________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૩૧૩
સમાધાન :- એમ નહીં. એકાશન વગેરે પચ્ચકખાણના આઠ ઈત્યાદિક આગાર છે. અને દિવસચરિમનાં ચાર આગાર છે, માટે આગારનો સંક્ષેપ એજ દિવસચરિમમાં મુખ્ય છે. તેથી તે સફળ છે, દિવસ બાકી છતાં કરવાનું છે, તથા રાત્રિભોજનના પચ્ચખાણને યાદ કરાવનારૂં છે, રાત્રિભોજનના પચ્ચકખાણવાળાને પણ તે ફળદાયી છે. એમ આવશ્યક લઘુવૃત્તિમાં કહ્યું છે. એ પચ્ચકખાણ સુખે કરાય એવું તથા બહુ ફળદાયી છે. એના ઉપર નીચે પ્રમાણે એક દષ્ટાંત છે.
એડકાક્ષનું દાંતા દશાર્ણનગરમાં એક શ્રાવિકા સાંજે ભોજન કરીને પ્રતિદિન દિવસચરિમ પચ્ચક્ખાણ કરતી હતી. તેનો ભર્તાર મિથ્યાદષ્ટિ હતો. તે "સંધ્યાએ જમ્યા પછી રાત્રિએ કોઈ કાંઈ ભક્ષણ કરતું નથી જ, માટે "જુઓને આ મોટું પચ્ચખાણ કરે છે." એવી રીતે શ્રાવિકાની હંમેશાં હાંસી કરતો હતો.
એક દિવસ શ્રાવિકાએ "તું ભાંગીશ” એમ કહીને ઘણી ના પાડી, તો પણ તેણે દિવસચરિમ પચ્ચકખાણ કર્યું. રાત્રિએ સમ્યગદષ્ટિ દેવી પરીક્ષા કરવા માટે તથા શિખામણ દેવાને માટે તેની બહેનનું રૂપ ધારણ કરી તેને ઘેબર વગેરે આપવા લાગી.
શ્રાવિકાએ ઘણો વાર્યો, તો પણ જીભની લોલુપતાથી તેણે તે ખાવા માંડ્યું, એટલામાં દેવીએ પ્રહાર કર્યો છે, જેથી તેના ડોળા બહાર નીકળી ભૂમિ ઉપર પડયા.
"મારો અપયશ થશે એમ ધારી શ્રાવિકાએ કાઉસ્સગ્ન કર્યો. પછી શ્રાવિકાના કહેવાથી દેવીએ તત્કાળ કોઈ એક મરતા બોકડાનાં નેત્ર લાવી તે પુરુષને લગાડયાં, તેથી તેનું એડકાક્ષ એવું નામ પડયું. પછી પ્રત્યક્ષ ખાત્રી થવાથી તે પુરુષ શ્રાવક થયો. લોકો કૌતુકથી તેને જોવા માટે આવવા લાગ્યા, તેથી તે નગરનું પણ એડકાક્ષ નામ પડયું. તેને જોવાથી ઘણા લોકો શ્રાવક થયા.
આ રીતે દિવસચરિમ ઉપર એડકાક્ષનું દાંત કહ્યું છે.
પછી સંધ્યા વખતે એટલે છેલ્લી બે ઘડી દિવસ રહે છે ત્યારે સૂર્યબિંબનો અર્ધો અસ્ત થતાં પહેલાં ફરીથી ત્રીજી વાર યથાવિધિ જિનપૂજા કરવી.
તપાગચ્છીય શ્રીરત્નશેખરસૂરિ-વિરચિત "શ્રાવિધિપ્રકરણની "શ્રાદ્ધવિધિકૌમુદી' ટીકામાં.
પ્રથમ દિનકૃત્ય પ્રકાશ સંપૂર્ણ થયો.
00
JO