________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૩૯
એટલે સિદ્ધાવસ્થા ૩.
૬. જે દિશાએ જિનપ્રતિમા હોય, તે દિશા વિના બીજી ત્રણ દિશાએ ન જોવું. ૭. ચૈત્યવંદનાદિક કરતાં પગ મૂકવાની ભૂમિ ત્રણ વાર પુંજવી.
૮. નમુસ્કુર્ણ વગેરે ભણતાં સૂત્ર શુદ્ધ બોલવું ૧. તેના અર્થ વિચારવા ૨. જિનપ્રતિમાના સ્વરૂપનું આલંબન ધારવું ૩.
૯. ત્રણ મુદ્રા - બે હાથની દશે આંગળીઓ માંહોમાંહે મેળવી કમળના ડોડાના આકારે હાથ જોડી પેટ ઉપર કોણી રાખવી તે પહેલી યોગમુદ્રા ૧. બે પગના આંગળાંની વચમાં આગળથી ચાર આંગળનો અને પાછળથી કાંઈક ઓછું અંતર રાખી કાઉસ્સગ્ન કરવો તે બીજી જિનમુદ્રા ૨. બે હાથ ભેગા કરી કપાળે લગાડવા તે ત્રીજી મુક્તાસુક્તિમુદ્રા ૩.
૧૦. ત્રણ પ્રતિધાન - જાવંતિ ચેઈયાઈ એ ગાથાએ કરી ચૈત્ય વાંદવા રૂપ પ્રથમ પ્રણિધાન ૧. જાવંત કેવિ સાહૂ એ ગાથાએ કરી ગુરુને વાંદવા રૂપ બીજું પ્રણિધાન ૨. જયવીયરાય કહેવા રૂપ ત્રીજું પ્રણિધાન જાણવું અથવા મન, વચન અને કાયાનું એકાગ્રપણું કરવું તે રૂપ ત્રણ પ્રણિધાન જાણવાં. આ દશત્રિક છે.
૨. પ્રભુ આગળ જવાનો એટલે દેરાસરમાં પ્રવેશ કરવાનો વિધિ તે અભિગમ પંચ પ્રકારનો છે. (અભિસન્મુખ, ગમ=જવું એ અર્થથી.)
૩. સ્ત્રીઓએ પ્રભુથી ડાબા પડખે રહેવું, અને પુરુષોએ જમણા પડખે રહેવું તે બે દિશિ. ૪. પ્રભુથી દૂર રહેવું તે અવગ્રહ ૩ પ્રકારનો છે. ૫. જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ૩ ભેદે ચૈત્યવંદના થાય છે, તે વંદનાના ત્રણ ભેદ. ૬. પંચાંગમુદ્રાએ (૫ અંગ વડે) પ્રણિપાત=નમસ્કાર કરવો અથવા ખમાસમણ દેવું તે ૧ ભેદ. ૭. પ્રભુના ગુણપ્રશંસાવાળા ૧ થી ૧૦૮ શ્લોક બોલવા તે નમસ્કારનો ૧ ભેદ.
૮. ચૈત્યવંદનનાં ૯ સૂત્રોમાં (બીજીવાર બોલતાં સૂત્રો બીજીવાર ન ગણીએ એવા) ૧૬૪૭ અક્ષર છે, તે ૧૬૪૭ વર્ણ ગણાય. ,
૯. ચૈત્યવંદનનાં ૯ સૂત્રોમાં (એક સરખું પદ બીજીવાર બોલાતાં ન ગણીએ એવાં) ૧૮૧ પદ એટલે અર્થ સમાપ્તિ દર્શક વાકયો છે.
૧૦. એક શ્વાસોશ્લાસ જેટલા કાળમાં બોલવા યોગ્ય શબ્દોનું વાક્ય અથવા ગાથાનું ૧ ચરણ તે સંપદા (અથવા મહાપદ અથવા વિરતિ અથવા વિસામા) કહેવાય, તેવી સંપદાઓ ૯૭ છે.
૧૧. નમુત્યુર્ણ-અરિહંતચેઈયાણ-લોગસ્સ-પુખરવરદી-અને સિદ્ધાણં બુદ્ધાણં એ પાંચ સૂત્રો તે પ દંડકસૂત્ર કહેવાય છે. • ૧૨. પાંચ દંડકસૂત્રોમાં અધિકાર (એટલ મુખ્ય વિષય) ૧૨ છે. ૧૩. અરિહંત-સિદ્ધ-મુનિ અને સિદ્ધાંત એ ચાર વંદનીય (વંદના કરવા યોગ્ય) છે.