________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
विषयानभिपतद्भिरसमीचीनवृत्तितामनुभवन्नुपरुद्धशक्तिसारेणापि
ज्ञानदर्शनवीर्यात्मकेन निश्चयकारणतामुपागतेन स्वभावेन परिणममानः स्वयमेवायमात्मा सुखतामापद्यते। शरीरं त्वचेतनत्वादेव सुखत्वपरिणतेर्निश्चयकारणतामनुपगच्छन्न जातु सुखतामुपढौकत इति।।६५।।
अथैतदेव दृढयति
एगतेण हि देहो सुहं ण देहिस्स कुणदि सग्गे वा। विसयवसेण दु सोक्खं दुक्खं वा हवदि सयमादा।।६६।।
रहितशुद्धात्मतत्त्वविलक्षणैः स्पर्शनादिभिरिन्द्रियैः समाश्रितान् सम्यक् प्राप्यान् ग्राह्यान्, इत्थंभूतान् विषयान् प्राप्य। स कः। अप्पा आत्मा कर्ता। किंविशिष्टः। सहावेण परिणममाणो अनन्तसुखोपादानभूतशुद्धात्मस्वभावविपरीतेनाशुद्धसुखोपादानभूतेनाशुद्धात्मस्वभावेनः परिणम-मानः। इत्थंभूतः सन् सयमेव सुहं स्वयमेवेन्द्रियसुखं भवति परिणमति। ण हवदि देहो देहः पुनरचेतनत्वात्सुखं न भवतीति।।
એમ કરીને વિષયો તરફ ધસતી ઇન્દ્રિયો વડે અસમીચીન-પરિણતિપણું અનુભવતો હોવાથી, જેની શક્તિની ઉત્કૃષ્ટતા (-પરમ શુદ્ધતા) રોકાઈ ગઈ છે એવા પણ (પોતાના) જ્ઞાનદર્શનવીર્યાત્મક સ્વભાવે-કે જે (સુખના ) નિશ્ચય-કારણરૂપ છે–પરિણમતો થકો સ્વયમેવ આ આત્મા સુખપણાને પામે છે (-સુખરૂપ થાય છે ); અને શરીર તો અચેતન જ હોવાથી સુખત્વપરિણતિનું નિશ્ચય-કારણ નહિ થતું થયું જરાય સુખપણાને પામતું નથી.
ભાવાર્થ:- સશરીર અવસ્થામાં પણ આત્મા જ સુખરૂપ (-ઇદ્રિયસુખરૂપ) પરિણતિએ પરિણમે છે, દેહુ નહિ; તેથી ત્યારે પણ (-સશરીર અવસ્થામાં પણ ) સુખનું નિશ્ચય કારણ આત્મા જ છે અર્થાત્ ઇદ્રિયસુખનું પણ વાસ્તવિક કારણ આત્માનો જ અશુદ્ધ સ્વભાવ છે. અશુદ્ધ સ્વભાવે પરિણમતો આત્મા જ સ્વયમેવ ઇંદ્રિયસુખરૂપ થાય છે. તેમાં દેહ કારણ નથી; કારણ કે સુખરૂપ પરિણતિ અને દેહ તદ્દન ભિન્ન હોવાને લીધે સુખને અને દેહને નિશ્ચયથી કાર્યકારણપણું બિલકુલ નથી. ૬૫.
હવે આ જ વાતને દઢ કરે છે:
એકાંતથી સ્વર્ગીય દેહ કરે નહીં સુખ દેહીને, પણ વિષયવશ સ્વયમેવ આત્મા સુખ ના દુઃખ થાય છે. ૬૬.
૧. અસમીચીન = અસમ્યક, અઠીક; અયોગ્ય. ૨. ઇન્દ્રિયસુખરૂપે પરિણમનાર આત્માને જ્ઞાનદર્શનવીર્યાત્મક સ્વભાવની ઉત્કૃષ્ટ શક્તિ રોકાઈ ગઈ છે અર્થાત
સ્વભાવ અશુદ્ધ થયો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com