________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૮૯ પછી કુમારે નિશાન કર્યા વિના ચારે તરફ બાણની વૃષ્ટિ શરૂ કરી. ઠીક જ છે, સંકટનો વખત આવે ધીર પુરુષો અધિક પરાક્રમ પ્રગટ કરે છે. કુમારને ભયંકર સંકટમાં સપડાયેલો જોઈને ચંદ્રચૂડ દેવતા હાથમાં મોટો મુદુગર લઈ વિદ્યાધર રાજાને પ્રહાર કરવા ઊઠયો. હાથમાં ગદા ધારણ કરનાર ભીમસેનની માફક ભયંકર સ્વરૂપ ધારણ કરીને આવતા ચંદ્રચૂડને જોઈ દુઃશાસન સરખો વિદ્યાધર રાજા શી ક્ષોભ પામ્યો. તથાપિ ઘણું બૈર્ય પકડી પોતાના સર્વ રૂપથી, સર્વ ભુજાઓથી, સર્વ શક્તિથી અને બધી તરફથી દેવતાને પ્રહાર કરવા લાગ્યો. દેવતાની શક્તિ અચિંત્ય અને કુમારનું ભાગ્ય અદ્ભુત હોવાથી ચંદ્રચૂડ ઉપર થયેલા શત્રુના સર્વે પ્રહાર, કૃતઘ્ન માણસ ઉપર કરેલા ઉપકારની માફક નિષ્ફળ ગયા.
જેમ ઈન્દ્રવજૂવડે પર્વતને તોડી પાડે, તેમ ક્રોધથી દુર્ધર થયેલા ચંદ્રચૂડે મુદ્ગરવડે વિદ્યાધર રાજાના મુખ્ય સ્વરૂપ ઉપર પ્રહાર કર્યો. ચંદ્રચૂડે પોતાની સર્વ શક્તિથી વિદ્યાધર રાજા ઉપર પ્રહાર કર્યો, ત્યારે કાયર માણસના પ્રાણ નીકળી જાય એવો ભયંકર અવાજ થયો. વિદ્યાબળથી અહંકારી થયેલા, રૈલોકયને જીતવાની સત્તા રાખનારા એવા વાસુદેવ જેવા વિદ્યાધર રાજાનું વજ સરખું મજબૂત માથું તે પ્રહારથી છેડાયું નહિ. તથાપિ તેની બહુરૂપ ધારણ કરનારી મહાવિદ્યા ભય પામીને જ કે શું! કાગડાની જેમ શીધ્ર નાસી ગઈ. દેવતાની સહાય આશ્ચર્યકારી હોય એમાં શક નથી.
"આ કુમાર સ્વભાવથી જ શત્રુઓને રાક્ષસ સરખો ભયંકર લાગતો હતો. અને તેમાં અગ્નિને સહાયકારી જેમ વાયુ મળે, તેમ તેને જેનો પરાભવ ન કરાય એવો દેવતા સહાયકારી મળ્યો.” એમ વિચારી બીકણની માફક વિદ્યાધર રાજા નાસી ગયો. કહ્યું છે કે – જે ભાગે તે જીવે. પાયદળનો સ્વામી તે વિદ્યાધળ રાજા જાણે પોતાની ભાગી ગયેલી ઈષ્ટ વિદ્યાને જોવાને અર્થે તેની પાછળ શીઘ વેગથી દોડતો ગયો.
સંનિયોગ શિષ્ટ (પરસ્પર સંયોગથી બની ગયેલાં) બે કાર્યોમાં જેમ એકનો નાશ થવાથી બીજાનો પણ નાશ થાય છે, તેમ વિદ્યાનો લોપ થતાં જ વિદ્યાધર રાજાનો પણ લોપ થયો. સુકુમાર કુમાર કયાં? અને કઠોર વિદ્યાધર ક્યાં? તથાપિ કુમારે વિદ્યાધરને જીત્યો. એનું કારણ કે, જ્યાં ધર્મ હોય, ત્યાં જય છે. વિદ્યાધર રાજાના સેવક જે વિદ્યાધરો હતા, તે પણ તેની સાથે જ નાસી ગયા ! ઠીક જ છે, દીવો બુઝાઈ ગયા પછી તેનો પ્રકાશ પાછળ શું રહે? જેમ રાજા સેવકની સાથે મહેલમાં આવે, તેમ કુમાર દુર્જય શત્રુને જીતવાથી ઉત્કર્ષ પામેલા દેવતાની સાથે મહેલમાં આવ્યો.
અતિશય ચમત્કાર ઉત્પન્ન કરનારૂં કુમારનું એવું ચરિત્ર જોઈને તિલકમંજરી હર્ષથી વિકસ્વર થયેલી રોમરાજીને ધારણ કરતી છતી મનમાં વિચાર કરવા લાગી કે, "ત્રણે લોકમાં શ્રેષ્ઠ એવો એ તરૂણકુમાર પુરુષમાં એક રત્ન છે, માટે ભાગ્યથી જો મારી બહેન હમણાં મળે તો આવા ભથરનો લાભ થાય." એમ વિચારી મનમાં ઉત્સુકતા, લજ્જા અને ચિંતા ધારણ કરનારી તિલકમંજરી પાસેથી કુમારે બાળકની માફક હંસીને ઉપાડી લીધી, અને તેથી હંસી કહે છે કે :
"ધીર પુરુષોમાં અગ્રેસર, કાર્યભાર ચલાવવા સમર્થ, વીર પુરુષોની ગણતરીમાં મુખ્ય એવા હે કુમારરાજ ! તું ચિરકાળ જીવતો અને જવંતો રહે. હે ક્ષમાશીલ કુમાર ! દીન, રાંક, અતિશય બીકણ