________________
प्रश्नोत्तर एकत्रीसमो
११५ ભાષા-ખરતર શ્રાવક શ્રાવિકા પડિલેહણના ખમાસમણ દીધા વગર સામાયિકમાં મુહપતી-કટાસણુ! પડિલેહે, તે શું ? +
ગવાળાઓ ચૂણિને એક કથનને માને અને બીજા કથનને ન માને
એ યુક્તિયુક્ત નથી લાગતો. જે તેમને ચૂર્ણિમાન્યજ છે તે તેમાંની બધીએ સામાચારી કેમ નથી માનતા ?”
સુજ્ઞ વાચકે જોયું કે, પિતાને બચાવ કરવાને આ૦ શ્રીએ કેવી હુક્યારી કરી છે ? જ્યારે કે ચૂર્ણિકારને પોતે શિષ્ટ માને છે, ત્યારે એમની બધીએ સામાચારી માનવામાં શું વાંધે છે ? તે કાંઈ જતો નથી, છતાં ન માને, એ એમની મરજીની વાત છે, પરંતુ લખે છે કે ખરતરવાળાઓ ચૂર્ણિગત બધી સામાચારી કેમ નથી માનતા ?” તો આચાર્યશ્રીએ સ્પષ્ટ બતાવવું તે હતું કે “અમુક સામાચારી ચૂર્ણિની ખરતરવાળા નથી માનતા” જે એક પણ એવી સામાચારી કે જે ખરતરવાળા નથી માનતા, બતાવી હતી તે આચાર્ય શ્રીની સત્યતા માની શકાત. અસ્તુ!
+ તપા શ્રાવક શ્રાવિકાઓ સામાયિક, ને પસહ લેતાં ગુરૂને આદેશ લીધા વગર જ બેસણું ઉપર બેસી જાય છે, અને ત્યાર બાદ સામાયિક ઉચર્યા પછી બેસણુના આદેશ લે છે, આ તે કયા શાસ્ત્રની આજ્ઞા છે? તપા ઘણુઓના ઘરને આચાર છે, જે આદેશ લીધા પહેલાં જ બેસણા પર બેસી જવું ઠીક માને છે તે પછી સામાયિકના આદેશ લીધા પહેલાંજ સામાયિક કેમ નથી ઉચરતા? તેમ સજઝાય પણ
આદેશ લીધા પહેલાં જ કેમ નથી કરતા ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com