Book Title: Shraddh Vidhi Prakaran
Author(s): Somsundarsuri
Publisher: Shantichandrasuri Jain Gyamandir

View full book text
Previous | Next

Page 361
________________ ૩૪૦ શ્રાદ્ધવિધિ પ્રકરણ બ્રાહ્મણ હંમેશાં બ્રહ્મચારી કહેવાય છે. માટે પર્વ આવે તે વખતે પોતાની સર્વ શક્તિ વડે ધર્માચરણને માટે યત્ન કરવો. અવસરે થોડું પણ પાન-ભોજન કરવાથી જેમ વિશેષ ગુણ થાય છે, તેમ અવસરે થોડું પણ ધર્માનુષ્ઠાન કરવાથી ઘણું ફળ મળે છે. વૈદ્યકશાસ્ત્રમાં કહ્યું છે કે – શરદઋતુમાં જે કાંઈ જળ પીધું હોય, પોષ માસમાં તથા મહા માસમાં જે કાંઈ ભક્ષણ કર્યું હોય અને જ્યેષ્ઠ માસમાં તથા અષાઢ માસમાં જે કાંઈ ઉંઘ લીધી હોય, તે ઉપર માણસો જીવે છે. વર્ષાઋતુમાં મીઠું, શરદઋતુમાં પાણી, હેમંત (માગશર-પોષ), ઋતુમાં ગાયનું દૂધ, શિશિર (મહા તથા ફાગણ) ઋતુમાં આમળાનો રસ, વસંત (ચત્ર તથા વૈશાખ) ઋતુમાં ઘી અને ગ્રીખ (જ્યેષ્ઠ તથા અષાઢ) ઋતુમાં ગોળ અમૃત સમાન છે. પર્વનો મહિમા એવો છે કે-તેથી પ્રાયે અધર્મીને ધર્મ કરવાની, નિર્દયને દયા કરવાની, અવિરતિ લોકોને વિરતિ અંગીકાર કરવાની, કૃપણ લોકોને ધન વાપરવાની, કુશીલ પુરુષોને શીળ પાળવાની અને કોઈ કાળે તપસ્યા ન કરનારને પણ તપસ્યા કરવાની બુદ્ધિ થાય છે. આ વાત હાલમાં સર્વે દર્શનોને વિષે દેખાય છે. કેમકે-જે પર્વોના પ્રભાવથી નિર્દય અને અધર્મી પુરુષોને પણ ધર્મ કરવાની બુદ્ધિ થાય છે, એવા સંવત્સરી અને ચોમાસી પર્વો જેણે યથાવિધિ આરાધ્યા, તે પુરુષ જયવંત રહો માટે પર્વને વિષે પૌષધ વગેરે ધર્માનુષ્ઠાન જરૂર કરવું. તેમાં પૌષધના ચાર પ્રકાર વગેરે અર્થદીપિકામાં કહ્યા છે. તેને વિસ્તારના લીધે અત્રે કહ્યા નથી. પૌષધવ્રતના ભેદો અને તેની વિધિ ૧. અહોરાત્રિ પૌષધ, ૨. દિવસ પૌષધ અને ૩. રાત્રિ પૌષધ એવા ત્રણ પ્રકારના પૌષધ છે, તેમાં અહોરાત્રિ પૌષધનો એ વિધિ છે કે -શ્રાવકે જે દિવસે પૌષધ લેવો હોય તે દિવસે સર્વે ગૃહ-વ્યાપાર તજવા અને પૌષધના સર્વે ઉપકરણ લઈ પૌષધશાળાએ અથવા સાધુની પાસે જવું. પછી અંગનું પડિલેહણ કરીને વડીનીતિની તથા લઘુનીતિની ભૂમિ પડિલેહવી. તે પછી ગુરુની પાસે અથવા નવકાર ગણી સ્થાપનાચાર્યની સ્થાપના કરી ઈરિયાવહી પડિક્કમે પછી એક ખમાસમણે વંદના કરી પૌષધ મુહપત્તિ પડિલેહે. ' પાછું એક ખમાસમણ દઈ ઊભો રહીને કહે કે, રૂછાવારે સંસદ માવના પોસહં સંવેસાવેમિ ફરી વાર એક ખમાસમણ દઈ કહે કે, પોસહં તામિ એમ કહી નવકાર ગણી ઈચ્છકારી ભગવત્ પસાય કરી પોસહ દંડક ઉચ્ચરાવોજી કહી આ મુજબ પૌષધ પાઠ ગુરુ પાસે ઉચ્ચરાવે. કૃમિ ભંતે ! પોસë आहार पोसहं सव्वओ देसओ वा, सरीरसक्कारपोसहं सव्वओ, बंभचेरपोसहं सव्वओ, अब्वावारपोसहं सव्वओ चउविहे पोसहे ठामि जाव अहोरत्तं, पज्जुवासामि, दुविहं तिविहेणं मणेणं वायाए काएणं, न fમ ન રમિ તરૂ મંતે પશ્ચિમાનિ નિંદ્રાઉન રિફાઈન, ગપ્પાપ વોસિરામિ (એવી રીતે ગુરુ ન હોય તો પોતે ઉચ્ચરી) મુહપત્તિ પડિલેહી બે ખમાસમણાં દઈ સામાયિક કરે, ફરી બે ખમાસમણાં દઈ જો ચોમાસુ હોય તો કાષ્ઠાસનનો અને બાકીના આઠ માસ હોય તો પઉછણગનો વેસળ સંવિસાવે એમ કહી આદેશ માગવો તે પછી ખમાસમણ દઈ સક્ઝાય કરે પછી પડિક્રમણ કરી બે ખમાસમણ દઈ વહુવેરું સંદ્રિસામિ એમ કહે, તે પછી એક ખમાસમણ દઈ પડિ રેનિ એમ કહે તથા મુહપત્તિ, પુંછણું અને પહેરવાનું વસ્ત્ર પડિલેહે. શ્રાવિકા હોય તો મુહપત્તિ, પુંછણું, ઓઢેલું , કાંચળી અને ચણિયો પડિલેહે.

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422