Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ્રથમદાર
૧
૩
અપર્યાપ્તા. કહેવાય છે.
- ઉદેશ ક્રમ પ્રમાણે નિર્દેશ થાય છે એટલે જે ક્રમથી કહેવાની શરૂઆત કરી હોય તે ક્રમથી કહેવું જોઈએ એ ન્યાયે પ્રથમ ઉપરોક્ત જીવસ્થાનોમાં યોગોને કહેવા ઈચ્છતા આચાર્ય આ ગાથા કહે છે
विगलसन्निपज्जत्तएसु लब्भंति कायवइजोगा । सव्वे वि सन्निपज्जत्तएसु सेसेसु काओगो ॥६॥ विकलासंज्ञिपर्याप्तेषु लभ्येते कायवाग्योगौ ।
सर्वेऽपि संज्ञिपर्याप्तेषु शेषेषु काययोगः ॥६॥ અર્થ_વિકલેન્દ્રિય અને અસંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્તામાં કાયયોગ અને વચનયોગ એ બે યોગ હોય છે. સંજ્ઞીપર્યાપ્તામાં સઘળા યોગો હોય છે અને શેષ જીવસ્થાનોમાં કાયયોગ જ હોય છે.
ટીકાનપદનો એક દેશ હોવાથી આખું પદ લેવું જોઈએ—એ ન્યાયે ગાથામાં કહેલ વિકલ શબ્દથી વિકલેન્દ્રિય એ આખું પદ લેવું, અને આ પ્રમાણે અન્યત્ર પણ યથાયોગ્ય રીતે સમજવું. પર્યાપ્તા વિકસેન્દ્રિય-પર્યાપ્તા બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પર્યાપ્તા અસંજ્ઞીપંચેન્દ્રિય જીવોમાં કાયયોગ અને વચનયોગ એમ બે યોગ હોય છે. તેમાં કાયયોગ ઔદારિક શરીરરૂપ, અને ‘વિકસેન્દ્રિયોમાં અસત્યઅમૃષારૂપ જ વચનયોગ હોય છે' એ શાસ્ત્રવચનને અનુસરી અસત્યઅમૃષારૂપ વચનયોગ હોય છે. પર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિયમાં મન, વચન અને કાયાના સઘળા યોગો હોય છે એટલે કે પંદર યોગો હોય છે. તેમાં કાર્પણ અને ઔદારિકમિશ્રકાયયોગ કેવલસમુદ્દઘાતાવસ્થામાં હોય છે. કહ્યું છે કે “આઠ સમયનો કેવલી મુઘાત કરતાં ઔદારિકમિશ્રકાયયોગ બીજે છ અને સાતમે સમયે હોય છે.' આહારક અને આહારક-મિશ્રકાયયોગ
૧. ઉપર જેમ અપર્યાપ્તાના બે ભેદ કહ્યા તેમ પર્યાપ્તાના પણ લબ્ધિ અને કરણ એમ બે પ્રકાર છે. લબ્ધિપર્યાપ્તા. તેને કહેવાય કે જેઓએ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી હોય અગર અવશ્ય કરવાના હોય અર્થાત્ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરીને જ મરવાના હોય એવી લબ્ધિ = શક્તિવાળા જીવો. કરણપર્યાપ્તા તેને કહેવાય કે જેઓએ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી કરી લીધી છે. અહીં કરણઅપર્યાપ્તા અને લબ્ધિપર્યાપ્તાનો અર્થ લગભગ સરખો જણાય છે તેથી ઘણા શંકામાં પડે છે. તે સંબંધમાં એ સમજવાનું કે કર્મના બે પ્રકાર છે : ૧, પર્યાપ્તનામકર્મ. ૨. અપર્યાપ્ત નામકર્મ. જે કર્મના ઉદયથી સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ થાય તે પર્યાપ્ત નામકર્મ. જે કર્મના ઉદયથી સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન જ થાય તે અપર્યાપ્ત નામકર્મ. લબ્ધિ એટલે શક્તિ વડે કરીને પર્યાપ્તા તે લબ્ધિપર્યાપ્તા, તે પર્યાપ્તનામકર્મના ઉદયવાળા આત્માઓ. અને શક્તિ વડે અપર્યાપ્તા તે લબ્ધિઅપર્યાપ્તા, તે અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા આત્માઓ. તાત્પર્ય એ કે પર્યાપ્ત અને અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા આત્માઓ જ ક્રમે લબ્ધિપર્યાપ્તા અને લબ્ધિઅપર્યાપ્તા કહેવાય છે. અને કરણઅપર્યાપ્તા તથા કરણપર્યાપ્તા તો પર્યાપ્ત-નામકર્મનો ઉદય થયા બાદ આત્માની અમુક અવસ્થાને ઓળખવા માટે જ શાસ્ત્રકારે રાખેલાં નામ માત્ર છે. જેમકે લબ્ધિપર્યાપ્તા-પર્યાપ્ત નામકર્મવાળા આત્માઓ જ્યાં સુધી સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધીની તેઓની અવસ્થાને કરણઅપર્યાપ્તાવસ્થા કહેવી અને સ્વયોગ્યપર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પછીની અવસ્થાને કરણપર્યાપ્તાવસ્થા કહેવી. આ રીતે લબ્ધિપર્યાપ્ત અને લબ્ધિઅપર્યાપ્ત જ્યારે કર્મરૂપ છે ત્યારે કરણઅપર્યાપ્ત અને કરણપર્યાપ્ત કર્મરૂપ નથી એ સ્પષ્ટ ભેદ છે.