________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૮૧
"અરિહંત સિદ્ધ એ છ અક્ષરનો મંત્ર ત્રણસોવાર અને "અરિહંત" એ ચાર અક્ષરનો મંત્ર ચારસો વાર અને અવર્ણ' એટલે કેવલ (અરિહંતમાં રહેલો પ્રથમવર્ણ) અને પાંચસો વાર ગણનારો યોગી એક ઉપવાસનું ફળ પામે છે.
- પ્રવૃત્તિનુવૈત-મીષાં સ્થિત
फलं स्वर्गापवर्गों तु, वदन्ति परमार्थतः ||३|| આ બધા જાપનું આ ફળ પ્રવૃત્તિ થાય તે હેતુએ જ કહેવાયું છે. ખરી રીતે તો તેનું ફળ સ્વર્ગ અને મોક્ષ-પ્રાપ્તિ છે.
પાંચ અક્ષરનો મંત્ર ગણવાનો વિધિ नाभिपद्मस्थितं ध्यायेदकारं विश्वतोमुखम् । सिवर्ण मस्तकाम्भोजे, आकारं वदनाम्बुजे ॥ उकारं हृदयाम्भोजे, साकारं कण्ठपअरे ॥
सर्वकल्याणकारीणि, बीजान्यन्यान्यपि स्मरेत् ।।५।। નાભિકમલમાં સ્થાપેલા 'અ' કારને બાવો, મસ્તકરૂપ કમળમાં વિશ્વમાં મુખ્ય એવા સિ' અક્ષરને બાવો. અને મુખરૂપ કમળમાં આ કારને ધ્યાવો. હૃદયરૂપ કમળમાં 'ઉ'કાર ચિંતવવો અને કંઠ પિંજરમાં “સા' કાર ચિંતવવો. સર્વ કલ્યાણકારી અસિઆઉસા' આવા બીજાક્ષર મંત્ર તથા બીજા સર્વસિદ્ધભ્ય:' એવા પણ મંત્રાલર સ્મરણ કરવા. :
मन्त्रः प्रणवपूर्वोऽयं, फलमैहिकमिच्छुभिः ।
ध्येयः प्रणवहीनस्तु, निर्वाणपदकांक्षिभिः ||६|| આ લોકની ફળની વાંછા રાખનાર સાધક પુરુષે નવકાર મંત્રની આદિમાં ૐ અક્ષર ઉચ્ચાર કરવો અને મોક્ષપદની આકાંક્ષા રાખનારે ૐકાર રહિત જાપ કરવો.
एवं च मन्त्रविद्यानां, वर्णेषु च पदेषु च।।
विप्लेषः क्रमशः कुर्याल्लक्ष्यभावोपपत्तये ||७|| એવી રીતે મંત્રવિદ્યાના વર્ણમાં અને પદમાં ક્રમથી વિશ્લેષ અરિહંતાદિકના ધ્યાનમાં લીન થવા માટે કરવો.
જાપનો પ્રભાવ જાપાદિક કરવાથી મહા-લાભની પ્રાપ્તિ થાય છે. કહેલું જ છે કે :
पूजाकोटिसमं स्तोत्रं, स्तोत्रकोटिसमो जपः । जपकोटिसमं ध्यानं ध्यानकोटिसमो लयः ||१||