________________
४२३
प्रश्नोत्तरचत्वारिंशत् शतक
ઉદ્યોત કરનાર થયા એમ કહ્યું છે, એટલે ખરતર બિરૂદ મલ્યા પછી શ્રીઅભય દેવસૂરિ થયા” એમ તપાગચ્છના ગીતાર્થે કહ્યું છે. વલી તપાગચ્છીય ‘તપાગચ્છ મંત્રિ વસ્તુપાલાદિકથી પૂજિત છે જે કંઈ પણ રાજા કે રાણાએ તપ બિરૂદ આપેલ હતી તે મંત્રિ વસ્તુપાલાદિકથી પૂજિત લખવાનું કોઈ કારણ હતું.
એ સિવાય બીજી અનેકો પટ્ટાવલી આદિમાં ઉદયપુરના રાણાએ તપા બિરૂદ આપ્યાનું લખેલ છે, પણ અમુક રાણાએ આપ્યું એ નામનિર્દેશ તો કોઈ પણ પટ્ટાવલી યા ઐતિહાસિક ગ્રંથમાં લખેલ હોય એમ આજ દિવસ સુધી સાંભળવામાંય હેતું આવ્યું છતાં આજે જાહેર પિપરેમાં રાણુનું નામ સ્પષ્ટતયા જાહેર કરવામાં આવે છે તે ક્યા ઐતિહાસિક પ્રમાણના આધારે કરાય છે ? એ કરનારાઓ જાણે.
ત્રીજું એ પણ ઉલ્લેખ. જો કે હમણાં હાજર ન હોવાના અંગે તેને પાઠ ઉધ્ધત નથી કરી શકત, છતાં ભાષાની એક છાપેલ પુસ્તકની અંદર વાંચવામાં આવ્યું નિશ્ચિતતયા સ્મરણમાં છે, જેની અંદર કેદ' રાજા-રાણાએ નહીં, પણ અમુક રાણીએ તપ બિરૂદ આપ્યાનું ઉલ્લેખ હતો, એ સિવાય મહેસાણા શહેરના મોટા ઉપાશ્રયના ભંડારમાં એક તપા ગચ્છની પટ્ટાવલી ૧૪ પાનાની છે, જે સં૦ ૧૮૮૧ માં ચન્દ્રવિજયે લખેલી છે તેમાં ચેખું લખ્યું છે કે-“એણે આચાર્ય જાવજીવ આંબિલ તપ કર્યા, બારે વરસે વિહાર કરતાં માંડવગઢને વિષે રાણી દેખી “તપ” બિરૂદ દિધે. વિક્રમામ્ સંવત ૧૨ પંચાસી વરસે” તેમ બીજી એક પુસ્તકમાં એમ પણ વાંચેલ સ્મૃતિમાં છે. કે–રાણાએ મહાતપ કહીને બોલાવ્યા ત્યારે મંત્રિએ તેમાંથી બહા”શબ્દ કઢાવી નંખાશે. ને ફકત “તપ” ના નામથી જ બોલાવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com