________________
રૂ૪. શ્રદ્ધાશીતઃ પ્રવને, સ્વનામે તોપમશ્રિતઃ |
अनाशंसा च कामानां, स्नानाद्यप्रार्थनं तथा ।। ३५. एतैश्च हेतुभिश्चित्तं, उच्चावचमधारयन् । निर्ग्रन्थो मुक्तिमाप्नोति, सुखशय्यां व्रजत्यपि ।।
(યુમ) મુનિ માટે ચાર સુખ-શય્યાઓ છે૧. નિર્ચન્જ પ્રવચનમાં શ્રદ્ધા કરવી. ૨. ભિક્ષામાં જે વસ્તુ મળે તેનાથી સંતુષ્ટ રહેવું. ૩. કામભોગોની ઇચ્છા ન કરવી. ૪. સ્નાન વગેરેની અભિલાષા ન કરવી.
આ કારણોથી સાધુનું ચિત્ત સ્થિર બને છે અને તે મુક્તિ પામે છે તેથી નિગ્રન્થ માટે આ ચાર સુખ-શય્યાઓ છે. (૩૪, ૩૫)
३६. दुष्टा व्युद्ग्राहिता मूढा, दुःसंज्ञाप्या भवन्त्यमी ।
सुसंज्ञाप्या भवन्त्यन्ये, विपरीता इतो जनाः ।। ત્રણ પ્રકારની વ્યક્તિ દુ: સંજ્ઞાપ્ય હોય છે – દુષ્ટ, વ્યગ્રાહિત-દુરાગ્રહી અને મૂઢ. આનાથી ભિન્ન પ્રકારની વ્યક્તિ સુસંજ્ઞાપ્ય હોય છે. (૩૬)
૨૭. પૂર્વ દિતા વેનિઃ, વાતા: પcતમાનિનઃ |
नेच्छन्ति कारणं श्रोतुं, द्वीपजाता यथा नराः ।।
જે પૂર્વગ્રહ રાખે છે અને જે અજ્ઞાની હોવા છતાં પોતાને પંડિત માને છે, તે અશિષ્ટ પુરુષોની જેમ બોધિના કારણને સાંભળવા નથી ઇચ્છતો. (૩૭)
३८. उपदेशमिदं श्रुत्वा, प्रसन्नात्मा महामना ।
મેષઃ પ્રસન્નયા વાવા, તુણુવે પરમેષ્ટિનમ્ !! - મહામના મેઘ આ ઉપદેશ સાંભળીને અત્યંત પ્રસન્ન થયો અને પ્રાંજલવાણી થકી ભગવાન મહાવીરની સ્તુતિ કરવા લાગ્યો. (૩૮) ૧. જેમને સમજાવી ના શકાય.
સંબોધિ - ૨૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org