________________
પંચમ પ્રકાશ વર્ષ કૃત્ય
૩૬૯
અતિશય તીવ્ર પરિણામથી કરેલા મોટા તથા નિકાચિત થયેલા પણ બાળહત્યા, સ્ત્રીહત્યા, યતિહત્યા, દેવ, જ્ઞાન વગેરેના દ્રવ્યનું ભક્ષણ. રાજાની સ્ત્રી સાથે ગમન વગેરેના મહાપાપની સમ્યફ પ્રકારે આલોયણા કરી ગુરુએ આપેલું પ્રાયશ્ચિત્ત યથાવિધિ કરે તો તે જીવ તે જ ભવમાં શુદ્ધ થાય. એમ ન હોત તો દઢપ્રહારી વગેરેને તે જ ભવે મુક્તિ શી રીતે થાય? માટે આલોયણા દરેક ચોમાસે અથવા દરવર્ષે જરૂર લેવી. આ રીતે વર્ષકૃત્ય ગાથાના ઉત્તરાર્ધનો અર્થ કહ્યો છે.
તપાગચ્છીય શ્રીરત્નશેખર રિવિરચિત "શ્રાદ્ધવિવિપ્રકરણની “શ્રાદ્ધવિધિ કૌમુદી' ટીકામાં પંચમવર્ષyત્ય-પ્રકાશ સંપૂર્ણ થયો.