________________
૨૧૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ચોગ્ય વ્યાજ લેવું વ્યાજ પણ દેશ, કાળ આદિનો વિચાર કરીને જ એક, બે, ત્રણ, ચાર, પાંચ અથવા એથી વધારે ટકા લેવું, પણ તે એવી રીતે છે, જેથી શ્રેષ્ઠ લોકમાં આપણી હાંસ ન થાય. દેવાદારે પણ કહેલી મુદતની અંદર જ દેવું પાછું આપવું. કારણ કે, માણસની પ્રતિષ્ઠા મુખમાંથી નીકળેલું વચન પાળવા ઉપર જ આધાર રાખે છે; કેમકે જેટલાં વચનનો નિર્વાહ કરી શકો, તેટલાં જ વચન તમે મુખમાંથી બહાર કાઢો. અર્ધા માર્ગમાં મૂક્વો ન પડે, તેટલો જ ભાર પ્રથમથી ઉપાડવો. કદાચિત્ કોઈ ઓચિંતા કારણથી ધનની હાનિ થઈ જાય, અને તેથી કરેલી કાળમર્યાદામાં ઋણ પાછું ન વાળી શકે, તો કટકે કટકે લેવાનું કબુલ કરાવી લેણદારને સંતોષ કરવો. એમ ન કરે તો વિશ્વાસ ઉઠી જવાથી વ્યવહારમાં વાંધો પડે.
દેવું ન રાખવું. વિવેકી પુરુષે પોતાની સર્વ શક્તિથી ઋણ ઉતારવાનો પ્રયત્ન કરવો. આ ભવે અને પર ભવે દુઃખ દેનારું ઋણ ક્ષણ માત્ર પણ માથે રાખે એવો કોણ મૂઢમતિ હશે? કહ્યું છે કે - ધર્મનો આરંભ, ઋણ ઉતારવું, કન્યાદાન, ધન મેળવવું, શત્રુનો ઉચ્છેદ અને અગ્નિનો તથા રોગનો ઉપદ્રવ મટાડવો, એટલાં વાનાં જેમ બને તેમ જલદીથી કરવાં. શરીરે તેલનું મર્દન કરવું. ઋણ ઉતારવું અને કન્યાનું (દીકરીનું) મરવું એ ત્રણ વાનાં પ્રથમ દુઃખ દઈને પાછળથી સુખ આપે છે. પોતાનું ઉદરપોષણ કરવાને પણ અસમર્થ હોવાથી જો ઋણ પાછું આપી ન શકાય તો, પોતાની યોગ્યતા માફક શાહુકારની સેવા કરીને પણ ઋણ ઉતારવું, એમ ન કરે તો આવતે ભવે શાહુકારને ત્યાં સેવક, પાડો, બળદ, ઉંટ, ગર્દભ, ખચ્ચર, અશ્વ આદિ થવું પડે.
| ઉત્તમ લેણદાર કોણ! શાહુકારે પણ ઋણ પાછું વાળવા અસમર્થ હોય તેની પાસે માંગવું નહીં, કારણ કે, તેથી ફોગટ સંકલેશ તથા પાપની વૃદ્ધિ માત્ર થવાનો સંભવ રહે છે. માટે એવા નાદારને શાહુકારે કહેવું કે, "તને આપવાની શક્તિ આવે ત્યારે મારું ઋણ આપજે અને ન આવે તો મારું એટલું દ્રવ્ય ધર્મખાતે થાઓ.” દેવાદારે ઘણા કાળ સુધી ઋણનો સંબંધ માથે ન રાખવો; કારણ કે, તેમ કરવાથી વખતે આયુષ્ય પૂરું થઈ જાય તો, આવતે ભવે પાછો તે ઋણનો સંબંધ હોઈ વૈર વગેરે વધે છે. ભાવડ શ્રેષ્ઠીને પૂર્વભવના ઋણના સંબંધથી જ પુત્ર થયા એવી વાત સંભળાય છે, તે નીચે લખી છે :
ભાવડ શેઠનું દષ્ણતા ભાવડ નામે એક શ્રેષ્ઠી હતો. તેની સ્ત્રીને પેટે એક જીવ અવતર્યો, તે વખતે ખોટાં સ્વપ્ન આવ્યાં, તથા શ્રેષ્ઠીની સ્ત્રીને દોહલા પણ ઘણા જ માઠા ઉત્પન્ન થયા. બીજા પણ ઘણાં અપશુકન થયાં. સમય પૂર્ણ થયે શ્રેષ્ઠીને મૃત્યુયોગ ઉપર દુષ્ટ પુત્ર થયો. તે ઘરમાં રખાય નહીં, તેથી માહણી નદીને કાંઠે એક સૂકાયેલા વૃક્ષની નીચે તે બાળકને મૂકયો.