________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
બોલવાં, એનું કારણ એ છે કે, કોણ એવો મૂર્ખ છે કે, જે સ્ત્રી ઉપર ક્રોધ વગેરે આવ્યાથી બીજી સ્ત્રી પરણવાના સંકટમાં પડે ! કેમકે બે સ્ત્રીના વશમાં પડેલો પુરુષ ઘરમાંથી ભૂખ્યો બહાર જાય, ઘરમાં પાણીનો છાંટો પણ ન પામે અને પગ ધોયા વિના જ સુઈ રહે. પુરુષ કારાગૃહમાં નંખાય, દેશાંતરમાં ભટકતો રહે, અથવા નરકાવાસ ભોગવે તે કાંઈક ઠીક, પણ તેણે બે સ્ત્રીઓનો ભર્તાર થવું, એ ઠીક નથી.
૨૫૦
કદાચ કોઈ યોગ્ય કારણથી પુરુષને બે સ્ત્રીઓ પરણવી પડે, તો તે બન્નેને વિષે તથા બન્નેના પુત્રાદિકને વિષે સમદષ્ટિ વગેરે રાખવી; પરંતુ બેમાંથી કોઈનો વારો ખંડિત ન કરવો, કારણ કે શોકયનો વારો તોડાવીને પોતાના પતિની સાથે કામસંભોગ કરનાર સ્ત્રીને ચોથા વ્રતનો બીજો અતિચાર લાગે છે-એમ કહ્યું છે. ઘણી ક્રોધે ભરાણી હોય તો તેને સમજાવવાનું કારણ એ છે કે, તેમ ન કરે તો તે કદાચ સોમભદ્રની સ્ત્રીની જેમ સહસાત્કારથી કૂવામાં પડે, અથવા બીજું એવું જ કાંઈ અકૃત્ય કરે, માટે સ્ત્રીઓની સાથે હંમેશાં નરમાશથી વર્તવું. કોઈ કાળે પણ કઠોરપણું ન બતાવવું, કેમકે પાંવાહ : સ્ત્રીપુ માર્વવત્ પાંચલ ઋષિ કહે છે કે, સ્ત્રીઓને વિષે નરમાશ રાખવી, નરમાશથી જ સ્ત્રીઓ વશ થાય છે, અને તે રીતે જ તેમનાથી સર્વત્ર સર્વ કામ સિદ્ધ થયેલાં દેખાય છે. અને નરમાશ ન હોય તો કાર્યસિદ્ધિને બદલે કાર્યમાં બગાડ થયેલો પણ અનુભવવામાં આવે છે.
નગુણી સ્ત્રી હોય તો બહુ જ નરમાશથી કામ લેવાની કાળજી રાખવી જોઈએ. દેહમાં જીવ છે ત્યાં સુધી મજબૂત બેડી સરખી વળગેલી તે નગુણી સ્ત્રીથી જ કોઈપણ રીતે પોતાનું ગૃહસૂત્ર ચલાવવું. અને સર્વ પ્રકારનો નિર્વાહ કરી લેવો. કારણ કે "ગૃહિણી તે ઘર.” એવું શાસ્ત્રનું વચન છે. "ધનના લાભની અથવા નુકશાનની વાત ન કરવી.” એમ કહેવાનું કારણ એ છે કે, પુરુષ ધનનો લાભ સ્ત્રી આગળ કરે તો તે તુચ્છપણાથી જ્યાં ત્યાં તે વાત કરે અને ભર્તારની ઘણા કાળથી મેળવેલી મોટાઈ ગુમાવે.
ઘરમાંની છાની વાતો તેની આગળ નહીં કહેવાનું કારણ એ છે કે, સ્ત્રી સ્વભાવથી જ કોમળ હૃદયની હોવાથી તેના મુખમાં છાની વાત ટકે નહીં. તે પોતાની બહેનપણીઓ વગેરેની આગળ તે વાત જાહેર કરી, અને તેથી આગળથી ધારેલાં કાર્યો નિષ્ફળ કરી નાંખે. કદાચ કોઈ છાની વાત મુખે જાહેર થવાથી રાજદ્રોહનો વાંક પણ ઉભો થાય, માટે જ ઘરમાં સ્ત્રીનું મુખ્ય ચલણ ન રાખવું. કહ્યું છે કે સ્ત્રી પુવ પ્રમવતિ યાર્ તદ્ધિ પેર્દ વિનષ્ટન્” સ્ત્રી, પુરુષ જેવી પ્રબળ થાય તો તે ઘર ધૂળ બરાબર મળી ગયું એમ સમજવું. આ વિષય ઉપર નીચે લખેલી એક કથા છે.
મંથર કોળીનું દૃષ્ટાંત
કોઈ નગ૨માં મંથર નામનો એક કોળી હતો. તે વણવાનો દાંડો વગેરે કરવાને અર્થે લાકડાં લેવા જંગલમાં ગયો. ત્યાં એક સીસમના ઝાડને કાપતાં તેના અધિષ્ઠાયક વ્યંતરે ના પાડી, તો પણ તે સાહસથી તોડવા લાગ્યો. ત્યારે વ્યંતરે કોળીને કહ્યું "વર માગ" તે કોળીના ઘરમાં તેની સ્ત્રીનું જોર હોવાથી તે સ્ત્રીને પૂછવા ગયો. માર્ગમાં તેને એક (ઘાંયજો) દોસ્ત મળ્યો, તેણે કંહ્યું, "તું રાજ્ય માગ." તો પણ તેણે સ્ત્રીને પૂછયું સ્ત્રી તુચ્છ સ્વભાવની હતી, તેથી એક વચન તેની યાદમાં આવ્યું કે -
–