SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ આભાર | મુનિ સાધક છે. તે મોક્ષનો અધિકારી છે. મોક્ષ મુનિ બનવાની સાથે જ મળી જતું નથી. જો એમ હોત તો સમગ્ર સંસાર મુનિ બની જાત અને મુક્ત થઈ જાત. મુનિની નૈશ્ચચિક અને વ્યાવહારિક સાધના સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચ્ચારિત્રમૂલક હોય છે. જ્યાં આ ( રત્નત્રયીમાં ખલના થાય છે, ત્યાં સાધુત્વ પણ અક્ષણ ){ (8 રહેતું નથી. નિશ્ચયનયની દૃષ્ટિએ રત્નત્રયીની આરાધના ( આત્માની આરાધના છે. વ્યવહારનયની દૃષ્ટિમાં તેમની ) આરાધના માટે આલંબન લેવું પડે છે. કારણ કે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી ગતિ, અગતિ, સ્થિતિ, ભાષણ, આહાર વગેરેની પણ અપેક્ષા રહે છે. આ બધું શી રીતે થવું જોઈએ ? એવી જિજ્ઞાસાઓનાં સમાધાન ભગવાન મહાવીરની દૃષ્ટિએ અહીં પ્રસ્તુત છે. મન, વાણી અને શરીરની નિવૃત્તિ એ મોક્ષ છે. પરંતુ છે 7 નિવૃત્તિ સીધેસીધી આવી જતી નથી. પ્રવૃત્તિ અને ઈ નિવૃત્તિનો ક્રમ હોય છે. નિવૃત્તિની સાથે પ્રારંભે પ્રવૃત્તિ હોય છે અને પ્રવૃત્તિની સાથે નિવૃત્તિ હોય છે. નિવૃત્તિના અંતિમ છે બિંદુએ જ્યારે સાધક પહોંચી જાય છે ત્યારે તે પ્રવૃત્તિની 7 જાળથી મુક્ત થઈ જાય છે. સાધક પ્રારંભિક દશામાં પ્રવૃત્તિ માટે ચાલે છે. તે | પ્રવૃત્તિ સત હોય છે. સત્યવૃત્તિ અસનો નિરોધ કરી દે છે. jક નિવૃત્તિના અંતિમ બિંદુની આગળ સુધી પ્રવૃત્તિ ચાલે છે. જે ( સાધક એ જાણે છે કે એક જ ઝાટકે પ્રવૃત્તિને તોડી શકાતી ક નથી. તે ઇચ્છે છે કે તે પોતાના જીવનમાં નિવૃત્તિને છે ધ મુખ્યતા આપે, પરંતુ તે શી રીતે બની શકે ? પ્રસ્તુત છે R અધ્યાયમાં તેનું પ્રતિપાદન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004934
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1999
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy