________________
૩૬૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
પાંચેનો જોગ ન હોય તો સાંભોગિક-પોતાની સામાચારીને મળતા એવા બીજા ગચ્છમાં આચાર્ય આદિ પાંચમાં જેનો જોગ મળે તેની પાસે આલોયણા લેવી.
સામાચારીને મળતા પરગચ્છમાં આચાર્યાદિ પાંચેનો યોગ ન હોય તો, ભિન્ન સામાચારીવાળા પરગચ્છમાં પણ સંવેગી આચાર્યાદિકમાં જેનો યોગ હોય, તેની પાસે આલોયણા લેવી. તેમ ન બને તો ગીતાર્થ પાસત્થાની પાસે આલોયણા લેવી, તેમ ન બને તો ગીતાર્થ એવા સારૂપિક પાસે આલોયણા લેવી. તેનો પણ જોગ ન મળે તો ગીતાર્થ પશ્ચાત્કૃત પાસે આલોવવું, સફેદ કપડાં પહેરનારો, મુંડી, કચ્છ વિનાનો, રજોહરણ વગેરે ન રાખનારો, બ્રહ્મચર્ય પાળનારો, ભાર્યા રહિત અને ભિક્ષાવૃત્તિએ નિર્વાહ કરનારો એવો તે સારૂપિક કહેવાય છે. સિદ્ધપુત્ર તો શિખા અને ભાર્યા સહિત હોય છે. ચારિત્ર તથા સાધુનો વેષ મૂકી ગૃહસ્થ થયેલો તે પશ્ચાદ્ભૂત કહેવાય છે.
ઉપર કહેલા પાસત્કાદિકને પણ ગુરુની માફક વંદન વગેરે યથાવિધિ કરવું. કારણ કે ધર્મનું મૂળ વિનય છે. જો પાસત્કાદિક પોતાને ગુણ રહિત માને અને તેથી જ તે વંદના ન કરાવે, તો તેને આસન ઉપર બેસારી પ્રણામ માત્ર કરવો, અને આલોયણા લેવી.
ઉપર કહેલા પાસત્કાદિકનો યોગ ન મળે તો રાજગૃહી નગરીમાં ગુણશીલાદિક ચૈત્યને વિષે જ્યાં ઘણીવાર જે દેવતાએ અરિહંત, ગણધર વગેરે મહાપુરુષોને આલોયણા આપતાં દીઠા હોય, ત્યાં તે સમ્યગુદૃષ્ટિ દેવતાને અક્રમ વગેરે તપસ્યાથી પ્રસન્ન કરી તેની પાસે આલોયણા લેવી, કદાચ તે સમયનો દેવતા ચવ્યો હોય અને બીજો ઉત્પન્ન થયો હોય તો તે મહાવિદેહક્ષેત્રમાં જઈ અરિહંત ભગવાનને પૂછી પ્રાયશ્ચિત્ત આપે છે.
તેમ ન બને તો અરિહંતની પ્રતિમા આગળ આલોઈ પોતે જ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરે. અરિહંતની પ્રતિમાનો પણ જોગ ન હોય તો પૂર્વ અથવા ઉત્તર દિશાએ મોઢું રાખીને અરિહંતોની તથા સિદ્ધોની સમક્ષ આલોવે. પણ આલોયા વગર ન રહે. કેમકે, શલ્ય સહિત જીવ આરાધક કહેવાતો નથી.
પોતે ગીતાર્થ નહીં હોવાથી ચરણશુદ્ધિ તથા આલોયણા આપવાથી થતું હિત ન જાણે, તો તે પુરુષ પોતાને અને આલોયણા લેનારને પણ સંસારમાં પાડે છે.
આલોચના સમયની શુદ્ધિ જેમ બાળક બોલતું હોય ત્યારે તે કાર્ય અથવા અકાર્ય જે હોય તે સરળતાથી કહે છે, તેમ આલોયણા લેનારે માયા અથવા મદ ન રાખતાં આલોવવું, માયા મદ વગેરે દોષ ન રાખતાં વખતે વખતે સંવેગભાવનાની વૃદ્ધિ કરી જે અકાર્યની આલોયણા કરે, તે અકાર્ય જરૂર ફરીથી ન કરે. જે પુરુષ શરમ વગેરેથી, રસાદિ ગારવમાં લપટાઈ રહ્યાથી એટલે તપસ્યા ન કરવાની ઈચ્છાથી અથવા હું બહુશ્રુત છું એવા અહંકારથી, અપમાનથી બીકથી અથવા આલોયણા ઘણી આવશે એવા ડરથી ગુરુની પાસે પોતાના દોષ કહીને ન આલોવે. તે જરૂર આરાધક કહેવાતો નથી. તે તે સંવેગ ઉત્પન્ન કરનાર આગમવચનોનો વિચાર કરી તથા શલ્યનો ઉદ્ધાર ન કરવાનાં ખોટાં પરિણામ ઉપર નજર દઈ પોતાનું ચિત્ત સંવેગવાળું કરવું અને આલોયણા લેવી.