SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ આદાન-પરિગ્રહને નરક સમજીને જે તેનો મોહ નથી કરતો અને સ્વયં પોતાનામાં જ લીન રહે છે, તેવી આત્મામાં રમણ કરનાર વ્યક્તિ શાંતિ પામે છે. (૧૫) १६. इहैके नाम मन्यन्ते, अप्रत्याख्याय पापकम् । વિલિત્વા તત્ત્વમાત્માસી, સર્વદુઃgદિમુચ્યતે | કેટલાક લોકો એમ માને છે કે પાપનો પરિત્યાગ કરવાનું આવશ્યક નથી. જે તત્ત્વને જાણી લે છે, તે આત્મા તમામ દુઃખોથી મુક્ત થઈ જાય છે. (૧૬) १७. वदन्तश्चाप्यकुर्वन्तो, बन्धमोक्षप्रवेदिनः । आश्वासयन्ति चात्मानं, वाचा वीर्येणं केवलम् ।। જે માત્ર કહે છે, પરંતુ કરતા નથી, બંધન અને મુક્તિનું નિરૂપણ કરે છે, પરંતુ બંધનમાંથી મુક્તિ મળે તેવો ઉપાય કરતા નથી, તેઓ માત્ર વચનના વીર્ય દ્વારા પોતાની જાતને આશ્વાસન આપતા રહે છે. (૧૭) १८. न चित्रा त्रायते भाषा, कुतो विद्यानुशासनम् । विषण्णाः पापकमभ्यो, बालाः पण्डितमानिनः ।। તેવા અજ્ઞાનીઓ પોતાની જાતને પંડિત માનવા છતાં બાળક છે. તેઓ પાપકર્મ થકી વિષાદ પામી રહ્યા છે. તેમને વિચિત્ર પ્રકારની ભાષાઓ અને વિદ્યાનું અનુશાસન-શિક્ષણ પણ પાપથી બચાવી શકતું નથી. (૧૮) १९. ज्ञानञ्च दर्शनञ्चैव, चरित्रं च तपस्तथा । एष मार्ग इति प्रोक्तं, जिनैः प्रवरदर्शिभिः ।। જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ- તેમનો સમુદાય મોક્ષનો માર્ગ છે. શ્રેષ્ઠ દર્શનવાળા વીતરાગે આ પ્રમાણે કહ્યું છે. (૧૯) २०. ज्ञानेन ज्ञायते सर्व, विश्वमेतच्चराचरम् । श्रद्धीयते दर्शनेन, दृष्टिमोहविशोधिना ।। સંબોધિ , ૧૭૦ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004934
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1999
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy