________________
દ્વિતીય પ્રકાશ ઃ રાત્રિકૃત્ય
દિનકૃત્ય કહ્યા પછી, હવે રાત્રિકૃત્ય કહીએ છીએ. શ્રાવક મુનિરાજની પાસે અથવા પૌષધશાળા વગેરેમાં જઈ યતનાથી પૂંજી સામાયિક કરવા વગેરે વિધિ સહિત ષડાવશ્યકરૂપ પ્રતિક્રમણ કરે, તેમાં સ્થાનાચાર્યની સ્થાપના, મુહપત્તિ, ચરવળો ઈત્યાદિ ધર્મોપકરણ ગ્રહણ કરવાં તથા સામાયિક કરવું. આ સંબંધી તથા બીજો કેટલોક વિધિ શ્રદ્ધાદિકના સર્વે અતિચારની શુદ્ધિને માટે તથા ભદ્રક પુરુષે અભ્યાસાદિને સારું દ૨૨ોજ બે વખત જરૂર પ્રતિક્રમણ કરવું. વૈદ્યના ત્રીજા રસાયન ઔષધ સરખું પ્રતિક્રમણ છે, માટે કદાચ અતિચાર લાગ્યા ન હોય, તો પણ શ્રાવકે તે ખાસ કરવું.
પ્રતિક્રમણ
સિદ્ધાંતમાં કહ્યું છે કે-પહેલા અને છેલ્લા તીર્થંકર શાસનમાં પ્રતિક્રમણ દ૨૨ોજ જરૂરનું છે, અને બાકીના વચલા બાવીશ તીર્થંકરના શાસનમાં કારણ હોય તો પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. કારણ હોય તો એટલે કે અતિચાર લાગ્યો હોય તો બપોરના પણ પ્રતિક્રમણ કરે અને ન લાગ્યો હોય તો પૂર્વ ક્રોડ વર્ષ પર્યંત પણ ન કરે.
ન
--
ત્રણ પ્રકારનાં ઔષધ કહ્યાં છે, તે એ કે :- ૧. પ્રથમ ઔષધ વ્યાધિ હોય તો મટાડે અને ન હોય તો નવો ઉત્પન્ન કરે, ૨. બીજાં ઔષધ વ્યાધિ હોય તો મટાડે અને ન હોય નવા ઉત્પન્ન ન કરે, ૩. ત્રીજું ઔષધ રસાયન એટલે પૂર્વે થયેલો વ્યાધિ હોય તો તેને મટાડે અને વ્યાધિ ન હોય તો સર્વાંગને પુષ્ટિ આપે, તથા સુખની અને બળની વૃદ્ધિ કરે; તેમજ ભાવિકાળે થનારા દર્દીને બંધ પાડે. પ્રતિક્રમણ .કહેલા ત્રણ પ્રકારમાંના ત્રીજા રસાયન ઔષધ સમાન છે. તેથી તે અતિચાર લાગ્યા હોય તો તેની શુદ્ધિ કરે છે અને ન લાગ્યા હોય તો ચારિત્રધર્મની પુષ્ટિ કરે છે.
સામાયિક અને પ્રતિક્રમણની ભિન્નતા વિષે શંકા અને સમાધાન
શંકા :- આવશ્યકચૂર્ણિમાં કહેલો સામાયિક વિધિ તે જ શ્રાવકનું પ્રતિક્રમણ છે. કેમકે, પ્રતિક્રમણના છ પ્રકાર તથા બે વખત જરૂર કરવું. એ સર્વ એમાં જ (સામાયિક વિધિમાં જ) ઘટાવાય તેમ છે. તે એ રીતે કે : પ્રથમ ૧ સામાયિક કરી પછી એક પછી એક એમ, ૨. ઈરિયાવહી, ૩. કાયોત્સવર્ગ, ૪. ચઉવીસત્યો, ૫. વાંદણાં અને ૬. પચ્ચક્ખાણ કરવાથી છ આવશ્યક પૂરાં થાય છે. તેમજ ‘સામાયમુમયસંજ્ઞ’ એવું વચન છે, તેથી તે પ્રભાતે અને સંધ્યાએ કરવાનું નક્કી થાય છે.
સમાધાન :- ઉપર કહ્યું તે બરોબર નથી, કેમકે, સામાયિક વિધિમાં છ આવશ્યક અને કાળ નિયમસિદ્ધ થતા નથી. તે એમ કે :- તારા (શંકાકારના) અભિપ્રાય મુજબ પણ ચૂર્ણિકારે સામાયિક, ઈરિયાવહી અને વાંદણાં એ ત્રણ જ ખાસ દેખાડયાં છે; બાકીનાં દેખાડયાં નથી. તેમાં પણ ઈરિયાવહી પ્રતિક્રમણ કહ્યું છે તે ગમનાગમન સંબંધી છે, પણ આવશ્યકના ચોથા અધ્યયનરૂપ નથી. કારણ કે, ગમનાગમન તથા વિહાર કરે છતે, રાત્રિએ નિદ્રાના અંતે તથા સ્વપ્ન જોયા પછી, તેમજ નાવમાં બેસવું