્વારા તે સંસારભ્રમણ - જન્મમરણની સંખ્યા સીમિત કરી દીધી અને મનુષ્યના આયુષ્યનું અર્જન કર્યું. (૨૪) २५. सार्द्धद्वयदिनेनाऽथ, दवः स्वयं शमं गतः । निधूमं जातमाकाशं, अभया जन्तवोऽभवन् ।। અઢી દિવસ પછી દાવાનળ આપ મેળે શાંત થયો. આકાશ નિર્ધમ બની ગયું તથા પેલાં વન્ય પશુઓ નિર્ભય બની ગયાં. (૨૫) २६. स्वच्छन्दं गहने शान्ते, विजहुः पशवस्तदा । पलायितः शशकोऽपि, रिक्तं स्थानं त्वयेक्षितम् ।। પછી વન્ય પશુઓ તે શાંત જંગલમાં સ્વતંત્રતાપૂર્વક હરવાફરવા લાગ્યાં. પેલું સસલું પણ ત્યાંથી ચાલ્યું ગયું. તે પેલી જગા ખાલી જોઈ. (૨૬) ર૭. પાવં ચતું પુનર્મુખી, સદ્ધિદતિનાક્તરમ્ | __स्तम्भीभूतं जडीभूतं, त्वया प्रयतितं तदा ।। તે અઢી દિવસ પછી થાંભલાની જેમ અક્કડ બની ગયેલા તારા નિષ્ક્રિય પગને ફરીથી જમીન ઉપર મૂકવાનો પ્રયત્ન કર્યો. (૨૭) ર૮. ધૂતાય સુધાક્ષામ:, વરસી ગMવિર: | पादन्यासे न शक्तोऽभूः, भूतले पतितः स्वयम् ।। તારું શરીર અત્યંત ભારેખમ હતું. તું ભૂખને કારણે દુર્બળ અને ઘડપણને કારણે જર્જરીત હતો. તેથી તું તારા પગને ફરીથી જમીન ઉપર મૂકવામાં સમર્થ રહી શક્યો નહોતો. તું લથડિયાં ખાઈને જમીન ઉપર ઢળી પડ્યો. (૨૮) ર૬. વિપુતા વેનોતી, પોરા પોતમોન્વતી | सहित्वा समवृत्तिस्तां, तत्र यावद् दिनत्रयम् ।। ૧. ચેતનાની સૂક્ષ્મ પરિણતિ સંબોધિ ૩૪ Page #37 -------------------------------------------------------------------------- ________________ તે વખતે તને વિપુલ, ઘોર, ઘોરતમ અને ભારે વેદના થઈ. ત્રણ દિવસ સુધી તે એ બધું સમભાવપૂર્વક સહન કર્યું. (૨૯) ૩૦. મયુરને પૂચિત્વા, નાતત્ત્વ એજિંગઃ | अहिंसा साधिता सत्त्वे, कष्टे च समता श्रिता ।। તે જીવો પ્રત્યે અહિંસાની સાધના કરી અને કષ્ટમાં સમભાવ જાળવ્યો. અંતે આયુષ્ય સમાપ્ત કરીને તું શ્રેણિકરાજાના પુત્ર તરીકે પેદા થયો. (૩૦) ३१. अवशा वेदयन्त्येके, कष्टमर्जितमात्मना । विलपन्तो विषीदन्तः, समभावः सुदुर्लभः ।। કેટલાક લોકો શરૂઆતમાં કષ્ટ-કર્મનું અર્જન કરે છે અને પછી તેને વિવશ થઈને ભોગવે છે. તેના વેદનકાળમાં વિલાપ અને વિશાદ કરે છે, કારણકે સમભાવ સહુ કોઈને માટે સુલભ નથી હોતો. (૩૧) ३२. उदीर्णां वेदनां यश्च, सहते समभावतः । નિર્ન કુત્તે , ૩ઃાં મદી૫ત્નમ્ | જે વ્યક્તિ કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી વેદનાને સમભાવપૂર્વક સહન કરે છે, તેને ખૂબ નિર્જરા થાય છે કારણકે શરીરમાં ઉત્પન્ન થયેલા કષ્ટને સહન કરવું તે મહાન પરિણામનું કારણ છે. (૩૨) ૩૨. મધ્યવસ્વી તા છે, નાડકવો વત્સ! તાઃ | सम्यक्त्वी संयमीदानीं, क्लीवोऽभूः स्वल्पवेदने । વત્સ! તે સમયે હાથીના ભવમાં તું સમ્યગ્દષ્ટિ નહોતો, છતાં કષ્ટ સહન કરવામાં તું કાયર બન્યો નહોતો. અત્યારે તું સમ્યગ્દષ્ટિ અને સંયમી છે, છતાં આટલા નાનકડા કષ્ટથી તું ઉદ્વિગ્ન-સત્વહીન કેમ બની ગયો ? (૩૩) રૂ૪. મુનીના જયસંપર્શમિતાનાશમત્રતઃ | अधीरो मामुपेतोसि, सद्यो गन्तुं पुनर्गृहम् ।। સંબોધિ ૩૫ Page #38 -------------------------------------------------------------------------- ________________ સાધુઓનાં શરીરનો સ્પર્શ થવાથી રાત્રે તારી નિદ્રા નષ્ટ થઈ ગઈ. આટલી જ વાતમાં તું અધીર થઈને ઘેર પાછો જવા માટે એકાએક મારી પાસે દોડી આવ્યો છે ? (૩૪) ३५. नाहं गन्तुं समर्थोस्मि, मुक्तिमार्गं सुदुश्चरम् । यत्र कष्टानि सह्यानि, नानारूपाणि सन्ततम् ।। ३६. सर्वे स्वार्थवशा एते, मुनयोऽन्यं न जानते । भीमः सुदुश्चरो घोरो, निर्ग्रन्थानां तपोविधिः ।। ૩૭. યુજોડવં વિભિપ્રાયઃ, મોદભૂતં વિજ્ઞાનતઃ | રે મુઘા ના તો, નાનાએવુ શેતે | તે એમ વિચાર્યું કે મુક્તિનો માર્ગ દુષ્કર છે. તે માર્ગે જનારને સતત વિવિધ પ્રકારનાં કષ્ટો સહન કરવો પડે છે. હું એ માર્ગ ઉપર ચાલવા માટે સમર્થ નથી. (૩૫) આ તમામ સાધુઓ સ્વાર્થી છે, તેઓ બીજાની ચિંતા કરતા નથી. નિર્ચન્થોની તપસ્યા કરવાની વિધિ ખૂબ ભયંકર, દુષ્કર અને ઘોર છે. (૩૬) મોહના મૂળને જાણનાર વ્યક્તિ માટે શું આમ વિચારવું ઉચિત છે? શું તું જાણતો નથી કે શરીર પ્રત્યે આસક્તિ રાખનારા લોકો અનેક પ્રકારનાં કણે ભોગવે છે ? (૩૭) ३८. युक्तं नैतत् तवायुष्मन् ! तत्त्वं वेत्सि हिताहितम् । पूर्वजन्मस्थितिं स्मृत्वा, निश्चलं कुरु मानसम् ।। હે આયુષ્યન્ ! તારા માટે આમ વિચારવાનું ઉચિત નથી. શું હિતકર છે અને શું અહિતકર છે એ તત્ત્વને તું જાણે છે. તું અગાઉના જન્મની ઘટનાઓને યાદ કરીને તારા મનને નિશ્ચલ બનાવી દે. (૩૮) સંબોધિ , ૩૬ Page #39 -------------------------------------------------------------------------- ________________ मेघः प्राह રૂ. ૪ત! હસ્ત ! સમર્થોડવું, અર્થો ય સ્વયોતિઃ | मदीयो मानसो भावो, बुद्धो बुद्धेन सर्वथा ।। મેઘ બોલ્યો, ભગવન્આપે જે કાંઈ કહ્યું તે તદ્દન સાચું છે. આપે મારા મનના સઘળા ભાવ જાણી લીધા છે. (૩૯) ૪૦. દાવોરં માળાષ્ય, વેવUTષ્ય પુર્વતા | तेन जातिस्मृतिर्लब्धा, पूर्वजन्म विलोकितम् ।। ઈહા, અપોહ, માર્ગણા અને ગવેષણા કરવાથી મેઘને પૂર્વજન્મનું સ્મરણ થયું અને તેણે પોતાનો અગાઉનો જન્મ નિહાળ્યો. (૪૦) ૪૨. સ્વતીયા દેશના સત્ય, દૃષ્ટા પૂર્વસ્થિતિર્મયા | सन्देहानां विनोदाय, जिज्ञासामि च किञ्चन ।। મેઘ બોલ્યો, ભગવન્! આપનું કથન સત્ય છે. મેં પૂર્વભવની ઘટનાઓ જાણી લીધી. મારા મનમાં કેટલાક સંદેહ છે. તે દૂર કરવા માટે આપની પાસેથી કશુંક જાણવા ઇચ્છું છું. (૪૧) ४२. द्विगुणानीतसंवेगः नीतः पूर्वभवस्मृतिम् । __ आनन्दाश्रुप्रपूर्णास्यः, हर्षप्रफुल्लमानसः ।। ભગવાને મેઘને પૂર્વજન્મની સ્મૃતિ કરાવીને તેના સંવેગમોક્ષાભિલાષાને દ્વિગુણીત કરી દીધો. મેઘકુમારનું મુખ હર્ષનાં અશ્રુઓથી આપ્લાવિત બની ઊઠ્યું. તેનું મન હર્ષોલ્ફલ થઈ ઊઠ્ય (૪૨) ४३. उवाच मेघो देवार्य ! मुक्त्वा द्वे चक्षुषी समं । कायं निर्ग्रन्थसेवायां, अर्पयामि यथोचितम् ।। મેઘ બોલ્યો, આ બે આંખો સિવાય હું સમગ્ર શરીર નિર્ચન્થોની સેવા માટે સમર્પિત કરું છું. તેઓ જે ઉચિત સમજે તે પ્રમાણે મારી પાસેથી સેવાઓ લઈ શકે છે. (૪૩) સંબોધિ ૩૭ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૪૪. कृतपुण्यः कृतज्ञोस्मि, दिशा मे दर्शिता नवा । दृष्टिर्मे सुस्थिरा भूयाद्, प्रशस्तो मे पथो भवेत् ।। તે વિનમ્ર સ્વરમાં બોલ્યો, દેવાર્ય ! હું કૃતપુણ્ય છું, કૃતજ્ઞ છું. આપે મને નવી દિશાનું દર્શન કરાવ્યું છે. હું ઇચ્છું છું કે મારી દૃષ્ટિ સુસ્થિર બને અને મારો માર્ગ પ્રશસ્ય બને. (૪૪) સંબોધિ - ૩૮ For rivate & Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ (અધ્યાય-૨ (214-6:44 MHIELD Page #42 -------------------------------------------------------------------------- ________________ Page #43 -------------------------------------------------------------------------- ________________ આમુખ એ શાશ્ર્વત સુખ શું છે અને દુઃખ શું છે પ્રશ્ન છે. માણસ પદાર્થોના ઉપભોગમાં સુખની કામના કરે છે, તે અવાસ્તવિક છે. વાસ્તવિક એ છે કે સુખ પદાર્થોના ઉપભોગમાં નથી, તેના ત્યાગમાં છે. - માણસ પ્રિય બાબતમાં સુખ અને અપ્રિય બાબતમાં દુ:ખની કલ્પના કરે છે. તે પ્રિયતા અને અપ્રિયતાને પદાર્થો સાથે સંબંધિત સમજે છે. આ ભ્રમ છે. પ્રિયતા અને અપ્રિયતા પદાર્થોમાં નથી હોતી, માનવીના મનમાં હોય છે. જે પદાર્થો પ્રત્યે માણસને લગાવ હોય છે, ત્યાં તે પ્રિયતાની કલ્પના કરે છે અને જ્યાં લગાવ નથી હોતો ત્યાં તે અપ્રિયતાની કલ્પના કરે છે. આ સઘળું દુઃખ છે. બાહ્ય પદાર્થો પ્રત્યે આસક્તિ રહે ત્યાં સુધી બુદ્ધિનું દ્વાર ખુલતું નથી. વિવેક ત્યાં જ જાગૃત છે મોહ હોય ત્યાં સુધી આસક્તિ છૂટતી નથી અને તેનો નાશ થયા વગર વાસ્તવિક સુખની અનુભૂતિ થતી નથી. આ અધ્યાયમાં વાસ્તવિક સુખનાં સ્વરૂપ અને સાધનોની ચર્ચા કરવામાં આવી છે. સાધક પદાર્થોથી સર્વથા મુક્ત થઈ શકતો નથી, પરંતુ તે પદાર્થો પ્રત્યે થતી આસક્તિથી મુક્ત થઈ શકે છે. આ મુક્તિ સાધના-સાપેક્ષ હોય છે. આ વિમુક્ત અવસ્થાનો અનુભવ જ વાસ્તવિક સુખ અને આનંદ છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ Page #45 -------------------------------------------------------------------------- ________________ સુખ-દુઃખ મીમાંસા मेघः प्राह १. सुखानि पृष्ठतः कृत्वा, किमर्थं कष्टमुद्वहेत् । जीवनं स्वल्पमेवैतत्, पुनर्लभ्यं न वाऽथवा ।। મેઘ બોલ્યો, સુખોની ઉપેક્ષા કરીને દુઃખો શા માટે સહન કરવાં જોઈએ, ખાસ કરીને જીવનની અવધિ અલ્પ છે અને કોણ જાણે આવું જીવન ફરીથી ક્યારે પ્રાપ્ત થશે તેની ખબર પણ નથી હોતી ત્યારે ? (૧) भगवान् प्राह २. सुखासक्तो मनुष्यो हि, कर्तव्याद् विमुखो भवेत् । धर्मे न रुचिमाधत्ते, विलासाबद्धमानसः ।। ભગવાને કહ્યું, જે માણસ સુખમાં આસક્તિ ધરાવે છે અને વિલાસમાં રચ્યોપચ્યો રહે છે તેને ધર્મમાં રુચિ રહેતી નથી, તે કર્તવ્યથી પણ વિમુખ થઈ જાય છે. (૨) ३. कर्त्तव्यञ्चाप्यकर्त्तव्यं, भोगासक्तो न शोचति । कार्याकार्यमजानानो, लोकश्चान्ते विषीदति ।। ભોગમાં આસક્ત રહેનાર વ્યક્તિ કર્તવ્ય અને અકર્તવ્ય વિશે વિચારી પણ શકતી નથી. કર્તવ્ય અને અકર્તવ્યને ન જાણનાર વ્યક્તિ અંતે, પરિણામ સમયે વિષાદ પામે છે. (૩) मेघः प्राह ४. सुखं स्वाभाविकं भाति, दुःखमप्रियमङ्गिनाम् । तत् किं दुःखं हि सोढव्यं, विहाय सुखमात्मनः ।। સંબોધિ ૪૩ Page #46 -------------------------------------------------------------------------- ________________ મેઘ બોલ્યો, જીવોને સુખ સ્વાભાવિક લાગે છે, પ્રિય લાગે છે અને દુઃખ અપ્રિય લાગે છે. તો પછી સુખની ઉપેક્ષા કરીને દુઃખ શા માટે સહન કરવું જોઈએ ? (૪) भगवान् प्राह . ય સહય પુર્તિ સૃષ્ટ, ૩ઃર્વ તત્ વસ્તુતો ભવેત્ | મોરાવિકો મનુષ્યો રિ, હું તત્ત્વ નદિ વિતિ | ભગવાને કહ્યું, જે સુખ પુદગલર્જનિત છે, તે હકીકતમાં દુઃખ છે, પરંતુ મોહથી ઘેરાયેલો માણસ એ સત્ય તત્ત્વ સુધી પહોંચી શકતો નથી. (૫) મેયઃ પ્રહ ६. को मोहः किञ्च तन्मूलं, को विपाको हि देहिषु । તિ વિજ્ઞાતુમિચ્છામિ, વક્ષુરુન્મીત્રય પ્રમો! // મેઘ બોલ્યો, મોહ શું છે ? તેનો મૂળ સ્ત્રોત કયો છે ? તે જીવોને શું પરિણામ આપે છે ? હું આ બધું જાણવા ઇચ્છું છું. પ્રભુ ! આપ મારાં જ્ઞાનચક્ષુને ઉદ્ઘાટિત કરો. (૬) भगवान् प्राह ૭. વિવિઘારો મોહ, અજ્ઞાનં મૂકતે ! सम्यक्त्वञ्चापिचारित्रं, विमोहयति संततम् ।। ભગવાને કહ્યું, મોહ એ છે કે જે ચેતનાને વિકૃત બનાવે છે. તેનું મૂળ અજ્ઞાન છે. તેનો વિપાક છે- સભ્યત્ત્વ અને ચારિત્રને સતત વિમૂઢ બનાવી રાખવું. (૭) ૮. કૃષ્ટિમોરેન મૂહોવું, મિથ્યાવં પ્રતિપદ્યતે | मिथ्यात्वी घोरकर्माणि, सृजन् भ्राम्यति संसृतौ ।। દર્શનમોહથી મૂઢ બનેલો માણસ મિથ્યાત્વ પામે છે. મિથ્યાત્વી ઘોર કર્મોનું ઉપાર્જન કરતાં કરતાં સંસારમાં પરિભ્રમણ કરે છે. (૮) સંબોધિ ૨૪૪ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨. मूढश्चारित्रमोहेन, रज्यति द्वेष्टि च क्वचित् । रागद्वेषौ च कर्माणि, स्रवतस्तेन संसृतिः ।। ચારિત્ર-મોહથી મૂઢ બનેલો માણસ કોઈક પ્રત્યે રાગ અનુભવે છે તો કોઈક પ્રત્યે દ્વેષ અનુભવે છે. રાગ-દ્વેષ થકી કર્મનું આત્મામાં આસ્રવણ થાય છે અને તેનાથી સંસાર જન્મ-મરણની પરંપરા ચાલે છે. (૯) ૬૦. -- यथा च अण्डप्रभवा बलाका, अण्डं बलाकाप्रभवं यथा च । एवञ्च मोहायतनं हि तृष्णा, मोहश्च तृष्णायतनं वदन्ति ।। જેવી રીતે મરઘી ઈંડામાંથી ઉત્પન્ન થાય છે અને ઈંડુ મરઘીમાંથી ઉત્પન્ન થાય છે, અને એ જ રીતે તૃષ્ણા મોહમાંથી ઉત્પન્ન થાય છે અને મોહ તૃષ્ણામાંથી ઉત્પન્ન થાય છે. (૧૦) ૬૬. रागश्च दोषोऽपि च कर्मबीजं, कर्माऽथ मोहप्रभवं वदन्ति । कर्माऽपि जातेर्मरणस्य मूलं, दुःखं च जातिं मरणं वदन्ति ।। રાગ અને દ્વેષ કર્મનાં બીજ છે. કર્મ મોહ દ્વારા ઉત્પન્ન થાય છે અને તે જન્મ-મરણનું મૂળ છે. જન્મ-મરણને દુઃખ કહેવામાં આવે છે. (૧૧) १२. दुःख हतं यस्य न चास्ति मोहो, मोहो हतो यस्य न चास्ति तृष्णा । तृष्णा हता यस्य न चास्ति लोभो, लोभो हतो यस्य न किञ्चनास्ति ।। જેને મોહ નથી તેણે દુઃખોનો નાશ કરી દીધો છે. જેને તૃષ્ણા નથી તેણે મોહનો નાશ કરી દીધો છે. જેને લોભ નથી તેણે તૃષ્ણાનો નાશ કરી દીધો છે અને જેની પાસે કશું જ નથી તેવું લોભનો નાશ કરી દીધો છે. (૧૨) मेघः प्राह १३. ज्ञातो मोहप्रपञ्चोऽयं, ज्ञातं दुःखस्य कारणम् · कथमुन्मूलितं तत् स्याद्, ज्ञातुमिच्छामि संप्रति ।। સંબોધિ ર ૪૫ Page #48 -------------------------------------------------------------------------- ________________ મેઘ બોલ્યો, હું મોહના પ્રપંચને જાણી ચૂક્યો છું અને દુઃખનું મૂળ કારણ મોહ છે એ પણ જાણી ચૂક્યો છું. પ્રભુ! તેનું ઉન્મેલન કેવી રીતે કરવું ? હવે હું એ વિશે જાણવા ઉત્સુક છું. (૧૩) . भगवान् प्राह १४. रागं च दोषं च नशैव मोहं, उद्धर्तुकामेन समूलजालम् । ये येऽप्युपाया अभिसेवनीयाः, તીનું રીયિષ્યામિયથાનુપૂર્વમ્ ભગવાને કહ્યું, રાગ-દ્વેષ અને મોહનું મૂળ સહિત ઉન્મેલન કરવા ઇચ્છતા માણસે જે જે ઉપાયોનું આલંબન લેવું જોઈએ તે હવે હું ક્રમશઃ કહીશ. (૧૪) ૨૬. રસા પ્રસંગે નિવેવળીયા, प्रायो रसा दृप्तिकरा नराणाम् । दृप्तञ्च कामा समभिद्रवन्ति, द्रुमं यथा स्वादुफलं विहङ्गाः ।। રસોનું વધુ પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ. તે ઘણુંખરું માણસની ઘાતુઓને ઉદ્દીપ્ત કરે છે. જેની ધાતુઓ ઉદ્દીપ્ત થાય છે તેને કામભોગ પજવે છે, જેવી રીતે સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષને પક્ષીઓ પજવે છે. (૧૫) १६. यथा दवाग्निः प्रचुरेन्धने वने, समारुतो नोपशमं युपैति । एवं हृषिकाग्निरनल्पभुक्तेः, न शान्तिमाप्नोति कथञ्चनापि ।। જેવી રીતે પવનના સપાટાની સાથે ઈધણવાળા વનમાં પ્રજળેલો દાવાનળ ઉપશાંત થતો નથી, એ જ રીતે વધુ પ્રમાણમાં ખોરાક ખાતા માણસનો ઈન્દ્રિયાગ્નિ-કામાગ્નિ શાંત થતો નથી. તેથી પ્રકામ-અતિમાત્ર ભોજન કોઈપણ બ્રહ્મચારી માટે હિતકર નથી. (૧૬) સંબોધિ - ૪૬ Page #49 -------------------------------------------------------------------------- ________________ १७. विविक्तशय्यासनयन्त्रितानां, अल्पाशनानां दमितेन्द्रियाणाम् । रागो न वा धर्षयते हि चित्तं, पराजितो व्याधिरिवौषधेन || જે એકાંત વસ્તી અને એકાંત આસન થકી નિયંત્રિત હોય, જે મોછું ખાતા હોય અને જે જિતેન્દ્રિય હોય તેમનાં મનને રાગશત્રુ મે જ રીતે આક્રાંત કરી શકતા નથી, જેવી રીતે ઔષધ થકી પરાજિત રોગ શરીરને આક્રાંત કરી શકતો નથી. (૧૭) ૬૮. વામાનુવૃદ્ધિપ્રમનં હિ દુઃä, सर्वस्य लोकस्य सदेवतस्य यत् कायिकं मानसिकञ्च किञ्चित्, તમામ જીવોનાં જ નહીં, પરંતુ દેવતાઓનાં પણ જે કંઇ ારીરિક-માનસિક દુ:ખો છે તે કામભોગોની સતત અભિલાષામાંથી જ ઉત્પન્ન થાય છે. વીતરાગ તે દુઃખનો અંત પામી જાય છે. (૧૮) ૧૧. - तस्यान्तमाप्नोति च वीतरागः || મનોજ્ઞ અને અમનોજ્ઞ ઈન્દ્રિય વિષયોમાં જે રાગ અને દ્વેષ નથી કરતો, તે સમાધિ માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે છે. (૧૯) મનોજ્ઞેષ્વમનોજ્ઞેષુ, સ્રોતમાં વિષયેષુ ય:। न रज्यति न च द्वेष्टि समाधिं सोऽधिगच्छति ।। ૨૦. अमनोज्ञा द्वेषबीजं, रागबीजं मनोरमाः । દયોરપિ સમઃ યઃ સ્યાદ્, વીતા: સ ૩ન્યતે || અમનોજ્ઞ વિષય દ્વેષનાં બીજ છે અને મનોજ્ઞ વિષય રાગનાં બીજ છે. જે વ્યક્તિ આ બંનેમાં સમ રહે છે તે રાગદ્વેષ કરતી નથી, તે વીતરાગ કહેવાય છે. (૨૦) मेघः प्राह ર૬. સંબોધિ ર ૪૭ कानि स्रोतांसि के वा स्युः, विषयाश्च प्रियाप्रियाः ? कथं तेषां निरोधः स्याद्, इति श्रोतुं समुत्सुकः ।। Page #50 -------------------------------------------------------------------------- ________________ મેઘ બોલ્યો, સ્રોત કયા કયા છે ? પ્રિય અને અપ્રિય વિષય કયા છે ? તેમનો નિરોધ શી રીતે થઈ શકે ? મારા મનમાં આ બધું જાણવાની ઉત્કંઠા છે. (૨૧) भगवान्: प्राह २२. स्पर्शा रसास्तथा गन्धा, रूपाणि निनदा इमे । विषया ग्राहकाण्येषां, इन्द्रियाणि यथाक्रमम् ।। ૨૨. (ધુમમ્) સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ આ પાંચ વિષય છે અને તેમને ગ્રહણ કરનાર પાંચ ઈન્દ્રિયો ક્રમશઃ આ પ્રમાણે છે- સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર. આ પાંચ ઈન્દ્રિયોનું પ્રવર્તક અને તમામ વિષયોને ગ્રહણ કરનાર મન હોય છે. (૨૨, ૨૩) ૨૪. स्पर्शनं रसनं घ्राणं, चक्षुः श्रोत्रञ्च पञ्चमम् । एषां प्रवर्तकं प्राहुः, सर्वार्थग्रहणं मनः ।। ઈન્દ્રિય-સ્રોતોમાં આવતા શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ વગેરે વિષયોને રોકી શકાતા નથી, ને તેમાં થતી વ્યક્ત કે અવ્યક્ત સંગ-મૂર્છા અથવા આસકિતને રોકી શકાય છે. (૨૪) न रोद्धुं विषया: शक्याः, विशन्तो विषयिव्रजे । सङ्गो व्यक्तोऽथवाऽव्यक्तो, रोद्धुं शक्योस्ति तद्गतः । २५. विषयेषु यता मोहस्तेषामुत्पादनं ततः । ततो रक्षणचिन्ता च, सन्नियोगस्ततो भवेत् ।। સંગ થકી શબ્દ વગેરે વિષયોમાં મોહ પેદા થાય છે. મોહને કારણે માણસ વિષયોનું ઉત્પાદન કરે છે અને પછી તેના સંરક્ષણની ચિંતા કરે છે, પછી તેનો ઉપભોગ કરે છે. (૨૫) २६. ૨૭. भुञ्जतो विषयान् पुंसः, प्रतिमोहोऽपि जायते । ततो विषयसंप्राप्तेः, महेच्छा प्रस्फुटा भवेत् ।। ततो द्रव्यार्जने शुद्धेः, विवेकोऽपि विलीयते । विवेके विलयं याते, मनः शान्तिर्विलीयते ।। સંબોધિ ૪૮ (યુગ્મમ્) Page #51 -------------------------------------------------------------------------- ________________ વિષયોનો ઉપભોગ કરનાર માણસમાં પ્રતિમોહ-તેના પ્રત્યે ફરીથી મોહ પેદા થાય છે. તેનાથી વિષયોને પામવાની ઉત્કટ કાલસા પેદા થાય છે. તેનાથી ધનના અર્જનમાં સાધનશુદ્ધિનો વવેક વિલીન થઈ જાય છે. વિવેક વિલીન થવાથી મનની શાંતિ વેલીન થઈ જાય છે. (૨૬, ૨૭) ૨૮. વિષયોમાં જે અનુરક્ત છે, તે તેમનું ઉત્પાદન ઇચ્છે છે. તેમના ઉત્પન્ન થયા પછી, તે તેમનું રક્ષણ ઇચ્છે છે અને પછી સુરક્ષિત વિષયોનો ઉપભોગ કરે છે. આ રીતે તેમનો ભોગ કરનાર એક મૂઢતા પછી બીજી મૂઢતાનું અર્જન કરી લે છે. (૨૮) વિષયેનુરો હિ, તનુત્પાવનમિચ્છતિ । रक्षणं विनियोगञ्च, भुञ्जंस्तान् प्रति मुह्यति ।। २९. उत्पादं प्रति नाशो हि, निधिं प्रति तथा व्ययः । क्रियां प्रतिक्रिया नाम, सायं लघु ધાતિ । ઉત્પાદનની સાથે નાશ, સંગ્રહની સાથે વ્યય, ક્રિયાની સાથે અક્રિયા-આ તમામ પ્રાકૃતિક નિયમથી જોડાયેલાં છે. (૨૯) ३०. अतृप्तो नाम भोगानां विगमेन विषीदति । अतृप्त्या पीडितो लोक, आदत्तेऽदत्तमुच्छ्रयम् ।। અતૃપ્ત વ્યક્તિ ભોગોના વિલયથી વિષાદ પામે છે અને અતૃપ્તિથી પીડિત માણસ ઉત્સૂક્તભાવે ચોરી કરે છે. (૩૦) ३१. तृष्णया ह्यभिभूतस्य, अतृप्तस्य परिग्रहे । માયા મૃષા ન વધેતે, તત્ર યુવાન્ન મુખ્યતે।। 1 જે વ્યક્તિ તૃષ્ણાથી અભિભૂત અને પરિગ્રહથી અતૃપ્ત હોય છે તેનામાં માયા અને મૃષા બંને વિકાસ પામે છે. માયા અને કૃષાની જાળમાં ફસાયેલી વ્યક્તિ દુઃખમાંથી મુક્ત થઈ શકતી નથી. (૩૧) ૨૨. પૂર્વ ચિન્તા પ્રયોાસ્ય, સમયે નાયતે મયમ્ । पश्चात्तापो विपाके च मायया अनृतस्य च । સંબોધિ – ૪૯ Page #52 -------------------------------------------------------------------------- ________________ જે વ્યક્તિ માયા અને અસત્યનું આચરણ કરે છે તેને તેનો પ્રયોગ કરતાં પહેલાં ચિંતા થાય છે, પ્રયોગ કરતી વખતે ભય અને પ્રયોગ કર્યા પછી વિપાકકાળમાં પસ્તાવો થાય છે. (૩૨) ३३. विषयेषु गतो द्वेषं, दुःखमाप्नोति शोकवान् । द्विष्टचित्तो हि दुःखाना, कारणं चिनुते नवम् ।। જે વ્યક્તિ વિષયો પ્રત્યે દ્વેષ કરે છે, તે શોકકુલ થઈને દુઃખી બને છે. ટ્રેષયુક્ત ચિત્તવાળી વ્યક્તિ દુઃખનાં નવાં કારણોનો સંચય કરે છે. (૩૩). ३४. विषयेषु विरक्तो यः, स शोकं नाधिगच्छति । न लिप्यते भवस्थोपि, भोगैश्च पद्मवज्जलैः ।। જે વ્યક્તિ વિષયોથી વિરક્ત હોય છે તે શોક પામતી નથી. તે સંસારમાં રહેવા છતાં જલકમલવત્ રહે છે – ભોગોથી લિપ્ત થતી નથી. (૩૪) ૩૬. ખ્તિયાર્થી મનોર, રાળિો :ઉRMY I न ते दुःख वितन्वन्ति, वीतरागस्य किञ्चन ।। રોગયુક્ત માણસ માટે ઈન્દ્રિય અને મનના વિષય દુઃખનાં કારણો બને છે, વીતરાગને તે કિંચિત પણ દુઃખી કરી શક્તા નથી. (૩૫) ૩૬. વિમવિશ્વ, ન કો ઝનયન્ચમી | तेष्वासक्तो मनुष्यो हि, विकारमधिगच्छति ।। આ ભોગ-શબ્દ વગેરે વિષય વિકાર અથવા અવિકાર ઉત્પન્ન કરતા નથી, પરંતુ જે માણસ તેમાં આસક્ત થાય છે તે વિકાર પામે છે. (૩૬) ૭. મોહે પ્રવૃતી તો, વિકૃતાત્મપરિક્ષિતઃ | क्रोधं मानं तथा मायां, लोभं घृणां मुहुर् व्रजेत् ।। - જેનું જ્ઞાન મોહથી આચ્છન્ન છે અને જેનો આત્મા-ચેતના વિકૃત છે, તે ભણેલો-ગણેલો હોવા છતાં વારંવાર ક્રોધ, માન, માયા, લોભ અને ધૃણાના આવેશમાં આવી જાય છે. (૩૭) - સંબોધિ - ૫૦ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૮. જે મૂઢ અતિ, રિતિ હાસ્ય, ભય, શોક અને મૈથુનનો પુનઃપુનઃ સ્પર્શ કરે છે, તે દયાપાત્ર બની જાય છે. (૩૮) अरतिञ्च रतिं हास्यं, भयं शोकञ्च मैथुनम् । स्पृशन् भूयोऽपि मूढात्मा, भवेत् कारुण्यभाजनम् ।। ३९. प्रयोजनानि जायन्ते, स्रोतसां वशवर्तिनः । अनिच्छन्नपि दुःखानि, प्रार्थी तत्र निमज्जति ।। જે વ્યક્તિ ઈન્દ્રિયોને વશવર્તી છે તેની સમક્ષ વિભિન્ન પ્રકારનાં પ્રયોજનો-આવશ્યક્તાઓ અને અપેક્ષાઓ ઉત્પન્ન થાય છે. તે ઈન્દ્રિય-વિષયોનો પ્રાર્થી દુઃખને ન ચાહવા છતાં દુઃખમાં નિમગ્ન બની જાય છે. (૩૯) ૪૦. માણસ સુખ પામવા અને દુઃખથી મુક્ત થવા માટે પ્રચુર વિષયોનો સંગ્રહ કરે છે. તે સુખની ઇચ્છા કરે છે પરંતુ વિષયભોગનો અતિરેક તેને દુઃખી બનાવી મૂકે છે. (૪૦) સુવાનાં તયે મૂયો, કુવાનાં વિત્તયાય 7 | संगृह्णन् विषयान् प्राज्यान्, सुखैषी दुःखमश्नुते ।। ૪૧. ફન્દ્રિયાર્થા મે સર્વે, વિત્તસ્ય ચ વેહિનઃ । मनोज्ञत्वाऽमनोज्ञत्वं, जनयन्ति न किञ्चन ।। ઈન્દ્રિયોના આ તમામ વિષયો વીતરાગ પુરુષમાં મનોજ્ઞતા કે અમનોજ્ઞતાનો ભાવ લેશમાત્ર ઉત્પન્ન કરી શકતા નથી. (૪૧) ૧. સંયમમાં રમણ ન કરવું. ૨, અસંયમમાં રમણ કરવું. ૪ર. कामान् संकल्पमानस्य, सङ्गो हि बलवत्तरः । तानऽसंकल्पमानस्थ, तस्य मूलं प्रणश्यति ।। જે વ્યક્તિ કામભોગોનો સંકલ્પ-વિકલ્પ કરે છે, તે વ્યક્તિની કામાસક્તિ બળવાન બની જાય છે. જે વ્યક્તિ કામભોગોનો સંકલ્પ-વિકલ્પ કરતી નથી, તેની કામાસક્તિનું મૂળ નાશ પામે છે.(૪૨) સંબોધિ ર ૫૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૩. કૃતકૃત્યો વીતરા:, ક્ષીળાવળમોહનઃ । निरन्तरायः शुद्धात्मा, सर्वं जानाति पश्यति ।। જેનાં જ્ઞાન, દર્શનનાં આવરણો તથા મોહ અને અંતરાય ક્ષીણ થઈ જાય છે, તે વીતરાગ કૃતકૃત્ય બની જાય છે- તેને કશું કરણીય બાકી રહેતું નથી. તે શુદ્ધાત્મા હોવાને કારણે તમામ તત્ત્વોને જાણેજુએ છે. (૪૩) ૪૪. તે આયુષ્યક્ષયની સાથે બાકીનાં ભવોપગ્રાહી કર્મોને ક્ષીણ કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે, જે તમામ દુઃખોથી મુક્ત, અવ્યય અને શિવ છે. (૪૪) भवोपग्राहिकं कर्म, क्षपयित्वायुषः क्षये । સર્વદુઃસ્વપ્રમોક્ષ દિ, મોક્ષમત્યત્યયં શિવમ્ ।। मेघः प्राह ૪૬. ૪૬. धार्मिको धर्ममाचिन्वन्, सुखमाप्नोति सर्वदा । दुष्कृती दुष्कृतं कुर्वन्, दुःखमाप्नोति सर्वदा ।। न चैष कर्मसिद्धान्तः, लोके संगच्छते क्वचित् । ધાર્મિષ્ઠા: ટુઃવમાપન્ના:, સુદ્ધિનો દુષ્કૃતે રતાઃ ।। (યુામ્) મઘ બોલ્યો, ભગવન્ ! ધાર્મિક વ્યક્તિ ધર્મ કરવાથી હંમેશાં સુખ પામે છે અને અધાર્મિક વ્યક્તિ અધર્મ આચરવાથી હંમેશાં દુઃખ પામે છે- કર્મનો આ સિદ્ધાંત લોકમાં સુસંગત નથી કારણકે ક્યાંક ક્યાંક ધર્મનું આચરણ કરનાર દુઃખી અને અધર્મનું આચરણ કરનાર સુખી જોવા મળે છે. (૪૫, ૪૬) भगवान् प्राह ૪૭. धर्माधर्मौ पुण्यपापे, अजानन् तत्र मुह्यति । धर्माधर्मौ पुण्यपापे, विजानन् नात्र मुह्यति ।। ૧. ભવોપગ્રાહી કર્મ- વર્તમાન જીવન ટકાવવામાં સહાયક કર્મ. તે ચાર છે. વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય. સંબોધિ ર ૫૨ Page #55 -------------------------------------------------------------------------- ________________ ભગવાને કહ્યું, જે વ્યક્તિ ધર્મ-અધર્મ તથા પુણ્ય-પાપ જાણતી નથી, તે આ વિષયમાં ભ્રાંત થાય છે. જે વ્યક્તિ તેને જાણે છે તે આ વિષયમાં ભ્રાંત થતી નથી. (૪૭) ૪૮. द्विधा निरूपितो धर्मः, संवरो निर्जरा तथा । निरोधः संवरस्यात्मा, निर्जरा तु विशोधनम् ।। ધર્મની પ્રજ્ઞાપનાના બે પ્રકાર છે ઃ સંવર અને નિર્જરા. સંવરનું સ્વરૂપ છે-- અસત્ અને સત્ પ્રવૃત્તિનો નિરોધ. નિર્જરાનું સ્વરૂપ છે- વિશોધન, કર્મનો ક્ષય. (૪૮) ૪૬. ', सन्तोऽसन्तश्च संस्काराः, निरुद्ध्यन्ते हि सर्वथा । क्षीयन्ते संचिताः पूर्वं, धर्मेणैतच्च तत्फलम् ।। સંવર ધર્મ થકી અસત્ અને સત્ સંસ્કાર સર્વથા નિરુદ્ધ બને છે તથા નિર્જરા ધર્મ થકી પૂર્વ સંચિત સંસ્કાર ક્ષીણ થાય છે. ધર્મનું આ જ ફળ છે. (૪૯) ૬૦. असन्तो नाम संस्काराः संचीयन्ते नवा नवाः । अधर्मेणैतदेवास्ति, तत्फलं तत्त्वसम्मतम् ।। અધર્મ થકી નવા નવા અસત્ સંસ્કારોનો સંચય થાય છે. અધર્મનું આ જ તત્ત્વસંમત ફળ છે. (૫૦) ५१. संस्कारान् विलयं नीत्वा, चित्वा तानन्तरात्मनि । क्रियामेतौ प्रकुर्वाते, धर्माधर्मौ निरन्तरम् ।। ધર્મ અને અધર્મ અંતરાત્મામાં સંસ્કારોનો વિલય અને સંચય નિરંતર કરતા રહે છે. (૫૧) ૧૨. મુખ્યપાપે પ્રજ્ઞાયેતે, હેતુભૂર્ત પ્રમુષ્યતઃ । સુવધુ લાનુમૂલ્યોરવ, સામપ્રચાં નૈવ નિશ્ચિતિઃ ।। પુણ્ય મુખ્યત્વે સુખ-પ્રિય સંવેદનની અનુભૂતિનું કારણ બને છે અને પાપ મુખ્યત્વે દુઃખ-અપ્રિય સંવેદનની અનુભૂતિનું કારણ બને છે. પુણ્ય અને પાપ સુખ-દુઃખની સાધન સામગ્રીમાં કારણ બને જ, એવો ચોક્કસ નિયમ નથી. (૫૨) સંબોધિ ઃ ૫૩ Page #56 -------------------------------------------------------------------------- ________________ ५३. द्रव्यं क्षेत्रं तथा कालः, व्यवस्था बुद्धिपौरुषे । एतानि हेतुतां यान्ति, पुण्यपापोदये ध्रुवम् ।। પુણ્ય અને પાપના ઉદયમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, વ્યવસ્થા, બુદ્ધિ અને પૌરુષ-આ તમામ ચોક્કસ કારણ બને છે. (૫૩) ૧૪. ધર્મિષ્ઠો નાર્થસંવત્ર:, ધનાચ: સ્થાવધાર્મિઃ । नेति धर्मस्य वैफल्यं, फलं तस्यात्मनि स्थितिम् ।। ધર્મનું આચરણ કરનાર વ્યક્તિ અર્થસંપન્ન ન હોય અને ધર્મનું આચરણ ન કરનાર વ્યક્તિ અર્થસંપન્ન હોય તો એમાં ધર્મની વિફળતા નથી. ધર્મનું પરિણામ તો આત્મોદય છે. તે આત્મામાં જ સ્થિત છે. (૫૪) ५५. अनावृतं भवेद् ज्ञानं, दर्शनं स्यादनावृतम् । प्रस्फुरेद् सहजानंदः, वीर्यं स्यादपराजितम् ।। ५६. प्रवर्धते परा शान्तिः, धृतिः संतुलनं क्षमा । फलान्यमूनि धर्मस्य, फलं तस्यास्ति नो धनम् ।। (મુક્ષ્મમ્) ધર્મ વડે જ્ઞાન અને દર્શન અનાવૃત થાય છે, સહજ આનંદ પ્રગટે છે અને વીર્ય અપરાજેય બને છે.(૫૫) ધર્મ વડે પરમ શાંતિ, ધૃતિ, સંતુલન અને ક્ષમા વગેરે ગુણો વિકસે છે. આ બધાં ધર્મનાં પરિણામો છે. ધનની પ્રાપ્તિ એ ધર્મનું ફળ નથી. (૫૬) मेघः प्राह ५७. कथमात्मतुलावादः, भगवंस्तव सम्मतः । भिन्नानि सन्ति कर्माणि कृतानि प्राणिनामिह ।। મેઘે પૂછ્યું, ભગવન્ ! દરેક જીવનાં પોતાનાં કૃત કર્મો અલગહોય છે. આવા સંજોગોમાં આત્મતુલાવાદ – આત્મૌપમ્યવાદનો સિદ્ધાંત આપને માટે સંમત શી રીતે છે ?(૫૭) અલગ સંબોધિ છે ૫૪ Page #57 -------------------------------------------------------------------------- ________________ भगवान् प्राह ૧૮. वत्स ! तत्त्वं न विज्ञातं, साम्प्रतं तन्मयः श्रृणु । समस्त्यात्मतुलावादः, सम्मतो मे स्वरूपतः ।। તેં હજી તત્ત્વને જાણ્યું નથી. તન્મય થઈને સાંભળ. મેં આત્માના મૂળ સ્વરૂપ-નિશ્ચયનયની દૃષ્ટિએ આત્મતુલાવાદનું પ્રતિપાદન કર્યું છે. (૫૮) ૧૧. अनन्तं नाम चैतन्यं, आनन्दश्चाप्यबाधितः । अस्त्यप्रतिहता शक्तिः, जीवमात्रे स्वरूपतः ।। પ્રાણી માત્રમાં અનંત ચૈતન્ય, અનાબાધ આનંદ અને અપ્રતિહત શક્તિ હોય છે. તે પ્રત્યેક આત્માનું સ્વરૂપ છે. (૫૯) ૬૦. कर्मभिर्नैव जीवेषु, कृतो भेदः स्वरूपतः । સ્વરૂપાવરને મેવઃ, માત્રામેàન તૈઃ વૃતઃ ।। કર્મ જીવોના સ્વરૂપમાં ભેદ કરી શકતાં નથી. તેમના દ્વારા જીવના સ્વરૂપાવરણમાં ભેદ પેદા થાય છે. તે ભેદ સૌ કોઈમાં સમાન નથી હોતો પરંતુ માત્રાભેદ હોય છે. (૬૦) ૬. अस्तित्वं भिद्यते नैव, तेनात्मौपम्यमर्हति । अभिव्यक्तावसौ भेदः, नासौ भेदोस्ति वस्तुतः ।। કર્મ આત્માના અસ્તિત્વમાં ભેદ કરી શકતાં નથી. તેથી આત્મૌપમ્ય વાસ્તવિક છે. અસ્તિત્વની અભિવ્યક્તિમાં ભેદ હોય છે તેથી તે ભેદ વાસ્તવિક નથી. (૬૧) मेघः प्राह ૬૨. જ્યં ત્વયા મિન્ત્રાળાં, સિદ્ધાન્તઃ પ્રતિપાતિઃ । यद्येष घटते तर्हि, कर्मवादो विलीयते ।। મેઘે કહ્યું, ભગવન્ ! આપે અહમિન્દ્રના સિદ્ધાંતનું પ્રતિપાદન કઈ રીતે કર્યું ? જો તે સાચું હોય તો કર્મવાદ વિઘટિત બની રહે છે. (૬૨) ૧. અહમિન્દ્ર- આ જૈન પારિભાષિક શબ્દ છે. તેનો શબ્દાર્થ ‘હું ઈન્દ્ર છું’ અને તેનો તાત્પર્યાર્થ ‘એવી વ્યવસ્થા, જ્યાં સૌ સમાન હોય, કોઈ નાનું-મોટું ના હોય’ એ છે. સંબોધિ ૫૫ Page #58 -------------------------------------------------------------------------- ________________ भगवान् प्राह ६३. स्वामिसेवकसंबंधः, व्यवस्थापादितो ध्रुवम् । સામુદાયિસંવધા, સર્વે નો નમઃ તાઃ || ભગવાને કહ્યું, મેઘ ! સ્વામિ-સેવકનો સંબંધ વ્યવસ્થા ઉપર આધારિત છે. તમામ સામુદાયિક સંબંધો કર્મકૃત નથી હોતા.(૬૩) ६४. राजतंत्रे भवेद् राजा, गणतंत्रे गणाधिपः । व्यवस्थामनुवर्तेत, विधिरेष न कर्मणः ।। રાજતંત્રમાં રાજા હોય છે અને ગણતંત્રમાં ગણનાયક હોય છે. આ વિધિ કર્મ અનુસાર નહીં, પરંતુ વ્યવસ્થા અનુસાર ચાલે છે. (૬૪) ६५. दासप्रथा प्रवृत्तासौ, यदि कर्मकृता भवेत् । तदा तस्या विरोधोऽपि, कथं कार्यो मया भवेत् ।। વત્સ ! જો વર્તમાનમાં પ્રચલિત દાસપ્રથા કર્મફત હોય તો હું તેનો વિરોધ કઈ રીતે કરી શકું ? (૬૫) ૬૬. નાસી મૈતી વ!, વ્યવસ્થાપતિતા ધ્રુવમ્ | सामाजिक्या व्यवस्थायाः, परिवर्तोऽपि मे मतः ।। વત્સ ! આ દાસપ્રથા કર્મકૃત નથી, પરંતુ વ્યવસ્થાકૃત છે. સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન પણ મને સ્વીકાર્ય છે: (૬૬) ૬૭. ધાણસામગ્રી, નાના સુત્રમ બને ! न तत्र बाधते कर्म, किं बाधेत तदा नरान् ? ।। માછલીઓને પોતાનું શરીર ધારણ કરવામાં સહાયક સામગ્રી જળમાં સુલભ હોય છે. ત્યાં કોઈ કર્મ કોઈને અવરોધી શકતું નથી તો પછી માણસને દેહ ધારણ કરવાની સામગ્રી મળવામાં કર્મ શી રીતે બાધક બને ? (૬૭) ६८. सर्वेषां च मनुष्याणां, सुलभा जीविका भवेत् । औचित्येन व्यवस्थायाः, कर्मवादो न दुष्यति ।। સંબોધિ - ૫૬ Page #59 -------------------------------------------------------------------------- ________________ ઉચિત વ્યવસ્થા થયા પછી તમામ માણસોને આજીવિકા સુલભ બને, તો તેથી કર્મવાદના સિદ્ધાંતમાં કોઈ દોષ આવતો નથી. (૬૮) ६९. दुर्वृत्तायां व्यवस्थायां, लोकः कष्टानि गच्छति । सद्वृत्तायां व्यवस्थायां, लोको हि सुखमृच्छति ।। દુષ્પ્રવૃત્ત વ્યવસ્થામાં લોકો દુઃખી હોય છે અને સત્પ્રવૃત્ત વ્યવસ્થામાં તે સુખી હોય છે. (૬૯) ૭. સુલયુદ્ધે વ્યવસ્થાપ્યું', નારોવ્યે ર્મસુ વિત્। સુવવુ તે ચ ાંપ્યું, વ્યવસ્થાયાઃ શિપિ !! વ્યવસ્થા દ્વારા પ્રાપ્ત થતાં સુખ-દુઃખને કર્મ ઉપર આરોપિત ન કરવાં જોઈએ અને કર્મથી પ્રાપ્ત થતાં સુખ-દુઃખોનો ભાર વ્યવસ્થાના માથે ન મૂકવો જોઈએ. (૭૦) ७१. प्रतिव्यक्तिविभिन्नास्ति, योग्यता स्वगुणात्मिका । ર્માવરણમાત્રાયાઃ, તારતમ્યવિમેવતઃ !! જેવી રીતે આત્મૌપમ્યનો સિદ્ધાંત માન્ય છે એ જ રીતે વ્યક્તિ-વ્યક્તિમાં સ્વગુણાત્મક યોગ્યતાની ભિન્નતાનો સિદ્ધાંત પણ માન્ય છે. તેનો આધાર કર્મના આવરણની માત્રાનો તફાવત છે. (૭૧) ૭૨. જ્યારે ક્રોધ, માન, માયા અને લોભ ઉપશાંત થાય છે ત્યારે વ્યવસ્થા સારી બને છે અને સહુની સ્વતંત્રતા અબાધિત રહે છે.(૭૨) ૭૨. ૧. વ્યવસ્થા + આપ્યું. उपशान्तो भवेत् क्रोधः, मानं माया प्रलोभनम् । समीचीना व्यवस्था स्याद, स्वातंत्र्यं स्यादबाधितम् ।। उत्तेजितो भवेत् क्रोधः, मानं माया प्रलोभनम् । व्यवस्थाप्यसमीचीना, पारतंत्र्यं प्रवर्धते ।। સંબોધિ ૫૭ Page #60 -------------------------------------------------------------------------- ________________ જ્યારે ક્રોધ, માન, માયા અને લોભ ઉત્તેજિત થાય છે ત્યારે વ્યવસ્થા બરાબર રહેતી નથી અને પરતે ત્રતા વધે છે. (૭૩) मेघः प्राह ७४. धन्योस्म्यहं कृतार्थोऽस्मि, संशयो मे निराकृतः । कर्मणश्च व्यवस्थाः, स्पष्टो बोधोप्यजायत । મેઘ બોલ્યો, ભગવન્! હું ધન્ય બન્યો છું, કૃતાર્થ થઈ ગયો છું. આપે મારા સંશયનું નિવારણ કર્યું છે. કર્મવાદ અને વ્યવસ્થાનો બોધ પણ મને સ્પષ્ટ થયો છે. (૭૪) સંબોધિ , ૫૮ Page #61 -------------------------------------------------------------------------- ________________ (અધ્યાય-૩) આત્મકતૃત્વવાદ Page #62 -------------------------------------------------------------------------- ________________ Page #63 -------------------------------------------------------------------------- ________________ આમુખ સુખ અને દુઃખ જીવનનાં સહચારી છે. સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે. દુઃખ ન ઇચ્છવા છતાં આવે છે. કેટલાંક લોકો દુઃખમાં ખિન્ન થાય છે, બીજું કશું નહીં. આમ કેમ ? દુઃખ કર્મકૃત છે. તે કર્મનો ભોગ છે. જે આ જાણે છે, તે ન તો બીજા લોકો ઉપર તેનું આરોપણ કરે છે કે ન તો પોતે ખિન્ન થાય છે. કર્મનાં બીજ રાગ અને દ્વેષ છે. આ બંને મોહકર્મની શાખાઓ છે. મોહને જીતી લેવાથી બંને ઉપર વિજય મળી જાય છે. મોહ દ્વારા થતી આત્મવિમૂઢતાનું આ અધ્યાયમાં સ્પષ્ટ દિગ્દર્શન છે. મોહનું ઉન્મેલન કરવાથી અન્ય કર્મોની શક્તિ આપમેળે ક્ષીણ થઈ જાય છે. ભગવાન મહાવીર તેથી જ મેઘને તે નિર્બદ્ધ આનંદની પ્રાપ્તિ માટે પ્રોત્સાહિત કરે છે. તેઓ કહે છે કે સમગ્ર સંસાર પૌગલિક છે- ભૌતિક છે. સુખ સાબાધ અને ક્ષણિક છે. આત્મા શાશ્વત છે. તેને માટે શાશ્વત સુખ જ અભીષ્ટ છે. મોહથી મૂઢ બનેલો માણસ આ શાશ્વત સુખની ઉપેક્ષા કરી બેઠો છે. તે પોતાનાથી અપરિચિત છે અને વાસ્તવિક સુખથી પણ અપરિચિત છે. મોહ દુઃખ છે અને મોહમુક્તિ સુખ છે. સુખ-દુઃખ બીજું કશું જ નથી, મોહ-આસક્તિનો વિલય સુખ છે અને તેની અવસ્થિતિ દુઃખ છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ Page #65 -------------------------------------------------------------------------- ________________ આત્મકતૃત્વવાદ मेघः प्राह . મેઘ બોલ્યો, કોઈ વ્યક્તિ ઘોર કષ્ટો સહન કરવા છતાં ખિન્ન થતી નથી અને કોઈ વ્યક્તિ થોડુંક જ કષ્ટ પામીને અધીર બની જાય છે. હે મહાન તત્ત્વવેત્તા ! તેનું કારણ શું છે ? (૧) कष्टानि सहमानोऽपि, घोरं नैको विषीदति । एकस्तल्लेशतो दीनस्तत्त्ववित् ! तत्त्वमत्र किम् || भगवान् प्राह ર. રૂ. ૪. कष्टं यो मन्यते स्पष्टं, परिणामं स्वकर्मणः । श्रद्धत्ते यो विना भोगं, स्वकृतं नान्यथा भवेत् ।। (સુક્ષ્મમ્) ભગવાને કહ્યું, જે વ્યક્તિ કષ્ટને ચોક્કસરૂપે પોતે કરેલાં કર્મોનું પરિણામ માને છે અને એવી શ્રદ્ધા ધરાવે છે કે કરેલાં કર્મો ભોગવ્યા વગર તેમાંથી મુક્તિ મળતી નથી અને જે એમ ચોક્કસરૂપે જાણે છે કે પોતે કરેલાં કર્મો આ જન્મમાં કે પછીના જન્મમાં ભોગવવાં જ પડે છે, તે કષ્ટ આવી પડે ત્યારે પણ ખિન્ન થતી નથી. (૨, ૩) कष्टान्यामंत्रयेत् सोऽथ, कृतशुद्ध्यै यथाबलम् । स्वीकृतस्याऽप्रच्यवार्थं, मोक्षमार्गस्य संततम् ।। स्वकृतं नाम भोक्तव्यं, अत्राऽमुत्र ન સંશય:। आयातेष्वपि कष्टेषु, इति जानन् न खिद्यते ।। કષ્ટના રહસ્યને જાણનાર વ્યક્તિ પોતાની શક્તિ પ્રમાણે કષ્ટોને આમંત્રિત કરે છે. તેનાં બે કારણો છે ૧. પૂર્વકૃત કર્મોની શુદ્ધિ-નિર્જરા માટે. ૨. સ્વીકૃત મોક્ષમાર્ગમાં સતત સંલગ્ન રહેવા માટે. (૪) સંબોધિ ૬૩ Page #66 -------------------------------------------------------------------------- ________________ अकष्टासादितो मार्गः, कष्टापाते प्रणश्यति । कष्टेनापादितो मार्गः, कष्टेष्वपि न नश्यति ।। કષ્ટ સહન કર્યા વગર જે કોઈ માર્ગ મળે છે તે કષ્ટ આવી પડે ત્યારે વિનષ્ટ થઈ જાય છે અને કષ્ટ સહન કરીને જે માર્ગ પ્રાપ્ત કરવામાં આવે છે તે કષ્ટો આવી પડે ત્યારે પણ વિનષ્ટ થતો નથી. (૫) ६. बलं वीर्यं च संप्रेक्ष्य, श्रद्धामारोग्यमात्मनः । क्षेत्रं कालञ्च विज्ञाय, तथात्मानं नियोजयेत् ।। પોતાના બળ-શારીરિક સામર્થ્ય, વીર્ય-આત્મિક સામર્થ્ય, શ્રદ્ધા અને આરોગ્યને જોઈને તથા ક્ષેત્ર અને કાળને જાણીને વ્યક્તિએ તે પ્રમાણે પોતાના આત્માને નિયોજિત કરવી જોઈએ. (૬) ૭. તાતથા વિઘાર્ચ, વિત્ત ના મને યથા | विवेकः प्रमुखो धर्मो, नाऽविवेको हि शुद्ध्यति ।। તપ એવું જ કરવું જોઈએ કે જેથી મન આર્તધ્યાનમાં ન ફસાઈ જાય કારણ કે તમામ ધર્મોમાં વિવેક મુખ્ય ધર્મ છે. વિવેકશૂન્ય વ્યક્તિ પોતાને શુદ્ધ બનાવી શકતી નથી. (૭). ૮. વક્ત નામ મોન્ચ, શ્રદ્ધા તિ યો નઃ | श्रद्दधानोपि यो नैव, स्वात्मवीर्यं समुन्नयेत् ।। स कष्टाद् भयमाप्नोति, कष्टापाते विषीदति । आशङ्कां प्राप्य कष्टानां, स्वीकृतं मार्गमुज्झति ।। ( ) જે માણસ એ બાબતમાં શ્રદ્ધા ધરાવતો નથી કે પોતે કરેલું કર્મ ભોગવવું પડે છે અથવા તો જે માણસ એ બાબતમાં શ્રદ્ધા ધરાવતો હોવા છતાં પોતાની આત્મશક્તિને સત્કાર્યમાં જોડતો નથી તે માણસ કષ્ટથી દૂર ભાગે છે. તે માણસ કષ્ટ આવી પડે ત્યારે ખિન્ન થાય છે અને કષ્ટના આવવાની આશંકાથી પોતાના સ્વીકૃત માર્ગને ત્યાગી દે છે. (૮, ૯) સંબોધિ ત૬૪ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૦. માચં વીર્યદીનાન, વૈર! નૈવ હિતાવર: | धीरः कष्टमकष्टञ्च, समं कृत्वा हितं व्रजेत् ।। વત્સ એ વીર્યહીન વ્યક્તિઓનો માર્ગ છે. મુમુક્ષુ માટે તે હિતકર નથી. ધીર પુરુષ સુખ-દુઃખને સમાન સમજીને પોતાના હિત તરફ ચાલે છે. (૧૦) मेघः प्राह ११. सुखास्वादाः समे जीवाः, सर्वे सन्ति प्रियायुषः । अनिच्छन्तोऽसुखं यान्ति, न यान्ति सुखमीप्सितम् ।। ૨૨. વ: í સુ વાનાં, મો જ પતિઃ | सुखदो दुःखदः कोस्ति, स्याद्वादीश ! प्रशाधि माम् ।। (યુ ) મેઘ બોલ્યો, તમામ જીવ સુખ ઇચ્છે છે. સૌ કોઈને જીવન પ્રિય છે. તેઓ દુઃખ ઇચ્છતા નથી, છતાં તે મળે છે અને તેઓ સુખ ઇચ્છે છે છતાં તે મળતું નથી. સુખ-દુઃખનો કર્તા કોણ છે ? ભોક્તા કોણ છે ? તેનો અંત આણનાર કોણ છે ? સુખ-દુઃખ આપનાર કોણ છે ? હે સ્યાદ્વાદશ ! આપ મને આ બાબતનું સમાધાન આપો. (૧૧, ૧૨) भगवान् प्राह १३. आत्मा कर्ता स एवास्ति, भोक्ता सोऽपि च घातकः । सुखदो दुःखदः सैष, निश्चयाभिमतं स्फुटम् ।। સુખ-દુઃખનો કત આત્મા છે. એ જ ભોક્તા છે. એ જ સુખ-દુઃખનો અંત કરનાર છે અને એ જ સુખ-દુઃખ આપનાર છે. એવો નિશ્ચયનયનો અભિમત છે. (૧૩) १४. शरीरप्रतिबद्धोऽसौ, आत्मा चरति संततम् । सकर्मा क्वापि सत्कर्मा, निष्कर्मा क्वापि संवृतः ।। આ આત્મા શરીરમાં આબદ્ધ છે-કર્મશરીર દ્વારા નિયંત્રિત છે. કર્મો દ્વારા તે સતત ભવભ્રમણ કરે છે. તે કર્મવર્ગણાનું આકર્ષણ કરે સંબોધિ ૬૫ Page #68 -------------------------------------------------------------------------- ________________ છે, તેથી સકર્યા છે. તે ક્યારેક પુણ્યકર્મ પણ કરે છે તેથી સત્કમ છે. તે ક્યારેક કર્મનો નિરોધ પણ કરે છે તેથી નિષ્કર્મા છે. (૧૪) १५. कुर्वन् कर्माणि मोहेन, सकर्मात्मा निगद्यते । અર્જયેશુ કર્મ, જ્ઞાનમંત્રિય તતઃ | મોહના ઉદય વખતે જે વ્યક્તિ કર્મ-પ્રવૃત્તિ કરે છે તે સકર્માત્મા કહેવાય છે. સકર્માત્મા અશુભ કર્મનું બંધન કરે છે અને તેનાથી જ્ઞાન આવૃત થાય છે. (૧૫) १६. आवृतं दर्शनं चापि, वीर्यं भवति बाधितम् । पौद्गलिकाश्च संयोगाः, प्रतिकूलाः प्रसृत्वराः ।। અશુભ કર્મના બંધનથી દર્શન આવૃત થાય છે, વીર્યનો નાશ થાય છે અને પ્રસરણશીલ પૌગલિત સંયોગોની અનુકૂળતા રહેતી નથી. (૧૬) १७. उदयेन च तीव्रण, ज्ञानावरणकर्मणः । उदयो जायते तीव्रो, दर्शनावरणस्य च ।। १८. तस्य तीव्रोदयेन स्यात्, मिथ्यात्वमुदितं ततः । अशुभानां पुद्गलानां, संग्रहो जायते महान् ।। (યુ) જ્ઞાનાવરણ કર્મના તીવ્ર ઉદયથી દર્શનાવરણ કર્મનો તીવ્ર ઉદય થાય છે. દર્શનાવરણના તીવ્ર ઉદયથી મિથ્યાત્વદષ્ટિની વિપરીતતાનો ઉદય થાય છે અને તેનાથી અશુભ કર્મવર્ગણાનો મોટો સંગ્રહ થાય છે. (૧૭, ૧૮) १९. मिथ्यात्वं मोह एवास्ति, तेनात्मा विकृतो भवेत् । સુવિર વચેતે હૈષ, સ્વાં રાત્રિોત: || મોહનો જ એક પ્રકાર છે મિથ્યાત્વ. તેનાથી આત્મા વિકૃત બને છે. મિથ્યાત્વમોહ-દર્શનમોહથી આત્મા દીર્ઘકાળ પર્યત બદ્ધ બને છે અને ચારિત્રમોહથી મિથ્યાત્વમોહની અપેક્ષાએ અલ્પકાળ પર્યત બદ્ધ બને છે. (૧૯) ૧. કર્મના બે અર્થ છે. પ્રવૃત્તિ અને કર્મવર્ગણાના પુલ. સંબોધિ ક૬૪ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૦. અજ્ઞાનક્વાનિઝ, વિર્વાતિ નવા નમ! विकाराणां च सर्वेषां, बीजं मोहोस्ति केवलम् ।। અજ્ઞાન અને અદર્શન-જ્ઞાનાવરણ અને દર્શનાવરણ આત્માને વિકૃત નથી બનાવતાં. જેટલા વિકાર છે તે તમામનું બીજ માત્ર મોહ છે. (૨૦) २१. तें च तस्योत्तेजनाय, हेतुभूते पराण्यपि । પરિવં મોહ, વઘતે તતઃ || જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મ તથા બાકીનાં તમામ કર્મો મોહકર્મને ઉત્તેજિત કરવામાં નિમિત્ત બને છે તેથી મોહકર્મ સૌથી મુખ્ય છે અને બાકીનાં તમામ કર્મો તેનો પરિવાર છે. (૨૧) २२. मस्तकेषु यथा सूच्या, हतायां हन्यते तलः । एवं कर्माणि हन्यन्ते, मोहनीये क्षयं गते ।। જેવી રીતે તાડની સૂચિ-આગળનો ભાગ નાશ પામવાથી તાડ નાશ પામે છે, એ જ રીતે મોહકર્મ ક્ષીણ થવાથી બાકીનાં કર્મો ક્ષીણ થઈ જાય છે. (૨૨) २३. सेनापतौ विनिहते, यथा सेना विनश्यति । વળિ નત્તિ, મોહનીચે ભયં તે || જેવી રીતે સેનાપતિ મૃત્યુ પામતાં સેના પલાયન થઈ જાય છે, એ જ રીતે મોહકર્મ ક્ષીણ થતાં બાકીનાં કર્મો ક્ષીણ થઈ જાય છે. (૨૩) ર૪. ધૂમદીનો યથા વહ્નિ, ક્ષીયડસૌ નિશ્વિનઃ | एवं कर्माणि क्षीयन्ते, मोहनीये क्षयं गते ।। જેવી રીતે ધૂમ્રત અને ઈધણહીન અગ્નિ બુઝાઈ જાય છે, એ જ રીતે મોહકર્મ ક્ષીણ થવાથી બાકીનાં કર્મો ક્ષીણ બની જાય છે. (૨૪) ર૬. શુમૂનો યથા વૃક્ષ, સિએમનો ન રોહતિ | नैवं कर्माणि रोहन्ति, मोहनीये क्षयं गते ।। સંબોધિ ત૬૭ Page #70 -------------------------------------------------------------------------- ________________ જેનું મૂળ સુકાઈ ગયું હોય તે વૃક્ષનું સિંચન કરવામાં આવે તો પણ તે અંકુરિત થતું નથી, એ જ રીતે મોહકર્મ ક્ષીણ થયા પછી કર્મ અંકુરિત થતું નથી. (૨૫) ર૬. न यथा दग्धबीजानां, जायन्ते पुनरंकुराः । कर्मबीजेषु दग्धेषु, न जायन्ते भवांकुराः ।। જેમ બળી ગયેલાં બીજમાંથી અંકુર પેદા થતા નથી, એમ કર્મબીજો બળી ગયા પછી જન્મ-મરણ રૂપે અંકુર ઉત્પન્ન થતા નથી. (૨૬) २७. विशुद्धया प्रतिमया, मोहनीये क्षयं गते । सर्वलोकमलोकं च, वीक्षते सुसमाहितः ।। વિશુદ્ધ પ્રતિમા દ્વારા મોહકર્મ ક્ષીણ થવાથી શાંત બનેલો આત્મા સમસ્ત લોક અને અલોકને જોઈ લે છે. (૨૭) ૨૮. સુપ્તમાહિતને ચણ્ય, અવિતસ્ય સંયતેઃ । सर्वतो विप्रमुक्तस्य, आत्मा जानाति पर्यवान् ।। જેની લેશ્યા-ભાવધારા શાંત હોય છે, જે સુખ સુવિધાની તર્કણા-પ્રતીક્ષામાં રહેતો નથી અને જે બાહ્ય તથા આત્યંતર સંયોગો અથવા સંબંધોથી સર્વથા મુક્ત છે, તે સંયમીનો આત્મા લોક-અલોકના વિવિધ પર્યવો-અવસ્થાઓને જાણી લે છે. (૨૮) ૨૧. તોપ તત્તેયસ્ય, વર્ગનું પરિશુદ્ધચતિ । काममूर्ध्वमधस्तिर्यक्, स सर्वमनुपश्यति ।। તપસ્યા દ્વારા જે વ્યક્તિ કર્મહેતુક લેશ્યાઓનો વિલય કરે છે, તેનું દર્શન પરિશુદ્ધ થઈ જાય છે. શુદ્ધ દર્શનવાળી વ્યક્તિ ઊર્ધ્વલોક, અધોલોક અને તિર્થગ્લોકમાં અવસ્થિત તમામ પદાર્થોને જુએ છે. (૨૯) ૨, ओज `श्चित्तं समादाय, ध्यानं यस्य प्रजायते । धर्मे स्थितः स्थिरचित्तो, निर्वाणमधिगच्छति ।। જે નિર્મળ અથવા રાગદ્વેષમુક્ત ચેતનાનું આલંબન લઈને ધ્યાન કરે છે, તે ધર્મમાં સ્થિત થઈ જાય છે. તે સ્થિરચિત્ત થઈને નિર્વાણ પ્રાપ્ત કરે છે. (૩૦) ૧. પ્રતિમા- જૈન આગમ સમસ્ત તપસ્યા અને ધ્યાનસાધનાનો વિશેષ પ્રયોગ, ૨. ઓજ- રાગદ્વેષથી મુક્ત, નિર્મળ. સંબોધિ ઃ ૬૮ Page #71 -------------------------------------------------------------------------- ________________ ३१. नेदं चित्तं समादाय, भूयो लोके स जायते । संज्ञिज्ञानेन जानाति, विशुद्ध स्थानमात्मनः ।। નિર્મળ ચિત્તવાળી વ્યક્તિ સંસારમાં વારંવાર જન્મ લેતી નથી. તે સંજ્ઞિજ્ઞાન- જાતિ-સ્મૃતિ દ્વારા આત્માના વિશુદ્ધ સ્થાનને જાણી લે છે. (૩૧) ___ ३२. प्रान्तानि भजमानस्य, विविक्तं शयनासनम् । अल्पाहारस्य दान्तस्य, दर्शयन्ति सुरा निजम् ।। જે વ્યક્તિ નિસારભોજન, એકાંતવસતિ, એકાંતઆસન અને અલ્પાહારનું સેવન કરે છે, જે વ્યક્તિ ઈન્દ્રિયોનું દમન કરે છે તેની સામે દેવ પોતાને પ્રગટ કરે છે. (૩૨) ३३. अथो यथास्थितं स्वप्नं, क्षिप्रं पश्यति संवृतः । सर्वं वा प्रतरत्योघं, दुःखाच्चापि विमुच्यते ।। સંવૃત આત્મા યથાર્થ સ્વપ્ન જુએ છે, સંસારના પ્રવાહને તરી જાય છે અને દુઃખથી મુક્ત થઈ જાય છે. (૩૩) ३४. सर्वकामविरक्तस्य, क्षमतो भयभैरवम । अवधिर्जायते ज्ञान, संयतस्य तपस्विनः ।। જે વ્યક્તિ તમામ કામનાઓથી વિરક્ત છે, જે ભયાનક શબ્દો, અટ્ટહાસ્યો અને પરીષહોને સહન કરે છે, જે સંયત અને તપસ્વી છે તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. (૩૪) मेघः प्राह ३५. दृश्यते जीवलोकोऽयं, नानारूपे विभक्तिमान् । ____ नानाप्रवृत्तिं कुर्वाणः, कर्तृत्वं कस्य विद्यते ।। મેઘ બોલ્યો, ભગવન્! આ જીવજગત વિભિન્ન રૂપોમાં વિભાજિત દેખાય છે અને તે વિવિધિ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. આ બધાની પાછળ કોનું કર્તુત્વ રહેલું છે, તે હું જાણવા માગું છું. (૩૫) ૧. ન + ઇદ. ૨. આ અથનો પર્યાયવાચક શબ્દ છે. સંબોધિ,૬૯ Page #72 -------------------------------------------------------------------------- ________________ भगवान् प्राह ३६. विभक्तिः कर्मणा लोके, कर्मास्ति चेतनाकृतम् । चेतना सासवा तेन, कर्माकर्षति संततम् ।। ભગવાને કહ્યું, આ સમગ્ર વિભાજન કર્મ દ્વારા નિષ્પન્ન થાય છે. કર્મ કરનાર ચેતના છે. તે આસ્રવયુક્ત હોય છે તેથી કર્મોનું આકર્ષણ સતત કર્યા કરે છે. (૩૬) * રૂ૭. યથા માવતથી વર્મ, યથા કર્મ તથા ઃ विचारस्तादृगाचारो, व्यवहारोऽपि तादृशः ।। વ્યક્તિનો જેવો ભાવ-અંતઃચેતનાનું પરિણામ હોય છે, તેવું કર્મ થાય છે. કર્મ અનુસાર તેનો રસવિપાક થાય છે. રસ અનુસાર વિચાર પેદા થાય છે. જેવા વિચાર હોય છે તેવો જ આચાર થાય છે. આચારને અનુરૂપ વ્યક્તિનો વ્યવહાર ફલિત થાય છે. (૩૭) ३८. कर्माणि क्षीणतां यान्ति, विकासो जायते चिदः । तानि प्रबलतां यान्ति, हासस्तस्याः प्रजायते ।। કર્મોનો ક્ષય થવાથી ચેતનાનો વિકાસ થાય છે અને તેના પ્રબળ થઈ જવાથી ચેતનાનો હાર થઈ જાય છે. (૩૮) - રૂ. સુવર્ણો મિર્જાવા, વિસં યત્તિ વતિઃ | दुश्चीर्णैः कर्मभिर्जीवाः, हासं यान्ति बहिस्तनम् ।। સદાચરણ થકી નિષ્પન્ન કર્મો દ્વારા જીવનો ભૌતિક વિકાસ થાય છે અને દુરાચરણ થકી નિષ્પન્ન કર્યો દ્વારા તેનો ભૌતિક છાસ થાય છે. (૩૯) ૪૦. માવાRI અંતરાયRવશ્વ વિર: | प्रियाप्रियनिदानानि, पुद्गलाः कर्मसंज्ञिताः ।। કેટલાક કર્મ-પગલે આત્માનાં જ્ઞાન, દર્શનના આવારક છે, કેટલાક આત્મશક્તિને અવરોધે કરે છે, કેટલાક વિકારક છે – આત્મચેતનામાં વિકૃતિ ઉત્પન્ન કરે છે અને કેટલાક પ્રિય-અપ્રિય સંવેદનના નિમિત્ત બને છે. (૪૦) સંબોધિ , ૭૦ Page #73 -------------------------------------------------------------------------- ________________ ४१. जीवस्य परिणामेन, अशुभेन शुभेभेन च । संगृहीताः पुद्गला हि, कर्मरूपं भजन्त्यलम् ।। જીવનાં શુભ અને અશુભ પરિણામોથી સંગૃહીત પુદ્ગલ કર્મ'ના રૂપમાં પરિણત થાય છે, કર્મ કહેવાય છે. (૪૧) ४२. तेषामेव विपाकेन, जीवस्तथा प्रवर्तते । नैष्कर्येण विना नैष, क्रमः क्वापि निरुद्ध्यते ।। એ જ કર્મોના વિપાકથી જીવ એવી જ રીતે પ્રવૃત્ત થાય છે જેવી રીતે તેમનો સંગ્રહ કરે છે. નૈકર્યુ વગર આ ક્રમ ક્યારેય અટકતો નથી. (૪૨) ४३. पूर्णं नैष्कर्म्ययोगस्तु, शैलश्यामेव जायते । तं गतो कर्मभिर्जीवः, क्षणादेव विमुच्यते ।। પૂર્ણ નિષ્કર્ષી-યોગ શૈલેશી અવસ્થામાં હોય છે. આ અવસ્થા ચૌદમા ગુણસ્થાનમાં પ્રાપ્ત થાય છે. તેમાં જીવ, મન, વાણી અને શરીર દ્વારા કર્મનો વિરોધ કરીને શૈલેશ- મેરુ પર્વતની જેમ અકંપ બની જાય છે, તેથી તેને શેલેશી અવસ્થા કહે છે. આ અવસ્થા પ્રાપ્ત થયા પછી જીવ પળ માત્રમાં કર્મમુક્ત થઈ જાય છે. (૪૩) ૪૪. મપૂ નામ , તઘોષ પ્રવર્તત .. नैष्कर्येण विना क्वापि, प्रवृत्तिर्न भवेच्छुभा ।। અપૂર્ણ નિષ્કર્ષી-યોગ શૈલેશી અવસ્થાની પહેલાં પણ હોય છે, કારણ કે નૈષ્ફર્મ્સ વગર કોઈપણ પ્રવૃત્તિ શુભ નથી હોતી. (૪૪) ४५. सत्प्रवृत्तिं प्रकुर्वाणः, कर्म निर्जरयत्यघम् । ___ बध्यमानं शुभं तेन, सत्कर्मेत्यभिधीयते ।। જે જીવ સત્યવૃત્તિ કરે છે, તેનાં પાપકર્મોની નિર્જરા થાય છે અને શુભકર્મનો સંગ્રહ થાય છે તેથી તે સત્કર્મા કહેવાય છે. (૪૫) ४६. शुभं नाम शुभं गोत्रं, शुभमायुश्च लभ्यते । ____ वेदनीयं शुभं जीवः, शुभकर्मोदये सति ।। ૧. પૂર્ણ નિરોધની અવસ્થા. સંબોધિ - ૭૧ Page #74 -------------------------------------------------------------------------- ________________ શુભકર્મોનો ઉદય થવાથી જીવને શુભનામ, શુભગોત્ર, શુભઆયુષ્ય અને શુભવેદનીય પ્રાપ્ત થાય છે. (૪૬) ४७. अशुभं वा शुभं वापि, कर्म जीवस्य बन्धनम् । आत्मस्वरूपसंप्राप्तिः बन्धे सति न जायते ।। કર્મ શુભ હોય કે અશુભ, આત્મા માટે તો બંને બંધન છે. જ્યાં સુધી કોઈપણ બંધન રહે છે ત્યાં સુધી આત્માને પોતાના સ્વરૂપની સંપ્રાપ્તિ થતી નથી. (૪૭) ૪૮. કારણ કે સુખની પાછળ દુઃખ જોડાયેલું છે તેથી જે જીવ પૌદ્ગલિક સુખની શોધ કરે છે, તે હકીકતમાં દુઃખને પણ શોધી લે છે તેથી પુણ્યથી મુક્તિની પ્રાપ્તિ થતી નથી. (૪૮) મુલ્લાનુમિ યયૂ' દુઃરવું, સુલમન્વષયનું નન:। દુઃવમન્વષયત્યેવ, પુછ્યું તન્ન' વિમુખ્યે ।। ૧. યંત્-યસ્માત્. ૨. તત-તસ્માત્. ४९. पुद्गलानां प्रवाहो हि, नैष्कर्म्येण निरुद्ध्यते । त्रुट्यन्ति पापकर्माणि, नवं कर्म न कुर्वतः ।। કર્મપુદ્ગલોનો પ્રવાહ આત્મામાં વહી રહ્યો છે તે નૈકર્યુંસંવરથી અટકે છે. જે નવાં કર્મોનો સંગ્રહ નથી કરતો, તેનાં પૂર્વસંચિત પાપકર્મોનું બંધન તૂટી જાય છે. (૪૯) જે ક્રિયા નથી કરતો, સંવૃત થઈ જાય છે તેને નવાં કર્મોના બંધનનું કારણ શેષ રહેતું નથી. જેને અગાઉ કરેલાં કર્મો નથી, તે ન તો જન્મ લે છે કે ન તો મરે છે. (૫૦) પ્‰. ५०. अकुर्वतो नवं नास्ति, कर्मबन्धनकारणम् । नोत्पद्यते न म्रियते, यस्य नास्ति पुराकृतम् ।। शरीरं जायते बद्धजीवाद् वीर्यं ततः स्फुरेत् । ततो योगो हि योगाच्च, प्रमादो नाम जायते ।। સંબોધિ ર ૭૨ Page #75 -------------------------------------------------------------------------- ________________ કર્મબદ્ધ જીવને શરીર હોય છે. શરીરમાં વીર્ય સ્ફુરિત થાય છે. વીર્ય થકી યોગ-મન, વચન અને શરીરની પ્રવૃત્તિ તથા યોગથી પ્રમાદ પેદા થાય છે. (૫૧) ५२. प्रमादेन च योगेन, जीवोऽसौ बध्यते पुनः । વન્દ્વોયેનૈવ, ખુલ્લું દુઃલગ્ન લખતે ।। પ્રમાદ અને યોગ થકી જીવ પુનઃ કર્મથી આબદ્ધ બને છે અને બંધાયેલાં કર્મોના ઉદયથી જ તે સુખ-દુઃખ પામે છે. (૫૨) अनुभवन् स्वकर्माणि, जायते म्रियते जनः । प्राधान्यं नेच्छितानां यत्, कृतं प्रधानमिष्यते ।। ૧૨. પ્રાણી પોતાનાં કર્મોનો ભોગ કરતાં કરતાં જન્મે છે, મરે છે. કર્મ સિદ્ધાંત અનુસાર ઇચ્છાની પ્રધાનતા નથી, પરંતુ કૃતની પ્રધાનતા છે. અર્થાત્ માણસ જે ઇચ્છે છે તે નથી થતું પરંતુ તેણે તેનું ફળ પણ ભોગવવું પડે છે કે જે તેણે અગાઉ કર્યું હોય. (૫૩) ૪. સુવાનામપિ દુઃવાનાં, ક્ષયાય પ્રયતો મવ | लप्स्यसे तेन निर्द्वन्द्वं, महानन्दमनुत्तरम् ।। મેઘ ! તું સુખ અને દુઃખને ક્ષીણ ક૨વાનો પ્રયત્ન કર. તું તમામ દ્વન્દ્વોથી મુક્ત, સૌથી મુખ્ય પરમ આનંદ-મોક્ષને પામીશ. (૫૪) ५५. मननं जल्पनं नास्ति, कर्म किञ्चिन्न विद्यते । विरज्यमानोऽकर्मात्मा, भवितुं प्रयतो भव ।। મોક્ષમાં મન, વાણી અને કર્મ નથી હોતાં-ન તો મનન કરવામાં આવે છે કે ન તો ભાષણ કરવામાં આવે છે અને ન તો લેશમાત્ર પ્રવૃત્તિ કરવામાં આવે છે. ત્યાં આત્મા ‘અકર્મા’ હોય છે. મેઘ ! તું વિરક્ત થઈને ‘અકર્માત્મા’ બનવાનો પ્રયત્ન કર. (૫૫) સંબોધિ ર ૭૩ Page #76 -------------------------------------------------------------------------- ________________ Page #77 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૪ સહજાનંદ મીમાંસા Page #78 -------------------------------------------------------------------------- ________________ Page #79 -------------------------------------------------------------------------- ________________ આમુખ સુખ માનવીનું પ્રથમ અને ચરમ લક્ષ્ય છે. તે જે કંઈ કરે છે તેની આગળ અને પાછળ સુખનું ચિત્ર અંકિત કરે છે. ઈન્દ્રિયોને મનોજ્ઞ વિષય મળે છે ત્યારે સુખનું સંવેદન થાય છે. મન પણ પોતાના મનોજ્ઞ વિષયો પામીને સુખની અનુભૂતિ કરે છે. અમોક્ષનો યોગ થતાં જ સુખ દુઃખમાં પરિવર્તિત થઈ જાય છે. તે દુઃખાનુભૂતિની ક્ષણે એક નવી પ્રેરણા જાગે છે કે શું સુખ ક્ષણિક જ છે ? શું સુખ પછી દુઃખ આવવું એટલું જ જરૂરી છે કે જેટલું દિવસ પછી રાતનું આવવું જરૂરી છે ? શું સુખ સ્થાયી પણ હોઈ શકે ખરું ? શું એવા પ્રદેશની કલ્પના કરી શકાય ખરી કે જ્યાં માત્ર દિવસ હોય અને રાત ન હોય ? એની શોધમાં માનવીય ચેતના આગળ વધી અને તેને એ સત્યનો સાક્ષાત્કાર થયો કે અતીન્દ્રિય ચેતનાના સ્તરે સહજ તથા નિરપેક્ષ સુખ ઉપલબ્ધ છે. તે સ્થાયી છે, શાશ્વત છે. પ્રસ્તુત અધ્યાયમાં ક્ષણિક અને શાશ્ર્વત-બંને સુખાનુભૂતિઓની વચ્ચે ભેદરેખા દોરવાનો એક વિનમ્ર પ્રયત્ન છે. 000000 00 Page #80 -------------------------------------------------------------------------- ________________ Page #81 -------------------------------------------------------------------------- ________________ સહજાનંદ-મીમાંસા मेघः प्राह ૨. સુવાનાં નામ સર્વેષાં, શરીર સાધનં પ્રમો! विद्यते तन्न निर्वाणे, तत्रानन्दः कथं स्फुरेत् ? મેઘ બોલ્યો, પ્રભુ ! તમામ સુખોનું સાધન શરીર છે. નિર્વાણમાં તે રહેતું નથી, તો પછી આનંદની અનુભૂતિ શી રીતે થાય? (૧) २. मानसानाञ्च भावानां, प्रकाशो वचसा भवेत् । अवाचां कथमानन्दः, प्रोल्लसेद् ब्रूहि देव ! मे ।। મનના ભાવોનું પ્રકાશન વાણી દ્વારા થાય છે. જ્યાં વાણી ન હોય, ત્યાં આનંદ શી રીતે વિકસિત થાય ? દેવ ! આપ મને સમજાવો. (૨) ३. चिन्तनेन नवीनानां, कल्पनानां समुद्भवः । सदा चिन्तनशून्यानां, परितृप्तिः कथं भवेत् ? ચિંતન દ્વારા નવી-નવી કલ્પનાઓ ઉદ્ભૂત થાય છે. જે લોકો સદા ચિંતનશૂન્ય હોય તેમને પરિતૃપ્તિ શી રીતે મળે ? (૩) ૪. ક્રિયામાં પ્રવૃત્તાન, નનતિ મન:પ્રિયમ્ | इन्द्रियेण विहीनानां, अनुभूतिसुखं कथम् ? ઈન્દ્રિયો જ્યારે પોતાના વિષયમાં પ્રવૃત્ત થાય છે ત્યારે એ માનસિક પ્રિયતા ઉત્પન્ન કરે છે. જે ઈન્દ્રિયવિહીન હોય, તેમને અનુભવજન્ય સુખ ક્યાંથી મળે ? (૪) ५. साधनेन विहीनेस्मिन्, पथि प्रेरयसि प्रजाः । किमत्र कारणं ब्रूहि, देव ! जिज्ञासुरस्म्यहम् ।। સંબોધિ ૨૭૯ Page #82 -------------------------------------------------------------------------- ________________ માં આવે છેવાણી અને ને પ્રેરણા એ માર્ગ સાધનવિહીન છે, જ્યાં મન, વાણી અને શરીરની પ્રવૃત્તિને રોકવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આપ એ માર્ગ ઉપર ચાલવાની લોકોને પ્રેરણા આપો છો. આવી પ્રેરણાનું કારણ શું છે ? હે દેવ! હું તે જાણવા ઇચ્છું છું. (૫) भगवान् प्राह ६. यत्सुखं कायिकं वत्स ! वाचिकं मानसं तथा । મનુભૂત તસ્મમ:, મતઃ સુમિતીષ્યતે || ભગવાને કહ્યું, વત્સ ! જે જે કાયિક, વાચિક અને માનસિક સુખ છે, તેમનો આપણે અનુભવ કર્યો છે તેથી તે સુખ છે એમ આપણને પ્રતીત થાય છે. (૬) ७. नानुभूतश्चिदानन्द, इन्द्रियाणामगोचरः । वितो मनसा नापि, स्वात्मदर्शनसंभवः ।। આપણે ચિહ્ના આનંદનો હજી અનુભવ કર્યો નથી, કારણ કે તે ઈન્દ્રિયોનો વિષય નથી, તે મનની વિતર્કણાથી પર છે. આત્મસાક્ષાત્કાર દ્વારા જ તેનો પ્રાદુર્ભાવ થાય છે. (૭) ૮. ન્દ્રિયળ નિવર્તન્ત, મનસ્તતો નિવર્તિતે ! तत्रात्मदर्शनं पुण्यं, ध्यानलीनस्य जायते ।। ઈન્દ્રિયો પોતાના વિષયોથી નિવૃત્ત થાય છે ત્યારે મને પોતાના વિષયથી નિવૃત્ત થાય છે. જ્યાં ઈન્દ્રિય અને મનની પોત-પોતાના વિષયોથી નિવૃત્તિ થાય છે ત્યાં ધ્યાનલીન વ્યક્તિને પવિત્ર આત્મદર્શનની પ્રાપ્તિ થાય છે. (૮) ९. सहजं निरपेक्षञ्च, निर्विकारमतीन्द्रियम् । आनन्दं लभते योगी, बहिरव्यापृतेन्द्रियः ।। જેની ઈન્દ્રિયોને બાહ્ય પદાર્થોમાં વ્યાપાર થતો નથી તે યોગી સહજ, નિરપેક્ષ, નિર્વિકાર અને અતીન્દ્રિય આનંદ પામે છે. (૯) १०. आत्मलीनो महायोगी, वर्षमात्रेण संयमी । अतिक्रामति सर्वेषा, तेजोलेश्यां सुपर्वणाम् ।। સંબોધિ , ૮૦ Page #83 -------------------------------------------------------------------------- ________________ જે સંયમી આત્મામાં લીન અને મહાનયોગી છે તે વર્ષ દરમ્યાનના દીક્ષાપર્યાયમાં તમામ દેવોની તેજોલેશ્યા-સુખાસિકા અથવા સુખને ઓળંગી જાય છે. એટલે કે તેના કરતાં વધુ સુખી બની જાય છે. (૧૦) ११. ऐन्द्रियं मानसं सौख्यं, साबाधं क्षणिकं तथा । आत्मसौख्यमनाबाधं, शाश्वतञ्चापि विद्यते ।। ઈન્દ્રિય તથા મનનાં સુખ બાધાસહિત અને ક્ષણિક હોય છે. આત્મસુખ બાધારહિત અને સ્થાયી હોય છે. (૧૧) १२. सर्वकर्मविमुक्तानां, जानतां पश्यतां समम् । सर्वापक्षाविमुक्ताना, सर्वसङ्गापसारिणाम् ।। मुक्तानां यादृशं सौख्यं, तादृशं नैव विद्यते । संपन्नसर्वकामानां, नृणामपि सुपर्वणाम् ।। (૩૫) જે તમામ કર્મોથી વિમુક્ત છે, જે સઘળું જાણે-જુએ છે, તે તમામ પ્રકારની અપેક્ષાઓથી રહિત છે અને જે તમામ પ્રકારની આસક્તિઓથી મુક્ત છે, તે મુક્ત આત્માઓને જેવું સુખ પ્રાપ્ત થાય છે તેવું સુખ કામભોગોથી સંપન્ન માણસો અને દેવતાઓને પણ પ્રાપ્ત થતું નથી. (૧૨, ૧૩) १४. सुखराशिविमुक्तानां, सर्वाद्धापिण्डितो भवेत् । सोऽनन्तवर्गभक्तः सन्, सर्वाकाशेऽपि माति न ।। જો મુક્ત આત્માઓની સર્વકાલીન સુખરાશિ એકત્રિત થઈ જાય, તેને આપણે અનંત વર્ગોમાં વિભક્ત કરીએ અને પ્રત્યેક વર્ગને આકાશના પ્રત્યેક પ્રદેશ ઉપર મૂકીએ તો તે એટલા વર્ગ બનશે કે સમગ્ર આકાશમાં પણ સમાઈ નહીં શકે. (૧૪) १५. यथा मूकः सितास्वाद, काममनुभवन्नपि । साधनाऽभावमापन्नो, न वाचा वक्तुमर्हति । ૧. જુઓ: અધ્યાય, ૯, ૨૪ થી ૩૫. સંબોધિત ૮૧ Page #84 -------------------------------------------------------------------------- ________________ १६. यथाऽरण्यो जनः कश्चिद्, दृष्ट्वा नगरमुत्तमम् । अदृष्टनगरानन्यान्, न तज्ज्ञापयितुं क्षमः ।। ૨૭. तथा हि सहजानन्दं, सर्ववाचामगोचरम् ।। साक्षादनुभवंश्चापि, न योगी वक्तुमर्हति ।। (ગિર્વિશેષમ) જેવી રીતે મૂગી વ્યક્તિ સાકરની મીઠાશનો સારી પેઠે અનુભવ કરવાં છતાં વાણી રૂપી સાધનના અભાવે તેને બોલીને વ્યક્ત કરી શકતી નથી, જેવી રીતે જંગલમાં રહેતો કોઈ માણસ મોટા નગરને જોઈને તે લોકોને તેનું સ્વરૂપ સમજાવી શકતો નથી કે જેમણે નગર જોયું જ નથી, એ જ રીતે યોગી સહજ આનંદનો સાક્ષાત અનુભવ કરવા છતાં તેને વાણી દ્વારા વ્યક્ત કરી શકતો નથી. કારણ કે તે વચનનો વિષય નથી. (૧૫, ૧૬, ૧૭) ૨૮. મવેડનિર્વચનીયેડમિન, હં વત્સ! મ ર ! પુદ્ધિવાલિઃ સમોવું, રેત પર થાવતિ | વત્સ ! આ અનિર્વચનીય ભાવમાં સંદેહ ન કરીશ. બુદ્ધિવાદ સીમિત છે, ચિત્તથી આગળ તેની પહોંચ નથી. (૧૮) १९. सन्त्यमी द्विविधा भावाः, तर्कगम्यास्तथेतरे । મતવર્ચે તમાકુષ્ણનું, વૃદ્ધિવારી વિમુક્ષ્યતિ || ભાવ-પદાર્થ બે પ્રકારના હોય છેતર્કગમ્ય અને અતર્કગમ્ય. અતર્કગમ્ય ભાવમાં તર્કનો પ્રયોગ કરનાર બુદ્ધિવાદી અટવાઈ જાય છે. (૧૯) ૨૦. ક્રિયા મનસર, મવા રે સત્તિ : / તત્ર તર્ક યોજી , ત નેતઃ પ્રથાવતિ | ઈન્દ્રિય અને મન દ્વારા જે પદાર્થ જાણવામાં આવે છે તેમને સમજવા માટે તર્કનો પ્રયોગ કરવામાં આવે છે. તેનાથી આગળ તર્કની ગતિ નથી. (૨૦) સંબોધિ - ૮૨ Page #85 -------------------------------------------------------------------------- ________________ २१. हेतुगम्येषु भावेषु, युञ्जानस्तर्कपद्धतिम् । अहेतुगम्ये श्रद्धावान्, सम्यग्दृष्टिर्भवेज्जनः ।। જે હેતુગમ્ય પદાર્થોમાં હેતુનો પ્રયોગ કરે છે અને અહેતુગમ્ય પદાર્થોમાં શ્રદ્ધા ધરાવે છે, તે સમ્યગ્દષ્ટિ છે. (૨૧) २२. आगमश्चोपपत्तिश्च, सम्पूर्णं दृष्टिकारणम् । अतीन्द्रियाणामर्थानां सद्भावप्रतिपत्तये ।। અતીન્દ્રિય પદાર્થોનું અસ્તિત્વ જાણવા માટે આગમ-શ્રદ્ધા અને ઉપપત્તિ-તર્ક બંને અપેક્ષિત છે. તે બંને મળીને જ સૃષ્ટિને પૂર્ણ બનાવે છે. (૨૨) ૨૩.ન્દ્રિયાળાં મનસત્ત્વ, રજ્યન્તિ વિષયેલુ ચે । तेषां तु सहजानन्द-स्फुरणा नैव जायते ।। ઈન્દ્રિય અને મનના વિષયોમાં જેને આસક્તિ ટકી રહે છે, તેને સહજ આનંદનો અનુભવ થતો નથી. (૨૩) ૨૪. सुस्वादाश्च रसाः केचित्, गन्धाश्च केचन प्रियाः । सन्तोऽपि हि न लभ्यन्ते, विना यत्नेन मानवैः ।। २५. तथाऽऽस्मिन् महान् राशिः, आनन्दस्य च विद्यते । इन्द्रियाणां मनसश्च, चापलेन तिरोहितः ।। (મુખમ્) કેટલાક રસ ખૂબ સ્વાદપૂર્ણ છે અને કેટલીક ગંધ અત્યંત પ્રિય છે, પરંતુ તે ત્યાં સુધી પ્રાપ્ત થતાં નથી કે જ્યાં સુધી તેમની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન કરવામાં આવતો નથી. એ જ રીતે આત્મામાં આનંદનો વિશાલ રાશિ વિદ્યમાન છે, પરંતુ તે મન અને ઈન્દ્રિયોની ચપળતાથી ઢંકાયેલો છે. (૨૪, ૨૫) २६. यावन्नान्तर्मुखी वृत्तिः, बहिर्व्यापारवर्जनम् । तावत्तस्य न चांशोऽपि, प्रादुर्भावं समश्नुते ।। જ્યાં સુધી વૃત્તિઓ અંતર્મુખી બનતી નથી અને તેમનો બહિર્મુખી વ્યાપાર અટકતો નથી, ત્યાં સુધી આત્મિક આનંદનો અંશ પણ પ્રગટ થતો નથી. (૨૬) સંબોધિ ર ૮૩ Page #86 -------------------------------------------------------------------------- ________________ २७. कायिके वाचिके सौख्ये, तथा मानसिकेऽपि च । रज्यमानस्ततश्चोर्ध्वं, न लोको द्रष्टुमर्हति ।। જે માણસ કાયિક, વાચિક અને માનસિક સુખમાં જ અનુરક્ત રહે છે, તે તેનાથી આગળ કશું જોઈ શકતો નથી. (૨૭) ૨૮. વિદાય વત્સ ! સંત્પા, મૈષે પ્રતીરિતાનું ! संयम्येन्द्रियसंघातं, आत्मनि स्थितिमाचर ।। હે વત્સ ! વૈષ્કર્પયોગ પ્રત્યે તારા મનમાં જે સંકલ્પ-વિકલ્પ જાગ્યા છે, તે છોડી દે અને ઈન્દ્રિયસમૂહને સંયત બનાવીને આત્મામાં આવસ્થિત થા. (૨૮) ૨૬. ાં ત િવાળી, ન વે માનાં કૃતમ્ | अनुभूतिरियं साक्षात्, संशयं कुरु माऽनघ ! હે પુણ્યાત્મન્ ! હું જે ક્વી રહ્યો છું, તે માત્ર તાર્કિકવાણી નથી, કાલ્પનિક કે સાંભળેલી વાત પણ નથી. આ મારી સાક્ષાત અનુભૂતિ છે, તેમાં સંદેહ ના કરીશ. (૨૯) ૩૦. મામાનાયન, વેલાના વેઃ ૩ત્તમઃ | उपादिदेश भगवान्, आत्मानन्दमनुत्तरम् ।। ભગવાને અનુત્તર આત્માનંદનો ઉપદેશ આપ્યો. તે આગમોનો અધિષ્ઠાન-આધાર અને વેદો-શાસ્ત્રોમાં ઉત્તમ શાસ્ત્ર છે. (૩૦) સંબોધિ - ૮૪ Page #87 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ મોક્ષ-સાધન-મીમાંસા Page #88 -------------------------------------------------------------------------- ________________ Page #89 -------------------------------------------------------------------------- ________________ ખાનુ સાધ્યની ઉપલબ્ધિ સાધન દ્વારા થાય છે. આત્માસુખ સાધ્ય છે અને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરે તેનાં સાધનો છે. અહિંસા આ તમામની કરોડરજ્જુ છે. અન્ય તમામ તેના સહારે ટકે છે, અહિંસાને સમજ્યા વગર સાધ્ય પણ સમજી શકાતું નથી. તેની સ્વીકૃતિ વગર સાધ્યનો સ્વીકાર પણ થઈ શકતો નથી. શ્રદ્ધા, જ્ઞાન અને આચારની સમન્વિતિ જ સાધ્ય છે. સાધ્યની પૂર્ણતા સાધનના અભાવમાં થઈ શકતી નથી તેથી સાધનનો બોધ અને આચરણ અપેક્ષિત છે. સુખની પ્રાપ્તિ માટે સાધનોનું અવલંબન લેવું આવશ્યક છે. આ અધ્યાયમાં અહિંસાનું સ્થૂળ અને સૂક્ષ્મ વિવેચન છે. બંને પક્ષોનો બોધ સિદ્ધિ માટે અપેક્ષિત છે. અહિંસા સિદ્ધ થયા પછી સમતાની ઊર્મિઓ સર્વત્ર ઉછળવા લાગે છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ Page #91 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ-સાધન-મીમાંસા मेघः प्राह છે. પ્રભો! તવોપવેશન, જ્ઞાતિ મોક્ષસુવું નથી ! व्यासेन साधनान्यस्य, ज्ञातुमिच्छामि साम्प्रतम् ।। મેઘ બોલ્યો, પ્રભુ! આપના ઉપદેશ દ્વારા મેં મોક્ષસુખનું તાત્પર્ય જાણી લીધું. હવે હું વિસ્તારપૂર્વક તેનાં સાધનો વિષે જાણવા ઇચ્છું છું. (૧) भगवान् प्राह ૨. જ્ઞાનદર્શનચારિત્ર-ત્રી, તસ્યાતિ સાધનમ્ | स धर्मः प्रोच्यते धीमन् ! विस्तरं शृणु साशयम् ।। ભગવાને કહ્યું, હે ધીમદ્ ! જ્ઞાન, દર્શન અને ચારિત્ર-આ ત્રયી મોક્ષનું સાધન છે. તેને ધર્મ કહેવામાં આવ્યો છે. તું એને વિસ્તારથી સાંભળ અને તેનો આશય સમજવાનો પ્રયત્ન કર. (૨) રૂ. અહિંસાતક્ષનો થર્મ, તિતિક્ષાનક્ષતથા !. यस्य कष्टे धृतिर्नास्ति, नाऽहिंसा तत्र सम्भवेत् ।। ધર્મનું પ્રથમ લક્ષણ અહિંસા છે અને બીજું લક્ષણ તિતિક્ષા છે. જે વ્યકિત કષ્ટમાં ધૈર્ય રાખી શકતી નથી, તે અહિંસાની સાધના કરી શકતી નથી. (૩) ૪. સત્તાનું સર્વ હાસ્ય, ત્ બહિઃ સંવર્જિતઃ ! अहिंसाशौर्यसम्पन्नो, न हन्ति स्वं परांस्तथा ।। જીવોની હત્યા એ જ વ્યક્તિ કરે છે કે જે ભીરુ અને નિર્વીર્ય હોય છે. જેનામાં અહિંસાનું તેજ છે, તે પોતાની કે બીજાઓની હિંસા કરતી નથી. (૪) સંબોધિ ૨ ૮૯ Page #92 -------------------------------------------------------------------------- ________________ ५. नानाविधानि कष्टानि. प्रसन्नात्मा सहेत यः । परानपीडयन् सोऽयं, अहिंसां वेत्ति नापरः ।। જે બીજાઓને કષ્ટ પહોંચાડ્યા વગર પ્રસન્નતાપૂર્વક વિવિધ પ્રકારનાં કષ્ટો સહન કરે છે, તે વ્યકિત જ અહિંસાને જાણે છે, બીજી નહીં. (૫) ६. अपि शात्रवमापन्नान्, मनुते सुहृदः प्रियान् । __ अपि कष्टप्रदायिभ्यो, न च क्रुध्येन्मनागपि ।। અહિંસક વ્યક્તિ પોતાની સાથે, શત્રુતા ધરાવનાર લોકોને પણ પ્રિય મિત્ર સમજે છે અને કષ્ટ આપનાર વ્યક્તિ તરફ સહેજ પણ ફુદ્ધ થતી નથી. (૬) ૭. પ્રિયેનુ પદાર્થોનુ, તેવું સુત્ર વિશ્વના प्रियेषु च पदार्थेषु, रागभावं न चोद्वहेत् ।। તે અપ્રિય પદાર્થોમાં લેશમાત્ર દ્વેષ કરતો નથી અને પ્રિય પદાર્થોમાં અનુરક્ત થતો નથી. (૭) ૮. પ્રિયાં સદતે વાળ, સદતે કર્મ પ્રિયમ્ | પ્રિયાયેિ નિર્વિશેષ:, સમષ્ટિ હિંસ: || તે અપ્રિય વચનને સહન કરે છે અને અપ્રિય પ્રવૃત્તિને પણ સહન કરે છે. જે પ્રિય અને અપ્રિય બંનેમાં સમાન રહે છે, તે સમદષ્ટિ હોય છે. જે સમદષ્ટિ હોય છે એ જ અહિંસક હોય છે. (૮) ९. भयं नास्त्यप्रमत्तस्य, स एव स्यादहिंसकः । अहिंसायाश्च भीतेश्च, दिगप्येका न विद्यते ।। અપ્રમત્તને ભય નથી હોતો અને જે અપ્રમત્ત હોય છે એ જ અહિંસક હોય છે. અહિંસા અને ભયની દિશા એક નથી હોતી- જે અભય નથી હોતો તે અહિંસક પણ નથી હોઈ શકતો. અહિંસક માટે, અભય હોવું આવશ્યક છે. (૯) સંબોધિ ૯૦ Page #93 -------------------------------------------------------------------------- ________________ १०. स्वगुणे स्वत्वधीर्यस्य, भयं तस्य न जायते । परवस्तुषु यस्यास्ति, स्वत्वधीः स भयं नयेत् ।। જે આત્મીય ગુણોમાં સ્વત્વની બુદ્ધિ ધરાવે છે, તેને ભય નથી હોતો. જે પરપદાર્થમાં સ્વત્વની બુદ્ધિ ધરાવે છે તેને ભય હોય છે. (૧૦) मेघः प्राह ११. न भेतव्यं न भेतव्यं, भीतो भूतेन गृह्यते । किमर्थमुपदेशोऽसौ, भगवंस्तव विद्यते ।। મેઘ બોલ્યો, ભગવન્! આપે એવું કેમ કહ્યું કે- ડરો નહીં, ડરો નહીં; જે ડરે છે તેને ભૂત પકડી લે છે ? (૧૧) भगवान् प्राह १२. अभयं याति संसिद्धिं, अहिंसा तत्र सिद्ध्यति । अहिंसकोऽपि भीतोऽपि, नैतद् भूतं भविष्यति ।। ભગવાને કહ્યું, જ્યાં અભય સિદ્ધ થાય છે, ત્યાં અહિંસા સિદ્ધ થઈ જાય છે. કોઈ વ્યક્તિ અહિંસક પણ હોય અને ભયભીત પણ હોય એવું ન તો ક્યારેય થયું છે કે ન તો ક્યારેય થશે. (૧૨) १३. यथा सहाऽनवस्थानं, आलोकतमसोस्तथा । अहिंसाया भयस्यापि, न सहाऽवस्थितिर्भवेत् ।। જેવી રીતે પ્રકાશ અને અંધકાર એક્સાથે રહી શકતા નથી એ જ રીતે અહિંસા અને ભય એકસાથે રહી શકતાં નથી. (૧૩) ૨૪. શો નાતિ માં મૃત્યો, ન વિપતિ તથા જ્ઞઃ | जरसो पवादेभ्यः, स एव स्यादहिंसकः ।। જે વ્યક્તિ મૃત્યુ, રોગ, ઘડપણ અને અપવાદોથી ડરતી નથી તે વ્યક્તિ જ હકીકતમાં અહિંસક છે. (૧૪) ૨. યાત્મનિ પર પ્રતિ, યઃ સત્ય તત્ર પતિ ! अस्तित्वं शाश्वतं जानन्, अभयं लभते ध्रुवम् ।। સંબોધિ ૯૧ Page #94 -------------------------------------------------------------------------- ________________ જેના આત્મામાં પરમ પ્રીતિ છે, જે આત્મામાં જ સત્યને જુએ છે, જે આત્માના શાશ્વત અસ્તિત્વને જાણે છે, તે નિશ્ચિતરૂપે અભય બની જાય છે. (૧૫) १६. यः पश्यत्यात्मनात्मानं, सर्वात्मसदृशं निजम् । भिन्नं सदप्यभिन्नं च, तस्याऽहिंसा प्रसिद्ध्यति ।। જે આત્મા દ્વારા આત્માને જુએ છે, તમામ આત્માઓને પોતાના આત્મા સમાન સમજે છે, જે તમામ આત્માઓને દેહદૃષ્ટિથી ભિન્ન હોવા છતાં ચેતન્યને સારશ્યની દૃષ્ટિએ પોતાના આત્માથી અભિન્ન માને છે, તેને અહિંસા સિદ્ધ થઈ જાય છે. (૧૬) १७. स्वं वस्तु स्वगुणा एव, तस्य संरक्षणक्षमाम् । अहिंसां वत्स ! जानीहि, तत्र हिंसाऽस्त्यकिञ्चना ।। પોતાનું ગુણાત્મક સ્વરૂપ એ જ પોતાની વસ્તુ છે. હે વત્સ ! અહિંસા તેનું રક્ષણ કરવામાં સમર્થ છે. આત્મગુણનું રક્ષણ કરવામાં હિંસા અકિંચિત્કર છે, વ્યર્થ છે. (૧૭) १८. ममत्वं रागसम्भूतं, वस्तुमात्रेषु यद् भवेत् । સા હિંસાડડજિરે પૈવ, કીવોડસૌ વંધ્યતેડની IT વસ્તુ માત્ર પ્રત્યે મમત્વ રાગ થકી ઉત્પન્ન થાય છે, તે હિંસા છે અને એ જ આસક્તિ છે. તેના જ દ્વારા આ આત્મા આબદ્ધ બને છે. (૧૮) ૨૨. પ્રહને પરવર્તુના, રક્ષણે પરિવઈને | | દિલ ક્ષમતા નૈતિ, સ્થિતિનુત્તર || પરવસ્તુ-પૌગલિક પદાર્થનું ગ્રહણ, રક્ષણ અને સંવર્ધન કરવામાં અહિંસા સમર્થ નથી. કારણકે તે તમામ અવસ્થાઓ આત્માથી ભિન્ન છે અને અહિંસા આત્માની અનુત્તર અવસ્થા છે. (૧૯) ૨૦. અતીતમવિમિપિ, વર્તમાને નિઃ | सर्वे जीवा न हन्तव्या, एष धर्मो निरूपितः ।। સંબોધિ , ૯૨ Page #95 -------------------------------------------------------------------------- ________________ જે તીર્થંકર થઈ ચૂક્યા, થશે અથવા છે; તે તમામે આ જ અહિંસા ધર્મનું નિરૂપણ કર્યું છે. તેમનો ઉપદેશ છે કે કોઈપણ જીવની હત્યા ન કરશો. (૨૦) 1 २१. मुक्तेरयमुपायोऽस्ति, योगस्तेनाभिधीयते । અહિંસાઽત્મવિહારો વા, મ ચૈાદ: પ્રજ્ઞાયતે !! આ ધર્મ મુક્તિનો ઉપાય છે, તેથી તે યોગ કહેવાય છે. ભિન્નભિન્ન દૃષ્ટિએ ધર્મના અનેક વિભાગ હોય છે. જ્યાં તેના વધુ વિભાગ કરવામાં આવતા નથી ત્યાં અહિંસા અથવા આત્મવિહારને જ ધર્મ કહેવામાં આવે છે. આ એકાંગી ધર્મ છે. (૨૧) ૨૨. શ્રુતં ચારિત્રમેતત્ત્વ, ફ્રેંચ : ચદ્ર: સવર્ણન:। सतपश्चतुरङ्गः स्यात् पञ्चाङ्गो वीर्यसंयुतः ।। ધર્મના બે, ત્રણ, ચાર અને પાંચ અંગવિભાગ પણ કરવામાં આવે છે. ૧. શ્રુત-જ્ઞાન અને ચારિત્ર- તે બે અંગવાળો ધર્મ છે. ૨. જ્ઞાન, ચારિત્ર અને દર્શન- આ ત્રણ અંગવાળો ધર્મ છે. ૩. જ્ઞાન, ચારિત્ર, દર્શન અને તપ- આ ચાર અંગવાળો ધર્મ છે. ૪. જ્ઞાન, ચારિત્ર, દર્શન, તપ અને વીર્ય- આ પાંચ અંગવાળો ધર્મ છે. (૨૨) ૨૨. દિસેવ વિષમા વૃત્તિઃ, દુષ્પ્રવૃત્તિસ્તોજ્યતે 1 अहिंसा साम्यमेतद्धि, चारित्रं बहुभूमिकम् ।। જેટલી હિંસા છે એટલી જ વિષમ વૃત્તિ અને દુષ્પ્રવૃત્તિ છે. જેટલી અહિંસા છે એટલું જ સામ્ય છે અને જે સામ્ય છે એ જ ચારિત્ર છે. તેની અનેક ભૂમિકાઓ છે. (૨૩) २४. सत्यमस्तेयकं ब्रह्मचर्यमेवमसंग्रहः । अहिंसाया हि रूपाणि, संविहितान्यपेक्षया ।। સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ- આ બધાં અહિંસાનાં જ રૂપ છે આ વિભાગ અપેક્ષા દૃષ્ટિએ જ કરવામાં આવ્યા છે.(૨૪) સંબોધિ ર ૯૩ Page #96 -------------------------------------------------------------------------- ________________ २५. अहिंसापयसः पालिभूतान्यन्यप्रतानि यत् । सापेक्षं वचनं गम्यं, यदुक्तं परमर्षिभिः ।। સત્ય વગેરે વ્રત અહિંસાજળની સુરક્ષા માટે પાળ અથવા સેતુ સમાન છે. મહર્ષિઓની આ ઉક્તિ સાપેક્ષ છે. અપેક્ષાની દૃષ્ટિએ સત્ય, અપરિગ્રહ વગેરે થકી પણ તમામ વ્રતોનો સમાવેશ કરી શકાય છે. (૨૫) ર૬. અહિંસા પરમો ધર્મ, નાપેક્ષમિત્ર વવઃ | कारणापेक्षया मूलं, हिंसायाः स्यात् परिग्रहः ।। અહિંસા પરમ ધર્મ છે'- આ નયસાપેક્ષ વચન છે- અહિંસાનું મહત્ત્વ પ્રગટ કરવા માટે તેનો પ્રયોગ કરવામાં આવ્યો છે. હિંસાનું મૂળ કારણ પરિગ્રહ છે. (૨૬) ર૭. વસ્તુતઃ પરમો ધર્મ, અપહરૂધ્યતે ! यत्राऽपरिग्रहस्तत्र, स्यादहिंसा निसर्गजा ।। હકીકતમાં અપરિગ્રહ પરમ ધર્મ છે. જ્યાં અપરિગ્રહ હશે મમત્વનું વિસર્જન હશે ત્યાં અહિંસા સહજ હશે. (૨૭) २८. ममत्वं येन व्युत्सृष्टं, दृष्टोऽध्वा तेन निश्चितम् । મેતવિજ્ઞાનમાથં ચા, સોપાન ધર્મસન્ત તેઃ || જેણે મમત્વને છોડવું તેણે અવશ્ય માર્ગ જોયો છે. ભેદવિજ્ઞાન-આત્મા અને પદાર્થની ભિન્નતાનું જ્ઞાન-ધર્મની પરંપરાનું પ્રથમ સોપાન છે. (૨૮) मेघ. प्राह २९. पुद्गलान् आत्मनो भिन्नान्, जाननप्येषु रज्यति । किमत्र कारणं स्वामिन् ! दृष्टिं मे निर्मलां कुरु ।। હે સ્વામિન્ ! આત્માથી પુદ્ગલ ભિન્ન છે. એમ જાણવા છતાં માણસ પુગલોમાં આસક્ત રહે છે. તેનું કારણ શું છે ? આપ મારી દૃષ્ટિને નિર્મળ કરો. (૨૯) સંબોધિ - ૯૪ Page #97 -------------------------------------------------------------------------- ________________ भगवान् प्राह ૨૦. अवैराग्यञ्च मोहश्च, नात्र भेदोऽस्ति कश्चन विषयग्रहणं तस्मात्, ततश्चेन्द्रियवर्तनम् ।। રૂo. મનસજ્જાપત તસ્માત્, संकल्पाः प्रचुरास्ततः પ્રાત્નત્યં તત ફછાયા, વિષયાસેવન તતઃ ।। ૨૨. વાસનાયાસ્તતો વાદ્ય, તતો મોઠપ્રવર્તનમ્ । मोहव्यहे प्रविष्टानां, मुक्तिर्भवति दुर्लभा ।। (િિમવિશેષમ્) જે અવૈરાગ્ય છે, એ જ મોહ છે. તેમાં કોઈ ભેદ નથી. મોહ ચકી વિષયોનું ગ્રહણ થાય છે અને તેના દ્વારા ઈન્દ્રિયોની પ્રવૃત્તિ યાય છે. (૩૦) ઈન્દ્રિયોની પ્રવૃત્તિ થકી મન ચપળ બને છે અને મનની યપળતા ને કારણે અનેક સંકલ્પ પેદા થાય છે. સંકલ્પો થકી ઇચ્છા પ્રબળ બને છે અને પ્રબળ ઇચ્છા દ્વારા વિષયોનું સેવન થાય છે. (૩૧) વિષયોના સેવન થકી વાસના દૃઢ થાય છે અને દૃઢ વાસના થકી મોહ વધે છે. મોહના ચક્રવ્યુહમાં પ્રવેશ કરનારાઓ માટે મુક્તિ દુર્લભ બની રહે છે. (૩૨) રૂ૨. અવૈરાગ્ય સર્વેષાં, મોળાનાં મૂલમિષ્યતે । वैराग्यं नाम सर्वेषां योगानां मूलमिष्यते ।। 9 તમામ ભોગોનું મૂળ અવૈરાગ્ય છે અને તમામ યોગોનું મૂળ વૈરાગ્ય છે. (૩૩) રૂ૪. વિષયાળાં પરિત્યાો, વૈરાગ્યેબાજુ નાયતે । अग्रहश्च भवेत्तस्माद्, इन्द्रियाणां शमस्ततः ।। રૂ.. મનઃસ્વૈર્યં તતસ્તસ્માત્, વિારાળાં પરિક્ષયઃ । क्षीणेषु च विकारेषु, त्यक्ता भवति वासना સંબોધિ ઃ ૯૫ (સુક્ષ્મમ્) Page #98 -------------------------------------------------------------------------- ________________ વિષયોનો ત્યાગ વૈરાગ્ય દ્વારા જ થાય છે. જે વિષયોનો ત્યાગ કરી દે છે તેને વિષયોનું ગ્રહણ નથી થતું અને તેનું ગ્રહણ ન થવાથી ઈન્દ્રિયો શાંત થઈ જાય છે. (૩૪) ઈન્દ્રિયોની શાંતિથી મન સ્થિર બને છે અને મનની સ્થિરતાથી વિકાર ક્ષીણ બને છે. વિકારો ક્ષીણ થવાથી વાસના નાશ પામે છે. (૩૫). ૩૬. स्वाध्यायश्च तथा ध्यानं, विशुद्धेः स्थैर्यकारणम् । आभ्यां सम्प्रतिपन्नाभ्यां परमात्मा प्रकाशते ।। સ્વાધ્યાય અને ધ્યાન એ બંને વિશુદ્ધિની સ્થિરતાનાં કારણો છે. તેમની ઉપલબ્ધિ થવાથી પરમાત્મા પ્રકાશિત થઈ ઊઠે છે. (૩૬) ? ૨૭. श्रद्धया स्थिरयाऽऽपन्नो, जयोऽपि चिरकालिकः । सुस्थिरां कुरुते वृत्तिं, वीतरागत्वभावितः ।। સુસ્થિર શ્રદ્ધા થકી કષાય, વાસના વગેરે ઉપર થતો વિજય સ્થાયી બની રહે છે. તે શ્રદ્ધાવાન વ્યક્તિ વીતરાગતાની ભાવનાથી ભાવિત થઈને આત્માની વૃત્તિઓને એકાગ્ર બનાવે છે. (૩૭) ૨૮. भावनानाञ्च सातत्यं, श्रद्धां स्वात्मनि सुस्थिराम् । लब्ध्वा स्वं लभते योगी, स्थिरचित्तो मिताशनः ।। ચિત્તને સ્થિર રાખનાર અને પરિમિતભોજી યોગી અનિત્ય વગેરે ભાવનાઓની નિરંતરતા તથા સુસ્થિર શ્રદ્ધાને પ્રાપ્ત કરીને પોતાના સ્વરૂપને પામી લે છે. (૩૮) ૨૧. पर्यङ्कासनमासीनः, कायगुप्तः ऋजुस्थितिः । નાસાથે પુત્પાત્તેડયંત્ર, ન્યસ્તવૃષ્ટિ: સ્વમરનુતે ।। તે શરીરને સ્થિર બનાવીને તથા પર્યટ્ટાસનની મુદ્રાથી સીધોસરળ બેસીને નાકના અગ્ર ભાગમાં અથવા કોઈ બીજી પૌલિક વસ્તુમાં દૃષ્ટિને સ્થાપિત કરીને પોતાના સ્વરૂપને પામી લે છે. (૩૯) ૧. પર્યંકાસન-પદ્માસન. સંબોધિ ર ૯૬ Page #99 -------------------------------------------------------------------------- ________________ ४०. आत्मा वशीकृतो येन, तेनात्मा विदितो ध्रुवम् । अजितात्मा विदन् सर्वं, अपि नात्मानमृच्छति ।। જેણે આત્માને વશમાં કરી લીધો, તેણે વાસ્તવમાં આત્માને જાણી લીધો. જેણે આત્માને જીત્યો નથી તે સઘળું જાણવા છતાં આત્માને પામી શકતો નથી. (૪૦) ૪૨. મોક્ષમતી : સવેળો, ધર્મશ્રદ્ધાંતિ તઋતમ્ ! वैराग्यञ्च ततस्तस्माद्, ग्रन्थिभेदः प्रजायते ।। વ્યક્તિમાં પહેલાં મોક્ષની અભિલાષા-સંવેગ જાગે છે. સંવેગનું ફળ છે- ધર્મશ્રદ્ધા. જ્યાં સુધી વ્યક્તિમાં મુમુક્ષુભાવ જાગતો નથી ત્યાં સુધી ધર્મ પ્રત્યે શ્રદ્ધા જાગતી નથી. ધર્મશ્રદ્ધાનું ફળ છે – વૈરાગ્ય. વૈરાગ્યનું ફળ છે– ગ્રંથિભેદ. આસક્તિ થકી મોહની જે ગાંઠ વળે છે તે ગાંઠ વૈરાગ્ય થકી ખૂલી જાય છે. (૪૧) ४२. भिन्ने ग्रन्थौ दृढाऽऽबद्धे, दृष्टिमोहो विशुद्ध्यति । चारित्रञ्च ततस्तस्मात्, शीघ्रं मोक्षो हि जायते ।। દઢતાથી આબદ્ધ ગ્રંથિનો ભેદ થવાથી ‘દર્શનમોહની વિશુદ્ધિ થાય છે– દૃષ્ટિકોણ સમ્યક બની જાય છે. ત્યાર પછી ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ચારિત્રની પૂર્ણતા પ્રાપ્ત થવાથી મોક્ષની ઉપલબ્ધિ થાય છે. (૪૨) ४३. धर्मश्रद्धा जनयति, विरक्तिं क्षणिके सुखे । गृहं त्यक्त्वाऽनगारत्वं, विरक्तः प्रतिपद्यते ।। ધર્મશ્રદ્ધા થકી ક્ષણિક સુખો પ્રત્યે વિરક્તિનો ભાવ પેદા થાય છે અને વિરક્ત માણસ ગૃહત્યાગી અણગાર બને છે- મુનિધર્મનો સ્વીકાર કરે છે. (૪૩) ૪૪. વિમાનઃ સાવધે, નવા પ્રયતઃ સુષે | મનાવાસુ મોક્ષ, શાવત તમતે યતિઃ || જે મુનિ બાધાઓથી પરિપૂર્ણ સુખથી વિરક્ત થઈને નિબંધસુખને પામવાનો પ્રયત્ન કરે છે તે અનાબાધ સુખથી સમ્પન્ન શાશ્વત મોક્ષ પામે છે. (૪૪) સંબોધિ - ૯૭ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૪૬. अध्रुवषु विरक्तात्मा, ध्रुवाण्याप्तुं प्रचेष्टते । सोऽध्रुवाणि परित्यज्य, ध्रुवं प्राप्नोति सत्वरम् ।। જે વ્યક્તિ અધ્રુવ-અશાશ્ર્વત, તત્ત્વથી વિરક્ત થઈને ધ્રુવતત્ત્વને પ્રાપ્ત કરવામાં પ્રયત્નશીલ બને છે, અઘ્રુવતત્ત્વપૌલિક પદાર્થને છોડીને તરત જ ધ્રુવતત્ત્વ- પરમાત્મભાવને પ્રાપ્ત કરી લે છે. (૪૫) સંબોધિ ર ૯૮ Page #101 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૬ ક્રિયાક્રિયાવાદ Page #102 -------------------------------------------------------------------------- ________________ Page #103 -------------------------------------------------------------------------- ________________ આજન અહિંસા સત્કર્મ છે. તેની આરાધના એ લોકો જ કરી શકે છે કે જેઓ પુનર્જન્મને સ્વીકારે છે, જેમને એવો વિશ્વાસ છે કે સત્કર્મનું પરિણામ સત્ હોય છે અને અસત્કર્મનું પરિણામ અસત્ હોય છે. કેટલીક વ્યક્તિઓ સત્કર્મમાં વિશ્વાસ મૂકે છે અને અલ્પ માત્રામાં તેનું આચરણ પણ કરે છે. કેટલાક લોકો સત્કર્મમાં વિશ્વાસ ધરાવતા નથી અને તેવું આચરણ પણ કરતા નથી. તેને આધારે વ્યક્તિનાં ત્રણ સ્વરૂપ બને છે ? ધર્મની પૂર્ણ આરાધના કરનાર મુનિ-પૂર્ણ ધાર્મિક. ધર્મની અપૂર્ણ આરાધના કરનાર સ૬ ગૃહસ્થ-અપૂર્ણ ધાર્મિક. ધર્મની આરાધના ન કરનાર વ્યક્તિઅધાર્મિક. આ અધ્યાયમાં ત્રણેય સ્વરૂપની વ્યક્તિઓનાં કર્મ અને કર્મફળની મીમાંસા વ્યવસ્થિત રીતે કરવામાં આવી છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ Page #105 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાક્રિયાવાદ १. पृथक् छन्दाः प्रजा अत्र, पृथगवाद समाश्रिताः । क्रियां श्रद्दधते केचिद्, अक्रियामपि केचन । . જગતમાં વિભિન્ન રુચિવાળા લોકો જોવા મળે છે. તેમાં અલગઅલગ વાદ, જેમકે – ક્રિયાવાદ-આત્મવાદ અને અક્રિયાવાદઅનાત્મવાદ વગેરે પ્રચલિત છે. કેટલીક વ્યક્તિઓ આત્મા, કર્મ વગેરેમાં શ્રદ્ધા ધરાવે છે અને કેટલીક વ્યક્તિઓ તેમાં શ્રદ્ધા ધરાવતી નથી. (૧) ૨. દિક્ષાસૂતાનિ દુઃસ્થાનિ, ભયવૈરાગ ૨ | पश्य' व्याकरणे शंका, पश्यन्त्यपश्यदर्शनाः ।। . દુઃખ હિંસામાંથી ઉત્પન્ન થાય છે. તેને કારણે ભય અને વેર વધે છે, આત્મષ્ટાના આ નિરૂપણમાં એ લોકો જ શંકા કરે છે કે જેઓ સાક્ષાત્કર્શી નથી હોતા.” (૨) રૂ. સુતા સુતાનાં, નિર્વિશેષ છત્ત ! __ मन्यन्ते विफलं कर्म, कल्याणं पापकं तथा ।। અનાત્મદર્શી લોકો સુકૃત અને દુષ્કૃતના પરિણામમાં તફાવત માનતા નથી અને કર્મને વિફળ માને છે- સારાં-ખોટાં કર્મોનું ફળ સારું-ખોટું માનતા નથી. (૩) ૪. પ્રત્યાયક્તિ ન નીવારવું, ન મોr: વર્મળાં ધ્રુવઃ | ત્યાતો મહેચ્છી યુ, મરામપગ્રહઃ || જીવ મૃત્યુ પામ્યા પછી પાછો નથી આવતો, પુનઃજન્મ ધારણ થી કરતો અને કરેલાં કર્મોને ભોગવવાનું આવશ્યક નથી- એવી છે, પરથતિ ઇતિ પશ્ય :- દ્રષ્ટા સંબોધિ - ૧૦૩ Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા થકી તેમનામાં મહત્ત્વાકાંક્ષાઓ પેદા થાય છે. તેઓ મહાઆરંભ કરે છે અને પરિગ્રહનો મહાન સંચય કરે છે. (૪) 4. નિશીતા પાપિ વૃત્તિ, ન્યુયો: પ્રવચનાઃ | સત્સોવાના વિમર્યાદ્રા, મિથ્થાનું પ્રયુષ્યતે || તેઓ શીલરહિત હોય છે, પાપપૂર્ણ આજીવિકા કરે છે, બીજા લોકોને છેતરે છે, લાંચ-રૂશ્વત લે છે, મર્યાદાયીન હોય છે અને મિથ્યાદંડનો પ્રયોગ કરે છે- અનાવશ્યક હિંસા કરે છે. (૫) ६. क्रोधं मानञ्च मायाञ्च, लोभञ्च कलहं तथा । अभ्याख्यानञ्च पैशुन्यं, श्रयन्ते मोहसंवृताः ।। તેઓ મોહથી આચ્છન્ન હોવાને કારણે ક્રોધ, માન, માયા લોભ, કલહ, અભ્યાખ્યાન-દોષારોપણ અને ચાડી-ચુગલીનો આશ્રય લે છે. (૬) ૭. Tઈને માયનિ, તમને ગમ જન્મઃ | મૃત્યોઃ મૃત્યુષ્ય છત્તિ, હું વીર્ ૩ઃર્વ વ્રજ્ઞક્તિ ૨ | તેઓ ગર્ભ પછી ગર્ભ, જન્મ પછી જન્મ, મૃત્યુ પછી મૃત્યુ અને દુઃખ પછી દુઃખ પામે છે. (૭) ૮ત્રિયાવહિપુ રાખ્ય-સ્તી વિપર્યયઃ | મધ્યે પૃદવાસી: યુ., વિન્ સુમવધિઃ || આત્માવાદીઓની સ્થિતિ આનાથી તદ્દન વિપરીત હોય છે. કેટલાક લોકો ગૃહવાસી હોવા છતાં સુલભબોધી-ધર્મોન્સુખ હોય છે. (૮) ૧. સર્જનશ્રાવેલ વેવિ, વ્રતિનો નામ વન | अगारमावसन्तोऽपि, धर्माराधनतत्पराः । કેટલાક દર્શનશ્રાવક-સમ્યદૃષ્ટિ હોય છે, કેટલાક વ્રતી હોય છે. તેઓ ઘરમાં રહેવા છતાં ધર્મની આરાધના કરવામાં તત્પર રહે છે. (૯) સંબોધિ , ૧૦૪ Page #107 -------------------------------------------------------------------------- ________________ १०. अणुव्रतानि गृह्णन्ति, गुणशिक्षाव्रतानि च । विशिष्टां साधनां कर्तुं, प्रतिमाः श्रावकोचिताः । તેઓ પાંચ અણુવ્રત, ત્રણ ગુણ વ્રત, ચાર શિક્ષાવ્રત તથા વિશિષ્ટ સાધના કરવા માટે શ્રાવકોચિત પ્રતિજ્ઞાઓનો સ્વીકાર કરે છે. (૧૦) ૬. મ્યઃ સન્તિ સાધુષ્યઃ, ગૃહસ્થા: સંચમોત્તાઃ | गृहस्थेभ्यश्च सर्वेभ्यः, साधवः संयमोत्तराः ।। કેટલાક સાધુઓ કરતાં ગૃહસ્થોનો સંયમ શ્રેષ્ઠ હોય છે, પરંતુ તમામ ગૃહસ્થો કરતાં સાધુઓનો સંયમ શ્રેષ્ઠ હોય છે. (૧૧) भिक्षादा वा गृहस्था वा, ये सन्ति परिनिर्वृताः । तपः संयममभ्यस्य, दिवं गच्छन्ति सुव्रताः ।। १२. જે ભિક્ષુ કે ગૃહસ્થ શાંત અને સુવ્રત હોય છે, તેઓ તપ અને સંયમનો અભ્યાસ કરીને સ્વર્ગમાં જાય છે. (૧૨) १३. गृही सामायिकाङ्गानि श्रद्धी कायेन संस्पृशेत् । पौषधं पक्षयोर्मध्येऽप्येकरात्रं न हापयेत् ।। શ્રદ્ધાવાન ગૃહસ્થોએ કાયા થકી સામાયિકનાં અંગો નું આચરણ કરવું જોઈએ. બંને પક્ષોમાં કરવામાં આવતા પૌષધને એક દિવસ-રાત માટે પણ ન છોડવું જોઈએ- ક્યારેય ન છોડવું જોઈએ. (૧૩) ? १४. एवं शिक्षासमापन्नो, गृहवासेऽपि सुव्रतः । अमेध्यं देहमुज्झित्वा, देवलोकं च गच्छति ।। આ રીતે શિક્ષણસંપન્ન સુવ્રતી માણસ ગૃહવાસમાં પણ અશુચિ શરીરને છોડીને દેવલોકમાં પહોંચે છે. (૧૪) ૧. જુઓ : ૧૪/૪૦-૪૨, ૨. ઉત્તરાધ્યયન ૫/૨૩ ૬. દીર્ઘાયુષ ઋદ્ધિમન્તઃ, સમૃદ્દો: જામરૂવિ: | અધુનોત્પન્નસંજારા, અરિમાસ્તિસમપ્રમા1 11 સંબોધિ ૧૦૫ Page #108 -------------------------------------------------------------------------- ________________ १६. देवा दिवि भवन्त्येते, धर्मं स्पृशन्ति ये जनाः । अगारिणोऽनगारा वा, संयमस्तत्र कारणम् ।। (યુ ) જે ગૃહસ્થ કે સાધુ ધર્મની આરાધના કરે છે, તેઓ સ્વર્ગમાં દીર્ધાયુ, ઋદ્ધિમાન, સમૃદ્ધ, ઇચ્છા અનુસાર રૂપ ધારણ કરનાર, હમણાં જ પેદા થયો હોય એવી કાંતિવાળો અને સૂર્ય જેવી દીપ્તિવાળો દેવ બને છે. તેનું કારણ સંયમ છે. (૧૫, ૧૬) ૨૭. સર્વથા સંવૃતો મિક્ષ, દયો તો ભવેત્ | कृत्स्नकर्मक्षयान्मुक्तो, देवो वापि महर्द्धिकः ।। જે ભિક્ષુ સર્વથા સંવૃત હોય છે- કર્મ-આગમનનાં કારણોનો નિરોધ કરી રહ્યો હોય છે, તે આ બંનેમાંથી કોઈ એક અવસ્થા પામે છે – તમામ કર્મોનો ક્ષય થઈ જાય તો તે મુક્ત થઈ જાય છે, અન્યથા સમૃદ્ધિશાળી દેવ બને છે. (૧૭) १८. यथा त्रयो हि वणिजो, मूलमादाय निर्गताः । एकोऽत्र लभते लाभं, एको मूलेन आगतः ।। ૨૬. हारयित्वा मूलमेकः, आगतस्तत्र वाणिजः । उपमा व्यवहारेऽसौ, एवं धर्मेऽपि बुध्यताम् ।। (યુમF) જેમકે ત્રણ વણિક મૂળ મૂડી લઈને વેપાર માટે નીકળ્યા. એક જણ લાભ કમાયો, બીજો મૂળ મૂડી લઈને પાછો આવ્યો અને ત્રીજો બધું જ ખોઈને પાછો આવ્યો. આ વેપાર-વિષયક ઉદાહરણ છે. એ જ રીતે ધર્મની બાબતમાં પણ સમજવું જોઈએ. (૧૮, ૧૯) ૨૦. મનુષ્યત્વે વેન્યૂi, નામ: વડવૃતં તથા | ___मूलच्छेदेन जीवाः स्युः, तिर्यञ्चो नारकास्तथा ।। માનવજન્મ મૂળ મૂડી છે. સ્વર્ગ કે મોક્ષની પ્રાપ્તિ એ લાભ છે. મૂળ મૂડી ખોઈ નાખવાથી જીવ નરક કે તીર્થંચગતિ પામે છે. (૨૦) સંબોધિ - ૧૦૬ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૨૬. જે લોકો વિવિધ પ્રકારના શિક્ષણ દ્વારા ગૃહસ્થ જીવનમાં રહેવા છતાં સુવ્રતી છે, સદાચારનું પાલન કરે છે, તે માનવયોનિ પામે છે કારણ કે પ્રાણી કર્મસત્ય હોય છે- જેવું કર્મ તે કરે છે એવી જ ફળપ્રાપ્તિ તેને થાય છે. (૨૧) विमात्राभिश्च शिक्षाभिः, ये नरा गृहसुव्रताः । आयान्ति मानुषीं योनिं कर्मसत्या हि प्राणिनः ।। 9 ૨૨. યેષાં તુ વિપુત્તા શિક્ષા, તે ચ મૂલમતિમૃતાઃ । सकर्माणो दिवं यान्ति, सिद्धिं यान्त्यरजोमलाः ।। જેની પાસે વિપુલ જ્ઞાનાત્મક તેમજ ક્રિયાત્મક શિક્ષણ છે તેઓ મૂળ મૂડીમાં વૃદ્ધિ કરે છે. તેઓ કર્મયુક્ત હોય તો સ્વર્ગ પામે છે અને જ્યારે તેમનાં રજ અને મળનો- બંધન અને બંધનના કારણનો- નાશ થઈ જાય છે ત્યારે તેઓ મુક્ત થઈ જાય છે.(૨૨) ૨૨. आगरमावसंल्लोकः, सर्वप्राणेषु संयतः । समतां सुव्रतो गच्छन्, स्वर्गं गच्छति नाऽमृतम् ।। ઘરમાં નિવાસ કરતી વ્યક્તિ તમામ પ્રાણીઓ પ્રત્યે સ્થૂળરૂપે સંયત હોય છે. જે સુવ્રત છે અને સમભાવની આરાધના કરે છે, તે સ્વર્ગ પામે છે, પરંતુ હિંસા અને પરિગ્રહના બંધનથી સર્વથા મુક્ત ન થવાને કારણે તે મોક્ષને પામી શકતો નથી. (૨૩) ૨૪. दुःखावह इहामुत्र, धनादीनां परिग्रहः । મુમુક્ષુઃ સ્વં વિક્ષુ: જો, વિદ્વાનરમાવસેત્ ।। ધન વગેરે પદાર્થોનો સંગ્રહ ઇહલોક અને પરલોકમાં દુઃખદાયી બને છે. તેથી મુક્ત થવાની ઇચ્છા રાખનાર તથા આત્મસાક્ષાત્કારની ભાવના ધરાવનાર એવો કોણ વિદ્વાન હોય કે જે ઘરમાં રહે ? (૨૪) ૨. પ્રમાનું મં તત્રાğ:, અપ્રમાવું તથાપરમ્ | तद् भावादेशत' स्तच्च, बालं पण्डितमेव वा ।। ૧. તદ્ ભાવાદેશતઃ - પ્રમાદ અને અપ્રમાદની અપેક્ષાએ. સંબોધિ ૧૦૭ Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદ કર્મ છે અને અપ્રમાદ અકર્મ છે. પ્રમાદયુક્ત પ્રવૃત્તિ બંધનું અને અપ્રમત્તતા-મુક્તિનું કારણ છે. પ્રમાદ અને અપ્રમાદની અપેક્ષાએ વ્યક્તિના વીર્ય-પરાક્રમને બાળક તથા પંડિત કહેવામાં આવે છે તથા અભેદદષ્ટિએ વીર્યવાન વ્યક્તિ પણ બાળક અને પંડિત કહેવાય છે. (૨૫) २६. प्रतीत्याऽविरतिं बालो, द्वयञ्च बालपण्डितः । विरतिञ्च प्रतीत्यापि, लोकः पण्डित उच्यते ।। અવિરતિની અપેક્ષાએ વ્યક્તિને બાળક, વિરતિ-અવિરતિબંનેની અપેક્ષાએ બાળપંડિત અને વિરતિની અપેક્ષાએ પંડિત કહેવામાં આવે છે. (૨૬) मेघः प्राह ર૭. વિભાગોડ્ય, સખ્ય વૃદ્ધો યા મો! साध्यसिद्धौ महत्तत्त्वं, अप्रमादः त्वयोच्यते ।। મેઘ બોલ્યો, ભગવન્! મેં કર્મ અને અકર્મનો આ વિભાગ સમ્યક રીતે જાણી લીધો છે. આપે અપ્રમાદને સાધ્ય-સિદ્ધિના મહાન તત્ત્વ તરીકે ગણાવ્યો છે. (૨૭) સંબોધિ - ૧૦૮ Page #111 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૭ આજ્ઞાવાદ Page #112 -------------------------------------------------------------------------- ________________ Page #113 -------------------------------------------------------------------------- ________________ આપને ભગવાન મહાવીરે કહ્યું, “આણાએ મામગં ધર્મોઆજ્ઞામાં મારો ધર્મ છે. આજ્ઞા એટલે વીતરાગનું કથન, પ્રત્યક્ષદર્શીનું કથન. એ જ કથન યથાર્થ અને સત્ય હોય છે કે જે વીતરાગ દ્વારા કહેવામાં આવ્યું હોય. વીતરાગ એ છે કે જે રાગદ્વેષ અને મોહથી પર છે. તેની અનુભૂતિ અને તેનું જ્ઞાન યથાર્થ હોય છે. તે આત્માભિમુખ હોય છે તેથી તેની સમસ્ત પ્રવૃત્તિ અને તેનું સમગ્ર કથન આત્માની પરિક્રમા કરતું ચાલે છે, તેથી તે સત્ય છે. “આજ્ઞામાં મારો ધર્મ છે'એનું તાત્પર્ય એ છે કે વીતરાગતા જ આત્મધર્મ છે તેના સિવાયનું સઘળું બહિર્ભાવ છે. જેટલો વીતરાગભાવ હશે એટલો જ આત્મધર્મ હશે. હિંસા જીવનની અનિવાર્યતા છે – તેને પ્રત્યેક મનનશીલ વ્યક્તિ સ્વીકારે છે તેથી તેનાથી સર્વથા બચવાનું શક્ય નથી પરંતુ તેનો વિવેક જાગૃત થવાથી અહિંસાના ક્ષેત્રમાં ખૂબ આગળ વધી શકાય છે. જેનદર્શનમાં ગૃહસ્થ માટે યથાશક્ય હિંસાત્યાગનો નિર્દેશ છે. ગૃહસ્થ સંપૂર્ણ હિંસાથી બચી નથી શકતો પરંતુ અનર્થ હિંસાથી તે સહજ રૂપે બચી શકે છે. આ તેનો વિવેક છે. હિંસાના પ્રકાર કેટલા છે ? તેમની વ્યાખ્યાઓ શી છે ? અહિંસાની પરિભાષા શી છે અને તેની ઉપાસના શી રીતે શક્ય બને ? આ તમામ પ્રશ્નોનું સમાધાન આ અધ્યાયમાં કરવામાં આવ્યું છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ Page #115 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાવાદ भगवान् प्राह છે. નાસા મામલે થર્ષ, માસીયાં માતઃ | आज्ञामूढा न पश्यन्ति, तत्त्वं मिथ्याग्रहोद्धताः ।। ભગવાને કહ્યું, મારો ધર્મ આજ્ઞામાં છે, મારું તપ આજ્ઞામાં છે, જે મિથ્યાઆગ્રહથી ઉદ્ધત છે અને આજ્ઞાનો મર્મ સમજવામાં મૂઢ છે, તે તત્ત્વને જોઈ શકતો નથી. (૧) ૨. વીતળ યર્ ૪, ૩૫રિષ્ઠ સમર્થિતમૂ | માજ્ઞા સી ટોચતે યુદ્ધ, માનામામસિદ્ધયે || વીતરાગે જે જોયું તેનો ઉપદેશ આપ્યો અને જેનું સમર્થન કર્યું તે આજ્ઞા છે- એવું તત્ત્વજ્ઞપુરુષોએ કહ્યું છે. આજ્ઞા ભવ્ય જીવોની આત્મસિદ્ધિનું કારણ છે. (૨) રૂ. વ સત્યં નિઃશ૪, શ્નને પ્રવેવિતમૂ | रागद्वेषविजेतृत्वाद्, नान्यथा वादिनो जिनाः ।। જે જિન-વીતરાગે કહ્યું, એ જ સત્ય અને અસંદિગ્ધ છે. વીતરાગે રાગ અને દ્વેષ ને જીતી લીધા હોવાથી તેઓ મિથ્યાવાદી નથી હોતા, અયથાર્થ નિરૂપણ તેઓ નથી કરતા. (૩) ૪. નાજ્ઞાાતિન્િમનાજ્ઞા તિસ્તથા मा भूयात्ते क्वचिद् यस्माद्, आज्ञाहीनो विषीदति ।। હે યોગિન્ ! આજ્ઞામાં તારી અરતિ-અપ્રસન્નતા અને અનાજ્ઞામાં રતિ-પ્રસન્નતા ક્યારેય ન હોવી જોઈએ કારણ કે આજ્ઞાહીન સાધક અંતે વિષાદ પામે છે. (૪) સંબોધિ , ૧૧૩ Page #116 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરની પપાસનાની અપેક્ષાએ તેમની આજ્ઞાનું પાલન કરવું વિશિષ્ટ છે. આજ્ઞાની આરાધના કરનાર મુક્તિ પામે છે અને તેનાથી વિપરીત માર્ગે ચાલનાર સંસારમાં ભટકી જાય છે. (૫) अपरा तीर्थकृत् सेवा, तदाज्ञापालनं परम् । आज्ञाराद्धा विराद्धा च, शिवाय च भवाय य ।। ૬. आज्ञायाः परमं तत्त्वं, रागद्वेषविवर्जनम् । एताभ्यामेव संसारो, मोक्षस्तन्मुक्तिरेव च ।। આજ્ઞાનું પરમ તત્ત્વ છે- રાગ અને દ્વેષનો ત્યાગ. આ રાગદ્વેષ એ જ સંસાર કે બંધનનું કારણ છે અને તેનાથી મુક્ત થવું એ જ મોક્ષ છે. (૬) ૭. आराधको जिनाज्ञायाः, संसारं तरति ध्रुवम् । तस्या विराधको भूत्वा भवाम्भोधौ निमज्जति ।। વીતરાગની આજ્ઞાની આરાધના કરનાર વ્યક્તિ ચોક્કસ રૂપે ભવસાગર તરી જાય છે અને તેની વિરાધના કરનાર વ્યક્તિ ભવસાગરમાં ડૂબી જાય છે. (૭) ૮. आज्ञाया यश्च श्रद्धालुः, मेधावी स इहोच्यते । असंयमो जिनानाज्ञा, जिनाज्ञा संयमो ध्रुवम् ।। જે વ્યક્તિ આજ્ઞા પ્રત્યે શ્રદ્ધાવાન છે, તે મેધાવી છે. અસંયમની પ્રવૃત્તિમાં વીતરાગની આજ્ઞા નથી. જ્યાં સંયમ છે ત્યાં જ વીતરાગની આજ્ઞા છે. (૮) संयमे जीवनं श्रेयः, संयमे मृत्युरुत्तमः । जीवनं मरणं मुक्त्यै, नैव स्यातामसंयमे ।। સંયમમય જીવન અને સંયમમય મૃત્યુ શ્રેય છે. અસંયમમય જીવન અને અસંયમમય મૃત્યુ મુક્તિનું કારણ બનતું નથી. (૯) १०. हिंसाऽनृतं तथा स्तेयाऽब्रह्मचर्यपरिग्रहाः । ध्रुवं प्रवृत्तिरेतेषां असंयम इहोच्यते ।। 9 સંબોધિ ર ૧૧૪ Page #117 -------------------------------------------------------------------------- ________________ હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહની પ્રવૃત્તિ અસંયમ કહેવાય છે. (૧૦). ૨૩. તેષાં વિરતિ પ્રોજ સંયમતત્ત્વરિતા | पूर्णा सा पूर्ण एवासौ, अपूर्णायाञ्च सोंशतः ।। તત્ત્વજ્ઞોએ હિંસા વગેરેની વિરતિને “સંયમ” કહી છે. પૂર્ણ વિરતિથી પૂર્ણ સંયમ અને અપૂર્ણ વિરતિથી આંશિક સંયમ થાય છે. (૧૧) ૨૨. પૂર્વાચારધ: પ્રોm: સંયમી નિત્તમઃ | अपूर्णाराधकः प्रोक्तः, श्रावकोऽपूर्णसंयमी ।। પૂર્ણ સંયમની આરાધના કરનાર સંયમી ઉત્તમ મુનિ કહેવાય છે અને અપૂર્ણ સંયમની આરાધના કરનાર અપૂર્ણ સંયમી કે શ્રાવક કહેવાય છે. (૧૨) - રૂ. રવિનિર્મન્ચ, વિદિતા દેશના નિનૈ | अहिंसा स्यात्तयोर्मोक्षो, हिंसा तत्र प्रवर्तनम् ।। વીતરાગે રાગ અને દ્વેષથી વિમુક્ત થવા માટે ઉપદેશ આપ્યો. રાગ અને દ્વેષથી મુક્ત થવું એ અહિંસા છે અને તેમાં પ્રવૃત્તિ કરવી તે હિંસા છે. (૧૩) १४. आरम्भाच्च विरोधाच्च, संकल्पाजायते खलु । तेन हिंसा त्रिधा प्रोक्ता, तत्त्वदर्शनकोविदैः ।। હિંસા કરવાનાં ત્રણ કારણો છે- આરંભ, વિરોધ અને સંકલ્પ. તેથી તત્ત્વજ્ઞાની પંડિતોએ હિંસાના ત્રણ પ્રકાર ગણાવ્યા છે આરંભા હિંસા-જીવનયાપન હેતુક હિંસા વિરોધજા હિંસા-પ્રતિરક્ષાત્મક હિંસા સંકલ્પજા હિંસા-આક્રામક હિંસા. (૧૪) १५. कृषी रक्षा च वाणिज्य, शिल्पं यद् यच्च वृत्तये । प्रोक्ता साऽऽरम्भजा हिंसा, दुर्वार्या गृहमेधिना ।। સંબોધિ - ૧૧૫ Page #118 -------------------------------------------------------------------------- ________________ કૃષિ, સુરક્ષા, વેપાર, શિલ્પ અને આજીવિકા માટે જે હિંસા કરવામાં આવે છે તેને આરંભજા હિંસા કહેવામાં આવે છે. આવી હિંસાથી ગૃહસ્થ બચી શકતો નથી. (૧૫) १६. आक्रामतां प्रतिरोधः प्रत्याक्रमणपूर्वकम् । क्रियते शक्तियोगेन, हिंसा स्यात् सा विरोधजा ।। હુમલાખોરોનો પ્રતિકમણ દ્વારા બળપૂર્વક વિરોધ કરવામાં આવે છે, તે વિરોધ હિંસા છે. (૧૬) १७. लोभो द्वेषः प्रमादश्च, यस्याः मुख्यं प्रयोजकम् । હેતુઃ નૌગો ન વા વૃત્ત., હિંસા સં ગાડતિ સા ના જે હિંસાનાં પ્રયોજક-પ્રેરક લોભ, દ્વેષ અને પ્રમાદ હોય છે તથા જેમાં આજીવિકાનો પ્રશ્ન ગૌણ હોય છે અથવા નથી હોતો તે સંકલ્પજા હિંસા છે. (૧૭) ૨૮. સર્વથા સર્વદા સર્વા, હિંસા વર્ષો હિ સયતૈઃ | प्राणघातो न वा कार्यः, प्रमादाचरणं तथा ।। સંયમી પુરુષોએ તમામ કાળમાં, સર્વ પ્રકારે, સઘળી હિંસાનો ત્યાગ કરવો જોઈએ, ન તો પ્રાણઘાત કરવો જોઈએ કે ન તો પ્રમાદનું આચરણ કરવું જોઈએ. (૧૮) १९. व्यर्थं कुर्वीत नारम्भं, श्राद्धो नाक्रमको भवेत् । हिंसां संकल्पजां नूनं, वर्जयेद् धर्ममर्मवित् ।। ધર્મના મર્મને જાણનાર શ્રાવકે અનાવશ્યક આરંભના હિંસા ન કરવી, આક્રમણકારી ન બનવું અને સંકલ્પના હિંસાનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. (૧૯) २०. अहिंसैव विहितोस्ति, धर्मः संयमिनो ध्रुवम् । निषेधः सर्वहिंसाया, द्विविधा वृत्तिरस्य यत् ।। સંયમી પુરુષ માટે અહિંસા ધર્મ જ વિહિત છે અને તમામ પ્રકારની હિંસા તેના માટે વર્જિત છે. સંયમીની વૃત્તિ બે પ્રકારની સંબોધિ ૩ ૧૧૬ Page #119 -------------------------------------------------------------------------- ________________ હોય છે- અહિંસાનું આચરણ, એ વિધેયાત્મક વૃત્તિ છે જ્યારે હિંસાનું વર્જન એ નિષેધાત્મક વૃત્તિ છે. (૨૦) २१. अहिंसाया आचरणे, विधानञ्च यथास्थिति । સંપના-નિવેધવ, શ્રાવાય તો મયા ।। શ્રાવક માટે મેં યથાશક્તિ અહિંસાના આચરણનું વિધાન તથા સંકલ્પજા હિંસાનો નિષેધ કર્યો છે. (૨૧) ૨૨. અવિહિતાઽનિષિદ્ધા 7, તૃતીયા વૃત્તિસ્થ સા सर्वहिंसापरित्यागी, नाऽसौ तेन प्रवर्तते ।। ગૃહસ્થની ત્રીજી વૃત્તિ જે છે તે ન તો વિહિત છે કે ન તો નિષિદ્ધ છે. તે સર્વ-હિંસાનો પરિત્યાગી નથી હોતો, તેથી તે વૃત્તિનું આલંબન લે છે. (૨૨) ૨૨. हिंसाविधानं न शक्यं, तेन साऽविहिता खलु । अनिवार्या जीविकायै, निरोद्धुं शक्यते न तत् ।। હિંસાનું વિધાન કરી શકાતું નથી તેથી તે અવિહિત છે અને આજીવિકા માટે અનિવાર્ય હિંસા થાય તેનો નિષેધ કરી શકાતો નથી તેથી તે અનિષિદ્ધ છે. (૨૩) २४. द्विविधो गृहिणां धर्म, आत्मिको लौकिकस्तथा । संवरो निर्जरा पूर्वः, समाजाभिमतोऽपरः ।। ગૃહસ્થોનો ધર્મ બે પ્રકારનો હોય છે- આત્મિક અને લૌકિક. આત્મિક ધર્મ બે પ્રકારના છે- સંવર અને નિર્જરા. સમાજ દ્વારા અભિમત ધર્મને લૌકિક ધર્મ કહેવામાં આવે છે. (૨૪) ૨. આત્મશુદ્ધચે મનેવાદ્યો, ટેશિતઃ સ મયા ધ્રુવમ્ | समाजस्य प्रवृत्त्यर्थं, द्वितीयो वर्त्यते जनैः ।। આત્મિક ધર્મ આત્મશુદ્ધિ માટે હોય છે તેથી મેં તેનો ઉપદેશ આપ્યો છે. લૌકિક ધર્મ સમાજની પ્રવૃત્તિ માટે હોય છે, તેનું પ્રવર્તન સામાજિક લોકો દ્વારા કરવામાં આવે છે. (૨૫) સંબોધિ ૧૧૭ Page #120 -------------------------------------------------------------------------- ________________ २६. आत्मधर्मो मुमुक्षूणां, गृहिणाञ्च समो मतः । पालनापेक्षया भेदो, भेदो नास्ति स्वरूपतः ।। આત્મધર્મ સાધુ અને ગૃહસ્થ બંને માટે સમાન છે. ઘર્મના જે વિભાગ છે, તે પાલન કરવાની અપેક્ષાએ કરેલા છે. સ્વરૂપની દૃષ્ટિએ તે એક છે, તેનો કોઈ વિભાગ નથી હોતો. (૨૬) ર૭. ચિત્તે સામિઃ પૂર્ણ, શ્રાવકત્ર યથાક્ષમમ્ | ___ यत्र धर्मो हि साधूनां, तत्रैव गृहमेधिनाम् ।। સાધુ આત્મધર્મનું પૂર્ણરૂપે પાલન કરે છે અને શ્રાવક તેનું પાલન યથાશક્તિ કરે છે. સંયમમય આચરણ સાધુ માટે પણ ધર્મ છે, ગૃહસ્થ માટે પણ ધર્મ છે. અસંયમમય આચરણ સાધુ માટે પણ ધર્મ નથી અને ગૃહસ્થ માટે પણ ધર્મ નથી. (૨૭) ર૮. તીર્થક્રયા અમૂવન, વિરે જે કર પ્રતિ | ___भविष्यन्ति च ते सर्वे, भाषन्ते धर्ममीदृशम् ।। જે તીર્થકરો અતીતમાં થયા, જે વર્તમાનમાં છે અને જે ભવિષ્યમાં થશે તે તમામ આ જ ધર્મનું નિરૂપણ કરે છે. (૨૮) २९. सर्वे जीवा न हन्तव्याः, कार्या पीडापि नाल्पिका । उपद्रवो न कर्तव्यो, नाऽऽज्ञाप्या बलपूर्वकम् ।। ३०. नवा परिगृहीतव्या, दासकर्मनियुक्तये । एष धर्मो ध्रुवो नित्यः, शाश्वतो जिनदेशितः ।। (યુમ) કોઈપણ જીવ જંતવ્ય નથી. ન તો તેને કિંચિત પીડિત કરવો જોઈએ કે ન તેને ઉપદ્રવ આપવો જોઈએ. ન તો તેના ઉપર બળપૂર્વક શાસન કરવું જોઈએ અને ન તો તેને દાસ બનાવવા માટે પોતાને અધીન રાખવો જોઈએ- આ અહિંસાધર્મ ધ્રુવ, નિત્ય, શાશ્વત અને વીતરાગ દ્વારા નિરૂપિત છે. (૨૯, ૩૦) ३१. न विरुध्येत केनापि, न बिभियान भाययेत् । अधिकारान मुष्णीयाद्, न कुर्याद् श्रमशोषणम् ।। સંબોધિ - ૧૧૮ Page #121 -------------------------------------------------------------------------- ________________ કોઈની સાથે વિરોધ ન કરો. ન કોઈથી ડરો કે ન કોઈને ડરાવો, ન કોઈના અધિકારોનું અપહરણ કરો અને ન તો કોઈના શ્રમનું શોષણ કરો. (૩૧) ૩૨. નાતે નર્ય રૂપસ્ય, ન વતી શ્રુતસ્ય ચ | नैश्वर्यस्य न लाभस्य, न मदं तपसः सृजेत् ।। જાતિ, કુળ, રૂપ, બળ, ચુત, ઐશ્વર્ય, લાભ અને તપનો મદ ન કરો. (૩૨) ३३. न तुच्छान् भावयेज्जीवान्, न तुच्छं भावयेन्निजम् । ___ सर्वभूतात्मभूतो हि, स्यादहिंसापरायणः ।। બીજા લોકોને તુચ્છ ન સમજો અને પોતાને પણ તુચ્છ ન સમજો. જે તમામ જીવોને આત્મભૂત-પોતાના સમાન સમજે છે તે અહિંસા-પરાયણ છે. (૩૩) ३४. अहिंसाऽऽराधिता येन, ममाज्ञा तेन साधिता । आराधितोस्मि तेनाहं, धर्मस्तेनात्मसात्कृतः ।। જેણે અહિંસાની આરાધના કરી તેણે મારી આરાધના કરી છે. તેણે મને આરાધી લીધો છે અને તેણે ધર્મને આત્મસાત્ કરી લીધો છે. (૩૪) રૂ. મહિલા વિદ્યતે યત્ર, મમઝા તત્ર વિદ્યતે | ममाज्ञायामहिंसायां, न विशेषोस्ति कश्चन ।। જ્યાં અહિંસા છે ત્યાં મારી આજ્ઞા છે. મારી આજ્ઞા અને અહિંસા વચ્ચે કોઈ તફાવત નથી. (૩૫) ३६. भीतानामिव शरणं, क्षुधितानामिवाशनम् । तृषितानामिव जलं, अहिंसा भगवत्यसौ ।। આ ભગવતી અહિંસા ભયભીત વ્યક્તિઓ માટે શરણ, ભૂખ્યા લોકો માટે ભોજન અને તરસ્યા લોકો માટે જળ સમાન છે. (૩૬) સંબોધિ ૧૧૯ Page #122 -------------------------------------------------------------------------- ________________ ३७. शुद्धं शिवं सुकथितं, सुदृष्टं सुप्रतिष्ठितम् । सारभूतञ्च लोकेऽस्मिन्, सत्यमस्ति सनातनम् ।। આ લોકમાં સત્ય શુદ્ધ, શિવ, સુભાષિત, સુદૃષ્ટ, સુપ્રતિષ્ઠિત સારભૂત અને સનાતન/શાશ્વત છે. (૩૭) ૩૮. મહાતૃષ્ણાપ્રતા, નિર્મચશ્વ નિખ્રિવમ્ | ___ उत्तमानामभिमतं, अस्तेयं प्रत्ययास्पदम् ।। અચૌર્ય વધતી જતી તૃષ્ણાનો પ્રતિકાર, ભય મુક્ત કરનાર, અનેક બૂરાઈઓથી બચાવનાર, ઉત્તમ લોકો દ્વારા અભિમત અને વિશ્વાસનું આસ્થાન છે. (૩૮) ३९. कृतध्यानकपाटञ्च, संयमेन सुरक्षितम् । अध्यात्मदत्तपरिघं, ब्रह्मचर्यमनुत्तरम् ।। બ્રહ્મચર્ય અનુત્તરધર્મ છે. સંયમ-ઈન્દ્રિય અને મનના નિગ્રહ દ્વારા તે સુરક્ષિત છે. તેની સુરક્ષાનું કપાટ (પડદો) ધ્યાન છે અને તેની અર્ગલા (આવરણ) અધ્યાત્મ છે. (૩૯) ૪૦. કૃતામ્પમનો માવો, માવનાનો વિરોધઃ | सम्यक्त्वशुद्धमूलोऽस्ति, धृतिकन्दोऽपरिग्रहः ।। અપરિગ્રહથી મનની ચપળતા દૂર થઈ જાય છે, ભાવનાઓનું શુદ્ધીકરણ થાય છે. તેનું શુદ્ધ મૂળ છે સમ્યકત્વ અને શૈર્ય તેનું કંદ છે. (૪૦) मेघः प्राह છે. કં નામ પવન્! ઘર્મ, વ તસ્યાનિવાર્યતા | वित तस्य को लाभः, जिज्ञासाऽसौ निसर्गजा ।। મેઘ બોલ્યો, ભગવન્! ધર્મ શું છે ? તેની અનિવાર્યતા શા માટે છે ? તેનો લાભ શો છે ? આવી જિજ્ઞાસા સ્વાભાવિક છે. (૪૧) સંબોધિ , ૧૨૦ Page #123 -------------------------------------------------------------------------- ________________ भगवान् प्राह ૪૨. વૈતચીનમવો , સોપાનું પ્રથમ વતમૂ | तपसा संयमेनासौ, साध्योऽस्ति सकलैर्जनैः ।। ભગવાને કહ્યું, ધર્મ છે ચૈતન્યનો અનુભવ. તેનું પ્રથમ સોપાન છે વ્રત. તેની સાધનાનાં બે કારણો છે- તપ અને સંયમ. (૪૨) ४३. आसक्तिं जनयत्याशु, वस्तुभोगो हि देहिनाम् । जीवनं वस्तुसापेक्षं, समस्या महती ध्रुवम् ।। પદાર્થનો ભોગ આસક્તિ પેદા કરે છે અને જીવન પદાર્થસાપેક્ષ છે એ મોટી સમસ્યા છે. (૪૩) ૪૪. મા વિતી પુસ, તાવાનું માવાત્મો જ્વર: | भावात्मको ज्वरो यावान्, तावान् तापो हि मानसः ।। જેટલી આસકિત એટલો જ ભાવાત્મક તનાવ. જેટલો ભાવાત્મક તનાવ, એટલો માનસિક તનાવ અથવા તો એટલું માનસિક દુઃખ. (૪૪) ૪. ચૈતન્યાનુભવો યાવાન, અનાસત્તિ૨ તાવતી | - યાવતી ચા બનાસાિ , તાવનું માવઃ પ્રસાવિયુ જેટલી ચેતનાની અનુભૂતિ તેટલી અનાસક્તિ, જેટલી અનાસક્તિ એટલી ભાવાત્મક પ્રસન્નતા. (૪૫) ४६. यावान् भावप्रसादः स्याद्, तावद् मनो हि निर्मलम् । नैर्मल्यं मनसो यावद्, तावत् स्याद् सहजं सुखम् ।। જેટલી ભાવાત્મક પ્રસન્નતા એટલી માનસિક નિર્મળતા. જેટલી માનસિક નિર્મળતા એટલું સહજ સુખ. (૪૬) સંબોધિ તા૧૨૧ Page #124 -------------------------------------------------------------------------- ________________ Page #125 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૮ બંધ-મોક્ષવાદ Page #126 -------------------------------------------------------------------------- ________________ Page #127 -------------------------------------------------------------------------- ________________ આમુખ બંધન આવરણ છે અને મુક્તિ નિરાવરણ. જ્ઞાનનો વિકાસ, શ્રદ્ધાનો વિકાસ અને શક્તિનો વિકાસ આવૃત્ત દશામાં થતો નથી. બંધ અને મોક્ષબંને એકબીજાનાં વિરોધી છે. મોક્ષમાં બંધન નથી અને બંધનમાં મુક્તિ નથી. બંધન શું છે અને મુક્તિ શું છે, એવી જિજ્ઞાસાનું સમાધાન અહીં પ્રસ્તુત છે. સ્વશાસન મુક્તિ છે અને પરશાસન બંધન છે. પરતંત્રતા ન ઇચ્છવા છતાં આપણે પરશાસનથી નિયંત્રિત છીએ. સ્વશાસનને ચાહવા છતાં તેને લાવી નથી શકાતું. આ જ દિશાભ્રમ છે. મિથ્યાત્વવિપરીત માન્યતા, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ- વગેરે પરશાસન છે. પરશાસનનો પ્રભાવ ઊતરી જાય છે ત્યારે સ્વશાસન-સમ્યક્ત્વ, વિરતિ, અપ્રમાદ, અકષાય અને અયોગનો ઉદય થાય છે. મુક્તિનો આ સુવ્યવસ્થિત ક્રમ છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ બંધ-મોક્ષનાં કારણો છે. જીવની પ્રવૃત્તિ અને નિવૃત્તિના પાંચ-પાંચ પ્રકાર છે. પ્રવૃત્તિથી બંધ થાય છે અને નિવૃત્તિથી મોક્ષ થાય છે. પ્રવૃત્તિ સ્થૂળ અને સૂક્ષ્મ બે પ્રકારની હોય છે. યોગ સ્થૂળ પ્રવૃત્તિ છે. મિથ્યાત્વ, અવિરિતિ, પ્રમાદ અને કષાય- વગેરે સૂક્ષ્મ પ્રવૃત્તિઓ છે. આ બંને પ્રકારની પ્રવૃત્તિઓનો સંગ્રાહક શબ્દ છે- ‘આસ્રવ’. આ અધ્યાયમાં આસ્રવ તથા બંધ-મોક્ષની પ્રક્રિયાનું વિવેચન છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ Page #129 -------------------------------------------------------------------------- ________________ બંધ-મોક્ષવાદ मेघः प्राह ૬. મેથ બોલ્યો, હે સર્વદર્શિન ! બંધ કોને કહે છે ? મોક્ષ કોને કહે છે ? આત્માનું બંધન શી રીતે થાય છે અને મુક્તિ શી રીતે થાય છે વગેરે હું આપની પાસેથી જાણવા ઇચ્છું છું. (૧) किं बन्धः किं च मोक्षस्तौ, जायेते कथमात्मनाम् । તવન્હેં શ્રોતુમિચ્છામિ, સર્વશિન્ ! તાન્તિ ।। भगवान् प्राह ર. स्वीकरणं पुद्गलानां, बन्धो जीवस्य भण्यते । अस्वीकारः प्रक्षयो वा, तेषां मोक्षो भवेद् ध्रुवम् ।। ભગવાને કહ્યું, આત્મા દ્વારા પુદ્ગલોનું જે ગ્રહણ થાય છે, તે બંધ કહેવાય છે. જે અવસ્થામાં પુદ્ગલોનું ગ્રહણ નથી થતું અને ગૃહીત પુદ્ગલોનો ક્ષય થઈ જાય છે તે સ્થિતિનું નામ મોક્ષ છે.(૨) ર. પ્રવૃત્તિ દ્વારા જીવ કર્મોથી આબદ્ધ બને છે અને નિવૃત્તિ દ્વારા તે કર્મોથી મુક્ત થાય છે. પ્રવૃત્તિ બંધનું કારણ છે અને નિવૃત્તિ મોક્ષનું કારણ છે. (૩) ૪. प्रवृत्त्या बद्ध्यते जीवो, निवृत्या च विमुच्यते । પ્રવૃત્તિદ્વન્ધહેતુઃ સ્વાત્, નિવૃત્તિોઁક્ષારગમ્ ।। प्रवृत्तिरास्रवः प्रोक्तो, निवृत्तिः संवरस्तथा । પ્રવૃત્તિઃ પશ્વધા જ્ઞેયા, નિવૃત્તિપાપિ પર્શ્વધા ।। પ્રવૃત્તિ આસ્રવ છે અને નિવૃત્તિ સંવર છે. પ્રવૃત્તિના પાંચ પ્રકાર છે અને નિવૃત્તિના પણ પાંચ પ્રકાર છે. (૪) સંબોધિ – ૧૨૭ Page #130 -------------------------------------------------------------------------- ________________ ५. मिथ्यात्वमविरतिश्च, प्रमादश्च सकषायकः । सूक्ष्मात्माऽध्यवसायस्य, स्पन्दरूपाः प्रवृत्तयः ।। મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય- આ ચાર સૂક્ષ્મઅવ્યક્ત પ્રવૃત્તિઓ છે. તેમાં આત્માના અધ્યવસાયોનું સૂક્ષ્મ સંવેદન થાય છે. (૫) ૬. ચો: ધૂન ચૂર્તવુદ્ધિાવા પ્રવૃત્તિરિતે ! __ स्वतन्त्रो व्यक्तिहेतुश्च, ह्यव्यक्तानां चतसृणाम् ।। યોગ સ્થળ- વ્યક્ત પ્રવૃત્તિ છે. તે સ્થળ બુદ્ધિથી જાણી શકાય છે. તે સ્વતંત્ર પણ છે અને પૂર્વોક્ત ચારેય અવ્યક્ત સૂક્ષ્મ પ્રવૃત્તિઓની અભિવ્યક્તિનું કારણ પણ છે. (૬) ૭. મિથ્યાત્વવિરતિ, પ્રમઃ સપાય | व्यक्तरूपो भवेद् योगो, मानसो वाचिकाऽङ्किको ।। મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય- આ ચાર આસ્રવોને અભિવ્યક્ત કરનાર યોગ પણ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય કહેવાય છે. જેમકે- યોગરૂપ મિથ્યાત્વ, યોગરૂપ અવિરતિ, યોગરૂપ પ્રમાદ અને યોગરૂપ કષાય. આ અભિવ્યક્તિ માનસિક, વાચિક અને કાયિક ત્રણેય પ્રકારની હોય છે. (૭) ૮. મત તત્ત્વજ્ઞાનં, મોક્ષે મોક્ષધસ્તથા । अधर्मे धर्मसंज्ञानं, मिथ्यात्वं द्विविधञ्च तत् ।। અતત્વમાં તત્ત્વનું કથન કરવું, અમોક્ષમાં મોક્ષની બુદ્ધિ વ્યક્ત કરવી અને અધર્મમાં ધર્મનું અર્થઘટન કરવું તે મિથ્યાત્વ કહેવાય છે. તેના બે પ્રકાર છે- આભિગ્રાહિક અને અનાભિગ્રાહિક. (૮) ૬. મિહિમારયાત, અસત્તત્ત્વ પ્રહ: / अनाभिग्रहिकं वत्स! अज्ञानाज्जायतेऽङ्गिनाम् ।। હે વત્સ ! અયથાર્થ તત્વમાં યથાર્થતાનો મિથ્યા આગ્રહ થવો એ આભિગ્રાહિક મિથ્યાત્વ કહેવાય છે અને જે યથાર્થ તત્ત્વનું જ્ઞાન નથી થતું, તે અનાભિગ્રાહિક મિથ્યાત્વ કહેવાય છે. આભિગ્રાહિક સંબોધિ - ૧૨૮ Page #131 -------------------------------------------------------------------------- ________________ આગ્રહપૂર્વક થાય છે અને અનાભિગ્રાહિક અજ્ઞાનવશ થાય છે. (૯) १०. आसक्तिश्च पदार्थेषु, व्यक्ताऽव्यक्ताऽव्रतात्मिका । अनुत्साहः स्वात्मरूपे, प्रमादः कथितो मया ।। પદાર્થોમાં જે વ્યક્ત કે અવ્યક્ત આસક્તિ હોય છે તે “અવિરતિ' કહેવાય છે. પોતાના આત્મવિકાસ પ્રત્યે જે અનુત્સાહ હોય છે, તેને મેં “પ્રમાદ' કહ્યો છે. (૧૦) ૨૧. માત્મોત્તાપી વૃત્તિ, પાયઃ પીર્તિતઃ | ____ कायवाङ्मनसां कर्म, योगो भवति देहिनाम् ।। જે વૃત્તિ આત્માને ઉત્તમ કરે છે, તેને “કષાય' કહેવામાં આવે છે. મન, વચન અને શરીરની પ્રવૃત્તિને “યોગ' કહેવામાં આવે છે. (૧૧) १२. योगः शुभोऽशुभो वापि, चतस्रो ह्यशुभा ध्रुवम् । ____ निवृत्तिवलिता वृत्ति; शुभो योगस्तपोमयः ।। યોગ શુભ અને અશુભ બે પ્રકારના હોય છે અને બાકીની ચાર સૂક્ષ્મ પ્રવૃત્તિઓ અશુભ જ હોય છે. નિવૃત્તિયુક્ત વર્તન શુભયોગ કહેવાય છે અને તે તપ રૂપ હોય છે. (૧૨) ___१३. अविरतिर्दुष्प्रवृत्तिः, सुप्रवृत्तिस्त्रिधास्रवः । ___ यथाक्रमं निवृत्तिश्च, कर्माऽकर्मविभागतः ।। અવિરતિ, દુષ્પવૃત્તિ, સુપ્રવૃત્તિ, નિવૃત્તિ- આ દરેકના કર્મ અને અકર્મના આધારે આ રીતે વિભાગ થાય છે- પ્રથમ ત્રણ કર્મ છે, તેથી તેમના દ્વારા કર્મનું આસ્રવણ થાય છે. નિવૃત્તિ અકર્મ છે તેથી નિરોધાત્મક છે, સંવર છે. (૧૩) ૨૪. મામૈ પુતૈિÍવવMીતઃ પ્રથમે ઉમે | तृतीयं खलु बध्नाति, शुभैरैभिश्च संसृतिः ।। સંબોધિ ૧૨૯ Page #132 -------------------------------------------------------------------------- ________________ અવિરતિ અને દુષ્પવૃત્તિ અશુભ પુગલો દ્વારા તથા સુપ્રવૃત્તિ શુભ પુગલો દ્વારા જીવને આબદ્ધ કરે છે. શુભ અને અશુભ પુગલોનું બંધન એ જ સંસાર છે. (૧૪) ___ १५. अशुभांश्च शुभांश्चापि, पुद्गलास्तत्फलानि च । વિનરાતિ સ્થિતાત્માડમ, મોક્ષ યાત્મપુનર્ભવમ્ II જે સ્થિતાત્મા શુભ-અશુભ યુગલ અને તેમના દ્વારા પ્રાપ્ત થતા પરિણામનો ત્યાગ કરે છે, તે મોક્ષ પામે છે. પછી તે ક્યારેય જન્મ ધારણ કરતો નથી. (૧૫) १६. अशुभानां पुद्गलानां, प्रवृत्त्या शुभया क्षयः । असंयोगः शुभानाञ्च, निवृत्त्या जायते ध्रुवम् ।। શુભ પ્રવૃત્તિ થકી પૂર્વ અર્જિત- બદ્ધ અશુભ પુગલોપાપકર્મોનો ક્ષય થાય છે. નિવૃત્તિ થકી શુભ-અશુભ બંને પ્રકારના કર્મ-પુલોનો સંયોગ પણ અટકી જાય છે. (૧૬) १७. निवृत्तिः पूर्णतामेति, शैलेशीञ्च दशां श्रितः । अप्रकम्पस्तदा योगी, मुक्तो भवति पुद्गलैः ।। જ્યારે નિવૃત્તિ પૂર્ણતાને પામે છે ત્યારે યોગી શૈલેશી દશા પામીને અટકમ્પ બને છે તથા પુદ્ગલોથી મુક્ત થઈ જાય છે. (૧૭) १८. सम्यक्त्वं विरतिस्तद्वद्, अप्रमादोऽकषायकः । अयोगः पंचरूपेयं, निवृत्तिः कथिता मया ।। સમ્યકત્વ, વિરતિ, અપ્રમાદ, અકષાય અને અયોગ- મેં પાંચ પ્રકારની નિવૃત્તિનું નિરૂપણ કર્યું છે. (૧૮) ૨૨. તત્ત્વ મોક્ષે ર વર્ષે ૨, યથાર્થ પ્રત્યયઃ પુરુટમ્ | સર્વ તત્ત્વ વાત, નિપાતઃ | ન ૧. જુઓઃ ૩/૩૭. સંબોધિ ૧૩૦. Page #133 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ-જીવ, અજીવ વગેરે પદાર્થ, મોક્ષ-જીવની પરમાત્મ અવસ્થા, ધર્મ-મોક્ષ સાધન વિષયક જે યથાર્થ પ્રતીતિ યથાર્થ શ્રદ્ધા છે, તેની પ્રાપ્તિ નિસર્ગ અને અધિગમ- બંને પ્રકારે થાય છે. (૧૯) ર૦. અનાસત્તિ: પર્યેષુ, વિરતિદિતા મયા | जागरूका भवेद् वृत्तिः, अप्रमादस्तथात्मनि ।। પદાર્થોમાં જે અનાસક્તિ હોય છે તેને મેં ‘વિરતિ’ કહી છે. આત્મોપલબ્ધિ પ્રત્યે જે જાગરૂક વૃત્તિ હોય છે, તેને હું “અપ્રમાદ” કહું છું. (૨૦) ર૧. મામપિ યોજાશું, ત્યારે વિજિરિતે.. રેશતઃ સર્વતાપિ, યથાવતમુરતા | અશુભ યોગનો ત્યાગ કરવો એ પણ વિરતિ કહેવાય છે. તે વિરતિ યથાશક્તિ-અંશતઃ કે પૂર્ણતઃ સ્વીકારવામાં આવે છે. (૨૧) २२. क्रोधो मानं तथा माया, लोभश्चेति कषायकः । एषाः निरोध आख्यातो- ऽकषायः शान्तिसाधनम् ।। ક્રોધ, માન, માયા અને લોભ- વગેરેને કષાય કહેવામાં આવે છે. તેના નિરોધને મેં “અકષાય' કહ્યો છે. તે શાંતિનું સાધન છે. (૨૨) २३. सर्वासाञ्च प्रवृत्तीनां, निरोधोऽयोग इष्यते । अयोगत्वं समापना, विमुक्तिं यान्ति योगिनः ।। તમામ પ્રકારની પ્રવૃત્તિઓના નિરોધને હું “અયોગ' કહું છું. અયોગ અવસ્થાને પામેલ યોગી મોક્ષ પામી જાય છે. (૨૩). ર૪. પૂર્વ પતિ સત્ત્વ, વિતિય તતઃ | __ अप्रमादोऽकषायश्चाऽयोगो मुक्तिस्ततो ध्रुवम् ।। પહેલાં સમ્યકત્વ થાય છે પછી વિરતિ થાય છે. ત્યારપછી ક્રમશઃ અપ્રમાદ, અકષાય અને અયોગ થાય છે. અયોગાવસ્થા પ્રાપ્ત થતાં જ આત્માની મુક્તિ થઈ જાય છે. (૨૪) સંબોધિ - ૧૩૧ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૨. આધ્યાત્મિવિાસસ્ય, જોટિાયમુવાહૃતમ્ । सम्यक् व्रतमप्रमादः, प्रथमा कोटिरिष्यते ।। २६. ततश्चौपशमिकी श्रेणिर्वा क्षायिकी भवेत् । उपशान्तः कषायः स्याद्, क्षीणो वा कोटिरग्रिमा || આધ્યાત્મિક વિકાસની બે કક્ષાઓ બતાવવામાં આવી છે. પહેલી કક્ષામાં ત્રણ તત્ત્વ છે- સમ્યક્ત્વ, વ્રત અને અપ્રમાદ. સમ્યકત્વને ઉપલબ્ધ થનાર ચોથા ગુણસ્થાનનો અધિકારી બની જાય છે. વ્રતને ઉપલબ્ધ થનાર પાંચમા અથવા છઠ્ઠા ગુણસ્થાનનો અધિકારી બની જાય છે. અપ્રમાદ દશાને ઉપલબ્ધ થનાર સાતમા ગુણસ્થાનનો અધિકારી બની જાય છે. સાતમા ગુણસ્થાનની આગળ બે શ્રેણીઓ છે- વિકાસના બે માર્ગ છે. એક છે ઔપશમિક શ્રેણી અને બીજી છે ક્ષપક શ્રેણી. જે કષાયોનું ઉપશમન કરતાં કરતાં આગળ વધે છે તેની શ્રેણી ઔપશમિક હોય છે. જે કષાયોને ક્ષીણ કરતો કરતો આગળ વધે છે તેની શ્રેણી ક્ષાયિક હોય છે. (૨૫, ૨૬) (યુગ્મમ્) ૨૭. અમનોજ્ઞસમુત્પાવ, ટુલ્લું મત àહિનામ્ । समुत्पादमजनाना, न हि जानन्ति संवरम् ।। અમનોજ્ઞ સ્થિતિનું સમુત્પાદ/ઉત્પત્તિ દુઃખ છે જે આ સમુત્પાદને નથી જાણતો તે સંવર-દુઃખનિરોધને નથી જાણતો. (૨૭) ૨૮. રામો દ્વેષશ્ય તદ્વેતુઃ, વીતરાગવશા સુસ્રમ્ | रत्नत्रयी च तद्धेतुः, एष योगः समासतः ।। દુઃખનાં કારણ છે- રાગ અને દ્વેષ. વીતરાગદશા સુખ છે અને તેનું કારણ છે- રત્નત્રયી : સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સભ્યશ્ચારિત્ર. યોગનું મેં આ સંક્ષિપ્ત નિરૂપણ કર્યું છે. (૨૮) ૧. સમ્યક્ત્વ. સંબોધિ ૧૩૨ Page #135 -------------------------------------------------------------------------- ________________ मेघः प्राह २९. भद्रं भद्रं तीर्थनाथ ! तीर्थे नीतोऽस्म्यहं त्वया । भावितात्मा स्थितात्मा च, त्वया जातोऽस्मि सम्प्रति ।। મેઘ બોલ્યો, હે તીર્થનાથ ! સારું થયું, ઘણું સારું થયું. આપના પ્રસાદથી હું તીર્થમાં આવી ગયો છું અને આપના અનુગ્રહથી હવે હું ભાવિતાત્મા તથા સ્થિતાત્મા બની ગયો છું. (૨૯) ३०. नष्टो मोहो गतं क्लैव्यं, शुद्धा बुद्धिः स्थिरं मनः । पुनर्मोनं तवाभ्यणे, स्वीचिकीर्षामि साम्प्रतम् ।। હવે મારો મોહ નાશ પામ્યો છે, ક્લેવ્ય ચાલ્યું ગયું છે, બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ છે અને મન સ્થિર થઈ ગયું છે. હવે હું ફરીથી આપની પાસે શ્રમણ્ય સ્વીકારવા ઇચ્છું છું. (૩૦) ३१. प्रायश्चित्तञ्च वाञ्छामि, पूर्वमालिन्यशुद्धये । चेतःसमाधये भूयः, कामये धर्मदेशनाम् ।। પહેલાં જે મારા મનમાં કલુષભાવ આવ્યો, તેની શુદ્ધિ માટે હું પ્રાયશ્ચિત્ત કરવા ઇચ્છું છું અને ચિત્તની સમાધિ માટે આપની પાસે ફરીથી ધર્મદશના સાંભળવા ઇચ્છું છું. (૩૧) સંબોધિ ૨ ૧૩૩ ? Page #136 -------------------------------------------------------------------------- ________________ Page #137 -------------------------------------------------------------------------- ________________ (અધ્યાય-૯ મિથ્યા-સભ્યજ્ઞાન-મીમાંસા, Page #138 -------------------------------------------------------------------------- ________________ Page #139 -------------------------------------------------------------------------- ________________ આમ શેય અનંત છે અને જ્ઞાન પણ અનંત છે, છતાં પ્રત્યેક વ્યક્તિમાં અનંત જ્ઞાનનો વિકાસ નથી હોતો. જેનું જ્ઞાન સીમિત છે, તેને માટે શેય પણ સીમિત બની રહે છે. આ સીમા કરનાર આવરણ છે. આવરણની તરતમતા (તફાવત)નો અર્થ છે જ્ઞાનના વિકાસની તરતમતા. જેટલું આવરણ, એટલું જ અજ્ઞાન. જેટલો આવરણનો વિલય, એટલો જ જ્ઞાનનો વિકાસ. સ્વરૂપની દષ્ટિએ જ્ઞાન પ્રમાણ હોય છે. વિષયગ્રહણની દૃષ્ટિએ તે પ્રમાણ પણ હોય છે, અપ્રમાણ પણ હોય છે, સમ્યક પણ હોય છે, મિથ્યા પણ હોય છે. સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન માણસને વિકાસના શિખર સુધી લઈ જાય છે. જ્ઞાન વિકાસનું આરંભબિંદુ છે. તે ક્રિયા સાથે જોડાઈને વ્યક્તિને શિખર સુધી પહોંચાડી દે છે. પ્રસ્તુત અધ્યાયમાં જ્ઞાન અને અજ્ઞાનની વિવિધ અવસ્થાઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ Page #141 -------------------------------------------------------------------------- ________________ મિથ્યા-સભ્ય-જ્ઞાન-મીમાંસા मेघः प्राह १. ज्ञान प्रकाशकं तत्र, मिथ्यासम्यक्त्वकल्पना । nિતે જોડત્ર હેતુ: ચા, વોમિચ્છામિ સતિ | મેઘ બોલ્યો, જ્ઞાન પ્રકાશ કરનાર છે. તો પછી મિથ્યાજ્ઞાન અને સમ્યજ્ઞાન એવા જે વિકલ્પ કરવામાં આવે છે તેનું કારણ શું છે? હવે હું આ જાણવા માગું છું. (૧) भगवान् प्राह २. ज्ञानस्यावरणेन स्याद्, अज्ञानं तत्प्रभावतः । अज्ञानी नैव जानाति, वितथं वा यथातथम् ।। ભગવાને કહ્યું, જ્ઞાન ઉપર આવરણ આવવાથી અજ્ઞાન થાય છે. તેના પ્રભાવથી અજ્ઞાની જીવ યથાર્થ અથવા અયથાર્થ-કશું જ જાણી શકતો નથી. (૨) રૂ. નૈત વિસ્તે નોન, નાપિ સંતે વિતા વર્ત સદગાતો, સાવૃતિ નિઝામનઃ || આ આવરણ જીવોને ન તો વિકૃત બનાવે છે કે ન તો સંસ્કૃત બનાવે છે. તે માત્ર પોતાના આત્માના સહજ પ્રકાશને ઢાંકે છે. (૩) ૪. જ્ઞાનયાવર યાવનું, માવશુક્યા વિનીયતે | अव्यक्तो व्यक्ततामेति, प्रकाशस्तावदात्मनः ।। ભાવોની વિશુદ્ધિ દ્વારા જ્ઞાનનું જેટલું આવરણ વિલીન થાય છે, એટલો જ આત્માનો અવ્યક્ત પ્રકાશ વ્યક્ત થઈ જાય છે. (૪) સંબોધિત ૧૩૯ Page #142 -------------------------------------------------------------------------- ________________ આત્માના એ પ્રકાશથી જગતના આ પદાર્થો સ્પષ્ટરૂપે પ્રતિભાસિત થાય છે. જો તેના વિભાગ ન કરવામાં આવે તો તે પ્રકાશને માત્ર જ્ઞાન જ કહી શકાય છે. (૫) ૬. पदार्थास्तेन भासन्ते, स्फुटं देहभृताममी । ज्ञानमात्रमिदं नाम, विशेषस्याऽविवक्षया ।। આત્મા જ્ઞાનમય છે. તેનું જ્ઞાન અનંત છે. તે અનંત ગુણ અને પર્યાયોને જાણવામાં સમર્થ છે. (૬) 9. आत्मा ज्ञानमयोऽनन्तं ज्ञानं नाम तदुच्यते । अनन्तान् गुणपर्यायान्, तत्प्रकाशितुमर्हति ।। ૮. આવરણની સઘનતાના તારતમ્ય મુજબ તે આત્મા સૂર્યની જેમ પ્રકાશી કે અપ્રકાશી બને છે. (૭). आवारकघनत्वस्य, तारतम्यानुसारतः । प्रकाशी चाऽप्रकाशी च, सवितेव भवत्यसौ । उभयालम्बनं तत्तु, संशयज्ञानमुच्यते । वेदनं विपरीतं तु, मिथ्याज्ञानं विपर्ययः ।। તે થાંભલો છે કે પુરુષ- આ પ્રકારનું ઉભયાલમ્બી જ્ઞાન ‘સંશયજ્ઞાન’ કહેવાય છે. જે પદાર્થ જેવો હોય તેનાથી વિપરિત તેને જાણવો તે વિપર્યય નામનું મિથ્યાજ્ઞાન છે. (૮) तार्किकी दृष्टिरेषाऽस्ति, दृष्टिरागमिकी परा । मिथ्यादृष्टेर्भवेज्ज्ञानं, अज्ञानं तदपेक्षया ।। આ તાર્કિકદષ્ટિનું નિરૂપણ છે. આગમિકટષ્ટિનું નિરૂપણ તેનાથી જુદું છે. તે અનુસાર મિથ્યાદષ્ટિ અથવા અસત્-પાત્રની અપેક્ષાએ તે જ્ઞાન અજ્ઞાન કહેવાય છે. (૯) १०. आत्मीयेषु च भावेषु, नात्मानं यो हि पश्यति । • તીવ્રમોદવિભૂતાત્મા, મિથ્યાવૃષ્ટિ: સ ૩ન્યતે ।। સંબોધિ ર ૧૪૦ Page #143 -------------------------------------------------------------------------- ________________ જે આત્મીય ભાવોમાં આત્માને જોઈ શકતો નથી અને તીવ્ર મોહ-અનંતાનુબંધી કષાયના ઉદયથી જેનો આત્મા વિમૂઢ છે, મિથ્યાદષ્ટિ કહેવાય છે. (૧૦) ¿ ११. यथार्थनिर्णयः सम्यग् - ज्ञानं प्रमाणमिष्यते । સૃષ્ટિ: પ્રામાળિવી વૈવા, દૃષ્ટિનિની પા ।। વસ્તુનો યથાર્થ નિર્ણય કરનાર સભ્યજ્ઞાન ‘પ્રમાણ’ કહેવા છે. આ પ્રમાણ-મીમાંસાની દૃષ્ટિ છે અને આગમિક દૃષ્ટિ તેનાર્થ જુદી છે. (૧૧) ૧૨. સમ્ય વનોધો, મનેજ્ઞાન તરીક્ષયા। धुतमोहो निजं पश्यन्, सम्यग्दृष्टिरसौ भवेत् ।। સમ્યગ્દષ્ટિ વ્યક્તિનું જ્ઞાન સત્-પાત્રની અપેક્ષાએ સમ્યજ્ઞા કહેવાય છે. જેનો દર્શનમોહ વિલીન થઈ ગયો છે અને જે આત્મા જુએ છે, તે સમ્યગ્દષ્ટિ કહેવાય છે. (૧૨) ૩. વાર્થજ્ઞાનમાત્રળ, ન જ્ઞાનં સભ્યનુષ્યતે । आत्मलीनस्वभावं यत्, तज्ज्ञानं सम्यगुच्यते ।। પદાર્થોને જાણી લેવા માત્રથી જ્ઞાનને સમ્યજ્ઞાન કહી શકા નથી. જે જ્ઞાનનો સ્વભાવ આત્મામાં લીન થવાનો છે, તે જ્ઞા સમ્યજ્ઞાન કહેવાય છે. (૧૩) ૪. अनन्तधर्मकं द्रव्यं, ज्ञेयं धर्मावुभौ स्फुटम् । सामान्यञ्च विशेषश्च, द्रव्यं तदुभयात्मकम् ।। અનંત ધર્માત્મક-અનંત વિરોધી યુગલાત્મક દ્રવ્ય જ્ઞેય હોય છે અનંત ધર્મોમાં બે ધર્મ મુખ્ય છે- સામાન્ય અને વિશેષ. દ્રવ્ય મા સામાન્યાત્મક અથવા માત્ર વિશેષાત્મક નથી હોતું. તે ઉભયાત્મકસામાન્યવિશેષાત્મક હોય છે. (૧૪) . सामान्यग्राहकं ज्ञानं, संग्रहो नय इष्यते । विशेषग्राहकं ज्ञानं, व्यवहारनयो मतः ।। સંબોધિ ૧૪૧ Page #144 -------------------------------------------------------------------------- ________________ જે સામાન્યને ગ્રહણ કરે છે, જાણે છે તે સંગ્રહનય કહેવાય છે. જે વિશેષને ગ્રહણ કરે છે, જાણે છે તે વ્યવહારનય કહેવા છે. (૧૫) १६. उभयग्राहकं ज्ञानं, नैगमो नय इष्यते । सामान्यञ्च विशेषश्च, यतो भिन्नो न सर्वथा ।। જે સામાન્ય અને વિશેષ-બંનેને ગ્રહણ કરે છે, જાણે છે તે નૈગમનાય છે. એનું તાત્પર્ય છે–સામાન્ય અને વિશેષ સર્વથા ભિન્ન નથી. (૧૬) १७. वर्तमानक्षणग्राहि, ऋजुसूत्रं नयो भवेत् । શબ્દાશ્રયસ્તુ શબ્દદ્યા, પર્યાયમશ્રિતા: નયા || જે વર્તમાન ક્ષણવર્તી પર્યાયને ગ્રહણ કરે છે, તે ઋજુસૂત્રનય છે. શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત-આ ત્રણેય શબ્દાશ્રયી પર્યાયાર્થિકનાય છે. (૧૭) १८. पूर्वं निक्षिप्यते वस्तु, तन्नये नाधिगम्यते । प्रमाणेनाऽपि वीक्षा स्याद्, सकलादेशमाश्रिता ।। પહેલાં વસ્તુનો નિક્ષેપ-પર્યાયને અનુરૂપ બાહ્ય વિન્યાસ કરવામાં આવે છે. પછી તેને નય દ્વારા જાણવામાં આવે છે. પ્રમાણ દ્વારા થતા વસ્તુના જ્ઞાનને “સકલાદેશ” કહેવામાં આવે છે. (૧૮) १९. नयदृष्टिरनेकान्तः, स्याद्वादस्तत्प्रयोगकृत् । विभज्यवाद इत्येष, सापेक्षो विदुषां मतः । વસ્તુના એક ઘર્મવિશેષને જાણનારી નયષ્ટિનું નામ છેઅનેકાંત. તેનો વચનાત્મક પ્રયોગ સ્યાદ્વાદ, વિભજ્યવાદ અથવા સાપેક્ષવાદ છે. (૧૯) २०. सदसतोर्विवेकेन, स्थैर्य चित्तस्य जायते । स्थितात्मा स्थापयेदन्यान्, नाऽस्थिरात्माऽपि साक्षरः ।। સંબોધિ ૧૪૨ Page #145 -------------------------------------------------------------------------- ________________ સત્ અને અસત્નો વિવેક થયા પછી ચિત્તની સ્થિરતા થાય છે. સ્થિતાત્મા બીજા લોકોને ધર્મમાં સ્થાપિત કરે છે. જે સ્થિતાત્મા નથી હોતો તે સાક્ષર હોવા છતાં કાર્ય કરી શકતો નથી. (૨૦) २१. भविष्यति मम ज्ञानं, अध्येतव्यमतो मया । अजानन् सदसत्तत्त्वं, न लोकः सत्यमश्नुते ।। ‘મને જ્ઞાન થશે’, જે જીવ સત્ અને શકતો નથી. (૨૧) ૨૨. એવા ઉદ્દેશથી મારે અધ્યયન કરવું જોઈએ. તત્ત્વોને નથી જાણતો, તે સત્યને પામી અસત્ ‘હું એકાગ્રચિત્ત બનીશ.’– એવા ઉદ્દેશથી મારે અધ્યયન કરવું જોઈએ. અસ્થિર આત્માવાળી વ્યક્તિ પદાર્થને જાણવા છતાં તેમાં મૂઢ બની જાય છે. (૨૨) ૨૨. સચ્ચે વિત્તસ્ય મુથૈર્યાં, અધ્યેતવ્યમતો મળ્યા | अस्थिरात्मा पदार्थेषु, जानन्नपि विमुह्यति ।। ૨૪. = ‘મારા આત્માને હું ધર્મમાં સ્થાપિત કરીશ.’- એવા ઉદ્દેશથી મારે અધ્યયન કરવું જોઈએ. જે વ્યક્તિ ધર્મહીન છે, તે સંસારમાં દુઃખોની પરંપરા વધારે છે. (૨૩) आत्मानं स्थापयिष्यामि, धर्मेऽध्येयमतो मया । ધર્મદ્દીનો નનો તો, તનુતે ટુવસન્તતિમ્ ।। स्थितः परान् स्थापयिष्ये, धर्मेऽध्येयमतो मया । आचार्येव सदाचारं, प्रस्थापयितुमर्हति ।। ‘હું સ્વયં સ્થિત થઈને બીજા લોકોને ધર્મમાં સ્થાપિત કરીશ.’એવા ઉદ્દેશથી મારે અધ્યયન કરવું જોઈએ. આચારવાન વ્યક્તિ જ સદાચારની સ્થાપના કરી શકે છે. (૨૪) ર૬. પ્રાણિનામુદ્ઘમાનાનાં, ગામતળવે તઃ । धर्मो द्वीपं प्रतिष्ठा च, गतिः शरणमुत्तमम् ।। જરા અને મરણના પ્રવાહમાં વહેતા જીવો માટે ધર્મ દ્વીપ, પ્રતિષ્ઠા, ગતિ અને ઉત્તમ શરણ છે. (૨૫) સંબોધિ – ૧૪૩ Page #146 -------------------------------------------------------------------------- ________________ २६. दुर्गतौ प्रपतज्जन्तोर्धारणाद् धर्म उच्यते । धर्मेणासौ धृतो ह्यात्मा, स्वरूपमधिगच्छति ।। જે દૂરગતિમાં પડતા જીવોને ધારણ કરે છે તે ધર્મ કહેવાય છે. પોતાના સ્વરૂપને એ જ વ્યક્તિ પામે છે જેનો આત્મા ધર્મ થકી ધૃત હોય છે. (૨૬) २७. आत्मनः स्वप्रकाशाय, बन्धनस्य विमुक्तये । आनन्दाय मया शिष्य ! धर्मप्रवचनं कृतम् ।। હે શિષ્ય મેઘ ! આત્માના પ્રકાશ માટે, બંધનની મુક્તિ માટે અને આનંદ માટે મેં ધર્મનું પ્રવચન કર્યું છે. (૨૭) ૨૮. મામલૈમિ, vii કનૈધૃવમ્ | प्रमादबहुलो जीवः, संसारमनुवर्तते ।। પ્રમાદી જીવ શુભ-અશુભ ફળવાળાં કર્મોનાં આ બંધનોને કારણે સંસારમાં પર્યટન કરે છે. (૨૮). २९. शुभाशुभफलान्यत्र, कर्मणां बन्धनानि च । छित्वा मोक्षमवाप्नोति, अप्रमत्तो हि संयतिः ।। અપ્રમત્ત મુનિ કર્મોનાં બંધનો અને તેનાં શુભ-અશુભ ફળોનું છેદન કરીને મોક્ષ પામે છે. (૨૯) ३०. एकमासिकपर्यायो, मुनिरात्मगुणे रतः । व्यन्तराणां च देवानां, तेजोलेश्यां व्यतिव्रजेत् ।। એક માસનો દીક્ષિત આત્મલીન મુનિ વ્યંતર દેવોનાં સુખોને અતિક્રમી જાય છે, તેમના કરતાં અધિક સુખી બની જાય છે. (૩૦) ३१. द्विमासमुनिपर्याय, आत्मध्यानरतो यतिः । भवनवासिदेवानां, तेजोलेश्यां व्यतिव्रजेत् ।। બે માસનો દીક્ષિત મુનિ ભવનપતિ (અસુરવર્જિત) દેવોનાં સુખોને અતિક્રમી જાય છે. (૩૧) સંબોધિ - ૧૪૪ Page #147 -------------------------------------------------------------------------- ________________ ३२. त्रिमासमुनिपर्याय, आत्मध्यानरतो यतिः । देवासुरकुमाराणां, तेजोलेश्या व्यतिव्रजेत् ।। ત્રણ માસનો દીક્ષિત આત્મલીન મુનિ અસુરકુમાર દેવોનાં સુખોને અતિક્રમી જાય છે. (૩૨) ३३. चतुर्मासिकपर्याय, आत्मध्यानरतो यतिः । ___ ज्योतिष्कानां ग्रहादीनां, तेजोलेश्या व्यतिव्रजेत् ।। ચાર માસનો દીક્ષિત આત્મલીન મુનિ ગ્રહ વગેરે જ્યોતિષ્ક દેવોનાં સુખોને અતિક્રમી જાય છે. (૩૩) ३४. पञ्चमासिकपर्याय, आत्मध्यानरतो यतिः । सूर्यचन्द्रमसोरेव, तेजोलेश्या व्यतिव्रजेत् ।। પાંચ માસનો દીક્ષિત આત્મલીન મુનિ જ્યોતિષ્ક દેવોના ઈન્દ્ર-ચંદ્ર અને સૂરજનાં સુખોને અતિક્રમી જાય છે. (૩૪) ३५. पाण्मासिकपर्याय, आत्मध्यानरतो यतिः । सौधर्मेशानदेवानां, तेजोलेश्या व्यतिव्रजेत् ।। છ માસનો દીક્ષિત આત્મલીન મુનિ સૌધર્મ અને ઇષાન દેવોનાં સુખોને અતિક્રમી જાય છે. (૩૫) ३६. सप्तमासिकपर्याय, आत्मध्यानरतो यतिः । सनत्कुमारमाहेन्द्र-तेजोलेश्यां व्यतिव्रजेत् ।। . સાત માસનો દીક્ષિત આત્મલીન મુનિ સનસ્કુમાર અને મહેન્દ્ર દેવોનાં સુખોને અતિક્રમી જાય છે. (૩૬) ૩૭. મચ્છમાસિક, આત્મધ્યાનરતો યતિઃ | ब्रह्मलान्तकदेवानां, तेजोलेश्यां व्यतिव्रजेत् ।। આઠ માસનો દીક્ષિત આત્મલીન મુનિ બ્રહ્મ અને લાંતક દેવોનાં સુખોને અતિક્રમી જાય છે. (૩૭) સંબોધિ -૧૪પ 10 Page #148 -------------------------------------------------------------------------- ________________ ३८. नवमासिकपर्याय, आत्मध्यानरतो यतिः । महाशुक्र-सहस्रार-तेजोलेश्यां व्यतिव्रजेत् ।। નવ માસનો દીક્ષિત આત્મલીન મુનિ મહાશુક્ર અને સહસાર દેવોનાં સુખોને અતિક્રમી જાય છે. (૩૮) ३९. दशमासिकपर्याय, आत्मध्यानरतो यतिः । आनतादच्युतं यावत्, तेजोलेश्या व्यतिव्रजेत् ।। દસ માસનો દીક્ષિત આત્મલીન મુનિ આનત, પ્રાણત, આરણ છે અને અચિત્ત દેવોનાં સુખોને અતિક્રમી જાય છે. (૩૯) ૪૦. વિમાસતિ, માત્મધ્યાન તો યતિઃ | ग्रैवेयकाणां देवानां, तेजोलेश्यां व्यतिव्रजेत् ।। અગિયાર માસનો દીક્ષિત આત્મલીન મુનિ નવ રૈવેયક દેવોનાં સુખોને અતિક્રમી જાય છે. (૪૦) ૪૨. વિશાસપર્યાય, માત્મધ્યાનતો તિઃ | અનુપાતિવા-તેનોનેય વ્યતિદ્રનેત્ | બાર માસનો દીક્ષિત આત્મલીન મુનિ પાંચ અનુત્તર વિમાન દેવોનાં સુખોને અતિક્રમી જાય છે. (૪૧). ૪૨. તતઃ શુક્સઃ 7નાતિ.. વત્તત્તેશ્યાધિષિતઃ | રેવતી પરમાનન્દ, સિદ્ધો ગુદો વિમુખ્યતે | ત્યારબાદ તે શુક્લ અને શુક્લ જાતિવાળો મુનિ શુક્લ લેશ્યાને પ્રાપ્ત થઈને કેવલી બને છે, પરમ આનંદમાં મગ્ન, સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ જાય છે. (૪૨) ४३. यो जीवान् नैव जानाति, नाऽजीवानपि तत्त्वतः । जीवाऽजीवानजानन् सः, कथं ज्ञास्यति संयमम् ।। જે તત્ત્વતઃ જીવોને નથી જાણતો, અજીવને પણ નથી જાણતો, તે જીવ-અજીવ બંનેને નહીં જાણનાર સંયમને શી રીતે જાણશે? (૪૩) સંબોધિ - ૧૪૬ Page #149 -------------------------------------------------------------------------- ________________ ४४. यो जीवानपि विजानाति, वेत्त्यजीवानपि ध्रुवम् । जीवाऽजीवान् विजानन् सः, सम्यग् ज्ञास्यति संयमम् ।। જે જીવને જાણે છે, અજીવને પણ જાણે છે, તે જીવ-અજીવબંનેને જાણનાર સંયમને સમ્યક્ રીતે જાણી લે છે. (૪૪) ४५. यदा जीवानजीवांश्च, द्वावप्येतौ विबुध्यते । तदा गतिं बहुविधां, जानाति सर्वदेहिनाम् ।। જે જીવ અને અજીવ બંનેને જાણે છે તે જીવોની વિવિધ પ્રકારની ગતિઓને જાણે છે. (૪૫) ४६. यदा गतिं बहुविधां, जानाति सर्वदेहिनाम् । पुण्यपापे बन्धमोक्षौ, तदा जानाति तत्त्वतः ।। જ્યારે માણસ જીવોની બહુવિધ ગતિઓને જાણી લે છે ત્યારે તે તત્ત્વતઃ પુણ્ય, પાપ, બંધ અને મોક્ષને પણ જાણી લે છે. (૪૬) ૪૭. પુષપાને વંધમાક્ષી, યા નાનાતિ તવંતિઃ | तदा विरज्यते भोगाद्, दिव्यात् मानुषकात् यथा ।। જ્યારે માણસ પુણ્ય, પાપ, બંઘ અને મોક્ષને જાણી લે છે, ત્યારે માણસો અને દેવોના જે કોઈ ભોગ છે, તેનાથી વિરક્ત થઈ જાય છે. (૪૭) ૪૮. ચા વિચતે મોત, વિચાતુ માનુષત્વ તથા ! तदा त्यजति संयोग, बाह्यमाभ्यन्तरं द्विधा ।। જ્યારે માણસ દેવિક અને માનષિક ભોગોથી વિરક્ત થઈ જાય છે ત્યારે તે બાહ્ય અને આત્યંતર-બંને પ્રકારના સંયોગોને ત્યાગી દે છે. (૪૮) ४९. यदा त्यजति संयोग, बाह्यमाभ्यन्तरं द्विधा । तदा मुनिपदं प्राप्य, धर्म स्पृशति संवरम् ।। જ્યારે માણસ બાહ્ય અને આત્યંતર-બંને પ્રકારના સંયોગોને ત્યાગી દે છે, ત્યારે તે મુનિપદને પામીને સંવરધર્મને સ્પર્શે છે. (૪૯) સંબોધિ ૧૪૭ Page #150 -------------------------------------------------------------------------- ________________ ५०. यदा मुनिपदं प्राप्य, धर्मं स्पृशति संवरम् । तदा धूतं कर्मरजः, भवत्यबोधिना कृतम् ।। જ્યારે માણસ મુનિપદને પામીને સંવરધર્મને સ્પર્શે છે ત્યારે તે અબોધિ દ્વારા સંચિત કર્મરજને પ્રકંપિત કરી દે છે. (૫૦) ५१. यदा धूतं कर्मरजः, भवत्यबोधिना कृतम् । तदा सर्वत्रगं ज्ञानं, दर्शनं चाऽभिगच्छति ।। જ્યારે માણસ અબોધિ દ્વારા સંચિત કર્મરજને પ્રકંપિત કરી દે છે ત્યારે તે સર્વત્રગામી જ્ઞાન અને દર્શન- કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત કરી લે છે. (૫૧) ૧૨. ચલ સર્વત્ર જ્ઞાન, સનં વોમિતિ | તવા તોમતોવખ્ય, નિની નાનીતિ વતી II જ્યારે માણસ સર્વત્રગામી જ્ઞાન અને દર્શન-કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત કરી લે છે ત્યારે તે જિન અને કેવલી બનીને લોક-અલોકને જાણી લે છે. (૫૨) ५३. यदा लोकमलोकं च, जिनो जानाति केवली । आयुषोऽन्ते निरुन्धानः, योगान् कृत्वा रजः क्षयम् ।। ५४. अनन्तामचलां पुण्यां, सिद्धिं गच्छति नीरजाः । तदा लोकमस्तकस्थः, सिद्धो भवति शाश्वतः ।। (યુએમ) કેવળજ્ઞાનની ઉપલબ્ધિ થવાથી જિન અથવા કેવલી લોક અને અલોકને જાણી લે છે. તે આયુષ્યને અંતે મન, વચન અને કાય ત્રણેય યોગોનો વિરોધ કરીને કર્મરજને સર્વથા ક્ષીણ કરી અનંત, અચળ ક્ષૌર કલ્યાણકારી સિદ્ધગતિને પ્રાપ્ત કરીને, શાશ્વત સિદ્ધ થઈને લોકના અગ્રભાગમાં અવસ્થિત થઈ જાય છે. (પ૩, ૧૪) ५५. . अभूवंश्च भविष्यन्ति, सुव्रता धर्मचारिणः । एतान् गुणानुदाहुस्ते, साधकाय शिवङ्करान् ।। જે સુવ્રત અને ધાર્મિક થયા છે અને થશે, તેમણે સાધક માટે કલ્યાણ કરનારા આ જ ગુણોનું નિરૂપણ કર્યું છે. (૫૫) સંબોધિ ૧ ૧૪૮ Page #151 -------------------------------------------------------------------------- ________________ (અધ્યાય-૧૦) સંચમચર્યા Page #152 -------------------------------------------------------------------------- ________________ Page #153 -------------------------------------------------------------------------- ________________ આભાર | મુનિ સાધક છે. તે મોક્ષનો અધિકારી છે. મોક્ષ મુનિ બનવાની સાથે જ મળી જતું નથી. જો એમ હોત તો સમગ્ર સંસાર મુનિ બની જાત અને મુક્ત થઈ જાત. મુનિની નૈશ્ચચિક અને વ્યાવહારિક સાધના સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચ્ચારિત્રમૂલક હોય છે. જ્યાં આ ( રત્નત્રયીમાં ખલના થાય છે, ત્યાં સાધુત્વ પણ અક્ષણ ){ (8 રહેતું નથી. નિશ્ચયનયની દૃષ્ટિએ રત્નત્રયીની આરાધના ( આત્માની આરાધના છે. વ્યવહારનયની દૃષ્ટિમાં તેમની ) આરાધના માટે આલંબન લેવું પડે છે. કારણ કે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી ગતિ, અગતિ, સ્થિતિ, ભાષણ, આહાર વગેરેની પણ અપેક્ષા રહે છે. આ બધું શી રીતે થવું જોઈએ ? એવી જિજ્ઞાસાઓનાં સમાધાન ભગવાન મહાવીરની દૃષ્ટિએ અહીં પ્રસ્તુત છે. મન, વાણી અને શરીરની નિવૃત્તિ એ મોક્ષ છે. પરંતુ છે 7 નિવૃત્તિ સીધેસીધી આવી જતી નથી. પ્રવૃત્તિ અને ઈ નિવૃત્તિનો ક્રમ હોય છે. નિવૃત્તિની સાથે પ્રારંભે પ્રવૃત્તિ હોય છે અને પ્રવૃત્તિની સાથે નિવૃત્તિ હોય છે. નિવૃત્તિના અંતિમ છે બિંદુએ જ્યારે સાધક પહોંચી જાય છે ત્યારે તે પ્રવૃત્તિની 7 જાળથી મુક્ત થઈ જાય છે. સાધક પ્રારંભિક દશામાં પ્રવૃત્તિ માટે ચાલે છે. તે | પ્રવૃત્તિ સત હોય છે. સત્યવૃત્તિ અસનો નિરોધ કરી દે છે. jક નિવૃત્તિના અંતિમ બિંદુની આગળ સુધી પ્રવૃત્તિ ચાલે છે. જે ( સાધક એ જાણે છે કે એક જ ઝાટકે પ્રવૃત્તિને તોડી શકાતી ક નથી. તે ઇચ્છે છે કે તે પોતાના જીવનમાં નિવૃત્તિને છે ધ મુખ્યતા આપે, પરંતુ તે શી રીતે બની શકે ? પ્રસ્તુત છે R અધ્યાયમાં તેનું પ્રતિપાદન છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ Page #155 -------------------------------------------------------------------------- ________________ સંવતચર્યા मेघः प्राह ૨. કર્થ તુ વયં તિકેતુ, શીતાણીત વા થમ્ | कथं भुञ्जीत भाषेत, साधको ब्रूहि मे प्रभो ! મેઘ બોલ્યો, હે પ્રભુ ! મને એ જણાવો કે સાધકે કઈ રીતે ચાલવું? કઈ રીતે રોકાવું ? કઈ રીતે સૂઈ જવું? કઈ રીતે બેસવું ? કઈ રીતે ખાવું અને કઈ રીતે બોલવું? (૧) भगवान् प्राह ૨. યાં ત્યાં તિકેતુ, શીતાસત વા યતમ્ | यतं भुञ्जीत भाषेत, साधकः प्रयतो भवेत् ।। ભગવાને કહ્યું, સાધકે સંયમપૂર્વક ચાલવું. સંયમપૂર્વક રોકાવું. સંયમપૂર્વક સૂઈ જવું. સંયમપૂર્વક બેસવું. સંયમપૂર્વક ખાવું અને સંયમપૂર્વક બોલવું. તેણે પ્રત્યેક કાર્યમાં સંયત રહેવું જોઈએ. (૨) રૂ. નનમણે ગતા નૌ, સર્વતો નિષ્પરિટ્યૂવા !. गच्छन्ती वाऽपि तिष्ठन्ती, परिगृह्णाति नो जलम् ।। પાણીની વચ્ચે ઊભેલી નૌકા, જે સર્વથા છિદ્રરહિત હોય, ભલે તે ચાલતી હોય કે ઊભેલી હોય, પાણીને પોતાનામાં પ્રવેશવા દેતી નથી. તેમાં પાણી ભરાતું નથી. (૩) ૪. પર્વ નીવાવ ને તો, મુમુક્ષુ સંતવઃ || गच्छन् वा नाम तिष्ठन् वा, नादत्ते पापकं मलम् ।। ૧. આ જગત જીવાકુળ છે, તેમાં કોઈ અહિંસક કેવી રીતે રહી શકે ? આ સંદર્ભમાં આ બે શ્લોક (૩,૪) પઠનીય છે. સંબોધિ , ૧૫૩ Page #156 -------------------------------------------------------------------------- ________________ એ જ રીતે જે સાધકે આસવનો નિરોધ કરી લીધો હોય તે આ જીવાકુલ લોકમાં રહેવા છતાં, ભલે ચાલે કે ઊભો રહે, પાપ-મળને ગ્રહણ કરતો નથી. (૪) मेघः प्राह ". મેઘ બોલ્યો, પ્રભુ ! પહેલાં કે પછી ગમે ત્યારે એક દિવસ આ શરીરને છોડવાનું જ હોય તો સાધકે શા માટે ખાવું જોઈએ તે મને જણાવો. (૫) त्यक्तव्यो नाम देहोऽयं, पुरा पश्चाद् यदा कदा । तत् किमर्थं हि भुञ्जीत, साधको ब्रूहि मे प्रभो ! भगवान् प्राह ૬. ભગવાને કહ્યું, સાધકે ઊર્ધ્વલક્ષી બનીને ક્યારેય બાહ્ય વિષયોની આકાંક્ષા ન કરવી જોઈએ. માત્ર પૂર્વકર્મોના ક્ષય માટે જ આ શરીરને ધારણ કરવું જોઈએ. (૬) ૭. बहिस्तात् ऊर्ध्वमादाय, नावकांक्षेत् कदाचन । पूर्वकर्मविनाशार्थं, इमं देहं समुद्धरेत् ।। ૮. ભોજન વગર શરીર ટકતું નથી અને શરીર વગર ધર્મ થતો નથી, તેથી શરીરનો નિર્વાહ કરવા માટે સાધક ભોજન કરે તે ઇષ્ટ છે. (૭) विनाहारं न देहोऽसौ, न धर्मो देहमन्तरा । निर्वाहं तेन देहस्य, कर्तुमाहार इष्यते ।। व्रज्याक्षुत्शान्तिसेवा यै, प्राणसन्धारणाय च । संयमाय तथा धर्मचिन्तायै मुनिराहरेत् ।। મુનિ જ્યા-ગમનશક્તિ, ક્ષુધાશાંતિ, સંયમીસેવા, પ્રાણધારણ, સંયમયાત્રા તથા ધર્મચિંતન કરી શકે તેવી શક્તિ ટકાવી રાખવા માટે ભોજન કરે છે. (૮) સંબોધિ તા. ૧૫૪ Page #157 -------------------------------------------------------------------------- ________________ आतके उपसर्गे च, जातायां विरतौ तनौ । ब्रह्मचर्यस्य रक्षायै, दयायै प्राणिनां तथा ।। नानारूपं तपस्तप्तुं, कर्मणां शोधनाय च । आहारस्य परित्यागं, कर्तुमर्हति संयतिः ।। અસાધ્ય રોગ, ભયંકર ઉપસર્ગ, શરીરમાં વિરક્તિ, બ્રહ્મચર્યની રક્ષા, જીવહિંસાથી વિરતિ, વિવિધ પ્રકારનાં તપ, અને કર્મના શુદ્ધીકરણ માટે મુનિએ ભોજનનો પરિત્યાગ કરવો ઉચિત છે. (૯, ૧૦) ૨૨. અત્પવારનાસ, વતૂચન્માનિ થયા ! માત્રામાન્ચ મુન્નાનો, મિતાહા મતિઃ || જે મુનિ અનાસક્ત ભાવે એક કે બે વખત ખાય છે, સંખ્યામાં અલ્પ વસ્તુઓ અને પ્રમાણમાં ઓછું ખાય છે તે મિતભોજી છે. (૧૧) ૨૨. નિતઃ સ્વાહો નિતાફ્રેન, વિષયાઃ સની પરે ! રસો યસ્થાન પ્રાપ્ત , સર તુમëતિ | જેણે સ્વાદને જીતી લીધો, તેણે તમામ વિષયોને જીતી લીધા. જેને આત્મામાં રસ-આનંદની અનુભૂતિ થઈ ગઈ એ જ પુરુષ રસઈન્દ્રિયવિષયોને જીતી શકે છે. (૧૨) રૂ. ન વામન્ હર તાવ, સંચારયેન્દ્ર શાનું ! दक्षिणाच्च तथा वामं, आहरन् मुनिरात्मवित् ।। આત્મવિદ્ મુનિએ ભોજન કરતી વખતે સ્વાદ માટે જમણા જડબાથી ડાબી તરફ તથા ડાબા જડબાથી જમણી તરફ ભોજનનો. સંચાર ન કરવો જોઈએ. (૧૩) १४. स्वादाय विविधान् योगान्, न कुर्यात् खाद्यवस्तुषु । संयोजनां परित्यज्य, मुनिराहारमाचरेत् ।। સંબોધિ ૧૫૫ Page #158 -------------------------------------------------------------------------- ________________ મુનિએ સ્વાદ માટે ખાદ્ય પદાર્થોમાં વિવિધ પ્રકારના સંયોગ ન મેળવવા જોઈએ. આ સંયોજના દોષનું વર્જન કરીને તેણે ભોજન કરવું જોઈએ. (૧૪) १५. अप्रमाणं न भुञ्जीत, न भुञ्जीताप्यकारणम् । श्लाघां कुर्वन्न भुञ्जीत, निन्दन्नपि न चाहरेत् ।। મુનિએ પ્રમાણથી વધુ ન ખાવું, નિષ્કારણ ન ખાવું, સરસ ભોજનની પ્રસંશા કે નીરસ ભોજનની નિંદા કરતાં કરતાં ન ખાવું જોઈએ. (૧૫) मेघः प्राह ૬. ગાયત્તે યે પ્રિયન્ત તે, મૃતા પુનર્ભવન્તિ ૨ | તત્ર વુિં ગીવન શ્રેય, શ્રેયો વા મા ભવેત્ | મેઘ બોલ્યો, જેને જન્મ થાય છે તેનું મૃત્યુ થાય છે, જેનું મૃત્યુ થાય છે, તેનો પુનઃ જન્મ થાય છે આવા સંજોગોમાં જીવવું શ્રેય ગણાય કે મરવું ? (૧૬) भगवान् प्राह १७. संयमासंयमाभ्यां तु, जीवनं द्विविधं भवेत् । संयतं जीवनं श्रेयः, न श्रेयोऽसंयतं पुनः ।। ભગવાને કહ્યું, જીવન બે પ્રકારનું હોય છે- સંતજીવન અને અસંયમજીવન. સંતજીવન શ્રેય છે, અસંયમજીવન શ્રેય નથી. (૧૭) १८. सकामाकामभेदेन, मरणं द्विविधं स्मृतम् । सकाममरणं श्रेयः, नाऽकाममरणं भवेत् ।। મૃત્યુના બે પ્રકાર છે - સકામ મૃત્યુ (આત્મવિશુદ્ધિની ભાવનાયુક્ત) અને અકામ (આત્મવિશુદ્ધિની ભાવનાથી રહિત) મૃત્યુ. સકામ મૃત્યુ શ્રેય છે. અકામ મૃત્યુ શ્રેય નથી. (૧૮) સંબોધિ તા૧૫૬ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૬૨. अकामं नाम बालानां, मरणं जायते मुहुः I पण्डितानां सकामं तु, अल्पादल्पं सकृद् भवेत् ।। બાળ-અસંયમી જીવોને વારંવાર અકામમરણ થાય છે. પંડિતસંયમી જીવોને સકામમરણ થાય છે અને તે વધુ વખત નથી થતુંઓછામાં ઓછું એક વખત અને વધુમાં વધુ પંદર વખત થાય છે, પછી તે મુક્ત થઈ જાય છે. (૧૯) ૨૦. पतित्वा पर्वताद् वृक्षात्, प्रविश्य ज्वलने जले । म्रियते मूढचेतोभिः, अप्रशस्तमिदं भवेत् ।। મૂઢ ચેતનાવાળા લોકો પર્વત કે વૃક્ષથી નીચે પડીને, અગ્નિ કે જળમાં પ્રવેશ કરીને મૃત્યુ પામે છે, તે અપ્રશસ્તમરણ-અકામમરણ કહેવાય છે. (૨૦) ૨૬. ब्रह्मचर्यस्य रक्षायै, कुर्यात् प्राणविसर्जनम् । प्रशस्तं मरणं प्राहुः, रागद्वेषाऽप्रवर्तनात् ।। બ્રહ્મચર્યના રક્ષણ માટે પ્રાણનું વિસર્જન કરવું તે પ્રશસ્તમરણસકામમરણ કહેવાય છે, કારણ કે ત્યાં રાષ્લેષની પ્રવૃત્તિ હોતી નથી. (૨૧) ૨૨. यस्य किञ्चिद् व्रतं नास्ति, स जनो बाल उच्यते । व्रताव्रतं भवेद्यस्य, स प्रोक्तो बालपण्डितः ।। જેનામાં કોઈપણ વ્રત નથી હોતું, તે માણસ ‘બાળ’ કહેવાય છે. જેને વ્રત-અવ્રત બંને હોય છે, પૂર્ણ વ્રત પણ નથી હોતું અને પૂર્ણ અવ્રત પણ નથી હોતું, તે ‘બાલપંડિત' કહેવાય છે. (૨૨) ૨૨. पण्डितः स भवेत् प्राज्ञो, यस्य सर्वव्रतं भवेत् । सुप्तः सुप्तश्च जाग्रच्च, जाग्रदुक्तिविधानतः ।। જેને પૂર્ણ વ્રત હોય છે તે પ્રાજ્ઞપુરુષ ‘પંડિત’ કહેવાય છે. પૂર્વોક્ત રીતિ મુજબ પુરુષોના ત્રણ પ્રકાર હોય છે ઃ (૧) સુપ્ત, (૨) સુમ-જાગૃત, (૩) જાગૃત. સંબોધિ ૧૫૭ Page #160 -------------------------------------------------------------------------- ________________ અવ્રતીને સુમ, વ્રતા-વ્રતીને સુખ-જાગૃત અને સર્વવ્રતીને જાગૃત કહેવામાં આવે છે. (૨૩) ૨૪. વિમધપક્ષેડપિ પર્વે િવન | ઘર્મપણે સ્થિતઃ તિ, ત્રિવિધ વિઘતે ગનઃ || પક્ષ ત્રણ હોય છે? (૧) અધર્મ પક્ષ, (૨) ધર્માધર્મ પક્ષ, (૩) ધર્મપક્ષ. આ ત્રણ પક્ષમાં અવસ્થિત હોવાને કારણે પુરુષ પણ ત્રણ પ્રકારના હોય છે : (૧) અધર્મી, (૨) ધર્માધર્મી અને (૩) ધર્મી. (૨૪) २५. हव्यवाहः प्रमथ्नाति, जीणं काष्ठं यथा धूवम् । तथा कर्म प्रमथ्नाति, मुनिरात्मसमाहितः ।। જેવી રીતે અગ્નિ જીર્ણ કાષ્ઠને ભસ્મ કરી નાખે છે, એ જ રીતે સમાધિયુક્ત આત્માવાળો મુનિ કર્મોને ભસ્મ કરી નાખે છે. (૨૫) २६. कर्मानुभावतो जीवः, नानागतिषु गच्छति । परोक्षे द्वे प्रविद्येते, संशयस्तत्र जायते ।। કર્મોના અનુભાવથી જીવ નરક, તીર્થંચ, મનુષ્ય અને દેવ- આ ચારેય ગતિઓમાં પરિભ્રમણ કરે છે. તેમાં નરક અને સ્વર્ગ– એ બંને પરોક્ષ છે. પરોક્ષ વિશે સંશય પેદા થઈ જાય છે તેથી કહેવામાં આવ્યું કે- (૨૬) - ર૭. ના નામ નાસ્તીતિ, નૈવ સંજ્ઞા નિવેશ स्वर्गोऽपि नाम नास्तीति, नैवं संज्ञा निवेशयेत् ।। નરક નથી'- એવી અવધારણા ન કરો. ‘સ્વર્ગ નથી'- એવી. અવધારણા ન કરો. (૨૭). ર૮. પૂર્વેકિયવ વૃત્વા, મહામહિમ | मांसस्य भोजनश्चापि, नरकं याति मानवः ।। સંબોધિત ૧૫૮ Page #161 -------------------------------------------------------------------------- ________________ જે પુરુષ પંચેન્દ્રિયનો વધ કરે છે, મહાઆરંભ-હિંસા કરે છે, મહાપરિગ્રહી હોય છે અને જે માંસાહાર કરે છે તે નરકમાં જાય છે. (૨૮) ર૧. સાસંયમો નૂન, સંચમા સંયમતથા | अकामनिर्जरा बाल-तपः स्वर्गस्य हेतवः ।। સ્વર્ગમાં જવાનાં ચાર કારણો છે : (૧) સરાગ સંયમઅવીતરાગનો સંયમ, (૨) સંયમસંયમ– અપૂર્ણ સંયમ, (૩) અકામ નિર્જરા- જેમાં મોક્ષનો ઉદ્દેશ ન હોય એવાં તપ દ્વારા થતી આત્મશુદ્ધિ અને (૪) બાળતપ- અજ્ઞાનીનું તપ. (૨૯). ૨૦. વિનીત કરતા વ, અત્યારશ્નપપ્રહઃ | सानुक्रोशोऽमत्सरी स, जनो याति मनुष्यताम् ।। જે વિનીત અને સરળ હોય છે, અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહવાળો હોય છે, દયાળુ અને માત્સર્યરહિત હોય છે તે મૃત્યુ પછી મનુષ્યજન્મ પામે છે. (૩૦) ३१. मायाञ्च निकृतिं कृत्वा, कृत्वा चासत्यभाषणम् । कूटं तोलं च मानञ्च, जीवस्तिर्यग्गतिं व्रजेत् ।। તીર્થંચ- પશુ-પક્ષી વગેરેની ગતિમાં ઉત્પન્ન થવાનાં ચાર કારણો છે : (૧) કપટ, (૨) પ્રવંચના, (૩) અસત્ય ભાષણ અને (૪) ખોટું તોલમાપ. (૩૧) રૂ. શુમાશુમા વર્મા, સંસારમનુવર્તત ! प्रमादबहुलो जीवोऽप्रमादेनान्तमृच्छति ।। પ્રમાદી જીવ શુભ અને અશુભ કર્મો દ્વારા સંસારમાં અનુવર્તન કરે છે અને અપ્રમાદી જીવ સંસારનો અંત કરી દે છે. (૩૨) ३३. बोधिमासाद्य जायन्ते, भवभ्रमपराङ्मुखाः । અવધિઃ પામે ઋષ્ટ, વોઃ સુવમનુત્તરમ્ | કેટલાક માણસો બોધિ પ્રાપ્ત કરીને સંસારભ્રમણથી પરાક્ષુખ બની જાય છે. અબોધિ પરમ કષ્ટ છે અને બોધિ અનુત્તર સુખ છે. (૩૩) Page #162 -------------------------------------------------------------------------- ________________ ३४. स्वयं बुद्धा भवन्त्येके, केचित् स्युर्बुद्धबोधिताः । વિત્ પ્રત્યેવૃદ્ધા , વોર્નાિનાયના મવેત્ | સંસારનો અંત કરનારાઓમાં કેટલાક જીવો “સ્વયંબુદ્ધ'ઉપદેશ વગેરે વગર સ્વતઃ બોધ પામનાર હોય છે, કેટલાક જીવો બુદ્ધબોધિત’ – બુદ્ધો દ્વારા પ્રતિબદ્ધ થાય છે અને કેટલાક જીવો પ્રત્યેક બુદ્ધ'– કોઈ એક ઘટનાવિશેષમાં બોધ પામી જનારા હોય છે. આમ બોધિની પ્રાપ્તિના અનેક માર્ગ છે. (૩૪) . ચોથનામેવતઃ પુH, વિમેવો દિનાયતે | रुचिभेदाद् भवेद् भेदः, साधनाध्वावलम्बने ।। તમામ માણસોની યોગ્યતા સરખી નથી હોતી. તેથી તેમની રુચિ પણ સમાન નથી હોતી. રુચિભેદને કારણે સાધનાના વિભિન્ન માર્ગોનું અવલંબન લેવામાં આવે છે. (૩૨) ૩૬. બુદ્ધી વિટુ ગોધ: ચું, વિમ્ વૃદ્ધા ન નોધઃ | आत्मानुकम्पिनः केचित्, केचिद् द्वयानुकम्पकाः ।। કેટલાક સ્વયંબુદ્ધ પણ હોય છે અને બીજાઓને બોધ-ઉપદેશ પણ આપે છે. કેટલાક સ્વયંબુદ્ધ હોય છે પરંતુ બીજાઓને બોધ આપતા નથી. કેટલાક માત્ર આત્માનુકંપી હોય છે અને કેટલાક ઉભયાનુકંપી- પોતાની તથા બીજાઓની-- બંનેની અનુકંપા કરનારા હોય છે. (૩૬) રૂ૭. પિતાશેષમાં હિં, નિર્મલા વિમુચ્યતે | मुच्यते चान्यलिङ्गोऽपि, गृहिलिङ्गोऽपि मुच्यते ।। અશેષ કર્મોનો ક્ષય કરનાર મુનિ ભવમુક્ત બને છે. મુક્ત થવામાં આત્મશુદ્ધિની મુખ્યતા છે, લિંગ-વેશની નહીં. જે વીતરાગ બને છે તે મુક્ત થઈ જાય છે, ભલે પછી તે અન્યલિંગી-જૈનેતર સાધુના વેશમાં હોય કે ગૃહલિંગી-ગૃહસ્થના વેશમાં હોય. (૩૭) રૂ૮. પ્રત્યાર્થગ્ન નોસ્ટ, નાનાવિઘવપૂનમ્ | यात्रार्थं ग्रहणार्थञ्च, लोके लिङ्गप्रयोजनम् ।। લોકોને એવું પ્રતીત થાય કે આ સાધુ છે, તેથી વિવિધ પ્રકારના વેશની પરિકલ્પના કરવામાં આવી છે. જીવનયાત્રાને નિભાવવી સંબોધિ -૧૬૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ અને ‘હું સાધુ છું’, એવું ધ્યાન ટકી રહે- આ લોકમાં વેષધારણનાં આ પ્રયોજનો છે. (૩૮) ૨૬. જો મોક્ષની વાસ્તવિક સાધનાની પ્રતિજ્ઞા-સંકલ્પ હોય તો નિશ્ચયદૃષ્ટિએ તેનાં સાધનો જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ છે. (૩૯) 1 अथ भवेत् प्रतिज्ञा तु, मोक्षसद्भावसाधिका । ज्ञानञ्च दर्शनं चैव, चारित्रं चैव निश्चये ।। ૪૦. संशयं परिजानाति, संसारं परिवेत्ति सः । संशयं न विजानाति, संसारं परिवेत्ति न ।। જેનામાં સંશય-જિજ્ઞાસા છે, તે સંસારને જાણે છે. જેનામાં જિજ્ઞાસાનો અભાવ છે તે સંસારને જાણતો નથી. (૪૦) ૪૬. પૂર્વાસ્થિતાઃ સ્થિર છે, પૂર્વાસ્થિતાઃ પતત્ત્વવિ । नोत्थिता न पतन्त्येव, भङ्गः शून्यश्चतुर्थकः ।। કેટલાક લોકો પહેલાં સાધના માટે ઉઘત બને છે. અને અંત સુધી તેમાં સ્થિર રહે છે. કેટલાક લોકો પહેલાં સાધના માટે ઉદ્યત થાય છે અને પછી પડી જાય છે. કેટલાક લોકો સાધના માટે ન તો ઉઘત થાય છે કે ન તો પડે છે. તેનો ચતુર્થભંગ શૂન્ય હોય છેબનતો જ નથી. (૪૧) ૪ર. यत् सम्यक् तत् भवेन्मौनं, यन्मौनं सम्यगस्ति तत् । मुनिः मौनं समादाय, धुनीयाच्च शरीरकम् ।। જે સમ્યક્- યથાર્થ છે, તે મૌન શ્રામણ્ય છે અને જે મૌન છે, તે સમ્યક છે. મુનિએ મૌનને સ્વીકારીને કર્મશરીરને પ્રકંપિત કરવું જોઈએ, શરીરમુક્ત બનવું જોઈએ. (૪૨) ૪૨ે. સ્વયંબુદ્ધ ! મા બુદ્ધ, વોષિતત્ત્વ મુર્ત્તમમ્ । શરણ્ય ! ારાં હિ, યેન લોધિવિષ્ણુતિ !! હે સ્વયંબુદ્ધ ! મેં સુદુર્લભ બોધિતત્ત્વને જાણી લીધું. હૈ શરણ્ય ! મને શરણ આપો, જેથી મારી બોધિ વિશુદ્ધ બની જાય. (૪૩) સંબોધિ : ૧૬૧ Page #164 -------------------------------------------------------------------------- ________________ Page #165 -------------------------------------------------------------------------- ________________ (અધ્યાય-૧૧ Desa Doce આત્મામૂલકધર્મ પ્રતિપાદન. Page #166 -------------------------------------------------------------------------- ________________ Page #167 -------------------------------------------------------------------------- ________________ આમુખ આત્મા ચેતન દ્રવ્ય છે. તે સ્વતંત્ર છે. તેનું અસ્તિત્વ મૂળથી જ અલગ છે. મૂળથી અલગ હોવા છતાં તે મૂળ નથી. ચેતનાનો પૂર્ણ અભ્યુદય થયા પછી આત્માનો મૂળ સાથેનો સંબંધ વિચ્છેદ પામે છે. મૂળ-વિજાતીય દ્રવ્યના અસ્તિત્વમાં આત્માનું સંચરણ થતું રહે છે. આત્માની વિવિધ અવસ્થાઓનું કારણ કર્મ છે અને તેની તેમાંથી પેદા થયેલી ચેષ્ટાઓ છે. કર્મ અને કર્મની પ્રતિક્રિયાનું સ્વરૂપ અધિગત થઈ ગયા પછી વ્યક્તિ કર્મ ઉપર અનુશાસન કરી શકે છે. તે કર્મપ્રવાહને રોકીને અકર્મા બની જાય છે. અકર્મ માટે સંસાર નથી. કર્મનો પ્રવાહ સંસાર છે. આત્માને સ્વભાવ તરફ કઈ રીતે પ્રેરિત કરી શકાય અને તે વિભાવથી શી રીતે મુક્ત થઈ શકે તેનો વિવેક આ અધ્યાયમાં રજૂ કરવામાં આવ્યો છે. 600 G 100 કા Page #168 -------------------------------------------------------------------------- ________________ Page #169 -------------------------------------------------------------------------- ________________ આત્મમૂલકધર્મ-પ્રતિપાદન भगवान् प्राह છે. અત્યાત્મિા વેતનાપો, મિત્ર પૌળિઃ | स्वतन्त्रः करणे भोगे, परतन्त्रश्च कर्मणाम् ।। આત્માનું સ્વરૂપ ચેતન છે. તે પૌદ્ગલિક ગુણોથી અલગ છે. તે કર્મ કરવામાં સ્વતંત્ર અને તેનું ફળ ભોગવવામાં પરતંત્ર છે. (૧) २. अध्रुवे नाम संसारे, दुःखानां काममालये । परिभ्राम्यन्नयं प्राणी, क्लेशान् व्रजत्यतर्कितान् ।। આ સંસાર અધ્રુવ-અશાશ્વત છે અને દુઃખોનું આલય છે. તેમાં પરિભ્રમણ કરતાં કરતાં પ્રાણી અતર્કિત લેશો પામે છે. (૨) રૂ. પુનર્નવી વૃન, વિચિત્ર ઘરતે વપુઃ कृत्वा नानाविधं कर्म, नानागोत्रासु जातिषु ।। જીવ પોતાના આચરણથી વારંવાર જન્મ લે છે અને વિચિત્ર પ્રકારનાં શરીર ધારણ કરે છે. તે વિભિન્ન પ્રકારનાં કર્મોનું ઉપાર્જન કરીને વિભિન્ન ગોત્રવાળી જાતિઓમાં પેદા થાય છે. (૩) ૪. પ્રહાળ્યા વિના વિષ્યિ, માનુપૂર્ચા કરીને ! जीवाः शोधिमनुप्राप्ता, आव्रजन्ति मनुष्यताम् ।। કર્મોની હાનિ થતાં થતાં જીવ ક્રમશઃ વિશુદ્ધિ પામે છે અને વિશુદ્ધ જીવ મનુ ગતિમાં જન્મ લે છે. (૪) ૧. સંધ્યાપિ માનુષ ગજ, શ્રુતિર્ધર્નચ ટુર્તમાં | यां श्रुत्वा प्रतिपद्यन्ते, तपः क्षान्तिमहिंसताम् ।। સંબોધિ - ૧૬૭ Page #170 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યનો જન્મ મળવા છતાં તે ધર્મની શ્રુતિ દુર્લભ છે, જે સાંભળીને લોકો તપ-ક્ષમા અને અહિંસક વૃત્તિનો સ્વીકાર કરે છે. (૫) કદાચ ધર્મને સાંભળવાની તક મળે તો પણ તેમાં શ્રદ્ધા પેદા થવાનું અત્યંત કઠિન છે. પાર પહોંચાડનાર માર્ગ સાંભળવા છતાં ઘણા લોકો માર્ગભ્રષ્ટ થઈ જાય છે. (૬) कदाचिच्छ्रवणे लब्धे, श्रद्धा परमदुर्लभा । श्रुत्वा नैर्यात्रिक मार्ग, भ्रश्यन्ति बहवो जनाः ।। ૭. श्रुतिञ्च लब्ध्वा श्रद्धाञ्च वीर्यं पुनः सुदुर्लभम् । रोचमाना अप्यनेके, नाचरन्ति कदाचन ।। ધર્મશ્રવણ અને શ્રદ્ધા પ્રાપ્ત થવા છતાં વીર્ય દુર્લભ છે. અનેક લોકો શ્રદ્ધા ધરાવતા હોવા છતાં ધર્મનું આચરણ કરતા નથી. (૭) ૮. लब्ध्वा मनुष्यतां धर्मं, श्रृणुयाच्छ्रद्दधीत यः । વીય સ ચ સનાસાદ્ય, ધુનીયાત્ દુઃરણમનિતમ્ ।। માનવજન્મ પામ્યા પછી જે ધર્મને સાંભળે છે, તેમાં શ્રદ્ધા કેળવે છે અને સંયમમાં શક્તિનો પ્રયોગ કરે છે તે વ્યક્તિ અર્જિત દુઃખોને પ્રકંપિત કરી મૂકે છે. (૮) ૬. શોધિ: ऋजुकभूतस्य, ધર્મ: शुद्धस्य तिष्ठति 1 નિર્વાળ પરમં યાતિ, ધૃતસિ ાનતઃ ।। શુદ્ધિ એને જ પ્રાપ્ત થાય છે કે જે સરલ હોય છે. ધર્મ એ આત્મામાં જ સ્થિર થાય છે, કે જે શુદ્ધ હોય છે. જે આત્મામાં ધર્મ હોય છે તે ઘી વડે સિંચાયેલા અગ્નિની જેમ પરમ દીપ્તિ પામે છે. (૯) १०. नियत्या नाम सञ्जाते, परिपाके भवस्थिते: । मोहकं क्षपयन् कर्म, विमर्शं लभतेऽमलम् ।। ૧. નિર્વાણ એટલે શાંતિ, બૂઝાઈ જવું. પ્રસ્તુત પ્રસંગમાં તેનો અર્થ છે. દીપ્તિ. સંબોધિ - ૧૬૮ Page #171 -------------------------------------------------------------------------- ________________ નિયતિ દ્વારા ભવસ્થિતિ પાકતાં જીવ મોહકર્મનો નાશ કરતો કરતો વિષદ વિચારણા પામે છે. (૧૦) ११. तत्किं नाम भवेत् कर्म, येनाऽहं स्यान्न दुःखभाक् । जिज्ञासा जायते तीव्रा, ततो मार्गो विमृश्यते ।। એવું કયું કર્મ છે કે જેનું આચરણ કરવાથી હું દુઃખી ન થાઉં ? માનવીના મનમાં આવી તીવ્ર જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. ત્યાર પછી તે માર્ગની શોધ કરે છે. (૧૧) १२. તેની બુદ્ધિ સત્યમાં નિયોજિત થઈ જાય છે. તે આત્મલીન અને સત્યની શોધમાં તત્પર બને છે. તે સ્થૂળ સત્યને છોડીને સૂક્ષ્મ સત્યનું અવગાહન કરે છે. (૧૨) " सत्यधीरात्मलीनोऽसौ सत्यान्वेषणतत्परः । સ્થૂલસત્યં સમુન્નાર્ય, સૂક્ષ્મ તવવાહતે ।।. ૧૨. माता पिता स्नुषा भ्राता भार्या पुत्रास्तथौरसाः । त्राणाय मम नालं ते, लुप्यमानस्य ર્મળા || સૂક્ષ્મ સત્યનું અવગાહન કરનાર એ સત્ય પામી જાય છે કે પોતાનાં કર્મોથી પીડિત થવા છતાં મારી સુરક્ષા માટે માતા-પિતા, પતોહૂ, ભાઈ, પત્ની અને પુત્રવધૂ પુત્ર- કોઈ સમર્થ નથી. (૧૩) ૬૪. अध्यात्मं' सर्वतः सर्वं, दृष्ट्वा जीवान् प्रियायुषः । न हन्ति प्राणिनः प्राणान्, भयादुपरतः क्वचित् ।। સઘળા જીવ દરેક રીતે સમાન અનુભૂતિ ધરાવે છે. તેમને જીવન પ્રિય છે, એવું જોઈને પ્રાણીઓના પ્રાણોનો વધ ન કરે, ભય અને વેરથી નિવૃત્ત બનેં- અભય બને. (૧૪) ૬૬. आदानं नरकं दृष्ट्वा, मोहं तत्र न गच्छति । आत्मारामः स्वयं स्वस्मिन्लीनः शान्तिं समश्नुते ।। ૧. અધ્યાત્મના અનેક અર્થ છે. પ્રસ્તુત પ્રસંગમાં અધ્યાત્મનો અર્થ છે. આત્માનુભૂતિ. સંબોધિ – ૧૬૯ Page #172 -------------------------------------------------------------------------- ________________ આદાન-પરિગ્રહને નરક સમજીને જે તેનો મોહ નથી કરતો અને સ્વયં પોતાનામાં જ લીન રહે છે, તેવી આત્મામાં રમણ કરનાર વ્યક્તિ શાંતિ પામે છે. (૧૫) १६. इहैके नाम मन्यन्ते, अप्रत्याख्याय पापकम् । વિલિત્વા તત્ત્વમાત્માસી, સર્વદુઃgદિમુચ્યતે | કેટલાક લોકો એમ માને છે કે પાપનો પરિત્યાગ કરવાનું આવશ્યક નથી. જે તત્ત્વને જાણી લે છે, તે આત્મા તમામ દુઃખોથી મુક્ત થઈ જાય છે. (૧૬) १७. वदन्तश्चाप्यकुर्वन्तो, बन्धमोक्षप्रवेदिनः । आश्वासयन्ति चात्मानं, वाचा वीर्येणं केवलम् ।। જે માત્ર કહે છે, પરંતુ કરતા નથી, બંધન અને મુક્તિનું નિરૂપણ કરે છે, પરંતુ બંધનમાંથી મુક્તિ મળે તેવો ઉપાય કરતા નથી, તેઓ માત્ર વચનના વીર્ય દ્વારા પોતાની જાતને આશ્વાસન આપતા રહે છે. (૧૭) १८. न चित्रा त्रायते भाषा, कुतो विद्यानुशासनम् । विषण्णाः पापकमभ्यो, बालाः पण्डितमानिनः ।। તેવા અજ્ઞાનીઓ પોતાની જાતને પંડિત માનવા છતાં બાળક છે. તેઓ પાપકર્મ થકી વિષાદ પામી રહ્યા છે. તેમને વિચિત્ર પ્રકારની ભાષાઓ અને વિદ્યાનું અનુશાસન-શિક્ષણ પણ પાપથી બચાવી શકતું નથી. (૧૮) १९. ज्ञानञ्च दर्शनञ्चैव, चरित्रं च तपस्तथा । एष मार्ग इति प्रोक्तं, जिनैः प्रवरदर्शिभिः ।। જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ- તેમનો સમુદાય મોક્ષનો માર્ગ છે. શ્રેષ્ઠ દર્શનવાળા વીતરાગે આ પ્રમાણે કહ્યું છે. (૧૯) २०. ज्ञानेन ज्ञायते सर्व, विश्वमेतच्चराचरम् । श्रद्धीयते दर्शनेन, दृष्टिमोहविशोधिना ।। સંબોધિ , ૧૭૦ Page #173 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન થકી સમસ્ત ચરાચર વિશ્વને જાણી શકાય છે. દર્શનમોહની વિશુદ્ધિથી પેદા થતા દર્શન થકી તેના પ્રત્યે યથાર્થ વિશ્વાસ જાગે છે. (૨૦) ૨. માવિદુઃવનિોધાય, ધર્મો મવતિ સંવર્ઃ। તદુઃહવિનારાય, ધર્મો મતિ સત્તવઃ ।। સંવર ધર્મ દ્વારા ભાવિ દુઃખનો નિરોધ થાય છે અને સમ્યક્ તપ દ્વારા કરેલાં દુઃખોનો નાશ થાય છે. (૨૧) ૨૨. વૃષ્ટિમો, પરિષ્કૃત્ય, વ્રતી મવતિ માનવઃ । अप्रमत्तोऽकषायी च, ततोऽयोगी विमुच्यते ।। પહેલાં દૃષ્ટિ-દર્શન મોહનું શુદ્ધીકરણ થાય છે. પછી માણસ ક્રમશઃ વ્રતી, અપ્રમત્ત, અકષાયી અને અયોગી થઈને મુક્ત થાય છે. (૨૨) २३. संवृतात्मा नवं कर्म, नादत्तेनास्रवो यतिः । अकर्मा जायते कर्म, क्षपयित्वा पुरार्जितम् ।। સંવૃત આત્માવાળો યતિ નવાં કર્યો ગ્રહણ નથી કરતો. તેના આસ્રવ અટકી જાય છે અને તે પૂર્વ અર્જિત કર્મોને ક્ષીણ કરીને, અકર્મા બની જાય છે. (૨૩) ૨૪. भविष्यच्चिरकालिकम् । अतीतं वर्तमानं च, सर्वथा मन्यते त्रायी, दर्शनावरणान्तकः ।। દર્શનાવરણીય કર્મનો અંત કરનાર યતિ ચિરકાલીન અતીત, વર્તમાન અને ભવિષ્યને સર્વથા જાણી લે છે તથા તે તમામ જીવોનો રક્ષક બને છે. (૨૪) २५. अन्तको विचिकित्सायाः, सर्व जानात्यनीदृशम् । अनीदृशस्य शास्ता हि यत्र तत्र न विद्यते ।। જે વિચિકિત્સા-સંદેહોનો અંત કરનાર છે, તે તત્ત્વોને એવી રીતે જાણે છે, જાણે બીજું કોઈ જાણી શકતું નથી. અસાધારણ તત્ત્વોનો શાસ્તા જ્યાં ત્યાં જોવા નથી મળતો. (૨૫) સંબોધિ ર ૧૭૧ Page #174 -------------------------------------------------------------------------- ________________ २६. स्वाख्यातमेतदेवास्ति, सत्यमेतत् सनातनम् । सदा सत्येन सम्पन्नो, मैत्री भूतेषु कल्पयेत् ।। આ સ્વાખ્યાત ધર્મ છે, એ જ સનાતન સત્ય છે કે વ્યક્તિ હંમેશા સત્યથી સંપન્ન બને અને તમામ જીવો પ્રત્યે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરે. (૨૬) ર૭. વૈરી કરોતિ વૈરાગ, તતો વૈરેન રતિ | पापोपगानि तानीह, दुःखस्पर्शानि चान्तशः ।। વેરી વેર કરે છે અને વેર કરતાં કરતાં તેમાં લીન થઈ જાય છે. વેર પાપાર્જનનું કારણ છે અને અંતે તેનું પરિણામ દુઃખસ્પર્શી આવે છે. (૨૭). २८. स हि चक्षुर्मनुष्याणां, कांक्षामन्तं नयेत यः । તુતિ વમત્તે, વદત્યન્તન શુઃ || તે મનુષ્યોનું ચક્ષુ છે, જે આકાંક્ષાનો અંત કરે છે. અસ્ત્રો અંત- ધારથી ચાલે છે. ચાકુ અંત- છેડેથી ચાલે છે. (૨૮) २९. धीरा अन्तेन गच्छन्ति, नयन्त्यन्तं ततो भवम् । ____ अन्तं कुर्वन्ति दुःखानां, सम्बोधिरतिदुर्लभा ।। ધીર પુરુષ અંતથી ચાલે છે-દરેક વસ્તુના ઊંડાણમાં પહોંચે છે. તેથી તેઓ ભવનો અંત પામી જાય છે, દુઃખોનો અંત કરે છે. આ પ્રકારની સંબોધિ પ્રાપ્ત થવી અત્યંત દુર્લભ છે. (૨૯) ३०. यो धर्मं शुद्धमाख्याति, प्रतिपूर्णमनीदृशम् । __ अनीदृशस्य यत्स्थानं, तस्य जन्मकथा कुतः ।। જે શુદ્ધ, પરિપૂર્ણ અને અનુપમ ધર્મનું નિરૂપણ કરે છે તથા તે અનુપમ ધર્મ જેનામાં સ્થિર થાય છે તેને પછી પુનર્જન્મની વાત ક્યાંથી હોય ? (૩૦) ૧. જે ધર્મ સુ-અધીત, સુ-યાત અને સુપસ્થિત હોય છે, એ જ સ્વખ્યાત ધર્મ છે. (ઠાણ- ૩/૫૦૭) Page #175 -------------------------------------------------------------------------- ________________ ३१. आत्मगुप्तः सदा दान्तः, छिन्नस्रोता अनास्रवः । स धर्मं शुद्धमाख्याति, प्रतिपूर्णमनीदृशम् ।। જે આત્મગુપ્ત છે, સદા દાન્ત છે, જેણે કર્મને આવવાના સ્ત્રોતોને ખતમ કરી દીધા છે અને જે અનાસ્રવ બની ગયો છે તે પરિપૂર્ણ, અનુપમ અને શુદ્ધ ધર્મનું નિરૂપણ કરે છે. (૩૧) ૩૨. ચન્નતિ સર્વસાધૂના, તત સત્સંર્તનમ્ | साधयित्वा च तत्तीर्णा, निःशल्या वतिनां वराः ।। જે તમામ સાધુઓનો મત-ઇષ્ટ છે, તે મત-નિગ્રન્થ પ્રવચન શલ્યને કાપનારો છે. તેની સાધના કરીને ઘણા બધા ઉત્તમ વ્રતીઓ નિઃશલ્ય બનીને ભવસાગર તરી ગયા છે. (૩૨) : ३३. पण्डितो वीर्यमासाद्य, निर्घाताय प्रवर्तकम् । धुनीयात् सञ्चितं कर्म, नवं कर्म न वा सृजेत् ।। પંડિત વ્યક્તિ કર્મક્ષય માટે પ્રવર્તક વીર્ય પ્રાપ્ત કરીને પૂર્વકૃત કર્મની નિર્જરા કરે છે અને નવાં કર્મોનું અર્જન કરતો નથી. (૩૩) ३४. एकत्वभावनादेव, निःसङ्गत्वं प्रजायते । નિ:સજો નનનગ્રેડપિ, સ્થિતો તે નચ્છતિ || એકત્વભાવના થકી નિઃસંગતા-નિર્લિપ્તતા પેદા થાય છે. નિસંગ વ્યક્તિ લોકોની વચ્ચે રહેવા છતાં લિપ્ત થતી નથી. (૩૪) ३५. न प्रियं कुरुते कस्याप्यप्रियं कुरुते न यः । सर्वत्र समतामेति, समाधिस्तस्य जायते ।। જે કોઈને પ્રિય હોય તેવું પણ કશું કરતો નથી અને અપ્રિય હોય તેવું પણ કરતો નથી, સર્વત્ર સમતાનું આચરણ કરે છે, તેને સમાધિ પ્રાપ્ત થાય છે. (૩૫) ३६. अशंकितानि शङ्कन्ते, शङ्कितेषु ह्यशङ्किताः । असंवृता विमुह्यन्ति, मूढा यान्ति चलं मनः ।। ૧. કરણવીર્ય, ક્રિયાત્મક વાય. સંબોધિ માં ૧૭૩ Page #176 -------------------------------------------------------------------------- ________________ અસંવૃત વ્યક્તિ મૂઢ હોય છે. જે મૂઢ છે, તેમનું મન ચંચળ હોય છે. તેઓ એવા વિષયમાં શંકા કરે છે કે જેમાં શંકાને કોઈ સ્થાન નથી હોતું અને એવા વિષયમાં શંકા નથી કરતા કે જેમાં શંકાને સ્થાન હોય છે. (૩૬). ૩૭. સ્વવૃત્તિ વિદ્યતે ટુંકવું, સ્વવૃત વિદ્યતે સુમ્િ | अबोधिनाऽर्जितं दुःखं, बोधिना हि प्रलीयते ।। દુઃખ પોતે જ કરેલું હોય છે અને સુખ પણ પોતે જ કરેલું હોય છે. અબોધિ દ્વારા દુઃખ અર્જિત થાય છે અને બોધિ દ્વારા તેનો વિલય થાય છે. (૩૭) ३८. हिंसासूतानि दुःखानि, भयवरकराणि च । पश्य-व्याहृतमीक्षस्व, मोहेनाऽपश्यदर्शन ! હિંસા થકી દુઃખ ઉત્પન્ન થાય છે. તેઓ ભય અને વેરની વૃદ્ધિ કરે છે. મોહ દ્વારા અપશ્ય-દર્શન બનેલા પુરુષ ! તું દૃષ્ટાની વાણીને જો. (૩૮) ३९. धर्मप्रज्ञापनं यो हि, व्यत्ययेनाध्यवस्यति । हिंसया मन्यते शांति, स जनो मूढ उच्यते ।। જે ધર્મના નિરૂપણને વિપરીત રૂપે ગ્રહણ કરે છે અને હિંસા દ્વારા શાંતિ થશે, સમસ્યાનું સમાધાન થશે એમ માને છે તે માણસ મૂઢ કહેવાય છે. (૩૯) ૪૦. મસા નામ સરે, સાર સત્ય દિ વર્તમ્ तत् पश्यन्तो हि पश्यन्ति, न पश्यन्ति परे जनाः ।। આ સારહીન સંસારમાં માત્ર સત્ય જ સાર છે. જે દૃષ્ટા છે, તે જ સત્યને જુએ છે. જે દૃષ્ટા નથી તે સત્યને જોઈ શકતો નથી. (૪૦) ૧. અપશ્ય- ન પશ્યતીતિ અપશ્ય: – જે દ્રષ્ટા નથી. સંબોધિ - ૧૭૪ Page #177 -------------------------------------------------------------------------- ________________ કર. ४१. अस्तित्वमुच्यते सत्यं, निरपेक्षमिदं भवेत् । सार्वभौमश्च नियमः, अपि सत्यमुदाहृतः ।। पर्याया अपि सत्यं स्याद्, इदं सामयिकं भवेत् । यथार्थवचनञ्चापि, सत्यमित्युक्तमर्हता ।। (૩૫) સત્યના અનેક અર્થ છે. અસ્તિત્વ નિરપેક્ષ સત્ય છે. સત્યનો એક અર્થ છે- સાર્વભૌમ નિયમ. પર્યાય સામયિક સત્ય છે. યથાર્થ વચનને પણ સત્ય કહેવામાં આવે છે. (૪૧, ૪૨) ૪૩. સિંહ યથા સુકૃતા , વતિ તૂરંપરિરામનાઃ | समीक्ष्य धर्म मतिमान् मनुष्यो, दूरेण पापं परिवर्जयेच्च ।। જેવી રીતે ચરતાં નાનાં પશુઓ સિંહથી ડરીને દૂર ભાગે છે, એ જ રીતે મતિમાન પુરુષો ધર્મને સમજીને દૂરથી જ પાપનો ત્યાગ કરે છે. (૪૩). ૪૪. વલા યા હિ તોડન, નિધી જાય ! तदा तदा मनुष्याणां, ग्लानिं यात्यात्मनो बलम् ।। આ સંસારમાં જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, ત્યારે ત્યારે મનુષ્યોનું આત્મબળ ગ્લાન-હીન થઈ જાય છે. (૪૪) मेघः प्राह ४५. असतो वारयन्नित्यं, ध्रुवे सत्ये प्रवर्तनम् । ઘર્મો ના ર્તિ તેજસ્વી, તસ્ય રસ્તાનિ તો મવેત્ | મેઘ બોલ્યો, ધર્મ મનુષ્યોને અસત્ કાર્યો કરતાં રોકે છે અને તેમને સદાય સત્યમાં પ્રવૃત્ત કરે છે. ધર્મ તેજસ્વી છે અને સદા જાગૃત રહે છે, આવા સંજોગોમાં ધર્મની ગ્લાનિ શી રીતે થઈ શકે? (૪૫) भगवान् प्राह ४६. दृष्टिः सम्यक्त्वमाप्नोति, ज्ञानं सत्यसमन्वितम् । आचारोऽपि समीचीनः, तदा धर्मः प्रवर्धते ।। સંબોધિ - ૧૭૫ Page #178 -------------------------------------------------------------------------- ________________ જ્યારે દૃષ્ટિ સમ્યક્ હોય છે, જ્ઞાન સાચું હોય છે અને આચાર સમીચીન હોય છે, ત્યારે ધર્મ વધે છે. (૪૬) ૪૭. જ્યારે દૃષ્ટિ, જ્ઞાન અને આચાર વિપરીત હોય છે, ત્યારે ધર્મની હાનિ થાય છે. (૪૭) દ્રષ્ટિવિપર્યય યાતિ, જ્ઞાનમેતિ વિપર્યયમ आचारोऽपि विपर्यस्तः, तदा धर्मः प्रहीयते ।। ૪૮. पालिर्जलस्य रक्षार्थं, तस्याः रक्षा प्रवर्धते । जलाभावो न चिन्त्यः स्यात्, तदा कृषिः प्रशुष्यति પાળ જળની સુરક્ષા માટે હોય છે. જ્યારે પાળની સુરક્ષા મુખ્ય બની જાય છે અને જળનો અભાવ ચિંતનનો વિષય નથી રહેતો, ત્યારે ખેતી સુકાઈ જાય છે. (૪૮) ૪૬. वाटिर्धान्यस्य रक्षार्थं, तस्याः रक्षा प्रवर्धते । धान्याभावो न चिन्त्यः स्यात्, तदा कृषिर्विहीयते ।। વાડ અનાજની સુરક્ષા માટે હોય છે. જ્યારે વાડની સુરક્ષા મુખ્ય બની જાય છે અને અનાજનો અભાવ ચિંતનનો વિષય નથી રહેતો, ત્યારે ખેતી ક્ષીણ બની જાય છે. (૪૯) ૬૦. नियमा यमरक्षार्थं, तेषां रक्षा प्रवर्धते । યમામાવો ન વિન્ત્યઃ સ્વાત્, તવા ધર્મ: પ્રશ્નીયતે ।। નિયમ યમની સુરક્ષા માટે હોય છે. જ્યારે નિયમોની સુરક્ષા જ મુખ્ય બની જાય છે અને યમનો અભાવ ચિંતનનો વિષય નથી રહેતો, ત્યારે ધર્મ ક્ષીણ બને છે. (૫૦) 4. યમાઃ સતતમામેન્યાઃ, નિયમાસ્તુ યથોચિતમ્ । સત્યમીષા' વિપર્યાસે, ધર્મ જ્ઞાનિઃ પ્રજ્ઞાયતે ।। યમોનું આચરણ હંમેશાં કરવું જોઈએ અને નિયમોનું આચરણ દેશ, કાળ તથા સ્થિતિના ઔચિત્ય અનુસાર કરવું જોઈએ. જ્યારે યમ ગૌણ અને નિયમ મુખ્ય બની જાય છે ત્યારે ધર્મની ગ્લાનિ થાય છે. (૫૧) ૧. સતિ + અમીષામ્ સંબોધિ . ૧૭૬ ' Page #179 -------------------------------------------------------------------------- ________________ (અધ્યાય-૧૨ (શેય-હેય-ઉપાદેય Page #180 -------------------------------------------------------------------------- ________________ Page #181 -------------------------------------------------------------------------- ________________ આમ મુમુક્ષુ જ્ઞાન અને આચારના માધ્યમ દ્વારા સત્યને પ્રાપ્ત કરે છે. જ્ઞાનશૂન્ય આચાર અને આચારશૂન્ય જ્ઞાન સત્યનો સાક્ષાત્કાર કરાવવામાં સિદ્ધ બનતાં નથી. બંનેનો યોગ જ સાધ્યનું દર્શન છે. આચારહીન જ્ઞાન નિરર્થક છે તો જ્ઞાનરહિત આચાર પણ વિષદ નથી હોતો. “જાણો અને તોડો' બંનેમાં જ્ઞાનની મુખ્યતા છે, તે ભૂલવું ન જોઈએ. બંધન શું છે અને મુક્તિ શું છે, એનો બોધ જ્ઞાન દ્વારા જ સંભવ છે. માણસને બંધન પ્રિય નથી, એને પ્રિય છે સ્વતંત્રતા. સ્વતંત્રતાની પ્રાપ્તિ બંધનોને તોડ્યા વગર થતી નથી. બંધનોને જાણ્યા વગર તોડવાની વાત અસંભવ છે. તેથી અહીં જોય-હેય અને ઉપાદેય ત્રણેયનું વિષદ દર્શન છે. “બંધન બાધક છે'- જ્યારે આત્મા આ જાણી લે છે, ત્યારે તેને તોડવા માટે પણ તે પ્રેરિત થાય છે. બંધન તૂટે છે અને લક્ષ્ય ઉપલબ્ધ થઈ જાય છે. સંસારમાં ત્રણ પ્રકારનાં પદાર્થ હોય છે : શેય, હેય અને ઉપાદેય. જગતના તમામ પદાર્થો શેય છે. જે આત્મ-ઉત્થાનમાં સાધક હોય છે, તે ઉપાદેય છે અને જે બાધક હોય છે તે હેય છે. આત્મસાધનામાં ત્રણેયનો વિવેક આવશ્યક બને છે. આ અધ્યાયમાં આ ત્રણેયનું વિષદ વિવેચન છે. તપ શું છે? તેના કેટલા પ્રકાર છે અને ધ્યાનના પ્રકાર તથા દ્વાદશ અનુપ્રેક્ષાઓનું પણ તેમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. Vamp Based on proved word. Grovement en bomb ROTO Page #182 -------------------------------------------------------------------------- ________________ Page #183 -------------------------------------------------------------------------- ________________ શેય-હેય-ઉપાદેય मेघः प्राह છે. વુિં વિગ્ન દેયં સ્થા, ૩૫થગ્ર વિ વિમો ! शाश्वते नाम लोकेऽस्मिन्, किमनित्यञ्च विद्यते ।। મેઘ બોલ્યો, વિભો ! જોય શું છે ? હેય અને ઉપાદેય શું છે? આ શાશ્વત જગતમાં અશાશ્વત શું છે ? (૧). भगवान् प्राह ૨. ધર્મતથાશ, નિશ્વ પુનિતથી ! जीवो द्रव्याणि चैतानि, ज्ञेयदृष्टिरसौ भवेत् ।। ભગવાને કહ્યું, ધર્મ, અધર્મ, આકાશ, પુગલ અને જીવ-પાંચ અસ્તિકાય તથા કાલ- આ છ દ્રવ્ય છે. આ શેયદષ્ટિ છે. (૨) રૂ. નીવાડનીવી પુથપાપે, માસૂવઃ સંવરતથી ! निर्जरा बंधमोक्षौ च, ज्ञेयदृष्टिरसौ भवेत् ।। જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ આ નવ તત્ત્વો છે. આ યષ્ટિ છે. (૩) ૪. માત્મા શાશ્વતો વંધક, તદુપયગ્ન વિદ્યતે | अस्ति मोक्षस्तदुपायो, ज्ञेयदृष्टिरसौ भवेत् ।। ૧. આત્મા છે. ૨. આત્મા શાશ્વત છે. ૩. બંધ છે. ૪. બંધનો ઉપાય છે. ૫. મોક્ષ છે. સંબોધિ - ૧૮૧ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૬. મોક્ષનો ઉપાય છે. આ શેયદૃષ્ટિ છે. (૪) ५. · बंधं पुण्यं तथा पापं, आम्रवः कर्मकारणम् । भवबीजमिदं सर्वं, हेयदृष्टिरसौ भवेत् ।। પુણ્ય, પાપ, બંધ અને કર્માગમનનો કારણભૂત આસ્રવ- આ તમામ સંસારનાં બીજ છે. આ હેયદષ્ટિ છે. (૫) ૬. નિરોધઃ કર્મળતિ , સંવરો નિર્ન તથા I कर्मणां प्रक्षयश्चैषोपादेयदृष्टिरिष्यते ।। કર્મોનો નિરોધ કરવો એ સંવર છે અને કર્મોના ક્ષયથી થતી આત્મશુદ્ધિ નિર્જરા છે- આ ઉપાદેયદૃષ્ટિ છે. (૬) ૭. મૂઢ માત્મા વિત્ત, યો યોમિષ્યિતે | मनोगुप्तिः समाधिश्च, साम्यं सामायिकं तथा ।। જે ચિત્ત આત્મલીન તથા અમૂઢ-મૂચ્છગ્રસ્ત નથી, તેને યોગી યોગ કહે છે. મનોગુમિ, સમાધિ, સામ્ય અને સામાયિક- આ તમામ યોગનાં જ રૂપ છે. (૭) ૮. તેવાચ મનનીધે, મને નિરોધનમ્ મન:તિyયો, સર્વે યોગો વિતીયતે || ધ્યાનની બે અવસ્થાઓ હોય છે : એકાગ્રતા અને નિરોધ. પ્રારંભિક દશામાં મનની એકાગ્રતા હોય છે અને અંતિમ અવસ્થામાં તેનો નિરોધ હોય છે. મનની સમિતિ- સમ્યક્ પ્રવર્તન અને સુમિનિરોધમાં તમામ યોગ સમાઈ જાય છે. (૮) ૨. મોક્ષે યોગના યોગઃ, સમધિર્યો ધ્યતે | स तपो विद्यते द्वैधा, बाह्येनाभ्यन्तरेण च ।। જે આત્માને મોક્ષ સાથે જોડે તે યોગ કહેવાય છે. આત્મા અને મોક્ષનો સંબંધ સમાધિ સાથે હોય છે. તેથી સમાધિને યોગ કહેવામાં આવે છે. યોગ તપ છે. તેના બે પ્રકાર છે ? બાહ્ય તપ અને આવ્યંતર તપ. (૯) સંબોધિ - ૧૮૨ Only Page #185 -------------------------------------------------------------------------- ________________ १०. चतुर्विधस्याहारस्य, त्यागोऽनशनमुच्यते । आहारस्याल्पतामाहुः, अवमौदर्यमुत्तमम् ।। અનાજ, પાણી, ખાદ્ય મેવા વગેરે, ખાદ્ય લવિંગ વગેરે આ ચાર પ્રકારના આહારના ત્યાગને અનશન કહે છે. આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર તથા કષાયની અલ્પતા કરવી તેને અવમૌદર્ય-ઊણોદરી કહે છે. (૧૦) ११. अभिग्रहो हि वृत्तीना, वृत्तिसंक्षेप इष्यते । भवेद् रसपरित्यागो, रसादीनां विवर्जनम् ।। વૃત્તિ-આજીવિકાના અભિગ્રહ- પ્રતિજ્ઞાને વૃત્તિ સંક્ષેપ કહે છે. ઘી, તેલ, દૂધ, દહીં, ખાંડ અને મીઠાઈ-આ વિકૃતિઓનો ત્યાગ કરવો તેને રસપરિત્યાગ કહે છે. (૧૧) १२. कायक्लेशः कायसिद्धिः वीरपद्मासनान्यपि । ___ कायोत्सर्गश्च पर्यंक, गोदोहोत्कटिकादयः ।। કાય ક્લેશનો અર્થ છે કાયસિદ્ધિ-કાયાની સાધના. કાયસિદ્ધિ માટે વીરાસન, પદ્માસન, કાયોત્સર્ગ, પર્યકાસન, ગોદોહિત્રાસન, ઉત્કટિકાસન વગેરેનો પ્રયોગ કરવામાં આવે છે. (૧૨) मेघः प्राह १३. सर्वदर्शिन् ! त्वया धर्मः, घोरोऽसौ प्रतिपादितः । दुःखविच्छित्तये सोऽयं, तत्र दुःखं किमिष्यते ? મેઘ બોલ્યો, હે સર્વદર્શિત્ ! આપે ઘોરકર્મનું પ્રતિપાદન કર્યું છે. ધર્મ દુઃખનો નાશ કરે છે તો પછી તે ધર્મમાં દુઃખને વળી શાનું સ્થાન હોય? (૧૩) भगवान् प्राह १४. वत्स ! न ज्ञातवान् मर्म, मम धर्मस्य किञ्चन । अमर्मवेदिनो लोकाः, सत्यं घ्नन्ति सनातनम् ।। સંબોધિ ૧૮૩ Page #186 -------------------------------------------------------------------------- ________________ ભગવાને કહ્યું, વત્સ ! તેં મારા ધર્મનો કશો જ મર્મ સમજ્યો નથી. જે પુરુષ મર્મને નથી જાણતો તે સનાતન સત્યની હત્યા કરી દે છે. (૧૪) ૨. ન ધર્મો વેદ:તાર્થ, અસૌ સત્યોપત્તબ્ધયે | न च सत्योपलब्धिः स्याद, अहिंसाभ्यासमन्तरा ।। ધર્મ શરીરને કષ્ટ આપવા માટે નથી, પરંતુ સત્યની ઉપલબ્ધિ માટે છે. અહિંસાનો અભ્યાસ કર્યા વગર સત્યની ઉપલબ્ધિ થતી નથી. (૧૫) ૨૬. ચેતના વિષયાસ, રિલાં સમનધાર્વતિ ! आत्मानं प्रति संहृत्य, तामहिंसापद नयेत् ।। જે ચેતના વિષયોમાં આસક્ત છે, તે હિંસા તરફ દોડે છે તેથી સાધક તે ચેતનાને આત્મા તરફ વાળીને તેને અહિંસામાં પ્રતિષ્ઠિત કરે છે. (૧૬) ૨૭. સતિ તેરે ક્રિયેડસ્મિન, તિ રેસિ વચ્ચત્તે | ક્રિયાર્થી પ્રત્યેષ્ટા, ને તેવું વિસર્જનમ્ ! જ્યાં સુધી શરીર અને ઈન્દ્રિયો છે, જ્યાં સુધી મન ચંચળ છે, ત્યાં સુધી સ્વભાવતઃ ઈન્દ્રિયોના વિષય સારા લાગે છે અને તેમનો પરિત્યાગ સારો નથી લાગતો. (૧૭) १८. अहिंसा) मया प्रोक्तं, आत्मसाम्यं चिराध्वनि । તાર્થ પ્રદુઃસ્થાનિ, સોઢવ્યાનિ મુમુક્ષુમઃ || સાધનાની ચિર પરંપરામાં મેં આત્મ-સાઓનું નિરૂપણ અહિંસાના વિકાસ માટે કર્યું છે. મુમુક્ષુ વ્યક્તિઓએ અહિંસાની સાધના દરમ્યાન જે કાંઈ દુઃખ પ્રાપ્ત થાય તે સહન કરવાં જોઈએ. (૧૮) १९. न देहोऽधर्ममूलोऽसौ, धर्ममूलो न चाप्यसौ । योजितो योजकेनासौ, धर्माधर्मकरो भवेत् ।। ૧. પ્રકૃત્યા + ઈષ્ટ: - પ્રકૃત્યેષ્ટા સંબોધિત ૧૮૪ Page #187 -------------------------------------------------------------------------- ________________ દેહ ન તો અધર્મનું મૂળ છે અને ન તો ધર્મનું મૂળ છે. યોજક દ્વારા જે પ્રકારની યોજના કરવામાં આવે છે, એ જ રીતે તે ધર્મ કે અધર્મનું મૂળ બની જાય છે. (૧૯) ૨૦. नास्य शक्तिः परिस्फीता', विकारोद्दीपनं सृजेत् । तेनाऽसौ कृशतां नेयः, यावदुत्सहते मनः ।। વધેલી શારીરિક શક્તિ વિકારોનું ઉદ્દીપન ન કરે, જ્યાં સુધી મનનો ઉત્સાહ વધતો રહે- તે અમંગળનું ચિંતન ન કરે, ત્યાં સુધી શરીરને તપ દ્વારા કૃશ કરવું જોઈએ. (૨૦) २१. नात्मासौ शक्तिहीनानां, गम्यो भवति सर्वदा । योगक्षेमौ हि तेनास्य, कार्यावपि 'મુમુક્ષુના || શક્તિહીન મનુષ્યો માટે આત્મા ગમ્ય નથી હોતો, એ શાશ્વત સિદ્ધાંત છે. તેથી મુમુક્ષુ વ્યક્તિઓ માટે શરીરનું યોગક્ષેમ પણ કરણીય હોય છે. (૨૧) ૨૨: न केवलमसौ देहः, कृशीकार्यो विवेकिना । न च बृंहणीयोस्ति, मतं संतुलनं मम ।। મારો એવો અભિમત છે કે વિવેકી વ્યક્તિએ ન તો દેહને વધુ પડતો કૃશ કરવો કે ન તો વધુ પડતો સ્થૂળ થવા દેવો. દેહનું સંતુલન જ સૌથી સારી વાત છે. (૨૨) ૨૨. ફન્દ્રિયાળિ પ્રશાન્તાનિ, વિદ્ધેયુર્યથા ચથા । तथा तथा प्रवृत्तीनां, दैहीनां संयमो मतः ।। ઉપશાંત ઈન્દ્રિયો જેમ જેમ પ્રવૃત્ત થાય છે, તેમ તેમ જ મનુષ્યની દેહી-શારીરિક પ્રવૃત્તિઓ સંયત થતી જાય છે. (૨૩) ૨૪. વોષનિર્દયેટા, उपवासाद्युपक्रमाः । प्राणसंधारणायासौ, आहारो मम सम्मतः ।। દોષોને બહાર કાઢવા માટે ઉપવાસ વગેરે ઉપક્રમ જાણીતા છે. પ્રાણને ધારણ કરવા માટે આહાર પણ મને સ્વીકાર્ય છે. (૨૪) ૧. પરિસ્જિતા – વૃદ્ધિગતા સંબોધિ ૬ ૧૮૫ Page #188 -------------------------------------------------------------------------- ________________ ર૧. હિંસાધર્મસિદ્ધી, વિવેએ નામ કુષ્યઃ | तेन वत्स ! मया धर्मः घोरोऽसौ प्रतिपादितः ।। અહિંસાધર્મની સંસિદ્ધિ-સાધનામાં વિવેક હોવો અત્યંત દુષ્કર છે. હે વત્સ ! એ જ દૃષ્ટિએ ધર્મને મેં ઘોર કહ્યો છે. (૨૫) ૨૬. નાછિત વત્સ!ાર સંવત્તેશ ] नार्तध्यानदशां प्राप्तं, तपो ममास्ति सम्मतम् ।। હે વત્સ! મેં એ તપનું જ અનુમોદન કર્યું છે કે જેમાં ન અજ્ઞાન સંવલિત (યુક્ત) ચેષ્ટાઓ છે કે ન સંશ્લેષ છે અને ન તો આર્તધ્યાન છે. (૨૬). ર૭. ત્રિયાળાં મનસ, વિષયેચ્ચો રિવર્તનમ્ | स्वस्मिन् नियोजनं तेषां, प्रतिसंलीनता भवेत् ।। ઈન્દ્રિય અને મનનું વિષયોથી નિવર્તન તથા પોતપોતાના પરિઘમાં તેમનું નિયોજન એ પ્રતિસલીનતા છે. (૨૭) ૨૮. વિશુ કૃાતોષi, Vત્તિ વિધીતે | માતોવન મવેષ, ગુઃ પુઃ પ્રકાશનમ્ | કરેલા દોષોની શુદ્ધિ માટે જે ક્રિયા- અનુષ્ઠાન કરવામાં આવે છે તેને પ્રાયશ્ચિત્ત કહે છે. ગુરુ સમક્ષ પોતાના દોષોનું નિવેદન કરવું એ આલોચના છે. (૨૮) २९. प्रमादादशुभं योगं, गतस्य च शुभं प्रति । क्रमणं जायते तत्तु, प्रतिक्रमणमुच्यते ।। પ્રમાદવશ અશુભ યોગમાં જવાથી પુનઃ શુભ યોગમાં પાછા વળવું તેને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. (૨૯) ૨૦. અસ્પૃસ્થાને નમશ્નો, મત્તિ: શુકૂષi ઃ | ज्ञानादीनां विनयनं, विनयः परिकथ्यते ।। ગુરુ વગેરે વડીલોના આગમન વખતે ઊભા થવું, નમસ્કાર કરવા. ભક્તિ-શુશ્રુષા કરવી અને જ્ઞાન વગેરેનું બહુમાન કરવું તે વિનય છે. (૩૦) સંબોધિ - ૧૮૬ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૩૬. आचार्यशैक्षरुग्णानां, संघस्य च गणस्य च । आसेवनं यथास्थाम, वैयावृत्त्यमुदाहृतम् ।। – આચાર્ય, શૈક્ષ – નવદીક્ષિત, રોગી, ગણ અને સંઘની યથાશક્તિ સેવા કરવી એ વૈયાવૃત્ત્વ છે. (૩૧) ૨૨. वाचना पृच्छना चैव, तथैव परिवर्तना । अनुप्रेक्षा धर्मकथा, स्वाध्यायः पञ्चधा भवेत् ।। સ્વાધ્યાય પાંચ પ્રકારના હોય છે૧. વાચના-વાંચવું ૨. પૃચ્છના-પ્રશ્ન પૂછવો. ૩. પરિવર્તના-કંઠસ્થ કરેલા જ્ઞાનની પુનરાવૃત્તિ કરવી. ૪. અનુપ્રેક્ષા-અર્થચિંતન કરવું. ૫. ધર્મકથા-પ્રવચન કરવું. (૩૨) ३३. एकाग्रचिन्तनं योगनिरोधो ध्यानमुच्यते । धर्म्यं चतुर्विधं तत्र, शुक्लं चापि चतुर्विधम् ।। એકાગ્ર ચિંતન તથા મન, વચન અને કાયાના નિરોધને ધ્યાન કહે છે. ધર્મધ્યાનના ચાર પ્રકાર છે અને શુક્લધ્યાનના પણ ચાર પ્રકાર છે. (૩૩) ૨૪. अर्हता देशितां दृष्टि, आलम्ब्य क्रियते यदा । पदार्थचिन्तनं यत्तत्, आज्ञाविचय उच्यते ।। અર્હત્ દ્વારા ઉપદિષ્ટ દ્રષ્ટિ-અતીન્દ્રિય વિષયોને આલંબન બનાવીને જે પદાર્થનું એકાગ્ર ચિંતન કરવામાં આવે છે, તે આજ્ઞાવિચય છે. ધર્મધ્યાનનો આ પ્રથમ પ્રકાર છે. (૩૪) રૂ. સર્વેષામપિ પુ:નાનાં, રાદેપી નિવધનમ્ । ईदृशं चिन्तनं यत्तत्, अपायविचयो भवेत् ।। રાગ અને દ્વેષ તમામ દુઃખોનાં કારણ છે- એ પ્રકારનું જે એકાગ્ર ચિંતન કરવામાં આવે છે, તે અપાયવિચય છે, ધર્મધ્યાનનો આ બીજો પ્રકાર છે. (૩૫) સંબોધિ ૧૮૭ Page #190 -------------------------------------------------------------------------- ________________ ३६. सुखान्यपि च दुःखानि, विपाकः कृतकर्मणाम् । किं फलं कस्य चिन्तेति, विपाकविचयो भवेत् ।। સુખ અને દુઃખ કર્મોનાં વિપાક- ફળ છે. કયા કર્મનું કયું ફળ છે એ પ્રકારનું જે એકાગ્ર ચિંતન કરવામાં આવે છે તે વિપાકવિચય છે. ધર્મધ્યાનનો આ ત્રીજો પ્રકાર છે. (૩૬) રૂ૭. નોક્તત્ત્વ તત્ત્વર્તિભાવનાં માતે તથા | चिन्तनं क्रियते यत्तत्, संस्थानविचयो भवेत् ।। લોકની આકૃતિ અને તેમાં વિદ્યમાન પ્રત્યેક પદાર્થની આકૃતિ વિષે જે એકાગ્ર ચિંતન કરવામાં આવે છે તે સંસ્થાનવિચય છે. ધર્મધ્યાનનો આ ચોથો પ્રકાર છે. (૩૭) ૨૮. ૩ન્માકો ન મ યુદ્ધ, અવનચિન્તનાત્ | अपायचिन्तनं कृत्वा, जनो दोषाद् विमुच्यते ।। અહની વાણીના એકાગ્ર ચિંતન થકી બુદ્ધિનો ઉન્માદ અથવા અહંકાર થતો નથી, તે આજ્ઞાવિચયનું ફળ છે. રાગ અને દ્વેષના પરિણામનું એકાગ્ર ચિંતન કરવાથી માણસ દોષમુક્ત બને છે, તે અપાયવિજયનું ફળ છે. (૩૮) રૂ. નામે ન રતિં યાતિ, વિપાલં પરિન્તયનું ! वैविध्यं जगतो दृष्ट्वा, नासक्तिं भजते पुमान् ।। કર્મવિપાકનું એકાગ્ર ચિંતન કરનાર મનુષ્ય અશુભ કાર્યમાં રતિ-આનંદનો અનુભવ નથી કરતો. આ વિપાકવિચયનું ફળ છે. જગતની વિચિત્રતાને જોઈને માણસ સંસારમાં આસક્ત નથી બનતો, તે સંસ્થાનવિચયનું ફળ છે. (૩૯) ४०. विशुद्धं जायते चित्तं, लेश्ययापि विशुद्ध्यते । - अतीन्द्रियं भवेत् सौख्यं, धर्म्यध्यानेन देहिनाम् ।। ધર્મધ્યાન દ્વારા પ્રાણીઓનું ચિત્ત શુદ્ધ બને છે, વેશ્યા વિશુદ્ધ બને છે અને અતીન્દ્રિય-આત્મિક સુખની ઉપલબ્ધિ થાય છે. (૪૦) સંબોધિ ૨, ૧૮૮ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૪૨. વિજ્ઞહાતિ શરીર યો, ધર્મચિન્તનપૂર્વમ્ | अनासक्तः स प्राप्नोति, स्वर्गं गतिमनुत्तराम् ।। જે ધર્માંચિંતનપૂર્વક શરીરને છોડે છે તે અનાસક્ત વ્યક્તિ સ્વર્ગ અને ક્ર્મશઃ અનુત્તર ગતિ-મોક્ષને પ્રાપ્ત કરે છે. (૪૧) ૪૨. અવ્યુત્તમસંહનનવતાં પૂર્વવિલાં મવેત્ । शुक्लस्यद्वयमाद्यन्तु, स्याच्च केवलिनोऽन्तिमम् ।। શુક્લ ધ્યાનના પ્રથમ બે પ્રકાર (પૃથકત્વ-વિતર્ક-સવિચાર તથા એકત્વ-વિતર્ક-અવિચાર) ઉત્તમ સંહનનવાળા તથા પૂર્વધરોમાં જોવા મળે છે. બાકીના બે પ્રકારકેવળજ્ઞાનીમાં જોવા મળે છે. (૪૨) ૪૨. સૂક્ષ્મોિપ્રતિપાતી, સમુચ્છિન્નવિસ્તથા । क्षपयित्वा हि कर्माणि, क्षणेनैव विमुच्यते ।। સૂક્ષ્મક્રિય-અપ્રતિપાતી તથા સમુચ્છિન્નક્રિય-શુક્લ ધ્યાનના આ બે અંતિમ તફાવતોમાં વર્તમાન કેવલી કર્મોનો ક્ષય કરીને પળમાત્રમાં મુક્ત થઈ જાય છે. (૪૩) The " છદ્મસ્થનું ચિત્ત એક વિષયમાં અંતર્મુહૂર્ત સુધી જ સ્થિર રહે છે, પછી તે બીજા વિષયમાં ચાલ્યું જાય છે. (૪૪) ૪. ૪૪. અન્તર્મુહૂર્તમાત્રગ્ધ, ચિત્તમેવાત્ર તિવ્રુતિ । छद्मस्थानां ततश्चित्तं, वस्त्वन्तरेषु गच्छति ।। નાં ચાર અંગ છે- ધ્યાતા, ધ્યાન, ધ્યેય, અને સમાધિ. જેનો આત્મા સ્થિત હોય છે તે ધ્યાતા ધ્યાન કરનાર હોય છે. મનની એકાગ્રતાને ધ્યાન કહેવામાં આવે છે. વિશુદ્ધ આત્માપરમાત્મા ધ્યેય છે અને તેનું ફળ સમાધિ છે. (૪૫) स्थितात्मा भवति ध्याता, ध्यानमैकाग्रयमुच्यते । ध्येय आत्मा विशुद्धात्मा, समाधिः फलमुच्यते ।। સંબોધિ . ૧૮૯ Page #192 -------------------------------------------------------------------------- ________________ मेघः प्राह ४६. किमर्थं क्रियते ध्यानं ? ध्यानं दुःखविमुक्तये । कुतो दुःखं मनुष्याणां ? सर्वविद् ! बोद्धमुत्सहे ।। મેઘ બોલ્યો, ભગવન્! ધ્યાન શા માટે કરવામાં આવે છે? ભગવાને કહ્યું, દુઃખમુક્તિ માટે. મેઘ બોલ્યો, “તે! મનુષ્યોને દુઃખ ક્યાંથી મળે છે? સર્વવિર્લ્ડ એ જાણવા માટે મારા મનમાં ઉત્સાહ ઊમટી રહ્યો છે. (૪૬) भगवान् प्राह ૪૭. અજ્ઞાન પ્રથમ મૂચ્છ, વાગ્યત્વે રીનમાવના ! अहंकारश्च संस्कारः, पूर्वाग्रहस्तथामयः ।। ૪૮. વિમે મહીમા ! સતિ દુઃઉચ્ચ હેતવઃ | यत्रापायः उपायोऽपि, विद्यते जगतीतले ।। (યુન) ભગવાને કહ્યું, હે મહાભાગ! દુઃખનાં આઠ કારણો છેઅજ્ઞાન, મૂચ્છ, ચંચળતા, હીનભાવના, અહંકાર, સંસ્કાર, પૂર્વગ્રહ અને રોગ. આ જગતમાં જ્યાં અપાય છે ત્યાં ઉપાય પણ છે. (૪૭, ૪૮) ४९. स्वबोधो जागरूकत्वं, ऐकाग्रयं प्राणसंग्रहः । अनाग्रहः सत्यनिष्ठा, सुखोपायाः इमे स्मृताः ।। સ્વબોધ, જાગરૂકતા, એકાગ્રતા, પ્રાણસંગ્રહ, અનાગ્રહ, સત્યનિષ્ઠા- વગેરે સુખનાં કારણો છે. (૪૯) ५०. अभ्यासेन क्षमादीनां, मनसः शोधनेन च । शरीरस्य श्रमेणाऽपि, स्यादारोग्यमपेक्षितम् ।। ૧. સંસ્કાર - સંચિત અથવા અર્જિત વૃત્તિ સંબોધિ ૧૯૦ Page #193 -------------------------------------------------------------------------- ________________ સુખનો એક પ્રકાર છે આરોગ્ય. ક્ષમા વગેરેનો અભ્યાસ મનનું શુદ્ધીક૨ણ અને શરીરનો શ્રમ- વગેરે અપેક્ષિત આરોગ્યને દ્રઢ કરવાના ઉપાય છે. (૫૦) मेघः प्राह ५१. जिज्ञासामि कथं नाथ ! दुर्बलं जायते मनः ? कथं बलयुतं तत् स्याद् येन शक्ति: प्रवर्धते ? મેઘ બોલ્યો, નાથ ! મન દુર્બળ શી રીતે થાય છે ? તે બળવાન શી રીતે થાય છે, જેથી શક્તિમાં વૃદ્ધિ થાય તે હું જાણવા માગું છું. (૫૧) भगवान् प्राह ५२. चिन्ताशोकभयक्रोधैः, आवेगैर्विविधैश्चिरम् । संवेदनविचारैश्च, दुर्बलं जायते मनः ।। ભગવાને કહ્યું- ચિંતા, શોક, ભય, ક્રોધ વગેરે વિવિધ આવેગો; ચિરકાલીન સંવેદન અને ચિરકાલીન વિચાર વગેરે મનને દુર્બળ બનાવે છે. (૫૨) ર. दीर्घश्वासस्तथा चित्तस्यैकाग्रसन्निवेशनम् । विचाराणां निरोधो वा, संवेदननियंत्रणम् ।। ५४. आवेगानां सन्निरोधः, शिथिलीकरणं तथा । संकल्पशक्तेरभ्यासः, मनोबलनिबंधनम् ।। (પુનમ્) દીર્ઘશ્ર્વાસ, ચિત્તનો એક આલંબન ઉપર સંનિવેશ, વિચારોનો નિરોધ, સંવેદન-નિયંત્રણ, આવેગનો નિરોધ, શિથિલીકરણ અને સંકલ્પશક્તિનો અભ્યાસ વગે૨ે મનોબળ દૃઢ કરવાના ઉપાય છે. (૫૩, ૫૪) . आत्मनः स्वात्मना प्रेक्षा, धर्म्यध्यानमुदीरितम् । प्रकृष्टां भूमिमापन्नं, शुक्लध्यानमिदं भवेत् । સંબોધિ ૧૯૧ Page #194 -------------------------------------------------------------------------- ________________ આત્મા દ્વારા આત્માની પ્રેક્ષાને ધર્મધ્યાન કહેવામાં આવે છે. પ્રેક્ષા જ્યારે ઉત્કૃષ્ટ ભૂમિ ઉપર પહોંચી જાય છે ત્યારે શુક્લ ધ્યાન કહેવાય છે. (૫૫) ૧૬. વ્યાધિમધમુપધિષ્ય, સંમતિ યત્નતિઃ | समाधिं लभते प्रेक्षाध्यानसिद्धिपरायणः ।। પ્રેક્ષાધ્યાનની સિદ્ધિમાં પરાયણ વ્યક્તિ વ્યાધિ, આધિ અને ઉપાધિનું પ્રયત્નપૂર્વક અતિક્રમણ કરીને સમાધિ પામે છે. (૫૬) ૧૭. યો યમુનિ તેરઘેર્યા નાચતે | स्थैर्यं सम्यक् गते काये, आस्रवः प्रतनुर्भवेत् ।। કાયોત્સર્ગ અને કાયમુર્તિ દેહની સ્થિરતા માટે છે. કાયા સારી રીતે સ્થિર થવાથી આસ્રવ પાતળો પડી જાય છે. (૫૭) ५८. श्वासादीनां च संप्रेक्षा, मनःसंयममाव्रजेत् । ऐकाग्रये सघने जाते, ध्यानं स्यानिर्विकल्पकम् ।। શ્વાસ વગેરેની સંપ્રેક્ષા થકી મનનો સંયમ પ્રાપ્ત થાય છે. મનની એકાગ્રતા સઘન થવાથી નિર્વિકલ્પ ધ્યાન સિદ્ધ થઈ જાય છે. (૫૮) ५९. अध्यवसायो सूक्ष्मा चित्त्, लेश्या भावः ततः स्फुटम् । પિત્ત પૂનરાવર્લ્સ, રૂમ ચૈતન્યમૂમયઃ || અધ્યવસાય સૂક્ષ્મ ચેતના છે. વેશ્યા અથવા ભાવની ચેતના તેનાથી પ્રસ્તુટ-વ્યક્ત છે. સ્થૂળ શરીરમાં કામ કરનાર ચેતના ચિત્ત છે. આ ચૈતન્યની ભૂમિકાઓ છે. (૫૯) ૬૦. મન:પ્રવર્ત ચિત્ત, વાણીનિયમન્ ! प्रशस्तेऽध्यवसाये तु, प्रशस्ताः स्युरिमे समे ।। ચિત્ત મનનું પ્રવર્તક છે. તે વાણી અને શરીરનું નિયામક છે. અધ્યવસાય પ્રશસ્ત થતાં આ બધું પ્રશસ્ત બની જાય છે. (૬૦) સંબોધિ - ૧૯૨ Page #195 -------------------------------------------------------------------------- ________________ ६१. मनःशुद्धौ भावशुद्धिः, लेश्याशुद्धिस्ततो भवेत् । अध्यवसायशुद्धिश्च, साधनायाः अयं क्रमः ।। મનની શુદ્ધિ થવાથી ભાવની શુદ્ધિ થાય છે. ભાવની શુદ્ધિ થવાથી વેશ્યાની શુદ્ધિ થાય છે અને લશ્યાની શુદ્ધિ થવાથી અધ્યવસાની શુદ્ધિ થાય છે. આ સાધનાનો ક્રમ છે. (૬૧) ६२. प्राणे संसाधिते सम्यक, कायसिद्धिर्भवेत् ध्रुवम् । श्वासे संसाधिते सम्यक्, मनःसिद्धिर्भवेत् ध्रुवम् ।। . પ્રાણ, અપાન વગેરે પંચવિધ પ્રાણશક્તિની સભ્યસાધના કરી લેવાથી ચોક્કસ રૂપે કાયસિદ્ધિ થઈ જાય છે. શ્વાસની સમ્યક્રસાધના કરી લેવાથી નિશ્ચિતરૂપે મનની સિદ્ધિ થઈ જાય છે. (૬૨) ૬૩. ઉદ્દે ક્લે નિધાનન, યોગને રસપI | भाग्यहीना न पश्यन्ति, बहुरत्ना वसुन्धरा ।। પ્રત્યેક પદ ઉપર નિશાન છે, પ્રત્યેક યોજન ઉપર રસકૂપિકા છે. ભાગ્યહીન તેને જોઈ શકતો નથી. આ વસુંધરા અનેક રત્નોવાળી છે. (૬૩) ૬૪. જે વે સલાડ, શક્તિસ્રોતઃ પ ! ___ ध्यानहीना न पश्यन्ति, बहुरत्नं शरीरकम् ।। પ્રત્યેક પગલે આનંદ છે અને પ્રત્યેક પગલે શક્તિનો સ્ત્રોત છે. ધ્યાનહીન તેને જોઈ શકતો નથી. આ શરીર અનેક રત્નોવાળું છે. (૬૪) ६५. उपधीनाञ्च भावानां, क्रोधादीनां परिग्रहः । परित्यक्तो भवेद् यस्य, व्युत्सर्गस्तस्य जायते ।। ઉપધિ-વસ્ત્ર, પાત્ર, ભક્ત-પાન તથા ક્રોધ વગેરેના પરિગ્રહના પરિત્યાગને વ્યુત્સર્ગ કહે છે. વ્યુત્સર્ગ એ વ્યક્તિને થાય છે, જેને ઉક્ત પરિગ્રહ પરિત્યક્ત હોય છે. (૬૫) સંબોધિ - ૧૯૩ 13. Page #196 -------------------------------------------------------------------------- ________________ ६६. भावनाभाविते चित्ते, ध्यानबीजं प्ररोहति । संस्काराः परिवर्तन्ते, चिन्तनं च विशुद्ध्यति ।। જે ચિત્ત ભાવના થકી ભાવિત હોય છે, તેમાં ધ્યાનનું બીજ અંકુરિત થાય છે, સંસ્કારોનું પરિવર્તન થાય છે અને ચિત્ત વિશુદ્ધ બને છે. (૬૬) ૬૭. pલયા સત્યપ્રેક્ષા, ત~સિક્વાનુBક્ષયા ! પુનઃ પુનતમ્બાસા, માવની ગાયતે ધ્રુવમ્ | પ્રેક્ષા થકી સત્યનું દર્શન થાય છે. સત્યની ઉપલબ્ધિક્રિયાન્વયન અનુપ્રેક્ષા-અનુચિંતન અથવા સ્વતઃ સૂચના થકી થાય છે. અનુપ્રેક્ષાનો વારંવાર કરવામાં આવતો અભ્યાસ ભાવના બની જાય છે. (૬૭) ૬૮. નિત્યો નામ સંસા, ત્રાય મોડેવિ નો મને ! भवे भ्रमति जीवोऽसौ, एकोऽहं देहतः परः ।। ૬૬. अपवित्रमिदं गात्रं, कर्माकर्षणयोग्यता । निरोधः कर्मणां शक्यो, विच्छेदस्तपसा भवेत् ।। ७०. धर्मो हि मुक्तिमार्गोऽस्ति, सुकृता लोकपद्धतिः । दुर्लभा वर्तते बोधिः, एता द्वादशभावनाः ।। (વિશેષમ) ૧. સંસાર અનિત્ય છે- આવું ચિંતન અનિત્ય ભાવના છે. ૨. મારા માટે કોઈ શરણ નથી- આવું ચિંતન અશરણ ભાવના છે. ૩. આ જીવ સંસારમાં ભ્રમણ કરે છે – આવું ચિંતન ભવભાવના છે. ૪. “હું એક છું'- આવું ચિંતન એકત્વ ભાવના છે. ૫. “હું દેહથી ભિન્ન છું - આવું ચિંતન અન્યત્વ ભાવના છે. ૬. શરીર અપવિત્ર છે- આવું ચિંતન અશૌચ ભાવના છે. ૭. આત્મામાં કર્મોને આકૃષ્ટ કરવાની યોગ્યતા છે- આવું ચિંતન સ્ત્રવ ભાવના છે. સંબોધિ ૧૯૪ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૮. કર્મોનો નિરોધ કરી શકાય છે- આવું ચિંતન સંવ ભાવના છે. ૯. તપ દ્વારા કર્મનો ક્ષય કરી શકાય છે- આવું ચિંતન ત ભાવના છે. ૧૦. મુક્તિનો માર્ગ ધર્મ છે- આવું ચિંતન ધર્મ ભાવના છે. ૧૧. લોક પુરુષાકૃતિવાળો છે- આવું ચિંતન લોક ભાવના છે. ૧૨. બોધિદુર્લભ છે- આવું ચિંતન બોધિદુર્લભ ભાવના છે. આમ બાર ભાવનાઓ છે. (૬૮, ૬૯, ૭૦) ७१. मैत्री सर्वत्र सौहार्द, प्रमोदो गुणिषु स्फुरेत् । करुणा कर्मणार्तेषु, माध्यस्थ्यं प्रतिगामिषु ।। – ૧. તમામ જીવ મારા સુહૃદ છે- આવું ચિંતન મૈત્રીભાવના છે. ૨. ગુણી વ્યક્તિઓ પ્રત્યે અનુરાગ થવો એ પ્રમાદ ભાવના છે. ૩. કર્મો થકી આર્ત બનેલા જીવ દુઃખથી મુક્ત બને એવું ચિંતન કરુણાભાવના છે. ૪. પ્રતિકૂળ અથવા વિપરીત વૃત્તિવાળા લોકો પ્રત્યે ઉપેક્ષા રાખવી એ માધ્યસ્થ ભાવના છે. આ ચાર ભાવનાઓના યોગથી ભાવનાઓ સોળ (૧૨ + ૪) થાય છે. (૭૧) ૭૨. સંગા: સ્થિરતાં યાન્તિ, ચિત્ત પ્રક્ષાલમૃ∞તિ 1 वर्धते समभावोऽपि, भावनाभिर्ध्रुवं नृणाम् ।। આ ભાવનાઓ થકી સંસ્કાર સ્થિર બને છે, ચિત્ત પ્રસન્ન બને છે અને સમભાવની વૃદ્ધિ થાય છે. (૭૨) ७३. भावनाभिर्विमूढाभिः, भावितं मूढतां व्रजेत् । चित्तं ताभिरमूढाभिः, भावितं मुक्तिमर्हति ।। મોહયુક્ત ભાવનાઓથી ભાવિત ચિત્ત મૂઢ બને છે અને મોહરહિત ભાવનાઓથી ભાવિત થઈને તે મુક્તિ પામે છે. (૭૩) સંબોધિ ૧૯૫ Page #198 -------------------------------------------------------------------------- ________________ ७४. आत्मोपलब्ध्यै जीवानां, भावनालम्बनं महत् । तेन नित्यं प्रकुर्वीत, भावनाभावितं मनः ।। આત્મસ્વરૂપની ઉપલબ્ધિ માટે ભાવના મહાન આલંબન છે, તેથી મનને હંમેશાં ભાવનાઓથી ભાવિત કરવું જોઈએ. (૭૪) ७५. भावनायोगशुद्धात्मा, जले नौरिव विद्यते । નૌવ તીસંપન્ન:, સર્વદુઃવા વિમુક્યતે || ભાવનાયોગ- અનિત્ય આદિ ભાવનાઓથી જેનો આત્મા શુદ્ધ હોય છે, તે જળમાં નાવની જેમ રહે છે. જેવી રીતે નાવ કિનારે પહોંચે છે, તેવી જ રીતે તે તમામ દુઃખોને પાર કરી જાય છે, મુક્ત થઈ જાય છે. (૭૫) ७६. भवेदास्रविणी नौका, न सा पारस्य गामिनी । या निराम्रविणी नौका, सा तु पारस्य गामिनी ।। જે નાવ આસ્ત્રવિણી છે- છેદવાની છે, તે સમુદ્રને પાર કરી શકતી નથી અને જે નિરાસ્ત્રવિણી છે - છેદરહિત છે, તે નાવ સમુદ્રને પેલે પાર પહોંચી જાય છે. (૭૬) ૭૭. સતનાંપન્ન., શ્રદ્ધાવીન યોમિતિ ! विचिकित्सां समापन्नः, समाधिं नैव गच्छति ।। જે સમ્યકદર્શન થકી સંપન્ન અને શ્રદ્ધાવાન છે, તે યોગનો અધિકારી છે. જે સંશયશીલ છે, તે સમાધિ પ્રાપ્ત કરી શકતો નથી. (૭૭) ७८. आस्तिक्यं जायते पूर्व, आस्तिक्याज्जायते शमः । शमाद् भवति संवेगो, निर्वेदो जायते ततः ।। - ૭૬. निर्वेदादनुकंपा स्याद्, एतानि मिलितानि च । श्रद्धावतो लक्षणानि, जायन्ते सत्यसेविनः ।। (યુષણ) પહેલાં આસ્તિક્ય થાય છે, આતિક્યથી શમ થાય છે, શમથી સંવેગ થાય છે, સંવેગથી નિર્વેદ થાય છે અને નિર્વેદથી અનુકંપા સંબોધિ ૧૯૬ Page #199 -------------------------------------------------------------------------- ________________ પેદા થાય છે. આ તમામ સત્યસેવી શ્રદ્ધાવાન અર્થાત્ સમ્યગ્દષ્ટિનાં લક્ષણો છે. (૭૮, ૭૯) ૮૦. સોળ વ્રતે સંપન્નો, તોચ્ચેષTIષ્યોત્ | भावशुद्धिः क्रियाश्चापि, प्रथयन् शिवमश्नुते ।। વ્રતોથી સંપન્ન યોગી લોકેષણામાં ફસાતો નથી. તે માનસિક શુદ્ધિ અને સન્ક્રિયાઓનો વિસ્તાર કરતો કરતો મોક્ષ પામે છે. (૮૦) ૮૨. ન લીયન્ત ન વર્ધન્ત, ક્ષત્તિ નીવા મવસ્થિતા ! મનીવો નીવતા રેતિ, ન નીવો યાચકવતામ્ | જીવ અવસ્થિત છે. તે ન ઘટે છે કે ન વધે છે. અજીવ ક્યારેય જીવ નથી બનતો અને જીવ ક્યારે અજીવ નથી બનતો. (૮૧) ८२. अवस्थानमिदं ध्रौव्यं, द्रव्यमित्यभिधीयते । પરીવર્તનમત્રેવ, પર્યાય પરિવર્તિતઃ || અવસ્થાનને ધ્રૌવ્ય કહેવામાં આવે છે અને એમાં જ જે પરિવર્તન થાય છે તેને પર્યાય કહેવામાં આવે છે. ધ્રૌવ્ય અને પરિવર્તન બંને દ્રવ્યના અંશ છે. દ્રવ્ય એટલે આ બંનેની સમષ્ટિ. (૮૨) मेघः प्राह ८३. कथं चित्तं न जानाति ? कथं जानन् न चेष्टते ? चेष्टमानं कथं नैति, श्रद्धानं चरणं विभो ।। મેઘ બોલ્યો, પ્રભુ ! ચિત્ત કેમ જાણતું નથી ? જાણવા છતાં ઉદ્યોગ કેમ કરતું નથી ? ઉદ્યોગ કરવાં છતાં તે શ્રદ્ધા અને ચારિત્રને કેમ પ્રાપ્ત કરી શકતું નથી ? (૮૩) भगवान् प्राह ८४. आवृतं नहि जानाति, प्रतिहतं न चेष्टते । मूढं विकारमाप्नोति, श्रद्धायां चरणेऽपि च ।। સંબોધિ , ૧૯૭ Page #200 -------------------------------------------------------------------------- ________________ ભગવાને કહ્યું, જે ચિત્ત આવૃત હોય છે, તે જાણતું નથી. જે ચિત્ત પ્રતિહત હોય છે તે ઉદ્યોગ નથી કરતું. જે ચિત્ત મૂઢ હોય છે, તે શ્રદ્ધા અને ચારિત્રને પામી શકતું નથી. (૮૪) मेघः प्राह ८५. केन स्यादावृतं चित्तं ? केन प्रतिहतं भवेत् ? ____ मूढं च जायते केन ? ज्ञातुमिच्छामि सर्ववित् ! મેઘ બોલ્યો, હે સર્વજ્ઞ ! ચિત્ત કોનાથી આવૃત થાય છે ? કોનાથી પ્રતિહત થાય છે અને કોનાથી મૂઢ બને છે તે હું જાણવા ઇચ્છું છું. (૮૫) भगवान् प्राह ८६. आवृतं जायते चित्तं, ज्ञानावरणयोगतः । हतं स्यादन्तरायण, मूढं मोहेन जायते ।। ભગવાને કહ્યું, ચિત્ત જ્ઞાનાવરણીય કર્મથી આવૃત થાય છે, અંતરાયકર્મથી પ્રતિહત થાય છે અને મોહકર્મથી મૂઢ બને છે. (૮૬) ८७. स्वसम्मत्याऽपि विज्ञाय, धर्मसारं निशम्य वा । मतिमान् मानवो नूनं, प्रत्याचक्षीत पापकम् ।। બુદ્ધિમાન મનુષ્ય ધર્મના સારને પોતાની સહજ બુદ્ધિથી જાણીને કે સાંભળીને પાપનું પ્રત્યાખ્યાન કરવું જોઈએ. (૮૭) ૮૮. ૩૫થન વિનાનીયા. ગામ રાત્મિનઃ | क्षिप्रमेव यतिस्तेषां, शिक्षा शिक्षेत पण्डितः ।। સંયમશીલ પંડિતે પોતાના જીવનના કલ્યાણકારી ઉપાયોને જાણવા અને તેમનો શીધ્ર અભ્યાસ કરવો જોઈએ. (૮૮) ८९. यथा कूर्मः स्वकाङ्गानि, स्वके देहे समाहरेत् । एवं पापानि मेधावी, अध्यात्मेन समाहरेत् ।। સંબોધિ - ૧૯૮ Page #201 -------------------------------------------------------------------------- ________________ જેવી રીતે કાચબો પોતાનાં અંગોને પોતાના શરીરમાં સમેટી લે છે, એવી જ રીતે મેધાવી પુરુષ અધ્યાત્મ દ્વારા પોતાનાં પાપોને સમેટી લે છે. (૮૯) ૬૦. સંરતુ તપાવો ૨, મન: પવેન્દ્રિયાળ ૨ | पापकं परिणामञ्च, भाषादोषञ्च तादृशम् ।। મેધાવી પુરુષે હાથ, પગ, મન, પાંચ ઈન્દ્રિયો, અસદુ વિચાર અને વાણીના દોષનો ઉપસંહાર કરવો જોઈએ. (૯૦) ९१. कृतञ्च क्रियमाणञ्च, भविष्यन्नाम पापकम् । सर्वं तन्नानुजानन्ति, आत्मगुप्ताः जितेन्द्रियाः ।। જે પુરુષો આત્મગુણ અને જિતેન્દ્રિય છે, તેઓ અતીત, વર્તમાન અને ભવિષ્યનાં પાપોનું અનુમોદન કરતા નથી. (૯૧) मेयः प्राह ९२. प्रभो ! प्रसादमासाद्य, चेतः पुलकितं मम । વાળી સુધારણાલિ, સંતાપ હસ્તે કૃપામ્ | મેઘ બોલ્યો, પ્રભુ! આપનો પ્રસાદ પામીને મારું મન પુલકિત થઈ ઊઠ્યું છે. આપની સુધારસસભર વાણી મનુષ્યોના સંતાપનું હરણ કરી લે છે. (૯૨). સંબોધિ - ૧૯૯ Page #202 -------------------------------------------------------------------------- ________________ Page #203 -------------------------------------------------------------------------- ________________ (અધ્યાય-૧૩ સાધ્ય-સાધન સંજ્ઞાન Page #204 -------------------------------------------------------------------------- ________________ Page #205 -------------------------------------------------------------------------- ________________ આમ, આત્માનું શુદ્ધ સ્વરૂપ ઉપાદેય છે. એ જ સાધ્ય છે. તે કઈ રીતે પ્રાપ્ત થાય છે, તેની વિધિનું નામ સાધના છે. સાધનાને એક શબ્દમાં વ્યક્ત કરવી હોય તો તે છે સંયમ. સંયમનો અધિકારી એ જ હોય છે કે જે સંદેહના વાતાવરણમાં જીવતો નથી હોતો. સાધ્યની પ્રાપ્તિમાં ઈન્દ્રિય, મન અને શરીર બાધક બને છે. આત્માની સાથે તેનો ગાઢ સંપર્ક છે. તે આત્માને પોતાની જાળમાં અવાર-નવાર ફસાવ્યા જ કરે છે. અબુદ્ધ આત્મા એ જાળથી મુક્ત થઈ શકતો નથી. પ્રબુદ્ધ આત્મા મન વગેરેની જાળમાં ફસાતો નથી. જો મોહવશ તેમનો શિકાર થઈ જાય તો પણ તે તરત જ તેનાથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે. તેને પોતાના સ્વરૂપનું જ્ઞાન હોય છે. તેને એ પણ ખબર છે કે બંધનના સ્ત્રોત ક્યાં ક્યાં છે. જેને બંધનના માર્ગોનો અવબોધ નથી હોતો તે હર ક્ષણે તેમનો સંગ્રહ કરતો રહે છે. એક પછી બીજી બંધનની શૃંખલા જોડાતી રહે છે. તેથી સાધ્ય, સાધન અને તેના જ્ઞાનની શક્તિ (જાણકારી) અત્યંત આવશ્યક છે. આ અધ્યાયમાં એનું જ વિષદ્ વિવેચન છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ Page #207 -------------------------------------------------------------------------- ________________ સાધ્ય-સાધન-સંજ્ઞાન मेघः प्राह $. મેઘ બોલ્યો, ભગવન્ ! સાધ્ય શું છે ? સાધન શું છે ? સાધ્યની સાધના કોણ કરે છે ? હું સાધ્ય અને સાધન વિષે જાણવા ઇચ્છું છું. (૧) ત્રિં સાધ્યું ? સાધન બ્ધિ ? બેન તન્નામ સાધ્યતે ? साध्यसाधनसंज्ञाने, जिज्ञासा मम वर्तते ।। भगवान् प्राह ર. प्रश्नो वत्स ! दुरुहोऽयं, नानात्वेन विभज्यते । नानारुचिरयं लोको, नानात्वं प्रतिपद्यते ।। ભગવાને કહ્યું, વત્સ ! આ પ્રશ્ન દુરૂષ છે. તે અનેક પ્રકારે વિભક્ત હોય છે. લોકો ભિન્ન-ભિન્ન રુચિવાળા હોય છે, તેથી સાધ્ય પણ અનેક બની જાય છે. (૨) ૨. લોક છે કે નહીં- એવી સંદિગ્ધતાવાળી વ્યક્તિ સાધ્યની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતી નથી. (૩) ૪. विद्यते नाम लोकोऽयं, न वा लोकोऽपि विद्यते । एवं संशयमापन्नः, साध्यं प्रति न धावति ।। विद्यते नाम जीवोऽयं, न वा जीवोऽपि विद्यते । एवं संशयमापन्नः, साध्यं प्रति न धावति ।। જીવ છે કે નહીં- એવી સંદિગ્ધતાવાળી વ્યક્તિ સાધ્યની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતી નથી. (૪) સંબોધિ . ૨૦૫ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧. વિદ્યતે નામ વર્ષે, ન વા વિ વિદ્યતે | एवं संशयमापन्नः, साध्यं प्रति न धावति ।। કર્મ છે કે નહીં – એવી સંદિગ્ધતાવાળી વ્યક્તિ સાધ્યની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતી નથી. (૫) ૬. ગતિ કર્મઝને વેદ, નવા વેદ્ય = વિદ્યતે | સંશયમાપન્ના, સાણં પ્રતિ ન થાવતિ | કર્મનું ફળ ભોગવવું પડે છે કે નહીં – એવી સંદિગ્ધતાવાળી વ્યક્તિ સાધ્યની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતી નથી. (૬) ૭. મતિ તોડપિ નીવોડ, વર્ષ માં ઘુવમ્ | નિશ્ચયમાપ, સાણં પ્રતિ પ્રથાવત || લોક છે, જીવ છે, કર્મ છે અને કર્મફળ ભોગવવું પડે છે- એવી આસ્થાવાળી વ્યક્તિ સાધ્યની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. (૭) ૮. નિવૃતિ નિર્વિની, નિરો દ્રષ્ટિમાનતી ! आत्मा स्यादिदमेवास्ति, साध्यमात्मविदां नृणाम् ।। આત્મવિ - આત્માને જાણનાર પુરુષો માટે નિરાવરણ, નિર્વિદન- નિરંતરાય, નિર્મોહ અને દૃષ્ટિસંપન્ન સમ્યગ્દર્શનયુક્ત આત્મા જ સાધ્ય છે. (૮) ૧. માવજય વિનય, મોહસ્ય કૃત્રિયો | निरोधो जायते तेन, संयमः साधनं भवेत् ।। સંયમ થકી આવરણ, વિન, દૃષ્ટિમોહ અને ચારિત્રમોહનો નિરોઘ થાય છે, તેથી તે આત્માની પ્રાપ્તિ-સાધ્યની સિદ્ધિનું સાધન છે. (૯) ૨૦. મનં સયત ત્વા, સતત શ્રદ્ધયન્વિતઃ | आत्मानं साधयेच्छान्तः, साध्यं प्राप्नोति स ध्रुवम् ।। જે શ્રદ્ધા-સંપન્ન પુરુષ પોતાને સંયમી બનાવીને આત્મસાધના કરે છે, તે શાંત-કષાયરહિત પુરુષ સાધ્યને પ્રાપ્ત કરી શકે છે. (૧૦) સંબોધિ - ૨૦૬ Page #209 -------------------------------------------------------------------------- ________________ ११. आत्मैव परमात्मास्ति, रागद्वेषविवर्जितः । શરીરમુમિપન્ના, પરમાત્મા મસી // આત્મા જ પરમાત્મા છે. આત્મા રાગ-દ્વેષ અને શરીરથી મુક્ત થઈને પરમાત્મા બની જાય છે. (૧૧) १२. स्थूलदेहस्य मुक्त्याऽसौ, भवान्तरं प्रधावति । अन्तरालगतिं कुर्वन्, ऋजु वक्रां यथोचिताम् ।। આત્મા મૃત્યુની ક્ષણે સ્થૂળ શરીરથી મુક્ત થઈને ભવાંતરપુનર્જન્મ માટે પ્રસ્થાન કરે છે. તે સમયે ઉત્પત્તિ-સ્થાન મુજબ તેની ઋજુ અથવા વક્ર અંતરાલ ગતિ થાય છે. (૧૨) १३. यावत् सूक्ष्मं शरीरं स्यात्, तावन्मुक्तिर्न जायते । __ पूर्णसंयमयोगेन, तस्य मुक्तिः प्रजायते ।।। જ્યાં સુધી સૂક્ષ્મ શરીર તેજસ અને સૂક્ષ્મતર શરીર કાર્પણ વિદ્યમાન રહે છે, ત્યાં સુધી આત્મા મુક્ત નથી થતો. આત્માની મુક્તિ પૂર્ણ સંયમ-સર્વસંવરની અવસ્થામાં જ થાય છે, ત્યારે બંને શરીર છૂટી જાય છે. (૧૩) मेघः प्राह १४. भगवन् ! इन्द्रियग्रामं, चंचलं विद्यते भृशम् । संयमः कथमाधेयः, तात्पर्यं तस्य साधय ।। મેઘ બોલ્યો, ભગવન્! ઈન્દ્રિયસમૂહ અત્યંત ચંચળ છે. તેને સંયત શી રીતે કરવો ? આપ મને તેનું તાત્પર્ય સમજાવો. (૧૪) १५. बाध्यमानो ग्राम्यधर्मः, रूक्षं भुञ्जीत भोजनम् । प्रकुर्यादवमौदर्य, ऊर्ध्व स्थानं स्थितो भवेत् ।। ભગવાને કહ્યું, મુનિ ગ્રામ્ય ધર્મ- કામવિચારથી પીડિત થાય ત્યારે તેણે રૂક્ષ ભોજન કરવું, અલ્પ પ્રમાણમાં ખાવું અને કાયોત્સર્ગ કરવો. (૧૫) १६. नैकत्र निवसेनित्यं, ग्रामं ग्राममनुव्रजेत् । व्युच्छेदं भोजनस्याऽपि, कुर्यात् रागनिवृत्तये ।। સંબોધિ - ૨૦૭ Page #210 -------------------------------------------------------------------------- ________________ મુનિએ સદાય એક જ સ્થળે નિવાસ ન કરવો, ગામ-ગામમાં વિહાર કરવો અને રાગની નિવૃત્તિ માટે ભોજન પણ છોડવું. (૧૬) ૬૭. श्रद्धां कश्चिद् व्रजेत् पूर्वं पश्चात् संशयमृच्छति । 9 पूर्वं श्रद्धां न यात्यन्तः, पश्चाच्छ्रद्धां निषेवते ।। १८. पूर्वं पश्चात् परः कश्चित्, श्रद्धां स्पृशति नो जनः । पूर्वं पश्चात् परः कश्चित्, सम्यक् श्रद्धां निषेवते ।। (યુÇમ્) કોઈ પહેલાં શ્રદ્ધાળુ હોય છે અને પછી લક્ષ્ય પ્રત્યે સંદિગ્ધ બની જાય છે, તો કોઈ પહેલાં સંદેહશીલ હોય છે અને પછી શ્રદ્ધાળુ બની જાય છે. કોઈ ન તો પહેલાં શ્રદ્ધાળુ હોય છે કે ન તો પછી શ્રદ્ધાળુ બને છે. તો કોઈ વળી પહેલાં પણ શ્રદ્ધાળુ હોય છે અને પછી પણ શ્રદ્ધાળુ જ રહે છે. (૧૭, ૧૮) ૬૧. सम्यक् स्यादथवाऽसम्यक्, सम्यक् श्रद्धावतो भवेत् । सम्यक् चापि न वा सम्यक्, श्रद्धाहीनस्य जायते ।। કોઈ વિચાર સમ્યક્ હોય કે અસમ્યક્, શ્રદ્ધાવાન પુરુષમાં એ સમ્યકરૂપે પરિણત થાય છે અને અશ્રદ્ધાવાન પુરુષમાં સમ્યક્ વિચાર પણ અસમ્યકરૂપે પરિણત થાય છે. (૧૯) २०. ऊर्ध्व स्रोतोऽप्यधस्स्रोतः, तिर्यक्स्रोतो हि विद्यते । आसक्तिर्विद्यते यत्र, बंधनं तत्र विद्यते ।। ઉપર સ્રોત છે, નીચે સ્રોત છે અને મધ્યમાં પણ સ્રોત છે. જ્યાં આસક્તિ-સ્રોત છે, ત્યાં બંધન છે. (૨૦) ૨૧. યાવન્તો હેતવો તો, વિદ્યન્ત બન્ધનસ્ય હિ । तावन्तो हेतवो लोके, मुक्तेरपि भवन्ति च ।। આ લોકમાં જેટલાં કારણ બંધન માટેનાં છે, તેટલાં જ કારણ મુક્તિ માટેનાં પણ છે. (૨૧) સંબોધિ છે ૨૦૮ Page #211 -------------------------------------------------------------------------- ________________ ' ' ૨૨. સર્વે વા નિવર્તને, સર્વત્ર ન વિદ્યતે ! 3 પ્રાદિક્ષા ન મતિતંત્ર, તત્સાણં પરમ તૃણન્ !! જેને વ્યક્ત કરવા માટે સ્વર-શબ્દ અક્ષમ છે, તેની જ્યાં પહોંચનથી, બુદ્ધિ જેને પકડી શકતી નથી તે આત્મા મનુષ્યોનું પરમ સાધ્ય છે. (૨૨) २३. ग्रामे वा यदि वाऽरण्ये, न ग्रामे नाप्यरण्यके । બ્રેષતયો યત્ર, તત્ર સિદ્ધિ ગાયતે || સિદ્ધિ નગરમાં પણ મળી શકે છે અને અરણ્યમાં પણ મળી શકે છે. તે ન તો નગરમાં મળી શકે છે અને ન તો એરણ્યમાં પણ મળી શકે છે. સિદ્ધિ ત્યાં જે મળે છે કે જ્યાં રાગ અને દ્વેષનો વિલય થઈ જાય છે. (૨૩) ર૪. ન મુહિતેન શ્રમ , ન ઘારેખ બ્રાહઃ | - - મુનિનથવાણેન, શોર્ન તાપસ: || માથું મુંકાવી દેવા માત્રથી કોઈ શ્રમણ નથી બની જતો, ઓમકારનો જાપ કરવા માત્રથી કોઈ બ્રાહ્મણ નથી બની જતો, અરણ્યમાં નિવાસ કરવા માત્રથી કોઈ મુનિ નથી બની જતો અને કુશનાં બનેલાં વસ્ત્રો પહેરવા માત્રથી કોઈ તાપસ નથી બની જતો. (૨૪) २५... श्रमणः समभावेन, ब्रह्मचर्येण ब्राह्मणः । ज्ञानेन च मुनिर्लोके, तपसा तापसो भवेत् ।। શ્રમણ એ જ છે કે જે સમભાવ જાળવે, બ્રાહ્મણ એ છે કે જે બ્રહ્મચર્યનું પાલન કરે, મુનિ એ છે કે જે જ્ઞાનની ઉપાસના કરે અને તાપસ એ છે કે જે તપસ્યા કરે. (૨૫) २६. कर्मणा ब्राह्मणो लोकः, कर्मणा क्षत्रियो भवेत् । કર્મળ ગાયતે વૈશ્ય શૂટો ભવતિ શર્મળા !. બ્રહ્મવિદ્યાનું કર્મ કરનાર બ્રાહ્મણ, સુરક્ષાનું કર્મ કરનાર ક્ષત્રિય, વ્યવસાયનું કર્મ કરનાર વૈશ્ય અને સેવાકર્મ કરનાર શૂદ્ર છે. (૨૬), ૧. બ્રહ્મચર્ય - બ્રહ્મ વિષયક આચરણ ૨. કર્મ- આજીવિકાપરક વૃત્તિ સંબોધિત ૨૦૯ 11 Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૭. न जातिर्न च वर्णोऽभूद्, युगे युगलचारिणाम् । ऋषभस्य युगादेषा, व्यवस्था समजायत ।। યૌગલિક યુગમાં ન કોઈ જાતિ હતી અને ન કોઈ વર્ણ હતો. ભગવાન ઋષભના યુગમાં જાતિ અને વર્ણની વ્યવસ્થાનું પ્રવર્તન થયું. (૨૭) २८. एकैव मानुषी जातिराचारेण विभज्यते । जातिगर्वो महोन्मादो, जातिवादो न तात्त्विकः ।। મનુષ્યજાતિ એક છે. તેના વિભાગ આચાર અથવા વર્ણના આધારે થાય છે. જાતિનો ગર્વ કરવો એ સૌથી મોટો ઉન્માદ છે કારણ કે જાતિવાદ તાત્ત્વિક વસ્તુ નથી. (૨૮) ૨૬. जातिवर्णशरीरादि- बाह्येर्भेदैर्विमोहितः । आत्माऽऽत्मसु घृणां कुर्याद्, एष मोहो महान् नृणाम् । જાતિ, વર્ણ, શરીર વગેરે બાહ્ય તફાવતો થકી વિમૂઢ બનીને એક આત્મા બીજા આત્માની ઘૃણા કરે- એ માનવીનો મોટો મોહ છે. (૨૯) ३०. यस्तिरस्कुरुतेऽन्यं स, संसारे परिवर्तते । मन्यते स्वात्मनस्तुल्यान्, अन्यान् स मुक्तिमश्नुते ।। જે બીજાઓને તિરસ્કાર કરે છે, તે સંસારમાં પર્યટન કરે છે અને જે બીજાઓને આત્માતુલ્ય માને છે તે મુક્તિ પામે છે. (૩૦) રૂ૬. અનાયજો મહાયોગી, મૌન પવમુપસ્થિતઃ । પ્રેષ્યપ્રેષ્ય, વન્તમાનો ન નખતે !! साम्यं प्राप्तः જેનો કોઈ નાયક નથી, તે ચક્રવર્તી મૌન પદ-શ્રામણ્યમાં ઉપસ્થિત થઈને મહાયોગી બન્યો અને સમત્વ પામ્યો, તે પોતાના પૂર્વદીક્ષિત નૃત્યના ભૃત્યને પણ વંદન કરવામાં ક્ષોભ અનુભવતો નથી. (૩૧) સંબોધિ . ૨૧૦ Page #213 -------------------------------------------------------------------------- ________________ मेघः प्राह ३२. केनोपायेन देवेदं, मनःस्थैर्य समश्नुते ? स्वीकृतस्याध्वनो येनाऽप्रच्यवः सिद्धिमाप्नुयात् ।। હે દેવી! કયા ઉપાય થકી મનની સ્થિરતા પ્રાપ્ત થઈ શકે છે, જેથી સ્વીકૃત માર્ગ ઉપર આરૂઢ રહેવાનો માર્ગ. સિદ્ધ થઈ જાય ? (૩૨) भगवान् प्राह ૩૩. મનઃ સાહસિકો પીકો, યુરોડ પરાવતિ | सम्यग् निगृह्यते येन, स जनो नैव नश्यति ।। ભગવાને કહ્યું, મન દુષ્ટ ઘોડો છે. તે સાહસિક અને ભયંકર છે. તે દોડી રહ્યો છે. તેને જે સારી રીતે પોતાને અધીન કરે છે તે મનુષ્ય નષ્ટ નથી થતો- સન્માર્ગથી ચુત નથી થતો. (૩૩) ३४. उन्मार्गे प्रस्थिता ये च, ये च गच्छन्ति मार्गतः । सर्वे ते विदिता यस्य, स जनो नैव नश्यति ।। જે ઉન્માર્ગમાં ચાલે છે અને જે માર્ગમાં ચાલે છે તે તમામ જેને જ્ઞાત છે, તે મનુષ્ય નષ્ટ નથી થતો- સન્માર્ગથી વ્યુત નથી થતો. (૩૪) રૂ. મામાયજિતઃ શત્ર, ઋષા દ્રિયાળિ ૨ | जित्वा तान् विहरेन्नित्यं, स जनो नैव नश्यति ।। કષાય અને ઈન્દ્રિયો શત્રુ છે, તે આત્મા પણ શત્રુ છે કે જે તેમના દ્વારા પરાજિત હોય. જે તેમને જીતીને વિહાર કરે છે તે મનુષ્ય નષ્ટ નથી થતો- સન્માર્ગથી સ્મૃત નથી થતો. (૩૫) ___३६. रागद्वेषादयस्तीव्राः स्नेहाः, पाशा भयंकराः । યાચ્છિવા વિક્રોક્સિત્ય, લ ગનો નૈવ નરતિ ! પ્રગાઢ રાગ-દ્વેષ અને સ્નેહ-આ ભયાનક પાશ છે, જે તેમનું છેદન કરીને વિહાર કરે છે તે મનુષ્ય નષ્ટ નથી થતો- સન્માર્ગથી સ્મૃત નથી થતો. (૩૬) સંબોધિત ૨૧૧ Page #214 -------------------------------------------------------------------------- ________________ રૂ. અન્તોદયસભૂતા, મવતૃષ્ણા સંતા મવેત્ । વિત્તા સમુષ્ઠિત્ય, સાગનો નૈવ નશ્યતિ ।। આ ભવતૃષ્ણારૂપી લતા હૃદયની ભીતર ઉત્પન્ન થાય છે. તેને ઉખાડીને જે વિહાર કરે છે, તે મનુષ્ય નષ્ટ નથી થતો- સન્માર્ગથી ચુત નથી થતો. (૩૭) ૨૮. कषाया अग्नयः प्रोक्ताः, શ્રુત-શી-તપોનનમ્ । एतद्धाराहता यस्य स जनो नैव नश्यति ।। line%20 શીલ અને તપ– વગેરે કષાયોને અગ્નિ કહેવામાં જળ છે. જેણે આ જળધારા થકી કષાયાગ્નિને શાંત કરી દીધોJIGO આવ બૂઝાવી નાખ્યો, તે મનુષ્ય નષ્ટ નથી થતો સન્માર્ગથી ચ્યુત નથી થતો. (૩૮) ३९. 'येनात्मा साधितस्तेन, विश्वमेतत् प्रसाधितम् । येनात्मा नाशितस्तेन, सर्वमेव विनाशितम् ।। '}} ૨ જેણે આત્માને સાધી લીધો તેણે વિશ્વને સાધી લીધું, જેણે આત્માને ખોયો તેણે સર્વસ્વ ખોયું. (૩૯): ૪. છેલ્ લું નિર્મય, અતૃદેવું મતિ સ્મૃનેત્ ..दृष्टादृष्टविभागेन, नैकान्ते स्थापयेन्मतिम् ।। આત્મદર્શી સાધકે દૃષ્ટ-પૌદ્ગલિક વસ્તુથી વિરક્ત બનવું જોઈએ અને અદષ્ટ-આત્મિક તત્ત્વની પ્રાપ્તિ માટે જોઈએ. દૃષ્ટ અને અદષ્ટના વિભાગને સમજીને એકાંત-કેવળ સમાટે બુદ્ધિ જોડવી દૃષ્ટમાં મતિનું નિયોજન ન કરવું. જોઈએ. (૪૦) ___ joje ૪૬. श्रमणो वा गृहस्थो वा यस्य धर्मे मतिर्भवेत् । आत्माऽसौ साध्यते तेन, साध्ये कृत्वा स्थिरं मनः ।। :; જેની મતિ ધર્મ સાથે જોડાયેલી છે તે શ્રમણ હોય કે ગૃહસ્થ, સાયમાં મનને સ્થિર બનાવીને આત્માને સાધી લે છે. (૪૧) સંબોધિ ૨૧૨ Page #215 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧૪ ગૃહસ્થ-ધર્મ પ્રબોધન Page #216 -------------------------------------------------------------------------- ________________ Page #217 -------------------------------------------------------------------------- ________________ આસામ આવરણની બે પ્રેરણાઓ છે- મૂચ્છ અને વિરતિ, મૂચ્છપ્રેરિત આચરણ ધર્મ નથી. વિરતિપ્રેરિત આચરણ ધર્મ છે. ગૃહસ્થ પદાર્થોનો સંગ્રહ કરે છે, પદાર્થોની વચ્ચે જીવે છે અને પદાર્થોનો ભોગ કરે છે. સ્વાભાવિક રીતે જ પ્રશ્ન ઉદભવે છે કે પદાર્થની વચ્ચે રહેનાર ગૃહસ્થ, ધર્મની આરાધના શી રીતે કરી શકે ? આ પ્રશ્નનો ઉત્તર ભગવાન મહાવીરે વિભજ્યવાદી દૃષ્ટિકોણથી આપ્યો- ગૃહસ્થ ધર્મની આરાધના કરી પણ શકે છે અને નથી પણ કરી શકતો. મૂછ કે આસક્તિની માત્રામાં વધ-ઘટ થયા કરે છે. પ્રત્યાખ્યાનની શક્તિને વિકૃત કરનારી મૂચ્છ ઉપશાંત કે ક્ષીણ થાય છે ત્યારે વિરતિની ચેતના પ્રગટ થાય છે. આ અવસ્થામાં પદાર્થોની વચ્ચે રહેનાર ગૃહસ્થ પણ વિરત બની જાય છે, ધર્મની આરાધના તે કરી શકે છે. જેટલી મૂચ્છ એટલી અવિરતિ અસંયમ, જેટલી અમૂચ્છ તેટલી વિરતિ/સંયમ. અવિરતિ અને વિરતિ અથવા મૂચ્છ અને અમૂચ્છને આધારે ભગવાન મહાવીરે ધર્મને બે ભાગમાં વિભક્ત કર્યો. પ્રસ્તુત અધ્યાયમાં એ વિષયની પરિક્રમા છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ Page #219 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થયમ પ્રબોધન १. गृहप्रवर्तने लग्नो, गृहस्थो भोगमाश्रितः । થસ્થાપન કર્યું, જવ થતિ ? . . મેઘ બોલ્યો, ભગવન્! જે ગૃહસ્થ ભોગનું સેવન કરે છે અને ગૃહસ્થી ચલાવવામાં લાગેલો છે, તે ધર્મની આરાધના શી રીતે કરી શકે ? (૧) भगवान् प्राह ૨. ટેવાનુપ્રિય ! ચા, આત્તિ લીગત તા 7 - ધર્મસ્થાનાં કુર્યાત કે સ્થિતિમ વરનું || ભગવાને કહ્યું, દેવાનુપ્રિય! જે વ્યક્તિની આસક્તિ ક્ષીણ થઈ જાય છે તે ઘરમાં રહેવા છતાં ધર્મની આરાધના કરી શકે છે. (૨) ३. गृहेऽप्याराधना नास्ति, गृहत्यागेऽपि नास्ति सा आशा येन परित्यक्ता, साधना तस्य जायते ।। ઘર્મની આરાધના ન તો ઘરમાં છે કે મેં ઘરને છોડવામાં છે. તેનો અધિકારી ગૃહસ્થ પણ નથી અને ગૃહત્યાગી પણ નથી. તેનો અધિકારી એ છે કે જે આશાને ત્યાગી ચૂક્યો છે. (૩) , ૪ગારા અંm જ ત્ય, નારી ન વા પ્રદી, ઉમાશા યેન પત્યિl, Fા સોટ્ટતિ માનવઃ || જેણે ઘરનો ત્યાગ કર્યો હોય છતાં આશાનો ત્યાગ ન કર્યો હોય, તે ન તો ત્યાગી છે કે ન તો ગૃહસ્થ છે. એ જ માણસ ત્યાગનો અધિકારી છે, કે જે આશાને ત્યાગી ચૂક્યો છે. (૪). " સંબોધિ ફક Page #220 -------------------------------------------------------------------------- ________________ જે વ્યક્તિ માત્ર પદાર્થોનો ત્યાગ કરે છે પરંતુ તેની વાસનાનો ત્યાગ નથી કરતો તે વ્યવહાર દૃષ્ટિએ ત્યાગી છે, વાસ્તવમાં નહીં. વાસ્તવમાં ત્યાગી એ જ છે કે જે આસક્તિનો ત્યાગ કરે છે. (૫) ૬. पदार्थत्यागमात्रेण, त्यागी स्याद् व्यवहारतः । આસòઃ પરિહારેળ, ચાળી મતિ વસ્તુતઃ ।। દેહધારીઓ માટે પદાર્થોનો સર્વથા પરિત્યાગ કરવાનું શક્ય નથી હોતું, પરંતુ તેઓ આસક્તિનો સર્વથા પરિત્યાગ કરી શકે છે. (૬) यावानाशापरित्यागः, क्रियते गेहवासिभिः । तावान् धर्मो मया प्रोक्तः, सोऽगारधर्म उच्यते ।। ૭. पूर्णत्यागः पदार्थानां कर्तुं शक्यो न देहिभिः । आसक्तेः परिहारस्तु, कर्तुं शक्योऽस्ति तैरपि ।। ગૃહવાસી મનુષ્ય આશાનો જેટલો પરિત્યાગ કરે છે તેને જ મેં ધર્મ કહ્યો છે અને એ જ અગારધર્મ કહેવાય છે. (૭) ૮. सम्यक्श्रद्धा भवेत्तत्र, सम्यक्ज्ञानं प्रजायते । सम्यक्चारित्रसम्प्राप्तेः, योग्यता तत्र जायते ।। જેનામાં સમ્યક્ શ્રદ્ધા હોય છે, તેનામાં સમ્યક્ જ્ઞાન હોય છે, અને જેનામાં એ બંને હોય છે તેનામાં સમ્યક ચારિત્રની પ્રાપ્તિની યોગ્યતા હોય છે. (૮) ૬. योग्यताभेदतो भेदो, धर्मस्याधिकृतो मया । एक एवान्यथा धर्मः, स्वरूपेण न भिद्यते ।। યોગ્યતામાં તફાવત હોવાને કારણે મેં ધર્મના પ્રકારનું નિરૂપણ કર્યું છે. સ્વરૂપની દૃષ્ટિએ તે એક છે, તેનો કોઈ વિભાગ હોતો નથી. (૯) महाव्रतात्मको धर्मोऽनगाराणां च जायते । अणुव्रतात्मको धर्मो, जायते गृहमेधिनाम् ।। ૬૦. અણગાર માટે મહાવ્રતરૂપ ધર્મ અને ગૃહસ્થ માટે અણુવ્રતરૂપ ધર્મનું વિધાન કરવામાં આવ્યું છે. (૧૦) સંબોધિ ૦ ૨૧૮ Page #221 -------------------------------------------------------------------------- ________________ मेघः प्राह ૬૬. अगारिणां कथं धर्मो, व्यापृतानाञ्च कर्मसु । गृहिणां यदि धर्मः स्यादनगारो हि को भवेत् ।। મેઘ બોલ્યો, ભંતે ! ગૃહસ્થી સાથે સંકળાયેલા ગૃહસ્થોમાં ધર્મ શી રીતે હોઈ શકે ? જો ગૃહસ્થ પણ ધર્મનો અધિકારી હોય તો પછી સાધુ કોણ બને ? (૧૧) भगवान् प्राह ૧૨. સત્યં રેવાનુપ્રિયતર્, મુમુક્ષા યસ્ય નોત્કટા । स वृत्तिमनगराणां, न नाम प्रतिपद्यते ।। ભગવાને કહ્યું, દેવાનુપ્રિય ! એ સાચું છે કે જેનામાં મુક્ત થવાની પ્રબળ ઇચ્છા નથી, તે મુનિધર્મનો સ્વીકાર કરતો નથી. (૧૨) १३. मुमुक्षा यावती यस्य, समतां तावतीं श्रितः । आचरति गृही धर्मं, व्यापृतोऽपि च कर्मसु ।। જે ગૃહસ્થમાં મુક્ત થવાની જેટલી ભાવના હોય છે, ત અટલા જ પ્રમાણમાં સમતાનું આચરણ કરે છે અને જેટલા પ્રમાણમાં એ સમતાનું આચરણ કરે છે, એટલી જ માત્રામાં ધર્મનું આચરણ કરે છે. આમ તે ગૃહસ્થનાં કાર્યોમાં જોડાયેલો રહેવા છતાં ધર્મની આરાધના કરવાનો અધિકારી છે. (૧૩) १४. द्विविधं विद्यते वीर्यं, लब्धिश्च करणं तथा । अन्तरायक्षयाल्लब्धिः, करणं वपुषाश्रितम् ।। વીર્યના બે પ્રકાર છે : લબ્ધિવીર્ય-યોગ્યતાત્મક શક્તિ અને કરણવીર્ય-ક્રિયાત્મક શક્તિ. અંતરાય દૂર થતાં લબ્ધિનો વિકાસ થાય છે અને શરીરના માધ્યમ દ્વારા કરણનો પ્રયોગ થાય છે. (૧૪) १५. वपुष्मतो भवेद् वाणी, मनोऽप्यस्यैव जायते । शारीरिकं वाचिकञ्च, मानसं तत्' त्रिधा भवेत् ।। જેને શરીર હોય છે તેને વાણી અને મન હોય છે. તેથી કરણવીર્ય ત્રણ પ્રકારનું હોય છે ઃ શારીરિક, વાચિક અને માનસિક. (૧૫) ૧. તત્ ઇતિ કરણવીર્યમ્ સંબોધિ – ૨૧૯ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૬. યોr: # પ્રવૃત્તિ, વ્યાપ ને વિજ્યા | ' ર્થમવસે, શબ્દાર મથાયઃ | યોગ, કર્મ, પ્રવૃત્તિ, વ્યાપાર, કરણ અને ક્રિયા- વગેરે કર્મના પથર્વર્ચિક શબ્દો છે: (૧૬) - મ.' १७. सदसतो प्रभेदेन, द्विविधं कर्म विद्यते।। નિવૃત્તિરતિઃ પૂર્વ, તતઃ સંતોષ નયતે || કર્મના બે પ્રકાર છે, સત્ અને અસત્. સાધનાની શરૂઆતમાં અસત્કર્મની નિવૃત્તિ હોય છે અને જ્યારે સાધના તેની પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે સત્કર્મની પણ નિવૃત્તિ થઈ જાય છે. (૧૩) १८. निरोधः कर्मणां पूर्णः, कर्तुं शक्यो न देहिभिः। विनिवृत्ते शरीरेऽस्मिन्, स्वयं कर्म निवर्तते ।। જ્યાં સુધી શરીર રહે છે ત્યાં સુધી દેહધારી જીવ કર્મ-ક્રિયાનો પૂર્ણરૂપે નિરોધ કરી શકતો નથી. શરીર નિવૃત થતાં કર્મ આપોઆપ નિવૃત્ત થઈ જાય છે. (૧૮) १९. विद्यमाने शरीरेऽस्मिन् सततं कर्म जायते । નિવૃત્તિતઃ ઝા, પ્રવૃત્તિ સતસ્તથા ' જ્યાં સુધી શરીર વિદ્યમાન રહે છે ત્યાં સુધી નિરંતર કર્મ થતું રહે છે. આવી સ્થિતિમાં અસત્કર્મની નિવૃત્તિ અને સત્કર્મની પ્રવૃત્તિ કરવી જોઈએ. (૧૯) मेघः प्राह २०. कुर्वन् कृषिञ्च वाणिज्य, रक्षां शिल्पं पृथविधम् । પ્રવૃત્તિ કર્યું તેવ!ગૃહસ્થ તુમતિ? મેઘ બોલ્યો, ભગવન્! કૃષિ, વાણિજ્ય, રક્ષણ, શિલ્પ વગેરે વિભિન્ન પ્રકારનાં કર્મ કરી રહેલો ગૃહસ્થ સત્રવૃત્તિ શી રીતે કરી શકે ? (૨૦) Page #223 -------------------------------------------------------------------------- ________________ भगवान् प्राह २१. अर्थजानर्थजा चेति, हिंसा प्रोक्ता मया द्विधा । अनर्थजां त्यजेन्नेष, प्रवृत्तिं लभते संतीम् ।। ભગવાને કહ્યું, મેં હિંસાના બે પ્રકાર બતાવ્યા છે અર્થા અને અનWજા. ગૃહસ્થ અનર્થકા- અનાવશ્યક હિંસાનો પરિત્યાગ કરી શકે છે અને જેટલા પ્રમાણમાં તે તેનો ત્યાગ કરે છે તેટલા પ્રમાણમાં તેની પ્રવૃત્તિ સં બની રહે છે. (૨૧) २. आत्मने ज्ञातय तद्वंद्, राज्याय सुहृदे तथा 'या हिंसा क्रियते लोकरर्थजा सा किलोच्यते । પોતાના માટે પરિવાર, રાજ્ય અને મિત્રો માટે જે હિંસા બાચરવામાં આવે છે તે અર્થા હિંસા કહેવાય છે. (૨૨) ३. परस्परोपग्रहो हि, समाजालम्बनं भवेत् તે યિતે દિસ, જથ્થો પિરાર્થના ! પરસ્પર એકબીજાનો સહયોગ કરવો એ સમાજનું આધારભૂત તત્ત્વ છે. એ દૃષ્ટિએ સમાજ માટે જે હિંસા આચરવામાં આવે છે, તેને પણ અર્થજા હિંસા કહેવામાં આવે છે. ( ૧૩) - જ, ,ENS ' * * * २४. . कुवनप्यथजा हिसा, नासाक्त कुरुत दृढा । तदानीं लिप्यते नासौ, चिक्कणैरिह कर्मभिः । અર્થના હિંસા આચરતી વખતે જે પ્રબળ આસક્તિ રાખતો નથી, તે ચીકણા કર્મ-પરમાણુઓથી લિસ થતો નથી. (૨૪) २५.ला हिंसा न क्वॉपि निर्दोषा, परं लेंपेन भिद्यते । आसक्तस्य भवेद गादोऽनासक्तस्य भवेन्मूदुः ।। ". હિસા ક્યારેય નિર્દોષ નથી હોતી પરંતુ તેના લેપમાં તફાવત અવશ્ય હોય છે. આસક્તનો લેપ ગાઢ અને અનાસક્તનો લેપ મંદ હોય છે. (૨૫) સંબોધિ મા ૨૨૧ Page #224 -------------------------------------------------------------------------- ________________ १५. सम्यग्दृष्टेरिदं सारं, नानर्थं तत्प्रवर्तते । प्रयोजनवशाद् यत्र, तत्र तद्वान्न मूर्च्छति ।। સમ્યગ્દષ્ટિ બનવું એનો સાર એ છે કે તે અનર્થ-પ્રયોજન વગર પ્રવૃત્તિ કરતો નથી અને પ્રયોજનવશ જે પ્રવૃત્તિ કરે છે, તેમાં પણ સમ્યગ્દષ્ટિવાળો આસક્ત બનતો નથી. (૨૬) २७. सम्मतानि समाजेन, कुर्वन् कर्माणि मानसम् । अनासक्तं निदधीत, स्याल्लेपो न यतो दृढः ।। સમાજ દ્વારા સંમત કર્મ કરતાં કરતાં વ્યક્તિએ મનને અનાસક્ત રાખવું, જેથી તે તેના દઢ લેપથી લિપ્ત ન થાય. (૨૭) ૨૮. અવિતિ પ્રવૃત્તિ, ક્રિવિણં વન્યનું ભવેત્ | प्रवृत्तिस्तु कदाचित् स्यादविरतिनिरन्तरम् ।। બંધનના બે પ્રકાર છે ઃ અવિરતિ અને પ્રવૃત્તિ. પ્રવૃત્તિ ક્યારેક ક્યારેક થાય છે, અવિરતિ નિરંતર રહે છે. (૨૮) ર૬. દુwવૃત્તિમળો , તો સર્વોડષ્યદિલ परन्त्वविरतेस्त्यागान्, मानवः स्यादहिंसकः ।। દુષ્પવૃત્તિ ન કરનાર વ્યક્તિ જો અહિંસક હોય તો સમગ્ર સંસાર જ અહિંસક બની શકે છે કારણ કે કોઈપણ વ્યક્તિ નિરંતર દુપ્રવૃત્તિ કરતી નથી. પરંતુ અહિંસક એ છે કે જે અવિરતિનો ત્યાગ કરે એટલે કે ક્યારેય અને કોઈપણ પ્રકારની હિંસા ન કરવાનો દઢ સંકલ્પ કરે. (૨૯) ___३०. दुष्प्रवृत्तः क्वचित् साधुर्नाऽव्रती स्यान्मुनिः कचित् । ___सत्प्रवृत्तोऽपि नो साधुरव्रती जायते क्वचित् ।। સાધુ ક્યાંક ક્યાંક પ્રમાદવશ દુષ્પવૃત્ત બની શકે છે, પરંતુ અવ્રતી ક્યાંય પણ મુનિ બની શકતો નથી. અવ્રતી સમ્પ્રવૃત્તિ કરવા છતાં સાધુ નથી બનતો. (૩૦) ૧. તદ્દવાન ઇતર સમ્યગ્દષ્ટિયુક્ત: સંબોધિ ક૨૨૨ Page #225 -------------------------------------------------------------------------- ________________ ३१. इतस्ततः प्रसर्पन्ति, जना लोभाविलाशयाः । तेन दिविरतिः कार्या, गृहिणा धर्मचारिणा ।। - લોભી મનુષ્ય અથર્જન માટે અહીં-તહીં સુદૂરના પ્રદેશોમાં જાય છે તેથી ધાર્મિક ગૃહસ્થ દિગ્વિરતિ-દિશાઓમાં ગમનાગમનનું પરિમાણ કરવું જોઈએ. (૩૧) રૂ. ૩૫મો પરાર્થના, મોહં નતિ દિનઃ | - મોરારા વિરતિઃ છે, તેને ઘસ્યુરી વિશા || પદાર્થોનો ભોગ માણસને મોહમાં નાખે છે તેથી ધાર્મિક પુરુષોએ ભોગની વિરતિ કરવી જોઈએ, તેનું પરિમાણ કરવું જોઈએ. (૩૨): ३३. कल्पनाभिः प्रमादेन, दण्डः प्रयुज्यते जनैः । अनर्थदण्डविरतिः, कार्या धर्मस्पृशा विशा ।। માણસ અનેક પ્રકારની કલ્પનાઓ તથા પ્રમાદને વશીભૂત થઈને શિક્ષા-હિંસાના પ્રયોગ કરે છે. ધાર્મિક પુરુષે અનર્થ દંડઅનાવશ્યક હિંસાથી નિવૃત્ત થવું જોઈએ. (૩૩) ૩૪. વિદ્યાવિહતેાણો નાતે તતઃ | समभावविकासः स्यात्, तच्च सामायिकं व्रतम् ।। જેનાથી સાવદ્ય-પાપકારક પ્રવૃત્તિઓ થકી નિવૃત્ત થવાનો અભ્યાસ થાય છે, સમભાવનો વિકાસ થાય છે, તે “સામાયિક' વ્રત કહેવાય છે. (૩૪) રૂપ. સર્વાધિષ્ય હિસાવે, ત્યારે યથાવિધિ | क्रियते व्रतमेतत्तु, देशावकाशिकं भवेत् ।। કોઈ ચોક્કસ અવધિ માટે વિધિપૂર્વક હિંસાનો જે પરિત્યાગ કરે છે તે “દેશાવકાશિક' વ્રત કહેવાય છે. (૩૫) ३६. सावद्ययोगविरतिः, सोपवासा विधीयते । द्रव्यक्षेत्रादिभेदेन, पौषधं तद् भवेद् व्रतम् ।। સંબોધિ - ૨૨૩ Page #226 -------------------------------------------------------------------------- ________________ ઉપવાસપૂર્વક ૧. દ્રવ્ય વસ્તુઓની મર્યાદા કરવી (રાખવી). રક ક્ષેત્રનું ક્ષેત્રવિષયકુ મર્યાદા કરવી. ૩ -કાલ અહોરાત્રી : ૪. ભાવ- રાગ-દ્વેષ રહિત - આ ચાર પ્રકારે સાવદ્યયોગ- અસત્મવત્તિની વિરતિ કરવી તે પૌષધવ્રત કહેવાય છે. (૬) ३७. प्रासुक दाषमुप, मापान प्रदायत । मनये संविभज्याऽथ संविभागोऽतिथेर्वतम પોતાની વસ્તુનો સવિભાગ કરીને, પોતે થોડુંક ઓછું ખાઈને સાધુને પ્રાસુક-અચિત્ત અને દોષરહિત જે આહારપાણી આપવામાં આવે છે, તેને અતિથિ-સંવિભાગ વ્રત કહેવામાં આવે છે. (૩૭) ૩૮. 'સત્તેરનાં પ્રર્વત, શ્રાવો મારાન્તિકમ્ ! મૃત્યુ નિરિ જ્ઞાવા, મૃત્યો વિવત્તાય: ht મૃત્યુથી ન ડરનાર શ્રાવકે મૃત્યુને સંત્રિહિત-નજીક જાણીને મારણાંતિક સંલેખના કરવી જોઈએ. (૩૮) ડરનાર આ ત-નજીક જાણ ૨૪ યમલ્સ ષોય, મનોનિગ્રહવે ! આ પ્રતિમ પ્રતિપોત, શ્રાવ સાધનાવિઃ || સંયમનો ઉત્કર્ષ અને મનનો નિગ્રહ કરવા માટે સાધનામાં રુચિ ધરાવનાર શ્રાવકે પ્રતિમાઓનો સ્વીકાર કરવો જોઈએ. (૯) ४०.. दर्शनप्रतिमा तन्त्र, सर्वधर्मरुचिर्भवेत् । दृष्टिमाराधयल्लोकः सर्वमाराधयेत्परम् ।। ४१ व्रतसामायिकपौषधकार्योत्सर्या मिथुनवर्जनकम् । . साच्च ताहार रवजनस्वयमारम्भवजन चापि ।। : ' ' ' . ' -1, ४२... प्रेष्यारम्भविवर्जनमुद्दिष्टभक्तवर्जनञ्चापि । श्रमणभूत एकादश प्रतिमा एता विनिर्दिष्टाः ।। (મિોિકમ) સંબોધિ પર Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકની અગિયાર પ્રતિમાઓ છે ૧. દર્શનપ્રતિમા- દર્શપ્રતિમાને સ્વીકારનાર તમામ ધર્મોસાધનાના તમામ પ્રકારોમાં રુચિ ધરાવે છે. દૃષ્ટિની આરાધના કરનાર સૌની આરાધના કરી લે છે. ૨. વ્રતપ્રતિમા ૩. સામાયિકપ્રતિમા ૪. પૌષધપ્રતિમા ૫. કાયોત્સર્ગપ્રતિમા ૬. બ્રહ્મચર્યપ્રતિમા ૭. સચિત્તાહારવર્જનપ્રતિમા ૮. સ્વયં આરંભવર્જનપ્રતિમા ૯. પ્રેષ્યાભવર્જનપ્રતિમા ૧૦. ઉદ્દિષ્ટભક્તવર્જનપ્રતિમા ૧૧. શ્રમણભૂતપ્રતિમા. (૪૦, ૪૧, ૪૨) ૪૨. અસંયમ પરિત્યજ્ય, સંયમસ્તેન મેન્યતામ્ | असंयमो महद् दुःखं, संयमः सुखमुत्तमम् ।। તેથી અસંયમને છોડીને સંયમનું સેવન કરવું જોઈએ. અસંયમ મોટું દુઃખ છે. સંયમ ઉત્તમ સુખ છે. (૪૩) સંબોધિ ૨૫ Page #228 -------------------------------------------------------------------------- ________________ Page #229 -------------------------------------------------------------------------- ________________ (અધ્યાય-૧૫) ગૃહીધર્મચર્યા Page #230 -------------------------------------------------------------------------- ________________ Page #231 -------------------------------------------------------------------------- ________________ આમુખ ધર્મ જીવનનું આવશ્યક અંગ છે. જે વ્યક્તિ તેને ભૂલે છે તે પોતાની જાતને ભૂલે છે. જીવન માટે અન્ય કાર્ય આવશ્યક છે, એ જ રીતે ધર્મ પણ આવશ્યક છે જે આ જાણે છે અને તેમાં વિશ્વાસ ધરાવે છે તે ધર્મનું આચરણ પણ કરે છે. ધર્મ માત્ર જાણવાનો જ વિષય નથી, તે આચરણનો પણ વિષય છે. પ્રત્યેક કાર્યમાં ધર્મને નજર સામે રાખવામાં આવે તો માણસ અનૈતિક અને અધાર્મિક બની શકતો નથી. આત્માનો એક શરીરમાં સ્થિર વાસ નથી. આસ્તિક આ વાત સ્વીકારે છે તેથી તેઓ એ પણ સ્વીકારે છે કે હિંસા કોઈ અન્યની નહીં પોતાની જ થાય છે. હિંસાનાં નિમિત્ત છે- રાગ, દ્વેષ, મોહ, પ્રમાદ વગેરે. શ્રુત અને આચારની ઉપાસના આત્મધર્મ છે. શ્રુત અને આચારથી ભિન્ન ધર્મ કર્તવ્ય અને સ્વભાવની દૃષ્ટિએ છે. આત્મવિકાસમાં તે સહયોગી નથી બનતો. મોક્ષ શ્રુત અને આચરણનો યોગ છે. આત્માનો વિકાસ એમને જ થાય છે. આ અધ્યાયમાં આ વિવેચ્ય જ વિષય છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ Page #233 -------------------------------------------------------------------------- ________________ ગૃહીધર્મચર્ચા भगवान् प्राह 9 $. यावद् देहो भवेत् पुंसां तावत्कर्मापि जायते । कुर्वन्नावश्यकं कर्म, धर्ममप्याचरेद् गृही ।। ભગવાને કહ્યું, જ્યાં સુધી માનવીને શરીર હોય છે ત્યાં સુધી ક્રિયા ચાલે છે આવશ્યક ક્રિયાઓ કરતાં કરતાં માણસે ધર્મનું પણ આચરણ કરવું જોઈએ. (૧) જેવી રીતે ભોજન વગેરે ક્રિયાઓ આવશ્યક હોય છે, એ જ રીતે આત્માની સાધના કરવી એ પણ અત્યંત આવશ્યક છે. (૨) यथाहारादिकर्माणि, भवन्त्यावश्यकानि च । तथात्माराधनं चापि, भवेदावश्यकं परम् ।। રૂ. सद्यः प्रातः समुत्थाय, स्मृत्वा च परमेष्ठिनम् । प्रातः कृत्यान्निवृत्तः सन् कुर्यादात्मनिरीक्षणम् ।। સવારે વહેલા ઊઠીને નમસ્કાર મંત્રનું સ્મરણ કરવું, શૌચ વગેરે પ્રાતઃકૃત્યથી નિવૃત્ત થઈને માણસે આત્મનિરીક્ષણ કરવું જોઈએ. (૩) ૪. सामायिकं प्रकुर्वीत, समभावस्य लब्धये । भावना भावयेत् पुण्याः, सत्संकल्पान् समासजेत् ।। સમભાવની પ્રાપ્તિ માટે સામાયિક કરવું, આત્માને પવિત્ર ભાવનાઓ થકી ભાવિત કરવો અને શુભ સંકલ્પ કરવા. (૪) ૧. સામાયિક - એક મુહૂર્ત દરમ્યાન સાવધ પ્રવૃત્તિ. અઢાર પ્રકારનાં પાપોનો ત્યાગ. સંબોધિ ૨૩૧ Page #234 -------------------------------------------------------------------------- ________________ ५. स्थैर्य प्रभावना भक्तिः, कौशलं जिनशासने । तीर्थसेवा भवन्त्येता, भूषाः सम्यग्दृशो ध्रुवम् ।। ધર્મમાં સ્થિરતા, પ્રભાવના- ધર્મનું મહત્ત્વ વધે એવું કાર્ય કરવું, ધર્મ કે ધર્મગુરુ પ્રત્યે ભક્તિ રાખવી, જૈનશાસનમાં કુશળતા પ્રાપ્ત કરવી અને તીર્થસેવા-ચુતર્વિધ સંઘને ધાર્મિક સહયોગ આપવોવગેરે સમ્યકત્વનાં પાંચ ભૂષણ છે. (૫) ६. भारवाही यथाश्वासान्, भाराक्रान्तेऽश्नुते यथा । तथारम्भभराक्रान्त, आश्वासान् श्रावकोऽश्नुते ।। જેવી રીતે ભારથી લદાયેલો ભારવાહક વિશ્રામ લે છે એ જ રીતે આરંભ-હિંસાના ભારથી આક્રાંત શ્રાવક વિશ્રામ લે છે. (૬) ૭. ન્દ્રિયામધીનત્વ, વર્તતેડવર્મળ ! तथापि मानसे खेदं, ज्ञानित्वाद् वहते चिरम् ।। ઈન્દ્રિયોને અધીન થવાને કારણે તે પાપકર્મ-હિંસાત્મક ક્રિયામાં પ્રવૃત્ત થાય છે, છતાં જ્ઞાનવાન હોવાને કારણે તે એ કાર્યમાં આનંદ નથી પામતો, ઉદાસીન રહે છે. (૭) ૮. મારી પ્રથમ તોડ્યું, શીતારીનું પ્રતિપદ્યતે | સામાયિકં મોતીતિ, દ્વિતીય સોડપિ નાતે || વ્રત વગેરેનો સ્વીકાર કરવો એ શ્રાવકનો પ્રથમ વિશ્રામ છે. સામાયિક કરવું એ બીજો વિશ્રામ છે. (૮) ૧. પ્રતિપૂર્ણ પૌષધષ્ય, તૃતીય સ્થાવતુર્થઃ | संलेखनां श्रितो यावज्जीवमनशनं सृजेत् ।। ઉપવાસપૂર્વક પૌષધ કરવો એ ત્રીજો વિશ્રામ છે અને સંલેખનાપૂર્વક આમરણ અનશન કરવું તે ચોથો વિશ્રામ છે. (૯) १०. परिग्रहं प्रहास्यामि, भविष्यामि कदा मुनिः ।। त्यक्ष्यामि च कदा भक्तं, ध्यात्वेदं शोधयेन्निजम् ।। સંબોધિ - ૨૩૨ Page #235 -------------------------------------------------------------------------- ________________ ‘હું ક્યારે પરિગ્રહ છોડીશ, હું ક્યારે મુનિ બનીશ, હું ક્યારે ભોજનનો પરિત્યાગ કરીશ ?’- શ્રાવકે આ પ્રકારનું ચિંતન અથવા આ પ્રકારના મનોરથ થકી આત્મશુદ્ધીકરણ કરવું જોઈએ. (૧૦) श्रमणोपासना कार्या, श्रवणं तत्फलं भवेत् । તતઃ સગ્ગાયતે જ્ઞાન, વિજ્ઞાન નાયતે તતઃ ।। %o. શ્રમણોની ઉપાસના કરવી જોઈએ. ઉપાસનાનું ફળ ધર્મશ્રવણ છે. ધર્મશ્રવણ થકી જ્ઞાન અને જ્ઞાન થકી વિજ્ઞાન ઉત્પન્ન થાય છે. (૧૧) ૬૨. प्रत्याख्यानं ततस्तस्य, फलं भवति संयमः । अनास्रवस्तपस्तस्माद्, व्यवदानञ्च जायते ।। વિજ્ઞાનનું ફળ પ્રત્યાખ્યાન છે અને પ્રત્યાખ્યાનનું ફળ સંયમ છે. સંયમનું ફળ અનાશ્રવ- કર્મનિરોધ છે અને અનાશ્રવનું ફળ તપ છે. તપનું ફળ વ્યવદાન- કર્મનિર્જરણ છે. (૧૨) ૬૨. अक्रिया जायते तस्मान्निर्वाणं तत्फलं भवेत् । महान्तं जनयेल्लाभं, महतां संगमो महान् ।। વ્યવદાનનું ફળ છે અક્રિયા- મન, વચન અને કાયાની પ્રવૃત્તિનો નિરોધ તથા અક્રિયાનું ફળ છે નિર્વાણ. આમ મહાપુરુષના સંસર્ગથી ઘણું મોટું હિત થાય છે. (૧૩) ૪. निश्चये व्रतमापन्नो, व्यवहारपटुः गृही । समभावमुपासीनोऽनासक्तः कर्मणीप्सिते ।। તે જે ગૃહસ્થ અંતરંગમાં વ્રતયુક્ત છે અને વ્યવહારમાં પટુ છે, સમભાવની ઉપાસના કરતો કરતો ઇષ્ટ કાર્યમાં આસક્ત થતો નથી. (૧૪) १५. अज्ञानकष्टं कुर्वाणा, हिंसया मिश्रितं बहु । मुमुक्षां दधतोऽप्येके, बध्यन्तेऽज्ञानिनो जनाः । । અવિવેકપૂર્ણ રીતે ઘણાં બધાં હિંસામિશ્રિત કષ્ટો સહન કરનાર અજ્ઞાની લોકો મુક્ત થવાની ઇચ્છા ધરાવતા હોવાં છતાં કર્મોથી આબદ્ધ હોય છે. (૧૫) સંબોધિ ૬ ૨૩૩ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૬. ક્રિયાકાંડમાં આસક્ત થઈને જે લોકો હિંસા આચરે છે, તેઓ સ્વર્ગપ્રાપ્તિનો પ્રયત્ન કરવાં છતાં દુસ્તર નરક પામે છે. (૧૬) कर्मकाण्डरताः केचिद्, हिंसां कुर्वन्ति मानवाः । स्वर्गाय यतमानास्ते, नरकं यान्ति दुस्तरम् ।। ૬૭. आत्मानः सदृशाः सन्ति, भेदो देहस्य दृश्यते । आत्मनो ये जुगुप्सन्ते, महामोहं व्रजन्ति ते ।। સ્વરૂપની દૃષ્ટિએ તમામ આત્માઓ સમાન છે. તેમાં માત્ર શરીરનો તફાવત હોય છે. જે આત્માઓને ઘૃણા કરે છે, તે મહામોહમાં ફસાઈ જાય છે. (૧૭) १८. उच्चगोत्रो नीचगोत्रः, सामग्र्या कथ्यते जनैः । न हीनो नातिरिक्तश्च, कचिदात्मा प्रजायते ।। પ્રશસ્ત સામગ્રી પ્રાપ્ત થવાથી આત્મા ઉચ્ચ ગોત્રવાળો અને અપ્રશસ્ત સામગ્રી પ્રાપ્ત થવાથી તે નીચ ગોત્રવાળો કહેવાય છે. હકીકતમાં કોઈપણ આત્મા કોઈપણ આત્માથી ન તો ઉચ્ચ છે ન તો નીચ છે. (૧૮) ૬૨. ધીર પુરુષ એ છે કે જે બુદ્ધિ, તપ અને ગોત્રના મદનું ઉન્મૂલન કરે. જે બીજાઓને પ્રતિબિંબની જેમ તુચ્છ સમજે છે તેને માટે જાતિ કે કુળ શરણભૂત નથી હોતાં. (૧૯) ૨૦. प्रज्ञामदं नाम तपोमदञ्च, निर्णामयेद् गोत्रमदञ्च धीरः । अन्यं जनं पश्यति बिम्बभूतं, न तस्य जातिः शरणं कुलं वा ।। ર૬. આત્મા ન શબ્દ છે, ન ગંધ છે, ન રૂપ છે, ન સ્પર્શ છે, ન રસ છે, ન વર્તુળ-ગોળાકાર છે અને ન ત્રિકોણ છે. તે અમૂર્ત સત્તા છે. (૨૦) नात्मा शब्दो न गन्धोऽसौ, रूपं स्पर्शो न वा रसः । न वर्तुलो न वा त्र्यस्रः, सत्ताऽरूपवती ह्यसौ ।। न पुरुषो न वापि स्त्री, नैवाप्यस्ति नपुंसकम् । विचित्रपरिणामेन, देहेऽसौ परिवर्तते ।। સંબોધિ : ૨૩૪ Page #237 -------------------------------------------------------------------------- ________________ આત્મા ન પુરુષ છે, ન સ્ત્રી છે અને ન નપુસંક છે. તે વિચિત્ર પરિણતિઓ દ્વારા શરીરમાં પરિવર્તિત થતો રહે છે. (૨૧) २२. असवर्णः सवर्णों वा, नासौ क्वचन विद्यते । મનન્તજ્ઞાન-સમ્પન્ન, પતિ શુભાશુમ || આત્મા ન સવર્ણ છે અને ન તો અસવર્ણ છે. તે સ્વરૂપની દૃષ્ટિએ અનંત જ્ઞાનથી યુક્ત છે. શુભ, અશુભ કર્મો દ્વારા બદ્ધ હોવાને કારણે તે સંસારમાં પરિભ્રમણ કરે છે. (૨૨) ૨૩. રાત્રાન્ત યાનિ, મનુગા હર્તિનઃ | देहाद् देहान्तरं यान्ति, प्राणिनो देहवर्तिनः । ઘરમાં રહેનાર મનુષ્ય જેવી રીતે એક ઘર છોડીને બીજા ઘરમાં જાય છે, એવી જ રીતે શરીરમાં રહેનાર પ્રાણ એક શરીરને છોડીને બીજા શરીરમાં જાય છે. (૨ ૩) ર૪. નારી નવો નવા ની, નવો િર પુતિને ! आद्या द्रव्यार्थिकी दृष्टिः, पर्यायार्थगता परा ।। આત્મા ન તો નવો છે કે ન જૂનો છે- તે દ્રવ્યાર્થિક દૃષ્ટિ છે. આત્મા નવો પણ છે અને જૂનો પણ છે- આ પર્યાયાર્થિક દૃષ્ટિ છે. (૨૪) રક. નવોડ િર પુરાણોડપિ, રેરો મવતિ હિનામું ! शैशवं यौवनं तत्र, वार्धक्यञ्चापि जायते ।। જીવોનું શરીર નવું પણ હોય છે અને જૂનું પણ હોય છે. શરીરમાં શૈશવ, યૌવન અને વાક્ય- ઘડપણ પણ આવે છે. (૨૫) २६. देहस्योपाधिभेदेन, यो वात्मानं जुगुप्सते । नात्मा तेनावबुद्धोऽस्ति, नात्मवादी स मन्यताम् ।। શરીરની ભિન્નતા હોવાને કારણે જે બીજા આત્માઓની ધૃણા કરે છે, તેણે આત્માને જાણ્યો નથી. તેને આત્મવાદી ન માનવો જોઈએ. (૨૬) સંબોધિ , ૨૩૫ Page #238 -------------------------------------------------------------------------- ________________ मेघः प्राह ર૭. વિશાનવપુઃ તિ, જિતુ તુચ્છશરીરઃ | મિતિ શો રોષ:, તેષાં પ્રાણાતિપાતને? મેઘ બોલ્યો, કેટલાક જીવોનું શરીર વિશાળ હોય છે અને કેટલાક જીવોનું શરીર ખૂબ નાનું હોય છે. શું તેમની હિંસામાં દોષ એકસરખો જ લાગે છે ? (૨૭) भगवान् प्राह २८. ये केचित् क्षुद्रका जीवा, ये च सन्ति महालयाः । तद्वधे सदृशो दोषोऽसदृशो वेति नो वदेत् ।। ભગવાને કહ્યું, કેટલાક જીવોને શરીર નાનું હોય છે અને કેટલાક જીવોને મોટું. તેમને મારવામાં સમાન પાપ લાગે છે કે અસમાન- એમ ન કહેવું જોઈએ. (૨૮) २९. हन्तव्यं मन्यसे यं त्वं, स त्वमेवासि नापरः । यमाज्ञापयितव्यञ्च, स त्वमेवासि नापरः । રૂ. परितापयितव्यं यं, स त्वमेवासि नापरः । यञ्च परिग्रहीतव्यं, स त्वमेवासि नापरः ।। ३१. अपद्रावयितव्यं यं, स त्वमेवासि नापरः । अनुसंवेदनं ज्ञात्वा, हन्तव्यं नाभिप्रार्थयेत् ।। (afમર્વિશેષH) જેને તું મારવા ઇચ્છે છે એ તું જ છે, કોઈ બીજું નથી. જેના ઉપર તું અનુશાસન લાદવા ઇચ્છે છે, એ તું જ છે, કોઈ બીજું નથી. જેને તું સંતપ્ત કરવા ઇચ્છે છે, એ તું જ છે, કોઈ બીજું નથી. જેને તું દાસ-દાસી તરીકે પોતાને અધીન કરવા ઇચ્છે છે, એ તું જ છે, કોઈ બીજું નથી. સંબોધિ ૨૩૬ Page #239 -------------------------------------------------------------------------- ________________ જેને તું પીડિત કરવા ઇચ્છે છે, એ તું જ છે, કોઈ બીજું નથી. તમામ જીવોમાં સંવેદન-કષ્ટાનુભૂતિ હોય છે, એમ જાણીને કોઈને મારવાની ઇચ્છા ન કરવી જોઈએ. (૨૯, ૩૦, ૩૧) ३२. परिणामिनि विश्वेऽस्मिन्, अनादिनिधने ध्रुवम् । सर्वे विपरिवर्तन्ते, चेतना अप्यचेतनाः ।। આ સંસાર વિવિધ રૂપોમાં નિરંતર પરિણમનશીલ તથા આદિઅંતરહિત છે. તેમાં ચેતન અને અચેતન-તમામ પદાથોની અવસ્થાઓ પરિવર્તિત થયા કરે છે. (૩૨) मेघः प्राह ३३. उत्पादव्ययधर्माणो, भावा ध्रौव्यान्विताः तदा । किमात्मा शाश्वतो देहोऽशाश्वतो विद्यते विभो ! મેઘ બોલ્યો, પ્રભુ ! તમામ પદાર્થો ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યધર્મયુક્ત છે, તો પછી આત્મા શાશ્વત અને શરીર અશાશ્વત શા માટે ? (૩૩) भगवान् प्राह - રૂ૪. પર્યાયવેક્ષય થીમનું! માત્માવેષ ન શાશ્વતઃ | पुद्गलापेक्षया नूनं, शरीरञ्चापि शाश्वतम् ।। ભગવાને કહ્યું, ધીમદ્ ! પર્યાયની અપેક્ષાએ આત્મા પણ શાશ્વત નથી અને પુગલની અપેક્ષાએ શરીર પણ શાશ્વત છે. (૩૪) मेघः प्राह ३५. . आत्मास्तित्वमुपेतोऽपि, कथं दृश्यो न चक्षुषा ? भगवान् प्राह जीवपुद्गलयोगेन, दृश्यं जगदिदं भवेत् ।। સંબોધિ ૨૩૭. Page #240 -------------------------------------------------------------------------- ________________ મેઘ બોલ્યો, ભગવન્ ! આત્માનું અસ્તિત્વ છે છતાં તે ચક્ષુ દ્વારા દૃશ્ય કેમ નથી ? ભગવાને કહ્યું, વત્સ ! આ જગત જીવ અને પુદ્ગલના સંયોગથી દૃશ્ય બને છે. (૩૫) ૬. आत्मा न दृश्यतामेति, दृश्यो देहस्य चेष्टया । देहेऽस्मिन् विनिवृत्ते तु सद्योऽदृश्यत्वमृच्छति ।। ig, આત્મા સ્વયં દૃશ્ય નથી, તે શરીરની ચેષ્ટા થકી દૃશ્ય બને છે. શરીરની નિવૃત્તિ થવાથી તરત જ અદૃશ્ય બની જાય છે. (૩૬) स्पर्शाः रूपाणि गन्धाश्च, रसा येन जिहासिताः । आत्मा तेनैव लब्धोऽस्ति, स भवेदात्मवित् पुमान् ।। ૨૭. જેણે સ્પર્શ, રૂપ, ગંધ અને રસોની આસક્તિ છોડવા ઇચ્છી, આત્મા એને જ પ્રાપ્ત થયો છે અને એ જ આત્મવિત્ છે. (૩૭) ૨૮. શ્રુતવન્તો મર્ત્ય, શીલવન્તોડવો નનાઃ । श्रुतशीलता एके, एके द्वाभ्यां विविर्जिताः ।। પુરુષ ચાર પ્રકારના હોય છે ઃ ૧. શ્રુતસંપન્ન- જ્ઞાનવાન 2. શીલસંપન્ન ૩. શ્રુતસંપન્ન અને શીલસંપન્ન ૪. ન શ્રુતસંપન્ન અને ન શીલસંપન્ન. (૩૮) ३९. श्रुतवान् मोक्षमार्गस्य, देशेन स्याद् विराधकः । शीलवान् मोक्षमार्गस्य, देशेनाराधको भवेत् ।। જે પુરુષ માત્ર શ્રુતસંપન્ન હોય છે તે મોક્ષમાર્ગનો દેશ વિરાધકઆંશિકરૂપે વિરાધક હોય છે. જે પુરુષ માત્ર શીલસંપન્ન હોય છે, તે મોક્ષમાર્ગનો દેશ આરાધક- આંશિકરૂપે આરાધક હોય છે. (૩૯) ૪૦. इदं दर्शनमापन्नो, मुच्यते नेति संगतम् । શ્રુતશીન-સમાપત્રો, મુખ્યતે નાત્ર સંશયઃ ।। સંબોધિ ૨૩૮ Page #241 -------------------------------------------------------------------------- ________________ કેટલાક લોકોનો અભિમત એવો છે કે અમુક દર્શનનો સ્વીકાર કરવાથી વ્યક્તિ મુક્ત થઈ જાય છે પરંતુ એ બરાબર નથી. સચ્ચાઈ એ છે કે જે શ્રુત અને શીલથી યુક્ત હોય છે, તે નિઃસંદેહ મુક્ત થઈ જાય છે. (૪૦) ૪૬. જે શ્રુત અને શીલથી સંપન્ન છે, તે મોક્ષમાર્ગનો સર્વથા આરાધક છે. જે શ્રુત અને શીલ બંનેથી રહિત છે, તે મોક્ષમાર્ગનો સર્વથા વિરાધક છે. (૪૧) श्रुतशील - समापन्नः, सर्वथाऽऽराधको भवेत् । द्वाभ्यां विवर्जितो लोक, सर्वथा स्याद् विराधकः ।। ૪૨. પ્રશસ્તામિાંવનામિ:, માવિતઃ સુાતિ દ્રનેત્ । અપ્રશમાવનયા, સાતિઃ સ્થાત્ નિરાષિતા || પ્રશસ્ત ભાવનાથી ભાવિત પુરુષ સદ્ગતિ પામે છે. અપ્રશસ્ત ભાવનાથી સદ્ગતિ વિરાધિત થાય છે, દુર્ગતિ પ્રાપ્ત થઈ જાય છે. (૪૨) ૪૨. वाचः कायस्य कौकुच्यं, कन्दर्पं विकथां तथा । कृत्वा विस्मापयत्यन्यानू, कान्दर्पी तस्य भावना ।। વાણી અને શરીરની ચપળતા, કામચેષ્ટા અને વિકથા દ્વારા જે બીજાઓને વિસ્મિત કરે છે તેની ભાવના ‘કાન્હર્પી’ ભાવના કહેવાય છે. (૪૩) ૪૪. मन्त्रयोगं भूतिकर्म, प्रयुंक्ते सुखहेतवे । अभियोगी भवेत्तस्य, भावना विषयैषिणः ।। વિષયની ગવેષણા કરનાર જે વ્યક્તિ સુખની પ્રાપ્તિ માટે મંત્ર અને જાદુ ટોનાનો પ્રયોગ કરે છે, તેની ભાવના ‘અભિયોગી’ ભાવના કહેવાય છે. (૪૪) ૪૧. ज्ञानस्य ज्ञानिनो नित्यं, संघस्य धर्मसेविनाम् । वदन्नऽवर्णानाप्नोति किल्विषिकीञ्चभावनाम् || સંબોધિ ૨૩૯ Page #242 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન, જ્ઞાનવાન, સંઘ અને ધાર્મિકોનો જે અવર્ણવાદ (ટીકા) બોલે છે, તેની ભાવના “કિલ્કિ ષિક' ભાવના કહેવાય છે. (૪૫) ४६. अव्यवच्छिन्नरोषस्य, क्षमणान्न प्रसीदतः । प्रमादे नानुतपतः, आसुरी भावना भवेत् ।। જેને રોષ નિરંતર થયા કરે છે, જે ક્ષમાયાચના કરવા છતાં પ્રસન્ન નથી થતો અને જે પોતાની ભૂલ માટે અનુતાપ (પ્રાયશ્ચિત્ત) નથી કરતો તેની ભાવના “આસુરી” ભાવના કહેવાય છે. (૪૬) ૪૭. સન્માશિ માનારીરામધાતઃ | મોહયિત્વાત્મનામાન, મોદી ભાવના વ્રનેત્ II જે ઉન્માર્ગનો ઉપદેશ કરે છે, જે બીજાઓને સન્માર્ગથી ભ્રષ્ટ કરે છે, જે આત્મહત્યા કરે છે, જે પોતાના આત્માને આત્માથી મોહિત કરે છે, તેની ભાવના “સમ્મોહી' ભાવના કહેવાય છે. (૪૭) ૪૮. મિથ્યાદર્શનમાપત્રી નિતાના હિંમઃ | ___ प्रियन्ते प्राणिनस्तेषां, बोधिर्भवति दुर्लभा ।। જે મિથ્યાદર્શનયુક્ત છે, જે ભૌતિક સુખની પ્રાપ્તિનો સંકલ્પ કરે છે અને જે હિંસક છે, તેમને મૃત્યુ પછી પણ બોધિની પ્રાપ્તિ દુર્લભ રહે છે. (૪૮). ४९. सम्यग्दर्शनमापन्नाः, अनिदाना अहिंसकाः । नियन्ते प्राणिनस्तेषां, सुलभा बोधिरिष्यते ।। જે સમ્યગ્દર્શનયુક્ત છે, જે ભૌતિક સુખનો સંકલ્પ નથી કરતા અને જે અહિંસક છે, તેમને મૃત્યુ પછી પણ બોધિ સુલભ બને છે. (૪૯) ५०. अपापं हृदयं यस्य, जिला मधुरभाषिणी । उच्यते मधुकुम्भः स, नूनं मधुपिधानकः ।। સંબોધિ ૦ ૨૪૦ Page #243 -------------------------------------------------------------------------- ________________ જે વ્યક્તિનું હૃદય પાપરહિત છે અને જેની જીભ મધુરભાષિણી છે તે મધુકુંભ છે અને મધના ઢાંકણાથી ઢંકાયેલ છે. (૫૦) ५१. अपापं हृदयं यस्य, जिह्वा कटुकभाषिणी । उच्यते मधुकुम्भः स, नूनं विषपिधानकः ।। જે વ્યક્તિનું હૃદય પાપરહિત છે, પરંતુ જેની જીભ કટુભાષિણી છે, તે મઘુકુંભ છે અને વિષના ઢાંકણાથી ઢંકાયેલ છે. (૫૧) ५२. सपापं हृदयं यस्य, जिह्वा मधुरभाषिणी । उच्यते विषकुम्भः स, नूनं मधुपिधानकः ।। જે વ્યક્તિનું હૃદય પાપસહિત છે, પરંતુ જેની જીભ મધુરભાષિણી છે, તે વિષકુંભ છે અને મધના ઢાંકણાથી ઢંકાયેલ છે. (૫૨) ५३. सपापं हृदयं यस्य, जिह्वा कटुकभाषिणी । उच्यते विषकुम्भः स, नूनं विषपिधानकः ।। જે વ્યક્તિનું હૃદય પાપસહિત છે, અને જેની જીભ કટુભાષિણી છે, તે વિષકુંભ છે અને વિષના ઢાંકણાથી ઢંકાયેલ છે. (૫૩) ५४. रिक्तोदरतया मत्या, क्षुधावेद्योदयेन च । तस्यार्थस्योपयोगेनाऽऽहारसंज्ञा प्रजायते ।। આહારસંજ્ઞા ચાર કારણો થકી ઉત્પન્ન થાય છે૧. ખાલી પેટ હોવું. ૨. ભોજન વિષયક વાતો સાંભળવી તથા ભોજન જોવું. ૩. સુધા-વેદનીય કર્મનો ઉદય. ૪. ભોજનનું સતત ચિંતન કરવું. (૫૪) - ५५. हीनसत्त्वतया मत्या, भयवेद्योदयेन च । . तस्यार्थस्योपयोगेन, भयसंज्ञा प्रजायते ।। સંબોધિત ૨૪૧ Page #244 -------------------------------------------------------------------------- ________________ ભયસંજ્ઞા ચાર કારણો થકી ઉત્પન્ન થાય છે૧. બળની ઊણપ. ૨. ભય વિષયક વાતો સાંભળવી તથા ભયાનક દૃશ્ય જોવું. ૩. ભય-વેદનીય કર્મનો ઉદય. ૪. ભયનું સતત ચિંતન કરવું. (૫૫) ५६. चितमांसरक्ततया, मत्या मोहोदयेन च । तस्यार्थस्योपयोगेन, मैथुनेच्छा प्रजायते ।। મૈથુનસંજ્ઞા ચાર કારણો થકી ઉત્પન્ન થાય છે૧. માંસ અને રક્તની વૃદ્ધિ ૨. મૈથુન વિષયક વાતો સાંભળવી તથા મૈથુન વધારનારા પદાર્થો જોવા. ૩. મોહકર્મનો ઉદય. ૪. મૈથુનનું સતત ચિંતન કરવું. (૫૬) ૧૭. વિમુpdયા ત્યા, મદ્યોત્યેન | तस्यार्थस्योपयोगेन, संग्रहेच्छा प्रजायते ।। પરિગ્રહસંજ્ઞા ચાર કારણો થકી ઉત્પન્ન થાય છે૧. અવિમુક્તતા- નિર્લોભતા ન હોવી. ૨. પરિગ્રહની વાતો સાંભળવી તથા ધન વગેરે જોવું. ૭. લોભ-વેદનીય કર્મનો ઉદય. ૪. પરિગ્રહનું સતત ચિંતન કરવું. (૫૭) ५८. कारुण्येन भयेनापि, संग्रहेणानुकम्पया । लज्जया चापि गर्वेण, अधर्मस्य च पोषकम् ।। ૧૬. धर्मस्य पोषकं चापि, कृतमितिधिया भवेत् । करिष्यतीति बुद्ध्यापि, दानं दशविधं भवेत् ।। (યુ ) દાન દસ પ્રકારનું હોય છે ૧. અનુકંપા દાન- કોઈ વ્યક્તિની દીન અવસ્થાથી દ્રવિત થઈને તેના ભરણ-પોષણ માટે આપવામાં આવતું દાન. સંબોધિ - ૨૪૨ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨. સંગ્રહ દાન- કષ્ટમાં સહાયતા આપવા માટે દાન આપવું. ૩. ભય દાન- ભયથી દાન આપવું. ૪. કારુણ્ય દાન- શોકના પ્રસંગે દાન આપવું. ૫. લજ્જા દાન- લજ્જાથી દાન આપવું. ૬. ગર્વદાન- યશગાથા સાંભળીને તથા બરાબરીની ભાવનાથી દાન આપવું. ૭. અધર્મ દાન- હિંસા વગેરે પાંચ આસ્રવ-દ્વારના સેવન માટે દાન આપવું. ૮. ધર્મ દાન- જીવ માત્રને અભય, સંયમીને વિશુદ્ધ ભિક્ષા, કોઈને જ્ઞાન, સમ્યક્ત્વ અને ચારિત્રની પ્રાપ્તિ કરાવવી. ૯. કરિષ્યતિ દાન- લાભના બદલાની ભાવનાથી દાન આપવું. ૧૦. કૃત દાન- કરેલા ઉપકારો યાદ કરીને દાન આપવું. (૫૮, ૫૯) ૬૦. ધર્મો વશવિધ: પ્રોો, મયા મેઘ ! વિજ્ઞાનતા । तत्र श्रुतञ्च चारित्रं, मोक्षधर्मो व्यवस्थितः ।। હે મેઘ ! મેં દસ પ્રકારના ધર્મ કહ્યા છે ૧. ગ્રામ ધર્મ- ગામની વ્યવસ્થા- આચાર પરંપરા. ૨. નગર ધર્મ- નગરની વ્યવસ્થા- આચાર પરંપરા. ૩. રાષ્ટ્ર ધર્મ- રાષ્ટ્રની વ્યવસ્થા- આચાર પરંપરા. ૪. પાખંડ ધર્મ- વિવિધ સંપ્રદાયો દ્વારા આચારવ્યવસ્થા. પં. કુલ ધર્મ- કુળનો આચાર. ૬. ગણ ધર્મ- ગણરાજ્યની આચારમર્યાદા. ૭. સંઘ ધર્મ- સંઘ-ગણ સમૂહની સામાચારી-આચારમર્યાદા. ૮, ૯. શ્રુત ધર્મ અને ચારિત્ર ધર્મ- આત્મ-ઉત્થાનના હેતુભૂત ધર્મ, મોક્ષના સાધક ધર્મ. ૧૦. અસ્તિકાય ધર્મ- પંચાસ્તિકાયનો સ્વભાવ. (૬૦) સંમત સંબોધિ ૨૪૩ Page #246 -------------------------------------------------------------------------- ________________ Page #247 -------------------------------------------------------------------------- ________________ (અધ્યાય-૧૬) મનઃપ્રસાદ Page #248 -------------------------------------------------------------------------- ________________ Page #249 -------------------------------------------------------------------------- ________________ આન ધર્મનું અંતિમ પરિણામ આત્માનો પૂર્ણ વિકાસ છે. મનુષ્ય ધર્મનું આચરણ કરે છે અને સતત અભ્યાસ થકી પોતાના લક્ષ્ય સુધી પહોંચે છે. જ્યારે મોહકર્મનો સંપૂર્ણ વિલય થઈ જાય છે, ત્યારે તેમાં વીતરાગતાનો પ્રાદુર્ભાવ થાય છે. વીતરાગતા એટલે સમતાનો ચરમ વિકાસ. તેના થકી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત આત્મા પોતાના આનંદસ્વરૂપમાં સ્થિત રહે છે. તેનાં દુઃખોનો અંત થઈ જાય છે. તેણે ન તો બહારથી કશું લેવાનું હોય છે કે ન તો ભીતરથી કશું છોડવાનું રહે છે. જેવો તે હતો, છે અને રહેશે, એને જ પ્રાપ્ત કરી લેશે. આ અંતિમ વિકાસની વાત છે, જ્યાં ન મન છે, ન વાણી છે અને ન શરીર છે. ધર્મની પ્રારંભિક ભૂમિકાઓમાં મન, વાણી અને શરીર રહે છે. વાણી અને શરીર સ્વાધીન નથી, તે મનને અધીન છે. મનની પ્રસન્નતામાં તે પ્રસન્ન છે અને મનની અપ્રસન્નતામાં તે અપ્રસન્ન છે. ધર્મ તમામ દુઃખોનો અંત કરે છે. આ વાત ગીતા પણ કહે છે- “જે ધર્મ મનને વિષાદમુક્ત નથી કરતો, હકીકતમાં તે ધર્મ જ નથી”. માનસિક પ્રસન્નતા અધ્યાત્મનું ફળ છે. તે કઈ રીતે મળે? ક્યાંથી મળે ? તેની સાધના શી છે ? વગેરે પ્રશ્નોનું સમાધાન આ અધ્યાયમાં છે. અગાઉના તમામ અધ્યાયોનો નિષ્કર્ષ અહીં ઉપલબ્ધ છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ Page #251 -------------------------------------------------------------------------- ________________ મનઃપ્રસાદ मेघः प्राह . મેઘ બોલ્યો, વિભો ! હું કોને આલંબન બનાવીને માનસિક પ્રસન્નતા પામી શકું ? તથા મને એ જણાવો કે હું પ્રમાદથી મુક્ત કઈ રીતે બની શકું ? (૧) भगवान् प्राह ર. રૂ. મનઃપ્રભાવમાંમિ, મિાતૃત્વનમાશ્રિતઃ 1 कथं प्रमादतो मुक्तिं, आप्नोमि ब्रूहि मे विभो ! ૪. अनन्तानन्दसम्पूर्ण, आत्मा भवति देहिनाम् । તન્દ્રિત્તસ્તમ્મના મેષ !, તવવ્યવસિતો મવ 11 " तद्भावनाभावितश्च तदर्थं विहितार्पणः । भुञ्जानोऽपि च कुर्वाण- स्तिष्ठन् गच्छंस्तथा वदन् ।। जीवंश्च म्रियमाणश्च, युञ्जानो विषयिव्रजम् । तल्लेश्यो लप्स्यसे नूनं, मनः प्रसादमुत्तमम् ।। (મિવિશેષમ્) ભગવાને કહ્યું, આત્મા અનંત આનંદથી પરિપૂર્ણ છે. મેઘ ! તું એમાં જ ચિત્તને મગ્ન કર, એમાં જ મનને જોડી દે અને એમાં જ અધ્યવસાયને જોડી રાખ. (૨) મેઘ ! જ્યારે-જ્યારે તું ખાય, કાર્ય કરે, ઊભો રહે, ચાલે અને બોલે ત્યારે-ત્યારે આત્મભાવનાથી ભાવિત બન અને આત્મા માટે સર્વસ્વ સમર્પિત કરી દે. (૩) સંબોધિ . ૨૪૯ Page #252 -------------------------------------------------------------------------- ________________ " તું જીવનકાળમાં, મૃત્યકાળમાં તથા ઈન્દ્રિયોનો વ્યાપાર કરતી વખતે આત્માની લેગ્યા-ભાવધારાથી પ્રભાવિત થઈને ઉત્તમ માનસિક પ્રસાદ પ્રાપ્ત કરીશ. (૪) ५. आत्मस्थित आत्महित, आत्मयोगी ततो भव । आत्मपराक्रमो नित्यं, ध्यानलीनः स्थिराशयः ।। તું આત્મામાં સ્થિર, આત્મા માટે હિતકર, આત્મયોગી, આત્મા માટે પરાક્રમ કરનાર, ધ્યાનમાં લીન અને સ્થિર આશયવાળો બન. (૫) ૬. સમિતી મનસા વાવા, ચેન નવ સન્તતમ્ | गुप्तश्च मनसा वाचा, कायेन सुसमाहितः ।। તું મન, વચન અને કાયાથી નિરંતર સમિત-સમ્યક્ પ્રવૃત્તિ કરનાર તથા મન, વચન અને કાયાથી ગુમ તથા સુસમાહિત બન. (૬) ७. अनुत्पन्नानकुर्वाणः, कलहांश्च पुराकृतान् । नयन्नुपशमं नूनं, लप्स्यसे मनसः सुखम् ।। તું નવા છેડેથી કલહોને ઉત્પન્ન ન કરીશ અને અગાઉ કરેલા કલહોને ઉપશાંત કર, આ રીતે તું માનસિક સુખ પ્રાપ્ત કરીશ. (૭) ૮ વાવી માનવીનું વેન, પૃ8માંસ તથા | परित्यज्याऽसहिष्णुत्वं, लप्स्यसे मनः स्थितिम् ।। ક્રોધ વગેરે માનસિક વેગો, ચાડી-ચુગલી અને અસહિષ્ણુતા છોડ, આ રીતે તને મનની સ્થિરતા પ્રાપ્ત થશે. (૮) . પર્યુષ્ય સંહત્ય, પ્રસારિતપુનમઃ | વત્રતઃ સ્થિષ્ટિર્નસ્થ મનનો તિમ્ II * બંને પગ ભેગા રાખીને, બંને હાથ ફેલાવીને, થોડોક મૂકીને દૃષ્ટિને સ્થિર બનાવ. આમ કરવાથી માનસિક વૈર્ય પ્રાપ્ત થશે. (૯) સંબોધિ - ૨૫૦ Page #253 -------------------------------------------------------------------------- ________________ १०. प्रयत्नं नाधिकुर्वाणो- ऽलब्धांश्च विषयान् प्रति । लब्धान् प्रति विरज्यश्च, मनसः स्वास्थ्यमाप्स्यसि ।। અપ્રાપ્ત વિષયો ઉપર અધિકાર કરવાનો પ્રયત્ન ન કરીશ અને પ્રાપ્ત વિષયોથી વિરક્ત બન. આમ કરવાથી તું માનસિક સ્વાથ્ય પામીશ. (૧૦) ૨૨. અમનોજ્ઞપ્રયો, ના થાયનું વાવ | मनोज्ञविप्रयोगे च, मनसः स्वास्थ्यमाप्स्यसि ।। અમનોજ્ઞ વિષયોનો સંયોગ થવાથી અને મનોજ્ઞ વિષયોનો વિયોગ થવાથી તે આર્તધ્યાન ન કરીશ- તારા માનસને ચિંતાથી પીડિત ન કરીશ, આમ કરવાથી તું માનસિક સ્વાધ્ય પામીશ. (૧૧) ૨. સારા પ્રતિસાય, નારૂં થાય તથા ત્યાન્ | फलाशां भोगसंकल्पान्, मनसः स्वास्थ्यमाप्स्यसि ।। રોગ ઉત્પન્ન થાય ત્યારે ચિકિત્સા માટે આર્તધ્યાન ન કરીશ તથા ભૌતિક ફળની આશા અને ભોગવિષયક સંકલ્પોને છોડ. આ રીતે તું માનસિક સ્વાથ્ય પામીશ. (૧૨) १३. शोकं भयं घृणां द्वेष, विलापं क्रन्दनं तथा । त्यजन्नज्ञानजान् दोषान्, मनसः स्वास्थ्यमाप्स्यसि ।। શોક, ભય, ધૃણા, દ્વેષ, વિલાપ, કંદન અને અજ્ઞાનથી ઉત્પન્ન થનાર દોષો તું છોડ. આમ કરવાથી તે માનસિક સ્વાસ્થય પામીશ. (૧૩) १४. लब्धानां नाम भोगानां, रक्षणायाचरेजनः । हिंसां मृषा तथाऽदत्तं, तेन रौद्रः स जायते ।। માણસ પ્રાપ્ત ભોગોના રક્ષણ માટે હિંસા, અસત્ય અને ચોરીનું આચરણ કરે છે તથા તેનાથી એ દ્રોહ બને છે. (૧૪) સંબોધિ - ૨૫૧ Page #254 -------------------------------------------------------------------------- ________________ १५. तथाविधस्य जीवस्य, चित्तस्वास्थ्यं पलायते । संरक्षणमनादृत्य, मनसः स्वास्थ्यमाप्स्यसि ।। જે માણસ રોદ્ર હોય છે તેનું માનસિક સ્વાસ્થ નષ્ટ થઈ જાય છે. તું ભોગોનું રક્ષણ કરવાનો પ્રયત્ન ન કરીશ. આમ કરવાથી તું માનસિક સ્વાથ્ય પામીશ. (૧૫) १६. रागद्वेषौ लयं यातौ, यावन्तौ यस्य देहिनः । સુહે માનસિક તણ્ય, તાવ પ્રાયતે || જે મનુષ્યના રાગ-દ્વેષ જેટલા પ્રમાણમાં વિલય પામે છે તેને એટલા જ પ્રમાણમાં માનસિક સુખ પ્રાપ્ત થાય છે. (૧૬) १७. वीतरागो भवेल्लोको, वीतरागमनुस्मरन् । उपासकदशां हित्वा, त्वमुपास्यो भविष्यसि ।। જે પુરુષ વીતરાગનું સ્મરણ કરે છે, તે સ્વયં વીતરાગ બની જાય છે. વીતરાગનું સ્મરણ કરવાથી તું ઉપાસક દડાને છોડીને સ્વયં ઉપાસ્ય બની જઈશ. (૧૭) १८. इन्द्रियाणि च संयम्य, कृत्वा चित्तस्य निग्रहम् । संस्पृशन्नात्मनात्मानं, परमात्मा भविष्यसि ।। ઈન્દ્રિયોનો સંયમ કર, ચિત્તનો નિગ્રહ કર, આત્માથી આત્માનો સ્પર્શ કરઆમ કરવાથી તું પરમાત્મા બની જઈશ. (૧૮) १९. यल्लेश्यो म्रियते लोकस्तल्लेश्यश्चोपपद्यते । तेन प्रतिपलं मेघ ! जागरूकत्वमर्हसि ।। આ જીવ જે લેગ્યા-ભાવધારામાં મૃત્યુ પામે છે એ જ લેશ્યાને અનુરૂપ ગતિમાં તે ઉત્પન્ન થાય છે. તેથી હે મેઘ ! તું હર પળે આત્મા પ્રત્યે જાગરૂક બન. (૧૯) २०. जीवनस्य तृतीयेऽस्मिन्, भागे प्रायेण देहिनाम् । आयुषो जायते बन्धः, शेषे तृतीयकल्पना ।। સંબોધિ - ૨૫૨ Page #255 -------------------------------------------------------------------------- ________________ જીવોના જીવનના ત્રીજા ભાગમાં નરક વગેરે આયુષ્યમાંથી કોઈ એક આયુષ્યનો બંધ થાય છે. જીવનના ત્રીજા ભાગમાં આયુનું બંધન ન થાય તો પછી ત્રીજા ભાગના ત્રીજા ભાગમાં આયુનું બંધન થાય છે. તેમાં પણ બંધન ન થાય તો પછી અવશિષ્ટ (બાકીના) ત્રીજા ભાગમાં આયુષ્યનું બંધન થાય છે. આમ જે આયુષ્ય શેષ રહે છે, તેના ત્રીજા ભાગમાં આયુષ્યનું બંધન થાય છે. (૨૦) २१. तृतीयो नाम को भागो, नेति विज्ञातुमर्हसि । સર્વા મવ શુદ્ધાત્મા, તેને યાસિ સતિમ્ ! જીવનનો ત્રીજો ભાગ કયો છે, એ તું જાણી શકતો નથી તેથી સર્વદા પોતાના આત્માને શુદ્ધ રાખ. આમ કરવાથી તે સગતિ પામીશ. (૨૧) २२. कृष्णा नीला च कापोती, पापलेश्या भवन्त्यमूः | तैजसी पद्मशुक्ले च, धर्मलेश्या भवन्त्यमूः ।। પાપલેશ્યાઓ ત્રણ પ્રકારની છે- કૃષ્ણ, નીલ અને કાપોત. ધર્મલેશ્યાઓ પણ ત્રણ છે- તેજસ, પદ્મ અને શુ:લ. (૨૨) २३. तीव्रारम्भपरिणतः, क्षुद्रः साहसिकोऽयतिः । पञ्चास्रवप्रवृत्तश्च, कृष्णलेश्यो भवेत् पुमान् ।। જે તીવ્ર હિંસામાં પરિણક છે, ક્ષુદ્ર છે, વગર વિચારે કાર્ય કરે છે, ભોગથી વિરત નથી અને પાંચ આસ્રવોમાં પ્રવૃત્ત છે તે વ્યક્તિ કૃષ્ણ લેશ્યાવાળી હોય છે. (૨૩) २४. ईर्ष्यालुद्देषमापन्नो, गृद्धिमान् रसलोलुपः । अहीकश्च प्रमत्तश्च, नीललेश्यो भवेत् पुमान् ।। જે ઈર્ષ્યાળુ છે, દ્વેષ કરે છે, વિષયોમાં આસક્ત છે, સરસ આહારમાં લોલુપ છે, લાહીન અને પ્રમાદી છે તે વ્યક્તિ નીલલેશ્યાવાળી હોય છે. (૨૪) २५. वक्रो वक्रसमाचारो, मिथ्यादृष्टिश्च मत्सरी । औपधिको दुष्टवादी, कापोतीमाश्रितो भवेत् ।। સંબોધિ - ૫૩ Page #256 -------------------------------------------------------------------------- ________________ જેનું ચિંતન, વાણી અને કર્મ કુટિલ હોય છે, જેની દૃષ્ટિ મિથ્યા છે, જે બીજાઓના ઉત્કર્ષને સહન કરી શકતો નથી, જે દંભી છે, જે દુર્વચન બોલે છે. તે વ્યક્તિ કાપોત લેશ્યાવાળી હોય છે. (૨૫) २६. विनीतोऽचपलोऽमायी, दान्तश्चावद्यभीरुकः । प्रियधर्मी दृढधर्मा, तैजसीमाश्रितो भवेत् ।। જે વિનીત છે, જે ચપળતારહિત છે, જે સંરલ છે, જે ઈન્દ્રિયોનું દમન કરે છે, જે પાપભીરુ છે, જેને ધર્મ પ્રિય છે અને જે ધર્મમાં દૃઢ છે તે વ્યક્તિ તેજસ લેશ્યાવાળી હોય છે. (૨૬) ૨૭. તનુતમોધ-માન-માયા-ોમો જિતેન્દ્રિયઃ । प्रशान्तचित्तो दान्तात्मा, पद्मलेश्यो भवेत् पुमान् ।। જેને ક્રોધ, માન, માયા અને લોભ ખૂબ અલ્પ છે, જે જિતેન્દ્રિય છે, જેનું મન પ્રશાંત છે અને જેણે આત્માનું દમન કર્યું છે, તે વ્યક્તિ પદ્મ લેશ્યાવાળી હોય છે. (૨૭) ૨૮. आर्त्तरौद्रे वर्जयित्वा धर्म्यशुक्ले च साधयेत् । उपशान्तः सदा गुप्तः, शुक्ललेश्यो भवेत् पुमान् ।। જે આર્ત્ત અને રૌદ્રધ્યાનનું વર્જન કરે છે, જે ધર્મ્સ અને શુક્લધ્યાનની સાધના કરે છે. જે ઉપશાંત છે અને જે નિરંતર મન, વચન અને કાયાથી ગુપ્ત છે, તે વ્યક્તિ શુક્લ લેશ્યાવાળી હોય છે. (૨૮) ૨૬. તેશ્યામિ પ્રશસ્તામિમુમુક્ષો ! સતો વ્રજ્ઞ । प्रशस्तासु च लेश्यासु, मानसं स्थिरतां नय ।। હે મુમુક્ષુ ! તું લેશ્યાઓમાં મનને સ્થિર કર. (૨૯) ૨૦. અપ્રશસ્ત લેશ્યાઓથી દૂર રહે અને પ્રશસ્ત उपकारापकारौ च विपाकं वचनं तथा । 4, कुरुष्व धर्ममालम्ब्य, क्षमां पञ्चावलम्बनाम् ।। સંબોધિ ૨૫૪ Page #257 -------------------------------------------------------------------------- ________________ પાંચ કારણોથી મારે ક્ષમાનું સેવન કરવું જોઈએ. તે પાંચ કારણો આ પ્રમાણે છે ૧. આ વ્યક્તિએ મારા ઉપર ઉપકાર કર્યો છે. તેથી તેના કથન કે તેની પ્રવૃત્તિ તરફ મારે ક્રોધ ન કરવો જોઈએ. - ૨. ક્ષમા ન રાખવાથી એટલે કે ક્રોધ કરવાથી મારા આત્માનો અપકાર-અહિત થાય છે. ૩. ક્રોધનું પરિણામ અત્યંત દુઃખદ આવે છે. ૪. આગમની વાણી છે કે ક્રોધ ન કરવો જોઈએ. ૫. ક્ષમા મારો ધર્મ છે. (૩૦) ३१. आर्जवं वपुषो वाचो, मनसः सत्यमुच्यते । अविसंवादयोगश्च, तत्र स्थापय मानसम् ।। કાયા, વચન અને મનની જે સરલતા છે, તે સત્ય છે, કથની અને કરણીની જે સમાનતા છે તે સત્ય છે. એ સત્યમાં તું મનને સ્થિર કર. (૩૧) ३२. अश्रद्धानं प्रवचने, परलाभस्य तर्कणम् । आशंसनं च कामानां, स्नानादिप्रार्थनं तथा ।। ३३. एतैश्च हेतुभिश्चित्तं, उच्चावचं प्रधारयन् । निर्ग्रन्थो घातमाप्नोति, दुःखशय्यां व्रजत्यपि ।। (યુમમ) મુનિ માટે ચાર દુઃખ-શસ્યાઓ છે૧. નિર્ચન્જ પ્રવચનમાં અશ્રદ્ધા કરવી. ૨. બીજા શ્રમણો દ્વારા લાવેલી ભિક્ષાની ઇચ્છા કરવી. ૩. કામભોગોની ઇચ્છા કરવી. ૪. સ્નાન વગેરેની અભિલાષા કરવી. આ કારણોથી સાધુનું ચિત્ત અસ્થિર બને છે અને તેના સંયમને હાનિ થાય છે તેથી નિર્ગસ્થ માટે આ દુઃખ-શપ્યાઓ છે. (૩૨, ૩૩) સંબોધિ કર૫૫ Page #258 -------------------------------------------------------------------------- ________________ રૂ૪. શ્રદ્ધાશીતઃ પ્રવને, સ્વનામે તોપમશ્રિતઃ | अनाशंसा च कामानां, स्नानाद्यप्रार्थनं तथा ।। ३५. एतैश्च हेतुभिश्चित्तं, उच्चावचमधारयन् । निर्ग्रन्थो मुक्तिमाप्नोति, सुखशय्यां व्रजत्यपि ।। (યુમ) મુનિ માટે ચાર સુખ-શય્યાઓ છે૧. નિર્ચન્જ પ્રવચનમાં શ્રદ્ધા કરવી. ૨. ભિક્ષામાં જે વસ્તુ મળે તેનાથી સંતુષ્ટ રહેવું. ૩. કામભોગોની ઇચ્છા ન કરવી. ૪. સ્નાન વગેરેની અભિલાષા ન કરવી. આ કારણોથી સાધુનું ચિત્ત સ્થિર બને છે અને તે મુક્તિ પામે છે તેથી નિગ્રન્થ માટે આ ચાર સુખ-શય્યાઓ છે. (૩૪, ૩૫) ३६. दुष्टा व्युद्ग्राहिता मूढा, दुःसंज्ञाप्या भवन्त्यमी । सुसंज्ञाप्या भवन्त्यन्ये, विपरीता इतो जनाः ।। ત્રણ પ્રકારની વ્યક્તિ દુ: સંજ્ઞાપ્ય હોય છે – દુષ્ટ, વ્યગ્રાહિત-દુરાગ્રહી અને મૂઢ. આનાથી ભિન્ન પ્રકારની વ્યક્તિ સુસંજ્ઞાપ્ય હોય છે. (૩૬) ૨૭. પૂર્વ દિતા વેનિઃ, વાતા: પcતમાનિનઃ | नेच्छन्ति कारणं श्रोतुं, द्वीपजाता यथा नराः ।। જે પૂર્વગ્રહ રાખે છે અને જે અજ્ઞાની હોવા છતાં પોતાને પંડિત માને છે, તે અશિષ્ટ પુરુષોની જેમ બોધિના કારણને સાંભળવા નથી ઇચ્છતો. (૩૭) ३८. उपदेशमिदं श्रुत्वा, प्रसन्नात्मा महामना । મેષઃ પ્રસન્નયા વાવા, તુણુવે પરમેષ્ટિનમ્ !! - મહામના મેઘ આ ઉપદેશ સાંભળીને અત્યંત પ્રસન્ન થયો અને પ્રાંજલવાણી થકી ભગવાન મહાવીરની સ્તુતિ કરવા લાગ્યો. (૩૮) ૧. જેમને સમજાવી ના શકાય. સંબોધિ - ૨૫૬ Page #259 -------------------------------------------------------------------------- ________________ मेघः प्राह ૩૧. સર્વશોસિ સર્વવી, સ્થિતાત્મા ધૃતિમાનસિ। अनायुरभयो ग्रन्थादतीतोऽसि भवान्तकृत् ।। મેઘ બોલ્યો, આર્ય ! આપ સર્વજ્ઞ છો, સર્વદર્શી છો, સ્થિતાત્મા છો, ધૈર્યવાન છો, અમર છો, અભય છો, રાગ-દ્વેષની ગ્રંથિઓથી રહિત છો અને સંસારનો અંત કરનાર છો. (૩૯) ४०. पश्यतामुत्तमं चक्षुर्ज्ञानिनां ज्ञानमुत्तमम् । तिष्ठतां स्थिरभावोऽसि, गच्छतां गतिरुत्तमा ।। આપ દેખતા માણસો માટે ઉત્તમ ચક્ષુ છો, જ્ઞાનીઓ માટે ઉત્તમ જ્ઞાન છો, રહેનારા લોકો માટે ઉત્તમ સ્થાન છો અને ચાલનારા લોકો માટે ઉત્તમ ગતિ છો. (૪૦) આપ અશરણોના શરણ છો, અસ્થિર ચિત્તવાળા મનુષ્યો માટે પ્રતિષ્ઠાન છો, સંસારને પાર કરનારાઓ માટે નૌકા છો અને પ્રાણધારકો માટે આપ શ્ર્વાસ છો. (૪૧) शरणं चास्यऽबन्धूनां प्रतिष्ठा चलचेतसाम् । पोतश्चासि तितीर्षूणां, श्वासः प्राणभृतां महान् ।। ૪૨. તીર્થનાથ ! ત્વયા તીર્થમિવમસ્તિ પ્રવર્તિતમ્ । સ્વયંસવ્રુદ્ધ ! સમ્બુચા, નોંધિત સાં નાત્ ।। હે તીર્થનાથ ! આપે આ ચતુર્વિધ સંઘનું પ્રવર્તન કર્યું છે. હૈ સ્વયંસંબુદ્ધ ! આપે આપના જ્ઞાન થકી સમસ્ત સંસારને જાગૃત કર્યો છે. (૪૨) 17 ૪૨. अहिंसाराधनां कृत्वा, जातोऽसि पुरुषोत्तमः । जातः पुरुषसिंहोऽसि, भयमुत्सार्य सर्वथा ।। ભગવન્ ! આપ અહિંસાની આરાધના કરીને પુરુષોત્તમ બન્યા છો, ભયને સર્વથા છોડીને પુરુષોમાં સિંહ સમાન પરાક્રમી બન્યા છો. (૪૩) સંબોધિ ઃ ૨૫૭ Page #260 -------------------------------------------------------------------------- ________________ * ૪૪. પુરુષ પુષ્કરી, નિર્લેપો ગતિવાસિ | पुरुषेषु गन्धहस्ती, जातोऽसि गुणसम्पदा ।। નિર્લેપ હોવાને કારણે આપ પુરુષોમાં પુંડરીક-કમળ સમાન છો. ગુણસંપદાથી સમૃદ્ધ હોવાને કારણે આપ પુરુષોમાં ગંધહસ્તી સમાન છો. (૪૪) ४५. लोकोत्तमो लोकनाथो, लोकद्वीपोऽभयप्रदः । दृष्टिदो मार्गदः पुंसां, प्राणदो बोधिदो महान् ।। ભગવન્! આપ સંસારમાં ઉત્તમ છો, સંસારના એકમાત્ર નેતા છો, સંસારના દ્વીપ છો, અભયદાતા છો, મહાન છો તથા મનુષ્યોને દૃષ્ટિ આપનાર છો, માર્ગ બતાવનાર છો, પ્રાણ અને બોધિ આપનાર છો. (૪૫) ४६. धर्मवरचातुरन्त-चक्रवर्ती महाप्रभः । શિવોડતોડયોડનતો, ધર્મો ધર્મસારથિઃ || પ્રભો ! આપ ધર્મ-ચક્રવર્તી છો. આપ મહાન પ્રભાકર છો, શિવ છો, અચલ છો, અક્ષય છો, અનંત છો, ધર્મનું દાન કરનાર છો અને ધર્મરથના સારથિ છો. (૪૬) ૪૭. નિનગ્ન નાપતિ , તીતથતિ તારઃ | बुद्धश्च बोधकश्चाचि, मुक्तस्तथासि मोचकः ।। પ્રભો ! આપ આત્મજેતા છો અને બીજાઓને વિજયી બનાવનારા છો. આપ સ્વયં સંસારસાગર તરી ગયા છો અને બીજાઓને સંસાર તરાવનારા છો. આપ બુદ્ધ છો અને બીજા લોકોને બોધિ આપનારા છો. આપ સ્વયં મુક્ત છો અને બીજા લોકોને મુક્તિ આપનારા છો. (૪૭) ४८. निर्ग्रन्थानामधिपतेः, प्रवचनमिदं महत् । प्रतिबोधश्च मेघस्य, शृणुयाच्छ्रद्दधीत यः ।। ૪૨. निर्मला जायते दृष्टिः, मार्गः स्याद् दृष्टिमागतः । मोहश्च विलयं गच्छेत्, मुक्तिस्तस्य प्रजायते ।। (યુમ) સંબોધિ - ૫૮ Page #261 -------------------------------------------------------------------------- ________________ નિર્ચન્થોના અધિપતિ ભગવાન મહાવીરના આ મહાન પ્રવચનને તથા મેઘકુમારને પ્રદત્ત પ્રતિબોધને જે સાંભળે છે, તેમાં શ્રદ્ધા ધરાવે છે તેની દષ્ટિ નિર્મળ બને છે, તેને સભ્યશ્માર્ગની પ્રાપ્તિ થાય છે, તેનાં મોહનાં બંધન તૂટી જાય છે અને તે મુક્ત બની જાય છે. (૪૮, ૪૯). સંબોધિ . ર૫૯ Page #262 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર મેઘને આપવામાં આવેલો ભગવાન મહાવીરનો આ પ્રતિબોધ પ્રત્યેક વ્યક્તિ માટે પ્રતિબોધ છે. મોવિજય; અજ્ઞાનવિજય અને આત્માનુશાસનની આ સાધના છે. જેને મોહવિલય થાય છે, તે સંબુદ્ધ છે. ‘સંબોધિ’ની ઉપાસના કરીને અનેક આત્માઓ મેઘ બની ગયા અને અનેક બનશે. આત્માનું શુદ્ધ સ્વરૂપ સચ્ચિદાનંદ છે. તે આત્મોપાસના થકી પ્રબુદ્ધ થાય છે. મોહ અને અજ્ઞાન આત્યેતર છે. એના વમળમાંથી એ જ નીકળી શકે છે કે જે ‘સંબોધિ’ને આત્મસાત કરે છે. ‘સંબોધિ'નું સંક્ષેપ રૂપ છે- સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્યારિત્ર. એ જ આત્મા છે. જે આત્મામાં અવસ્થિત છે, તે આ ત્રિવેણીમાં સ્થિત છે અને જે ત્રિવેણીની સાધનામાં સંલગ્ન છે તે આત્મામાં સંલગ્ન છે. આત્માની અવિકૃત તથા વિકૃત દશાની અહીં વિસ્તૃત ચર્ચા છે. વિકૃતમાંથી અવિકૃત બનાવવાનું ‘સંબોધિ’નું ધ્યેય છે જે ધર્મમૂઢતા અથવા આત્મમૂઢતા છે, તે મોહ છે. મોહનો વિલય મુક્તિ છે. મોહવિલયથી દૃષ્ટિ-શુદ્ધિ, જ્ઞાન-શુદ્ધિ અને આચાર-શુદ્ધિ થાય છે. પ્રત્યેક વ્યક્તિ આ ત્રિશુદ્ધિની અધિકારી છે, પરંતુ તે શ્રેષ્ઠ અધિકારી છે કે જેને મોવિજયમાં પૂર્ણ આસ્થા છે. ક્ષેત્ર, કાલ, પ્રાન્ત વગેરેની સીમાઓ આસ્થાવાન માટે વ્યવધાન બની શકતી નથી. આ વારસો છે. ‘સંબોધિ’ આસ્થાને જગાડે છે અને વ્યક્તિને આસ્થાવાન બનાવે છે, આત્માની સ્વમાં અતૂટ આસ્થાને પ્રબળ બનાવીને તે કૃતકૃત્ય થઈ જાય છે. સંબોધિ – ૨૬૦ Page #263 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન-ન્યગ અને અધ્યાત્મ વિષયક અણમોલ ગ્રંથો મહાવીરનો પુનર્જન્મ શ્રમણ મહાવીર મહાવીરનું અર્થશાસ્ત્ર મહાવીરનું આરોગ્યશાસ્ત્ર મહાવીરની સાધનાનો મર્મ મહાવીરવાણી ઋષભ અને મહાવીર મને જીતે જીત આભામંડળ કોણે કહ્યું મન ચંચળ છે? વિચારવું કેમ ? અનેકાન્ત : ત્રીજું નેત્ર ચિત્ત અને મન મનોનુશાસનમ એકલા ચાલો રે. હું જ મારો ભાગ્યવિધાતા એસો પંચ ણમોકારો ચેતનાનું ઊર્ધ્વરોહણ જૈનયોગ મનનો કાયાકલ્પ અવચેતન મનનો સંપર્ક મંઝિલના મુકામ નવું દર્શન, નવો સમાજ હું, મારું મન, મારી શાંતિ શ્રાવકસંબોધ આપણા ઘરમાં આસન-પ્રાણાયામ ભક્તામર: અંતસ્તલનો સ્પર્શ ભિક્ષુ વિચારદર્શન અર્હમ્ જીવનવિજ્ઞાન આહાર અને અધ્યાત્મ લોકતંત્ર: નવી વ્યક્તિ,નવો સમાજ પ્રેક્ષ્યાધ્યાન : શક્તિની સાધના ભાવાંજલિ તેરાપંથ અને મૂર્તિપૂજા in Education Intemational Farivate & Personal use Page #264 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્ત ભારતી પ્રકાશના PECT C' -આચાર્ય મહાપ્રજ્ઞ