________________
દ્વિતીય પ્રકાશ રાત્રિકૃત્ય
૩૨૩
સ્ત્રી, પુત્ર વગેરેને દ્રવ્યથી યથાયોગ્ય વસ્ત્ર વગેરે આપીને તથા ભાવથી ધર્મોપદેશ કરીને તેમની સારી અથવા માઠી સ્થિતિની ખબર લેવી. પોષ પોષ” એવું વચન છે, માટે શ્રાવકે સ્ત્રી-પુત્રાદિકને વસ્ત્રાદિ દાન અવશ્ય કરવું. અન્ય સ્થળે પણ કહ્યું છે કે-દેશનું કરેલું પાપ રાજાને માથે, રાજાનું કરેલું પાપ પુરોહિતને માથે, સ્ત્રીનું કરેલું પાપ ભરથારને માથે અને શિષ્યનું કરેલું પાપ ગુરુને માથે છે. સ્ત્રી પુત્ર વગેરે કુટુંબના લોકો ઘરના કામમાં વળગી રહેલા હોવાથી તથા પ્રમાદી વગેરે હોવાને લીધે તેમનાથી ગુરુ પાસે જઈ ધર્મ સંભળાતો નથી, માટે ગૃહસ્થ ઉપર કહ્યા પ્રમાણે ધર્મોપદેશ કરવાથી તે ધર્મને વિષે પ્રવર્તે છે. અહીં ધન્યશ્રેષ્ઠીના કુટુંબનું દષ્ટાંત નીચે પ્રમાણે જાણવું -
ધન્ય શેઠનું દષ્ટાંત ધન્યપુરનગરમાં રહેનાર ધન્ય શેઠ ગુરુના ઉપદેશથી સુશ્રાવક થયો. તે દરરોજ સંધ્યા વખતે પોતાની સ્ત્રીને અને ચાર પુત્રોને ધર્મોપદેશ કરતો હતો. એક પછી એક એમ સ્ત્રી અને ત્રણ પુત્ર પ્રતિબોધ પામ્યા; પણ ચોથો પુત્ર નાસ્તિકની માફક પુણ્ય પાપનું ફળ કયાં છે? એમ કહેતો હોવાથી પ્રતિબોધ ન પામ્યો. ધન્યશ્રેષ્ઠિના મનમાં ઘણો ખેદ થતો હતો. એક વખતે પડોશમાં રહેનારી એક વૃદ્ધ સુશ્રાવિકાને મરણ વખતે તેણે ધર્મ સંભળાવ્યો અને એવો ઠરાવ કરી રાખ્યો કે, "દેવતા થઈને તારે મારા પુત્રને પ્રતિબોધ પમાડવો.” તે વૃદ્ધ સ્ત્રી મરણ પામીને સૌધર્મ દેવલોકે દેવી થઈ. પછી તેણે પોતાની દિવ્ય ઋદ્ધિ વગેરે દેખાડીને ધન્યશ્રેષ્ઠિના પુત્રને પ્રતિબોધ પમાડયો.
આ રીતે ઘરના સ્વામીએ પોતાના પુત્ર વગેરેને પ્રતિબોધ કરવો. એમ કરતાં પણ કદાચ તેઓ પ્રતિબોધ ન પામે, તો પછી ઘરના ધણીને માથે દોષ નથી. કેમકે-સર્વે શ્રોતાજનોને હિતવચન સાંભળવાથી ધર્મ મળે જ છે, એવો નિયમ નથી, પરંતુ ભવ્ય જીવો ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી ધર્મોપદેશ કરનારને તો જરૂર ધર્મપ્રાપ્તિ થાય છે. આ રીતે નવમી ગાથાનો વિસ્તારપૂર્વક અર્થ છે. (૯)
બહાચર્યની શુદ્ધિ पायं अबभविरओ, समए अप्पं करेइ तो निदं ।। निदोवरमे थीतणु-असुइत्ताई विचिंतिज्जा ||१०||
प्रायः अब्रह्मविरतः समये अल्पां करोति ततः निद्राम् ।
निद्रोपरमे स्रीतनु-अशुचित्वादि विचिन्तयेत् ||१०|| તે પછી સુશ્રાવકે ઘણું કરીને સ્ત્રીસંભોગથી છૂટા રહીને થોડો વખત ઊંઘ લેવી. અને ઊંઘ ઉડી જાય, ત્યારે મનમાં સ્ત્રીના શરીરનું અશુચિપણું ચિંતવવું. (૧૦)
સુશ્રાવક સ્વજનોને ધર્મોપદેશ કરી રહ્યા પછી એક પહોર રાત્રિ ગયા પછી અને મધ્યરાત્રિ થયાં પહેલાં પોતાની શરીરપ્રકૃતિને અનુકૂળ આવે તે વખતે સૂવાના સ્થળે જઈને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે થોડી ઊંઘ લે. ઊંઘમાં જતી વખતે શ્રાવકે કેવું રહેવું જોઈએ? તે વિષે કહે છે. અબ્રહ્મ તે સ્ત્રીસંભોગ,