SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ २६. दुर्गतौ प्रपतज्जन्तोर्धारणाद् धर्म उच्यते । धर्मेणासौ धृतो ह्यात्मा, स्वरूपमधिगच्छति ।। જે દૂરગતિમાં પડતા જીવોને ધારણ કરે છે તે ધર્મ કહેવાય છે. પોતાના સ્વરૂપને એ જ વ્યક્તિ પામે છે જેનો આત્મા ધર્મ થકી ધૃત હોય છે. (૨૬) २७. आत्मनः स्वप्रकाशाय, बन्धनस्य विमुक्तये । आनन्दाय मया शिष्य ! धर्मप्रवचनं कृतम् ।। હે શિષ્ય મેઘ ! આત્માના પ્રકાશ માટે, બંધનની મુક્તિ માટે અને આનંદ માટે મેં ધર્મનું પ્રવચન કર્યું છે. (૨૭) ૨૮. મામલૈમિ, vii કનૈધૃવમ્ | प्रमादबहुलो जीवः, संसारमनुवर्तते ।। પ્રમાદી જીવ શુભ-અશુભ ફળવાળાં કર્મોનાં આ બંધનોને કારણે સંસારમાં પર્યટન કરે છે. (૨૮). २९. शुभाशुभफलान्यत्र, कर्मणां बन्धनानि च । छित्वा मोक्षमवाप्नोति, अप्रमत्तो हि संयतिः ।। અપ્રમત્ત મુનિ કર્મોનાં બંધનો અને તેનાં શુભ-અશુભ ફળોનું છેદન કરીને મોક્ષ પામે છે. (૨૯) ३०. एकमासिकपर्यायो, मुनिरात्मगुणे रतः । व्यन्तराणां च देवानां, तेजोलेश्यां व्यतिव्रजेत् ।। એક માસનો દીક્ષિત આત્મલીન મુનિ વ્યંતર દેવોનાં સુખોને અતિક્રમી જાય છે, તેમના કરતાં અધિક સુખી બની જાય છે. (૩૦) ३१. द्विमासमुनिपर्याय, आत्मध्यानरतो यतिः । भवनवासिदेवानां, तेजोलेश्यां व्यतिव्रजेत् ।। બે માસનો દીક્ષિત મુનિ ભવનપતિ (અસુરવર્જિત) દેવોનાં સુખોને અતિક્રમી જાય છે. (૩૧) સંબોધિ - ૧૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004934
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1999
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy