________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
स्कन्धमूलशाखाभिरालम्बित एव प्रतिभाति, तथा समुदायि द्रव्यं पर्यायसमुदायात्मकं पर्यायैरालम्बितमेव प्रतिभाति। पर्यायास्तूत्पादव्ययध्रौव्यैरालम्ब्यन्ते, उत्पादव्ययध्रौव्याणामशधर्मत्वात्; बीजाङ्गुरपादपत्ववत्। यथा किलाशिनः पादपस्य बीजाङ्कुरपादपत्वलक्षणास्त्रयोंऽशा भङ्गोत्पादध्रौव्यलक्षणैरात्मधर्मैरालम्बिताः सममेव प्रतिभान्ति, तथांशिनो द्रव्यस्योच्छिद्यमानोत्पद्यमानावतिष्ठमानभावलक्षणास्त्रयोंऽशा भगोत्पादध्रौव्यलक्षणैरात्मधमरालम्बिताः सममेव प्रतिभान्ति। यदि पुनर्भङ्गोत्पादध्रौव्याणि द्रव्यस्यैवेष्यन्ते तदा समग्रमेव विप्लवते। तथा हि- भङ्गे तावत् क्षणभङ्गकटाक्षितानामेकक्षण एव सर्वद्रव्याणां संहरणाद्रव्यशून्यतावतारः सदुच्छेदो वा। उत्पादे तु प्रतिसमयोत्पादमुद्रितानां प्रत्येकं द्रव्याणामानन्त्यमसदुत्पादो वा।
तिष्ठन्ति। केषु। पज्जएसु सम्यक्त्वपूर्वकनिर्विकारस्वसंवेदनज्ञानपर्याये तावदुत्पादस्तिष्ठति स्वसंवेदनज्ञानविलक्षणाज्ञानपर्यायरूपेण भङ्गस्तदुभयाधारात्मद्रव्यत्वावस्थारूपपर्यायेण ध्रौव्यं चेत्युक्तलक्षणस्वकीयस्वकीयपर्यायेषु। पज्जाया दव्वं हि संति ते चोक्तलक्षणज्ञानाज्ञानतदुभयाधारात्मद्रव्यत्वावस्थारूपपर्याया हि
અને શાખાઓના સમુદાય સ્વરૂપ હોવાથી સ્કંધ, મૂળ અને શાખાઓથી આલંબિત જ ભાસે છે ( જોવામાં આવે છે), તેમ સમુદાયી દ્રવ્ય પર્યાયોના સમુદાયસ્વરૂપ હોવાથી પર્યાયો વડ આલંબિત જ ભાસે છે (અર્થાત્ જેમ થડ, મૂળ અને ડાળીઓ વૃક્ષના આશ્રયે જ છે-વૃક્ષથી ભિન્નપદાર્થરૂપ નથી, તેમ પર્યાયો દ્રવ્યના આશ્રયે જ છે-દ્રવ્યથી ભિન્ન પદાર્થરૂપ નથી).
અને પર્યાયો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વડે આલંબાય છે (અર્થાત ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પર્યાયોને આશ્રિત છે, કારણ કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય અંશોના ધર્મો છે ( – અંશીના ધર્મો નથી); બીજ, અંકુર અને વૃક્ષત્વની માફક. જેમ અંશી એવા વૃક્ષના બીજ–અંકુર-વૃક્ષ–સ્વરૂપ ત્રણ અંશો ભંગ-ઉત્પાદધ્રૌવ્યસ્વરૂપ નિજ ધર્મો વડે આલંબિત એકીસાથે જ ભાસે છે, તેમ અંશી એવા દ્રવ્યના, નષ્ટ થતો ભાવ, ઊપજતો ભાવ અને અવસ્થિત રહેતો ભાવ એ ત્રણ અંશો ભંગ-ઉત્પાદ-ધ્રૌવ્યસ્વરૂપ નિજ ધર્મો વડે આલંબિત એકીસાથે જ ભાસે છે. પરંતુ જો (ભંગ-ઉત્પાદ-ધ્રૌવ્ય અંશોનાં નહિ માનતાં) (૧) ભંગ, (૨) ઉત્પાદ અને (૩) ધ્રૌવ્ય દ્રવ્યનાં જ માનવામાં આવે, તો બધુંય વિપ્લવ પામે. તે આ પ્રમાણેઃ (૧) પ્રથમ, જો દ્રવ્યનો જ ભંગ માનવામાં આવે તો ક્ષણભંગથી લક્ષિત સર્વ દ્રવ્યોનો એક ક્ષણમાં જ સંહાર થવાથી દ્રવ્યશૂન્યતા આવે અથવા સનો ઉચ્છેદ થાય. (૨) જો દ્રવ્યનો જ ઉત્પાદ માનવામાં આવે તો સમયે સમયે થતા ઉત્પાદ વડ ચિલિત એવાં દ્રવ્યોને પ્રત્યેકને અનંતપણું
૧. અંશી = અંશોવાળું: અંશોનું બનેલું. (દ્રવ્ય અંશી છે.) ૨. વિપ્લવ = અંધાધૂંધી; ઊથલપાથલ; ગોટાળો; વિરોધ. ૩. ક્ષણભંગથી લક્ષિત = ક્ષણવિનાશ જેમનું લક્ષણ હોય એવાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com