________________
૩૫ર
શ્રાદ્ધવિધિ પ્રકરણ
મધ, મઘ, માંસ સેવનનો નિયમ કરતો હતો. પછી તે ચાકર મરણ પામ્યો અને તેનો જીવ તું રાજકુમાર થયો, અને સુવ્રત શેઠનો જીવ મોટો ઋદ્ધિવંત દેવતા થયો. તેણે પૂર્વભવની પ્રીતિથી તને બે રત્નો આપ્યાં આ રીતે પૂર્વભવ સાંભળી કુમાર જાતિસ્મરણ જ્ઞાન પામ્યો, અને ઘણા પ્રકારના નિયમ પાળીને સ્વર્ગે ગયો. ત્યાંથી અવીને મહાવિદેહમાં સિદ્ધ થશે. આ રીતે ચોમાસાના નિયમ ઉપર કથા કહી છે.
ચાતુમસિક કૃત્યો અંગે લૌકિક શાસ્ત્રોનું સમર્થન લૌકિક ગ્રંથમાં પણ આ વાત કહી છે. વસિષ્ઠ ઋષિએ પૂછયું કે, "હે બ્રહ્મદેવ ! વિષ્ણુ ક્ષીરસમુદ્રમાં શી રીતે નિદ્રા કરે છે? અને તે નિદ્રા કરે ત્યારે શી શી વસ્તુ વર્જવી? અને તે વસ્તુ વર્જવાથી શું શું ફળ થાય?" બ્રહ્મદેવે કહ્યું, "હે વસિષ્ઠ ! વિષ્ણુ ખરેખર નિદ્રા કરતા નથી અને જાગૃત પણ થતા નથી, પરંતુ વર્ષાકાળ આવે ત્યારે ભક્તિથી વિષ્ણુનો એ સર્વ ઉપચાર કરાય છે. હવે વિષ્ણુ યોગનિદ્રામાં રહે, ત્યારે શું શું વર્જવું? તે સાંભળ.
જે પુરુષ ચોમાસામાં મુસાફરી ન કરે, માટી ન પણે, તથા રિંગણાં, ચોળા, વાલ, કરથી, તુવેર, કાલિંગડા, મૂળા અને તાંદળજો એટલી વસ્તુનો ત્યાગ કરે. તથા હે વસિષ્ઠ ! જે પુરુષ ચોમાસામાં એક અન્ન ખાય, જે પુરુષ હંમેશાં તથા ઘણું કરી ચોમાસામાં રાત્રિભોજન ન કરે, તે આ લોકમાં તથા પરલોકમાં સર્વ અભિષ્ટ વસ્તુ પામે. જે પુરુષ ચોમાસામાં મધ, માંસ, વર્જે છે, તે દરેક માસમાં સો વર્ષ સુધી કરેલા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પામે છે વગેરે.
માર્કન્ડેય ઋષિએ પણ કહ્યું છે કે - હે રાજન્! જે પુરુષ ચોમાસામાં તૈલમર્દન કરતો નથી, તે ઘણા પુત્ર તથા ધન પામે છે અને નિરોગી રહે છે. જે પુરુષ પુષ્પાદિકનો ભોગ છોડી દે છે, તે સ્વર્ગલોકને વિષે પૂજાય છે. જે પુરુષ કડવો, ખાટો, તૂરો, મીઠો અને ખારો એ રસોથી ઉત્પન્ન થતા રસોને વર્ષે, તે પુરુષ કુરૂપતા તથા દૌર્ભાગ્ય કોઈ ઠેકાણે પણ પામતો નથી. તાંબૂલભક્ષણ કરવાનું વર્જે તો ભોગી થાય અને શરીરે લાવણ્ય પામે. જે ફળ, શાક અને પાંદડાનું શાક વર્ષે તે ધન તથા પુત્ર પામે.
હે રાજનું! ચોમાસામાં ગોળ ન ખાય તો મધુર સ્વરવાળો થાય. તાવડી ઉપર પાકેલું અન્ન ભક્ષણ કરવાનું તજે તો, બહુ સંતતિ પામે. ભૂમિને વિષે સંથારે સૂઈ રહે તો વિષ્ણુનો સેવક થાય. દહીં તથા દૂધ વર્ષે તો ગોલોક નામે દેવલોક જાય. બપોર સુધી પાણી પીવાનું તજે તો રોગોપદ્રવ ન થાય. જે પુરુષ ચોમાસામાં એકાંતર ઉપવાસ કરે તે બ્રહ્મલોકમાં પૂજાય, જે પુરુષ ચોમાસામાં નખ અને કેશ ન ઉતારે તે દરરોજ ગંગાસ્નાનનું ફળ પામે. જે પારકું અન્ન તજે તે અનંત પુણ્ય પામે, ચોમાસામાં ભોજન કરતી વેળાએ જે મૌન ન રહે, તે કેવળ પાપ જ ભોગવે એમ જાણવું. મૌનપણે ભોજન કરવું ઉપવાસ સમાન છે, માટે ચોમાસામાં જરૂર મૌન ભોજન તથા બીજા નિયમ રાખવા. ઈત્યાદિ ભવિષ્યોત્તર પુરાણમાં કહ્યું છે.
તપાગચ્છીય શ્રીરત્નશેખરસુરિ વિરચિત "શ્રાદ્ધવિધિપ્રકરણ”ની શ્રાદ્ધવિધિ કૌમુદી ટીકામાં
ચતુર્થ ચાતુર્માસિક કૃત્ય પ્રકાશ સંપૂર્ણ થયો.