________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૬
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
र्थमारभ्यमाण विहारकर्मणि, श्रामण्यपर्यायसहकारिकारणत्वेनाप्रतिषिध्यमाने केवलदेहमात्र उपधौ, अन्योन्यबोध्यबोधकभावमात्रेण
ચિત્પરિજિતે
અમને, शब्दपदलोल्लाससंवलनकश्मलितचिद्भत्तिभागायां शुद्धात्मद्रव्यविरुद्धायां कथायां चैतेष्वपि तद्विकल्पाचित्रितचित्तभित्तितया प्रतिषेध्यः प्रतिबन्धः।। २१५।। अथ को नाम छेद इत्युपदिशति
अपयत्ता वा चरिया सयणासणठाणचंकमादीसु। समणस्स सव्वकाले हिंसा सा संतत्तिय त्ति मदा।। २१६ ।।
पदार्थविचारसहकारिकारणभूते श्रमणे समशीलसंघातकतपोधने वा, विकधम्हि परमसमाधिविघातकश्रृङ्गारवीररागादिकथायां चेति। अयमत्रार्थ:-आगमविरुद्धाहारविहारादिषु तावत्पूर्वमेव निषिद्धः, योग्या हारविहारादिष्वपि ममत्वं न कर्तव्यमिति।। २१५ ।। एवं संक्षेपेणाचाराराधनादिकथिततपोधनविहारव्याख्यानमुख्यत्वेन चतुर्थस्थले गाथात्रयं गतम्। अथ शुद्धोपयोगभावनाप्रतिबन्धकच्छेदं कथयति
આવતું જે વિહારકાર્ય, (૫) શ્રામપ્યપર્યાયનું સહકારી કારણ હોવાથી જેનો નિષેધ નથી એવો જે કેવળ દેહમાત્ર પરિગ્રહ, (૬) માત્ર અન્યોન્ય * બોધ્યબોધકપણે જેમનો કથંચિત પરિચય વર્તે છે એવા જે શ્રમણ (અન્ય મુનિ), અને (૭) શબ્દરૂપ પુદ્ગલોલ્લાસ (પુદ્ગલપર્યાય) સાથે સંબંધથી જેમાં ચૈતન્યરૂપી ભીંતનો ભાગ મલિન થાય છે એવી, શુદ્ધાત્મદ્રવ્યથી વિરુદ્ધ જે કથા, તેમનામાં પણ પ્રતિબંધ નિષેધવાયોગ્ય-તજવાયોગ્ય છે એટલે કે તેમના વિકલ્પોથી પણ ચિત્તભૂમિ ચિત્રિત થવા દેવી યોગ્ય નથી.
ભાવાર્થ:- આગમવિરુદ્ધ આહારવિહારાદિ તો મુનિએ પ્રથમ જ છોડ્યા છે. હવે સંયમના નિમિત્તપણાની બુદ્ધિએ મુનિને જે આગમોક્ત આહાર, અનશન, ગુફા વગેરેમાં નિવાસ, વિહાર, દેહમાત્ર પરિગ્રહ, અન્ય મુનિઓનો પરિચય અને ધાર્મિક ચર્ચાવાર્તા વર્તે છે, તેમના પ્રત્યે પણ રાગાદિ કરવાયોગ્ય નથી-તેમના વિકલ્પોથી પણ મનને રંગાવા દેવું યોગ્ય નથી; એ રીતે આગમોત આહારવિહારાદિમાં પણ પ્રતિબંધ પામવો યોગ્ય નથી કારણ કે તેનાથી સંયમમાં છેદ થાય છે. ૨૧૫. હવે છેદ શું છે (અર્થાત્ કોને છેદ કહેવામાં આવે છે) તે ઉપદેશે છે:
આસન-શયન-ગમનાદિકે ચર્યા પ્રયત્નવિહીન જે, તે જાણવી હિંસા સદા સંતાનવાહિની શ્રમણને. ૨૧૬.
* બોધ્ય એટલે જેને સમજાવવાનો હોય તે અર્થાત્ જેને ઉપદેશ દેવાનો હોય તે, અને બોધક એટલે
સમજાવનાર અર્થાત્ ઉપદેશ દેનાર. માત્ર અન્ય શ્રમણો પાસેથી પોતે બોધ લેવા માટે અથવા અન્ય શ્રમણોને બોધ દેવા માટે મુનિને અન્ય શ્રમણો સાથે પરિચય હોય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com