SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ १६. देवा दिवि भवन्त्येते, धर्मं स्पृशन्ति ये जनाः । अगारिणोऽनगारा वा, संयमस्तत्र कारणम् ।। (યુ ) જે ગૃહસ્થ કે સાધુ ધર્મની આરાધના કરે છે, તેઓ સ્વર્ગમાં દીર્ધાયુ, ઋદ્ધિમાન, સમૃદ્ધ, ઇચ્છા અનુસાર રૂપ ધારણ કરનાર, હમણાં જ પેદા થયો હોય એવી કાંતિવાળો અને સૂર્ય જેવી દીપ્તિવાળો દેવ બને છે. તેનું કારણ સંયમ છે. (૧૫, ૧૬) ૨૭. સર્વથા સંવૃતો મિક્ષ, દયો તો ભવેત્ | कृत्स्नकर्मक्षयान्मुक्तो, देवो वापि महर्द्धिकः ।। જે ભિક્ષુ સર્વથા સંવૃત હોય છે- કર્મ-આગમનનાં કારણોનો નિરોધ કરી રહ્યો હોય છે, તે આ બંનેમાંથી કોઈ એક અવસ્થા પામે છે – તમામ કર્મોનો ક્ષય થઈ જાય તો તે મુક્ત થઈ જાય છે, અન્યથા સમૃદ્ધિશાળી દેવ બને છે. (૧૭) १८. यथा त्रयो हि वणिजो, मूलमादाय निर्गताः । एकोऽत्र लभते लाभं, एको मूलेन आगतः ।। ૨૬. हारयित्वा मूलमेकः, आगतस्तत्र वाणिजः । उपमा व्यवहारेऽसौ, एवं धर्मेऽपि बुध्यताम् ।। (યુમF) જેમકે ત્રણ વણિક મૂળ મૂડી લઈને વેપાર માટે નીકળ્યા. એક જણ લાભ કમાયો, બીજો મૂળ મૂડી લઈને પાછો આવ્યો અને ત્રીજો બધું જ ખોઈને પાછો આવ્યો. આ વેપાર-વિષયક ઉદાહરણ છે. એ જ રીતે ધર્મની બાબતમાં પણ સમજવું જોઈએ. (૧૮, ૧૯) ૨૦. મનુષ્યત્વે વેન્યૂi, નામ: વડવૃતં તથા | ___मूलच्छेदेन जीवाः स्युः, तिर्यञ्चो नारकास्तथा ।। માનવજન્મ મૂળ મૂડી છે. સ્વર્ગ કે મોક્ષની પ્રાપ્તિ એ લાભ છે. મૂળ મૂડી ખોઈ નાખવાથી જીવ નરક કે તીર્થંચગતિ પામે છે. (૨૦) સંબોધિ - ૧૦૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004934
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1999
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy