________________
ગ્રંથકારની પ્રશસ્તિ
યતિજિતકલ્પવૃત્તિ વિગેરે ગ્રંથોના રચનાર પાંચમા શિષ્ય શ્રી સાધુરત્નસૂરિ એવા થયા કે જેઓએ હસ્તાવલંબન દઈને સંસારરૂપ કૂપથી બુડતા મારા જેવા શિષ્યોનો ઉદ્ધાર કર્યો.
श्रीदेवसुन्दरगुरोः पट्टे श्रीसोमसुन्दरगणेन्द्राः ।
युगवरपदवी प्राप्तास्तेषां शिष्याश्च पंचैते ||७||
પૂર્વોક્ત પાંચ શિષ્યોના ગુરુ શ્રી દેવસુંદરસૂરિના માટે યુગવર પદવીને પ્રાપ્ત થયેલા શ્રી સોમસુંદરસૂરિ થયા. અને તેઓને પણ પાંચ શિષ્યો થયા હતા.
मारीत्यवमनिराकृतिसहस्रनामस्मृतिप्रभृतिकृत्यैः ।
श्रीमुनिसुन्दरगुरवश्चिरन्तनाचार्यमहिमभृतः ||८||
પૂર્વાચાર્યના મહિમાને ધારણ કરનારા, સંતિકરં સ્ત્રોત્ર રચીને મરકીના રોગને દૂર કરનારા, સહસ્ત્રાવધાન વિગેરે કાર્યોથી ઓળખાતા, એવા શ્રી મુનિસુંદરસૂરિ પ્રથમ શિષ્ય હતા. श्रीजयचन्द्रगणेन्द्राः निस्तन्द्राः संघगच्छकार्येषु ।
૩૯૯
श्रीभुवनसुन्दरवराः दूरविहारैर्गणोपकृतः ||९||
સંઘનાં અને ગચ્છનાં કાર્યો કરવાને અપ્રમાદી બીજા શિષ્ય શ્રી જયચંદ્રસૂરિ થયા, અને દૂર દેશાવરોમાં વિહાર કરીને પણ પોતાના ગચ્છને પરમ ઉપકાર કરનારા ત્રીજા શિષ્ય શ્રી ભુવનસુંદરસૂરિ થયા. विषममहाविद्यातद्विडम्बनाब्धौ तरीव वृत्तिर्यैः ।
विदधे यत् ज्ञाननिधिं मदादिशिष्या उपाजीवन् ||१०||
જે ભુવનસુંદરસૂરિ ગુરુએ વિષમ મહાવિદ્યાઓની વિટંબનારૂપ સમુદ્રમાં પ્રવેશ કરાવનારી નાવડીની જેમ વિષમપદની ટીકા કરી છે. એવા જ્ઞાનનિધાન ગુરુને પામીને મારા જેવા શિષ્યો પણ પોતાનું જીવિત સફળ કરે છે.
एकाङ्गा अप्पेकादशाङ्गिनश्च जिनसुन्दराचार्याः ।
निर्ग्रन्था ग्रन्थकृतः श्रीमज्जिनकीर्तिगुरवश्च ||११||
તપશ્ચર્યા કરવાથી એકાંગી (એકવડીયા શરીરવાળા) છે છતાં પણ અગીયાર અંગના પાઠી ચોથા શિષ્ય શ્રી જિનસુંદરસૂરિ થયા; અને નિગ્રંથપણાને ધારણ કરનારા, ગ્રંથોની રચના કરનારા પાંચમા શિષ્ય શ્રી જિનકીર્તિસૂરિ થયા.
एषां श्रीसुगरूणां प्रसादतः षट्खतिथिमिते वर्षे ।
श्राद्धविधिसूत्रवृत्तिं व्यधत्त श्री - रत्नशेखरः सूरिः ||१२||
પૂર્વોક્ત પાંચ ગુરુઓનો પ્રમાદ પામીને સંવત ૧૫૦૬ના વર્ષે આ શ્રાદ્ધવિધિ સૂત્રની વૃત્તિ શ્રી