SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ २६. आत्मधर्मो मुमुक्षूणां, गृहिणाञ्च समो मतः । पालनापेक्षया भेदो, भेदो नास्ति स्वरूपतः ।। આત્મધર્મ સાધુ અને ગૃહસ્થ બંને માટે સમાન છે. ઘર્મના જે વિભાગ છે, તે પાલન કરવાની અપેક્ષાએ કરેલા છે. સ્વરૂપની દૃષ્ટિએ તે એક છે, તેનો કોઈ વિભાગ નથી હોતો. (૨૬) ર૭. ચિત્તે સામિઃ પૂર્ણ, શ્રાવકત્ર યથાક્ષમમ્ | ___ यत्र धर्मो हि साधूनां, तत्रैव गृहमेधिनाम् ।। સાધુ આત્મધર્મનું પૂર્ણરૂપે પાલન કરે છે અને શ્રાવક તેનું પાલન યથાશક્તિ કરે છે. સંયમમય આચરણ સાધુ માટે પણ ધર્મ છે, ગૃહસ્થ માટે પણ ધર્મ છે. અસંયમમય આચરણ સાધુ માટે પણ ધર્મ નથી અને ગૃહસ્થ માટે પણ ધર્મ નથી. (૨૭) ર૮. તીર્થક્રયા અમૂવન, વિરે જે કર પ્રતિ | ___भविष्यन्ति च ते सर्वे, भाषन्ते धर्ममीदृशम् ।। જે તીર્થકરો અતીતમાં થયા, જે વર્તમાનમાં છે અને જે ભવિષ્યમાં થશે તે તમામ આ જ ધર્મનું નિરૂપણ કરે છે. (૨૮) २९. सर्वे जीवा न हन्तव्याः, कार्या पीडापि नाल्पिका । उपद्रवो न कर्तव्यो, नाऽऽज्ञाप्या बलपूर्वकम् ।। ३०. नवा परिगृहीतव्या, दासकर्मनियुक्तये । एष धर्मो ध्रुवो नित्यः, शाश्वतो जिनदेशितः ।। (યુમ) કોઈપણ જીવ જંતવ્ય નથી. ન તો તેને કિંચિત પીડિત કરવો જોઈએ કે ન તેને ઉપદ્રવ આપવો જોઈએ. ન તો તેના ઉપર બળપૂર્વક શાસન કરવું જોઈએ અને ન તો તેને દાસ બનાવવા માટે પોતાને અધીન રાખવો જોઈએ- આ અહિંસાધર્મ ધ્રુવ, નિત્ય, શાશ્વત અને વીતરાગ દ્વારા નિરૂપિત છે. (૨૯, ૩૦) ३१. न विरुध्येत केनापि, न बिभियान भाययेत् । अधिकारान मुष्णीयाद्, न कुर्याद् श्रमशोषणम् ।। સંબોધિ - ૧૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004934
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1999
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy