Book Title: Shraddh Vidhi Prakaran
Author(s): Somsundarsuri
Publisher: Shantichandrasuri Jain Gyamandir

View full book text
Previous | Next

Page 306
________________ પ્રથમ દિન કૃત્યપ્રકાશ ૨૮૫ મારા ખોળામાં બેઠી છતાં ધ્રુજનારી તું શેષનાગની કાંચળી જેવા સફેદ એવાં પોતાના પિચ્છના જોડાને કેમ ધ્રુજાવે છે?" એમ કહી દયાળુ રત્નસારકુમારે આકુળ-વ્યાકુળ થયેલી હંસીને સરોવરમાંથી નિર્મળ જળ અને સરસ કમળતંતુ મંગાવી આપીને સંતુષ્ટ કરી. આ કોણ છે? કયાંથી આવી? કોનાથી ભય પામી? અને મનુષ્ય વાણીથી શી રીતે બોલે છે? એવો સંશય કુમાર વગેરે લોકોના મનમાં આવે છે. એટલામાં શત્રુના ક્રોડો સુભટોનાં ભયંકર વચન તેમને કાને પડયાં. તે એવી રીતે કે "કોણ રૈલોકયનો અંત કરનારા યમને કોપાવે? કોણ પોતાના જીવિતની દરકાર ન રાખતાં શેષનાગના મસ્તકે રહેલા મણિને સ્પર્શ કરે ? તથા કોણ પ્રલયકાળના અગ્નિની જવાળાઓમાં વગર વિચારે પ્રવેશ કરે ?" એવાં વચન સાંભળતાં જ ચતુર પોપટના મનમાં શંકા આવી, અને તે શીધ્ર મંદિરના દ્વારમાં આવી શું બનાવ બને છે, તે જોવા લાગ્યો. એટલામાં ગંગા નદીના પૂરની માફક આકાશમાર્ગે આવતી વિદ્યાધર રાજાની ઘણી શૂરવીર સેના તેના જોવામાં આવી. તીર્થના પ્રભાવથી, કાંઈક દૈવિક પ્રભાવથી, ભાગ્યશાળી રત્નસારના આશ્ચર્યકારી ભાગ્યથી અથવા રત્નસારના પરિચયથી કોણ જાણે કયા કારણથી પોપટ શૂરવીર પુરુષોનું વ્રત પાળ વામાં અગ્રેસર થયો. તેણે ગંભીર અને ઉચ્ચ સ્વરથી શત્રુઓની સેનાને હોંકારો કરીને કહ્યું કે, "અરે વિદ્યાભર સુભટો! દુષ્ટ બુદ્ધિથી કયાં દોડો છો? દેવતાથી પણ ન જીતાય એવો કુમાર આગળ બેઠો છે તેને નથી જોતા? સુવર્ણ સરખી તેજસ્વી કાયાને ધારણ કરનાર એ કુમાર જેમ ગરૂડ ચારે તરફ દોડનારા સર્પનો મદ ઉતારે છે, તેમ મદોન્મત્ત એવો તમારો અહંકાર ક્ષણમાત્રમાં ઉતારશે. આ કુમારને જો ક્રોધ ચઢશે તો યુદ્ધની વાર્તા તો દૂર રહી ! પણ તમને નાસતાં પણ ભૂમિનો છેડો નહીં આવે." વિદ્યાધરના સુભટો વીરપુરુષ સરખો પોપટનો એવો હોંકારો સાંભળીને વિલખા થયા, આશ્ચર્ય પામ્યા, ડરી ગયા અને મનમાં વિચારવા લાગ્યા કે – એ કોઈ દેવતા અથવા ભવનપતિ પોપટના રૂપે બેઠો છે. એમન હોય તો એ આ રીતે વિદ્યાધરોને પણ હોંકારથી શી રીતે બોલાવે ? આગળ રહેલો કુમાર કેવો ભયંકર છે? કોણ જાણે આજ સુધી વિદ્યાધરોનાં ઘણાં સિંહનાદ પણ અમે સહન કર્યા છે, એમ છતાં આજ આ એક પોપટનો તુચ્છ હોંકારો અમારાથી કેમ સહન કરાતો નથી? વિદ્યાધરોને પણ ભય ઉત્પન્ન કરે એવો જેનો પોપટ પણ શૂરવીર છે, તો આગળ રહેલો કુમાર કોણ જાણે કેવો હશે? યુદ્ધ કરવામાં નિપુણ હોય તો પણ અજાણ્યાની સાથે કોણ યુદ્ધ કરે ! કોઈ તરવાનો અહંકાર રાખતો હોય તો પણ તે પાર વિનાના સમુદ્રને તરી શકે કે શું?" બીક પામેલા, આકુળવ્યાકુળ થયેલા અને પરાક્રમથી ભ્રષ્ટ થયેલા સર્વે વિદ્યાધરના સુભટો પોપટનો હોંકારો સાંભળતાં જ ઉપર પ્રમાણે વિચારી શિયાળિયાની માફક એકદમ ભાગી ગયા ! જેમ બાળકો પિતા પાસે જઈને કહે, તેમ તે સુભટોએ પોતાના રાજા પાસે જઈ યથાર્થ વાત હતી તે કહી. ઠીક જ છે, પોતાના સ્વામી આગળ કાંઈ ગુપ્ત રખાય? સુભટોનું વચન સાંભળતાં જ વિદ્યાધર રાજાનાં નેત્ર રોષથી રક્તવર્ણ થયાં અને વીજળીની જેમ આમતેમ ચમકારો મારવા લાગ્યાં, અને તેનું મુખ લલાટ ઉપર ચઢાવેલ ભ્રમરથી ભયંકર દેખાવા લાગ્યું. પછી સિંહ સરખા બલિષ્ઠ અને કીર્તિમાન તે રાજાએ કહ્યું કે :

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422