________________
આજ્ઞાવાદ
भगवान् प्राह છે. નાસા મામલે થર્ષ, માસીયાં માતઃ |
आज्ञामूढा न पश्यन्ति, तत्त्वं मिथ्याग्रहोद्धताः ।। ભગવાને કહ્યું, મારો ધર્મ આજ્ઞામાં છે, મારું તપ આજ્ઞામાં છે, જે મિથ્યાઆગ્રહથી ઉદ્ધત છે અને આજ્ઞાનો મર્મ સમજવામાં મૂઢ છે, તે તત્ત્વને જોઈ શકતો નથી. (૧)
૨. વીતળ યર્ ૪, ૩૫રિષ્ઠ સમર્થિતમૂ |
માજ્ઞા સી ટોચતે યુદ્ધ, માનામામસિદ્ધયે || વીતરાગે જે જોયું તેનો ઉપદેશ આપ્યો અને જેનું સમર્થન કર્યું તે આજ્ઞા છે- એવું તત્ત્વજ્ઞપુરુષોએ કહ્યું છે. આજ્ઞા ભવ્ય જીવોની આત્મસિદ્ધિનું કારણ છે. (૨)
રૂ. વ સત્યં નિઃશ૪, શ્નને પ્રવેવિતમૂ |
रागद्वेषविजेतृत्वाद्, नान्यथा वादिनो जिनाः ।। જે જિન-વીતરાગે કહ્યું, એ જ સત્ય અને અસંદિગ્ધ છે. વીતરાગે રાગ અને દ્વેષ ને જીતી લીધા હોવાથી તેઓ મિથ્યાવાદી નથી હોતા, અયથાર્થ નિરૂપણ તેઓ નથી કરતા. (૩)
૪. નાજ્ઞાાતિન્િમનાજ્ઞા તિસ્તથા
मा भूयात्ते क्वचिद् यस्माद्, आज्ञाहीनो विषीदति ।। હે યોગિન્ ! આજ્ઞામાં તારી અરતિ-અપ્રસન્નતા અને અનાજ્ઞામાં રતિ-પ્રસન્નતા ક્યારેય ન હોવી જોઈએ કારણ કે આજ્ઞાહીન સાધક અંતે વિષાદ પામે છે. (૪)
સંબોધિ , ૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org