________________
[ ૬૪ ]
શ્રી કરવિજયજી ઉત્તર–૧ કાળલબ્ધિ તે આયુવર્જિત શેષ સાત કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને ઘટાડી એક કડાછેડી સાગરોપમ પ્રમાણ કરે એવા યથાપ્રવૃત્તિકરણપૂર્વક ચરમાવતે જીવ આવે ત્યારે કાળલબ્ધિ પાકી કહેવાય, ૨ ઈદ્રિયલબ્ધિ-સંજ્ઞીપચંદ્રિયપણું પ્રાપ્ત થાય, ૩ ઉપદેશલબ્ધિ -સદગુર્નાદિકના ચેગથી ઉપદેશ પામી પ્રતિબંધ પામે, ૪ ઉપશમલબ્ધિ-નિર્મળ પરિણામની ધારાએ ચઢતે વિષયકષાયને ઉપશમાવી, અપૂર્વકરણ કરણ કરી, ગ્રંથિભેદ કરે, ૫ પ્રગલબ્ધિ-રાગદ્વેષમય નિબિડ ગ્રંથિને ભેદ્યા પછી અંતકરણ કરી અનિવૃત્તિકરણવડે સમકિત પામે.
પ્રશ્રન ૭૫–ઉત્સર્ગ અને અપવાદ માર્ગ પરમાર્થ ભવભીરુ અને આત્માથી ભવભીરુ જીવને એક જ મેક્ષ સાધવા માટે છે તે શી રીતે?
ઉત્તર–ઉત્સર્ગ માર્ગ ઘણે આકરે, સુસમર્થ જ્ઞાન વૈરાગ્યબળે જિનકલ્પીની પેઠે પાળી શકાય તેવો ઘોર તપસ્યા સાથે યુદ્ધ બ્રહ્મચર્યાદિક ધર્મસ્થિતિ સેવવારૂપ જાણો. તેમાં સર્વથા ટકી ન શકાય ત્યારે તેમાં પાછા સ્થિર થવા માટે જે કંઈ કમળ-નરમ માર્ગને સરલપણે અવલંબન કરવું તે અપવાદમાર્ગ જાણો.
પ્રન ૭૬–પાંચ નેધર્મિયા–અધમ જીવ કહ્યા છે તે ક્યા?
ઉત્તર–૧ જ્ઞાનકુળથી વંઠેલા ( ભ્રષ્ટ ) જીવ, ૨ દેવાદિક ધર્મ ખાતાને નિ:શુક મને હરામ દાનતથી પગાર ખાનારા તથા દેવદ્રવ્ય ને ગુરુદ્રવ્ય ખાનારા, ૩ વિષયલોલુપ્ત, ૪ વ્યભિચારવડે સાધ્વીના પેટે અવતરેલ પુત્ર તથા ૫ દેવગુરુધર્માદિકના નિંદક, ઘાતક ને ઉત્થાપક–એ પાંચે વીતરાગભાષિત ધર્મથી વિમુખ-ઉપરાંઠા રહે.