________________
૨૮૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ
મારા ઉપર ઘણો પ્રેમ રાખનારી છતાં મને અહીં મૂકીને કયાં ગઈ ! હાય હાય! ભાગ્ય વિનાની મારા પ્રાણ તારા વિયોગથી શરણ વિનાના અને ચારેબાજુથી બાણ વડે વીંધાયેલા જેવા થયેલા હવે શી રીતે ટકી શકશે? હે તાત ! હું જીવતી રહી એ કરતાં બીજી શી ખરાબ વાત છે? સહન કરી ન શકાય એવો મારી બનેનનો વિયોગ હું હવે શી રીતે સહન કરૂં?" એવો વિલાપ કરનારી તિલકમંજરી ઘેલી થયાની માફક ધૂળમાં આળોટવા અને જળમાં માછલીની માફક ઉછળવા લાગી.
જેમ દવના સ્પર્શથી વેલડી સૂકાઈ જાય છે. તેમ તે ઉભી ઉભી જ એટલી સૂકાઈ ગઈ, કે, કોઈને પણ તેના જીવવાની આશા ન રહી. એટલામાં તેની માતા પણ ત્યાં આવીને આ રીતે વિલાપ કરવા લાગી, "હે દુર્દેવ! તે નિર્દય થઈ એવું દુઃખ મને શા સારું આપ્યું? તું એક મારી પુત્રીને હરણ કરી ગયો અને બીજી પુત્રી તેના વિરહથી દુઃખી થઈ મારા દેખતાં મરણ પામશે. હાય ! હાય! નિભંગી એવી હું હણાણી ! ! હે ગોત્રદેવીઓ! વનદેવીઓ! આકાશદેવીઓ ! તમે હવે તુરત જ પાસે આવો. અને એ મારી પુત્રીને કોઈપણ રીતે લાંબા આયુષ્યવાળી કરો.” રાણીની સખીઓ, દાસીઓ અને નગરની સતી સ્ત્રીઓ ત્યાં આવી રાણીના દુઃખથી પોતે દુઃખી થઈ ઉચ્ચસ્વરે અતિશય વિલાપ કરવા લાગી. તે વખતે ત્યાંના સર્વ લોકોને શોક થયો, એમાં શું કહેવું? અશોક એવું નામ ધરાવનારાં ઝાડો પણ ચારે તરફથી શોક કરતાં હોય એમ લાગ્યું.
તે વખતે તે લોકોના દુઃખથી જાણે અતિશય દુઃખી થઈ ત્યાં રહી શકતો ન હોય ! એવો સૂર્ય પણ પશ્ચિમ સમુદ્રમાં ડૂબી ગયો. પૂર્વ દિશા તરફથી ફેલાતા અંધકારને અશોકમંજરીના વિરહથી થયેલા શોકે માર્ગ દેખાડયો તેથી તે સુખે ઝડપથી ત્યાં સર્વ ઠેકાણે પ્રસરી રહ્યો. મનની અંદર શોક હોવાથી પ્રથમથી જ ઘણા આકુળવ્યાકુળ થયેલા સર્વ લોકો, બહાર અંધકાર થઈ ગયો ત્યારે ઘણા જ અકળાયા. મલિન વસ્તુમાં કૃત્ય એવાં જ હોય છે. પછી અમૃત સરખા સુખદાયી છે કિરણ જેનાં એવો ચંદ્રમા રૈલોકયને મલિન કરનારા અંધકારને દૂર કરતો જાહેર થયો. જેમ સજળ મેઘ વેલડીને તૃપ્ત કરે છે, તેમ ચંદ્રમાએ મનમાં દયા લાવીને જ કે શું પોતાની ચંદ્રિકારૂપ અમૃતરસની વૃદ્ધિથી તિલકમંજરીને પ્રસન્ન કરી.
પછી રાત્રિને પાછલે પહોરે જેમ માર્ગની જાણ પથિક મુસાફર સ્ત્રી ઊઠે છે, તેમ જાણમાં ઉત્તમ એવી તિલકમંજરી મનમાં કાંઈક વિચાર કરીને ઊઠી, અને મનમાં કપટ ન રાખતાં સખીઓનો પરિવાર સાથે લઈ ઉદ્યાનની અંદર આવેલા ગોત્રદેવી ચક્રેશ્વરીના મંદિરમાં શીધ્ર ગઈ. મહિમાનું સ્થાનક એવી ચક્રેશ્વરી દેવીની પરમ ભક્તિવડે સારા કમળોની માળાઓથી પૂજા કરીને તિલકમંજરીએ તેને નીચે પ્રમાણે વિનંતી કરી :- "હે સ્વામિની ! મેં જો મનમાં કપટ રહિત ભક્તિ રાખીને સર્વ કાળ તારી પૂજા, વંદના અને સ્તુતિ કરી હોય, તો આજ મારા ઉપર પ્રસાદ કરી પોતાની પવિત્ર વાણીથી દીન મારી બહેનની શુદ્ધિ કહે. હે માતાજી ! એ વાત તારાથી ન બને તો, "મેં ભોજનનો આ જન્મ છે, ત્યાં સુધી ત્યાગ કર્યો એમ માનજે. કેમકે નીતિનો જાણ માણસ પોતાના ઈષ્ટ માણસના અનિષ્ટની કલ્પના મનમાં આવે તો શું ભોજન કરે." ?
તિલકમંજરીની ભક્તિ, શક્તિ અને બોલવાની યુક્તિ જોઈ ચક્રેશ્વરીદેવી પ્રસન્ન થઈ શીધ્ર જાહેર થઈ. માણસ મનની એકાગ્રતા કરે તો શું ન થાય? ચક્રેશ્વરીએ હર્ષથી કહ્યું કે, "હે તિલકમંજરી ! તારી