________________
૧૬૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ભોજન કરે, ૭૮. ગુહ્યસ્થાન બરોબર ઢાંકયા વિના જેમ તેમ બેસી લોકને (ગુહ્યસ્થાન) દેખાડે તથા દષ્ટિયુદ્ધ તથા બાહુયુદ્ધ કરે, ૭૯. વૈદું કરે (ઔષધ વિગેરે દેરામાં કોઈને બતાવે) ૮૦. વેચાણ અથવા સાટું કરે, ૮૧. શય્યા કરી સૂવે, ૮૨. પાણી પીવે અથવા દેરાસરની અગાસી યા પરનાળથી પડતાં પાણીથી ઝીલે, ૮૩. સ્નાન કરે, ૮૪. દેરાસરમાં સ્થિતિ કરે (રહે). દેરાસરમાં આવું વર્તન કરવાથી આ આશાતાનાઓ થાય છે-તેથી તેનું વર્જન કરવું.
બૃહભાષ્યમાં બતાવેલી પાંચ આશાતના ૧. કોઈ પણ પ્રકારે દેરાસરમાં અવજ્ઞા કરવી, ૨. પૂજામાં આદર ન રાખવો, ૩. ભોગ, ૪. દુષ્ટ પ્રણિધાન કરવાં, ૫. અનુચિત પ્રવૃત્તિ કરવી, એમ પાંચ પ્રકારથી આશાતના થાય છે.
૧. અવજ્ઞા આશાતના તે – પલાંઠી બાંધીને બેસવું, પ્રભુને પુંઠ કરવી, પુડપુડી દેવી (પગચંપી કરવી), પગ પસારવા, પ્રભુની સામે દુષ્ટ આસને બેસવું.
૨. આદર ન રાખવો (અનાદર આશાતના) તે-જેવા તેવા વેશથી પૂજા કરવી, જેવે તેવે વખતે પૂજા કરવી, શૂન્યચિત્તે પૂજા કરવી.
૩. ભોગ આશાતના તે - દેરાસરમાં તંબોળ ખાવો. જેથી અવશ્ય પ્રભુની આશાતના કરી કહેવાય; કેમકે તંબોળ ખાતાં જ્ઞાનાદિકના લાભનો નાશ કીધો માટે આશાતના કહેવાય છે.
૪. દુષ્ટ પ્રણિધાન તે - રાગદ્વેષ-મોહથી મનોવૃત્તિ મલીન થઈ હોય એવા વખતે જે ક્રિયા કરવામાં આવે તેવું કાર્ય પ્રભુપૂજામાં કરવું.
૫. અનુચિત પ્રવૃત્તિ તે-કોઈના ઉપર ઘરણું નાખવું, સંગ્રામ કરવો, રૂદન કરવું, વિકથા કરવી, જનાવર બાંધવા, રાંધવું, ભોજન કરવું, ઘરની કાંઈ પણ ક્રિયા કરવી, ગાળ દેવી, વૈદું કરવું, વ્યાપાર કરવો. એટલાં વાનામાંથી હરકોઈ કામ કરવું તેને અનુચિત પ્રવૃત્તિ નામની આશાતના કહેવાય છે, તે તજવા યોગ્ય છે.
ઉપર લખેલી સર્વ પ્રકારની આશાતના હંમેશાં અવિરતિ દેવતા પણ સર્વથા વર્જે છે. જે માટે કહેલું
છે કે -
"વિષયરૂપ વિષથી મોહિત થઈ ગયેલા દેવતા પણ દેવાલયમાં કોઈપણ વખતે અપ્સરાઓની સાથે હાસ્ય-વિનોદ પણ આશાતના થવાના ભયથી કરતા નથી."
ગુરુની તેત્રીશ આશાતના. ૧. ગુરુની આગળ ચાલે તો આશાતના થાય, કેમકે માર્ગ દેખાડવા વિગેરે કોઈપણ કામ વિના ગુરુની
આગળ ચાલવાથી અવિનયનો દોષ લાગે છે, માટે યોગ્ય નથી. ૨. ગુરુના બે પાસે બરોબર ચાલે તો અવિનયી જ ગણાય માટે આશાતના થાય છે. ૩. ગુરુની નજીક પછવાડે ચાલતાં પણ ખાંસી, છીંક વગેરે આવે તેમાંથી ઉછળેલા સળેખમ,
બળખાનો છાંટો ગુરુને લાગવાથી દોષનો સંભવ થવાથી આશાતના થાય છે.