SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ બ સાદ્વાદ જ તો છે, કે કશું જ નવું નથી A બનતું અને કશું જ જૂનું નથી થતું. એક સમય એવો { આવે છે કે જ્યારે જૂનું નવું બની જાય છે અને એક સમય એવો આવે છે કે જ્યારે નવું બધું જૂનું બની જાય છે. આ ગ્રંથ ન તો નવો છે કે ન તો જૂનો છે. જૂનો એટલા માટે નથી કે તેની ભાષા અર્ધમાગધી { નથી, ભગવાનની ભાષા તેમાં નથી. નવો એટલા માટે નથી કે ભાવના અને તત્ત્વજ્ઞાન મારાં પોતાનાં નથી. ભગવાને જે કહ્યું તેનો જ અનુવાદ છે. પુષ્પોની સુરભિમાં માળીનું (માળા બનાવનારનું) [ પોતાનું શું હોય છે ? તેના માટે તો એટલું જ પર્યાપ્ત છે છે કે તે ફૂલોની પસંદગી કરે અને એક દોરામાં તેને ગૂંથી દે. સંતશ્રી તુલસીએ મને પ્રોત્સાહિત કર્યો અને હું એકાએક માળી બનવા માટે નીકળી પડ્યો. માળીનું કાર્ય સર્વથા મૌલિક નથી, તેમ સર્વથા - સહજ પણ નથી. યોજના નિર્માણ કરતાં ઓછી કઠિન નથી હોતી. ઉચિત સ્થાન અને સમયે યોજિત કરવાની દષ્ટિ સૂક્ષ્મ હોવી જોઈએ, પારદર્શક હોવી { જોઈએ. હું મારી દષ્ટિને સૂક્ષ્મ કે પારદર્શક માનું કે છે. ન માનું, એ બંનેય ગૌણ પ્રશ્નો છે. મુખ્ય વાત છે એટલી છે જે કે એક નિમિત્ત મળ્યું અને આ ગ્રંથનું પ્રણયન થઈ ગયું. અનેક લોકોએ કહ્યું- એક સ્વાધ્યાય ગ્રંથની 1 અપેક્ષા છે, જે ન તો બહુ મોટો હોય કે ન તો બહુ 1 નાનો હોય; જેમાં જીવનની વ્યાખ્યાહોય, જીવનનું ને દર્શન હોય. હું સ્વયં અનુભવતો હતો કે જૈન સંબોધિ . ૧૪ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004934
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1999
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy