________________
३४. स्वयं बुद्धा भवन्त्येके, केचित् स्युर्बुद्धबोधिताः ।
વિત્ પ્રત્યેવૃદ્ધા , વોર્નાિનાયના મવેત્ | સંસારનો અંત કરનારાઓમાં કેટલાક જીવો “સ્વયંબુદ્ધ'ઉપદેશ વગેરે વગર સ્વતઃ બોધ પામનાર હોય છે, કેટલાક જીવો બુદ્ધબોધિત’ – બુદ્ધો દ્વારા પ્રતિબદ્ધ થાય છે અને કેટલાક જીવો પ્રત્યેક બુદ્ધ'– કોઈ એક ઘટનાવિશેષમાં બોધ પામી જનારા હોય છે. આમ બોધિની પ્રાપ્તિના અનેક માર્ગ છે. (૩૪)
. ચોથનામેવતઃ પુH, વિમેવો દિનાયતે |
रुचिभेदाद् भवेद् भेदः, साधनाध्वावलम्बने ।। તમામ માણસોની યોગ્યતા સરખી નથી હોતી. તેથી તેમની રુચિ પણ સમાન નથી હોતી. રુચિભેદને કારણે સાધનાના વિભિન્ન માર્ગોનું અવલંબન લેવામાં આવે છે. (૩૨)
૩૬. બુદ્ધી વિટુ ગોધ: ચું, વિમ્ વૃદ્ધા ન નોધઃ |
आत्मानुकम्पिनः केचित्, केचिद् द्वयानुकम्पकाः ।। કેટલાક સ્વયંબુદ્ધ પણ હોય છે અને બીજાઓને બોધ-ઉપદેશ પણ આપે છે. કેટલાક સ્વયંબુદ્ધ હોય છે પરંતુ બીજાઓને બોધ આપતા નથી. કેટલાક માત્ર આત્માનુકંપી હોય છે અને કેટલાક ઉભયાનુકંપી- પોતાની તથા બીજાઓની-- બંનેની અનુકંપા કરનારા હોય છે. (૩૬)
રૂ૭. પિતાશેષમાં હિં, નિર્મલા વિમુચ્યતે |
मुच्यते चान्यलिङ्गोऽपि, गृहिलिङ्गोऽपि मुच्यते ।। અશેષ કર્મોનો ક્ષય કરનાર મુનિ ભવમુક્ત બને છે. મુક્ત થવામાં આત્મશુદ્ધિની મુખ્યતા છે, લિંગ-વેશની નહીં. જે વીતરાગ બને છે તે મુક્ત થઈ જાય છે, ભલે પછી તે અન્યલિંગી-જૈનેતર સાધુના વેશમાં હોય કે ગૃહલિંગી-ગૃહસ્થના વેશમાં હોય. (૩૭)
રૂ૮. પ્રત્યાર્થગ્ન નોસ્ટ, નાનાવિઘવપૂનમ્ |
यात्रार्थं ग्रहणार्थञ्च, लोके लिङ्गप्रयोजनम् ।। લોકોને એવું પ્રતીત થાય કે આ સાધુ છે, તેથી વિવિધ પ્રકારના વેશની પરિકલ્પના કરવામાં આવી છે. જીવનયાત્રાને નિભાવવી
સંબોધિ -૧૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org