________________
૭ર .
શ્રાદ્ધવિધિ પ્રકરણ
વચ્છ દેશના અધિપતિની બહેન જયંતી શ્રાવિકાને શ્રી વર્ધમાનસ્વામીએ કહ્યું કે, "ધર્મવંત પ્રાણીઓનું જાગવું અને પાપી પ્રાણીઓનું ઊંઘવું કલ્યાણકારી હોય છે." | નિદ્રામાંથી જાગતાં જ તપાસવું કે, કયા તત્ત્વના ચાલતાં નિદ્રાવિચ્છેદ થાય છે? કહ્યું છે કે -
अम्भोभूतत्त्वयोर्निद्रा-विच्छेदः शुभहेतवे ||
व्योमवाय्वग्नितत्त्वेषु स पुनर्दुःखदायकः ||१|| જળ અને પૃથ્વીતત્ત્વમાં નિદ્રા-વિચ્છેદક થાય તો સારું, અને આકાશ, વાયુને અગ્નિતત્ત્વમાં નિદ્રાવિચ્છેદ થાય તો દુઃખદાયી જાણવું.
ચન્દ્ર-સૂર્ય નાડી वामा शस्तोदये सिते पक्षे कृष्णे तु दक्षिणा ।।
त्रीणि त्रीणि दिनानींदुसूर्ययोरुदयः शुभः ||२|| શુક્લપક્ષમાં પડવેથી ત્રણ દિન પ્રાતઃકાળે સૂર્યોદય વખતે ચંદ્રનાડી સારી અને કૃષ્ણપક્ષમાં પડવેથી ત્રણ દિન સૂર્યોદય વખતે સૂર્યનાડી સારી જાણવી.
शुक्लप्रतिपदो वायुश्चन्द्रेऽथार्के त्र्यहं त्र्यहम् ।।
वहन शस्तोऽनया वृत्त्या विपर्यासे तु दुःखदः ||३|| પડવેથી ત્રણ ત્રણ દિવસ શુક્લ પક્ષે સૂર્યોદયે ચંદ્રનાડી વહે અને કૃષ્ણપક્ષે સૂર્યનાડી વહે, તે વખતે જો વાયુતત્ત્વ હોય તો તે દિવસ શુભકારી જાણવા અને તેથી વિપરીત હોય તો દુઃખદાયી સમજવા.
शशांकेनोदयो वाय्वोः, सूर्येणास्त शुभावहम् ॥
उदये रविणा त्वस्य, शशिनास्तं शुभावहम् ||४|| વાયુ-તત્ત્વમાં ચંદ્રનાડી વહે ને સૂર્યોદય થાય અને સૂર્યનાડી વહે ને સૂર્યાસ્ત થાય તેમજ સૂર્યનાડી વહે ને સૂર્યોદય થાય અને ચંદ્રનાડી વહે ને સૂર્યાસ્ત થાય તો સુખકારી સમજવું.
કેટલાક શાસ્ત્રકારોએ તો વારનો પણ અનુક્રમ બાંધેલો છે. તે આવી રીતે = રવિ, મંગળ, ગુરુ અને શનિ એ ચાર સૂર્યનાડીના વાર અને સોમ, બુધ અને શુક્ર એ ત્રણ ચંદ્રનાડીના વાર સમજવા. - કેટલાક શાસ્ત્રકારોએ સંક્રાંતિનો પણ અનુક્રમ બાંધેલો છે. મેષ સંક્રાંતિ સૂર્યનાડીની અને વૃષભ સંક્રાંતિ ચંદ્રનાડીની, એમ અનુક્રમથી બાર સંક્રાંતિ સાથે સૂર્ય અને ચંદ્રનાડીની ગણના કરવી.
सार्द्धघटीद्वयं, नाडिरेकैकार्कोदयाद् वहेत् ।।
સરપદડીયાન્તિન્યાયો નાટયોઃ પુનઃ પુનઃ III સૂર્યોદય વખતે જે નાડી વહેતી હોય તે અઢી ઘડી પછી બદલાઈ જાય છે. ચંદ્રથી સૂર્ય અને સૂર્યથી