SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વ-જીવ, અજીવ વગેરે પદાર્થ, મોક્ષ-જીવની પરમાત્મ અવસ્થા, ધર્મ-મોક્ષ સાધન વિષયક જે યથાર્થ પ્રતીતિ યથાર્થ શ્રદ્ધા છે, તેની પ્રાપ્તિ નિસર્ગ અને અધિગમ- બંને પ્રકારે થાય છે. (૧૯) ર૦. અનાસત્તિ: પર્યેષુ, વિરતિદિતા મયા | जागरूका भवेद् वृत्तिः, अप्रमादस्तथात्मनि ।। પદાર્થોમાં જે અનાસક્તિ હોય છે તેને મેં ‘વિરતિ’ કહી છે. આત્મોપલબ્ધિ પ્રત્યે જે જાગરૂક વૃત્તિ હોય છે, તેને હું “અપ્રમાદ” કહું છું. (૨૦) ર૧. મામપિ યોજાશું, ત્યારે વિજિરિતે.. રેશતઃ સર્વતાપિ, યથાવતમુરતા | અશુભ યોગનો ત્યાગ કરવો એ પણ વિરતિ કહેવાય છે. તે વિરતિ યથાશક્તિ-અંશતઃ કે પૂર્ણતઃ સ્વીકારવામાં આવે છે. (૨૧) २२. क्रोधो मानं तथा माया, लोभश्चेति कषायकः । एषाः निरोध आख्यातो- ऽकषायः शान्तिसाधनम् ।। ક્રોધ, માન, માયા અને લોભ- વગેરેને કષાય કહેવામાં આવે છે. તેના નિરોધને મેં “અકષાય' કહ્યો છે. તે શાંતિનું સાધન છે. (૨૨) २३. सर्वासाञ्च प्रवृत्तीनां, निरोधोऽयोग इष्यते । अयोगत्वं समापना, विमुक्तिं यान्ति योगिनः ।। તમામ પ્રકારની પ્રવૃત્તિઓના નિરોધને હું “અયોગ' કહું છું. અયોગ અવસ્થાને પામેલ યોગી મોક્ષ પામી જાય છે. (૨૩). ર૪. પૂર્વ પતિ સત્ત્વ, વિતિય તતઃ | __ अप्रमादोऽकषायश्चाऽयोगो मुक्तिस्ततो ध्रुवम् ।। પહેલાં સમ્યકત્વ થાય છે પછી વિરતિ થાય છે. ત્યારપછી ક્રમશઃ અપ્રમાદ, અકષાય અને અયોગ થાય છે. અયોગાવસ્થા પ્રાપ્ત થતાં જ આત્માની મુક્તિ થઈ જાય છે. (૨૪) સંબોધિ - ૧૩૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004934
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1999
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy