________________
રત્નશેખરસૂરિએ કરી.
अत्र गुणसत्रविज्ञावतंसजिनहंसगणिवरप्रमुखैः । शोधनलिखनादिविधौ व्यधायि सान्निध्यमुद्युक्तैः ||१३||
શ્રાદ્ધવિધિ પ્રકરણ
અહીંયાં ગુણરૂપી દાનશાળાના જાણકારોમાં મુકુટ સમાન ઉદ્યમવંત શ્રી જિનહંસગણિ પ્રમુખોએ લખવા, શોધન કરવા વિગેરે કાર્યોમાં સાન્નિધ્ય સહાય કરી છે.
विधिवैविध्याच्छ्रुतगतनैयत्यादर्शनाच्च यत्किचिंत् । अत्रोत्सूत्रमसूत्र्यत तन्मिथ्यादुष्कृतं मेऽस्तु ||१४||
વિધિનું વિવિધપણું દેખવાથી અને સિદ્ધાંતોમાં રહેલા નિયમો ન દેખવાથી આ શાસ્ત્રમાં જો કંઈ ઉત્સૂત્ર લખાયું હોય તો તે મારાં પાપ મિથ્યાં થાઓ.
विधिकौमुदीनाम्न्यां वृत्तावस्यां विलोकितैर्वर्णैः ।
श्लोकाः सहस्रषटकं सप्तशती चैकषष्ट्यधिकाः ||१५||
એ પ્રકારે આ વિધિકૌમુદી નામની વૃત્તિમાં રહેલા પ્રત્યેક અક્ષકરના ગણવાથી છ હજાર સાતસેં અને એકસઠ શ્લોક છે.
श्राद्धहितार्थं विहिता श्राद्धविधिप्रकरणस्य सूत्रयुता ।
वृत्तिरियं चिरसमयं जयताज्जयदायिनी कृतिनाम् ||१६||
શ્રાવકોના હિતને માટે શ્રાદ્ધવિધિ પ્રકરણની 'શ્રાદ્ધવિધિ કૌમુદી' નામની આ ટીકા રચી છે, તે ઘણા કાળ સુધી પંડિતોને જયની આપનારી થઈ જયવંતી વર્તો.
શ્રી રત્નશેખરસૂરિવિરચિત શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણ સટીકનો ગુજરાતી અનુવાદ સમાપ્ત.