Book Title: Pravachana sara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 539
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦૪ પ્રવચનસાર [ ભગવાનશ્રીકુંદકુંદ भवति चात्र श्लोकाः आनन्दामृतपूरनिर्भरवहत्कैवल्यकल्लोलिनीनिर्मग्नं जगदीक्षणक्षममहासंवेदनश्रीमुखम्। स्यात्काराङ्कजिनेशशासनवशादासादयन्तूल्लसत् स्वं तत्त्वं वृतजात्यरत्नकिरणप्रस्पष्टमिष्टं जनाः।।२०।। *व्याख्येयं किल विश्वमात्मसहितं व्याख्या तु गुम्फो गिरां व्याख्यातामृतचन्द्रसूरिरिति मा मोहाज्जनो वल्गतु। वल्गत्वद्य । धिकलया स्याद्वादविद्याबलात लब्ध्वैकं सकलात्मशाश्वतमिदं स्वं तत्त्वमव्याकुलः।। २१।। इति श्रीजयसेनाचार्यकृतायां तात्पर्यवृत्तौ एवं पूर्वोक्तक्रमेण 'एस सुरासुर' इत्यायेकोत्तरशतगाथापर्यन्तं सम्यग्ज्ञानाधिकार:, तदनन्तरं 'तम्हा तस्स णमाइं' इत्यादि त्रयोदशोत्तरशतगाथापर्यन्तं અહીં શ્લોક પણ છે: [ અર્થ –] આનંદામૃતના પૂરથી ભરચક વહેતી કેવલ્યસરિતામાં (મુક્તિરૂપી સરિતામાં) જે ડૂબેલું છે, જગતને જોવાને સમર્થ એવી મહાસંવેદનરૂપી શ્રી (મહાજ્ઞાનરૂપી લક્ષ્મી) જેમાં મુખ્ય છે, ઉત્તમ રતના કિરણ જેવું જ સ્પષ્ટ છે અને જે ઇષ્ટ છે એવા ઉલ્લસતા (પ્રકાશમાન, આનંદમય ) સ્વતત્ત્વને જનો સ્યાત્કારલક્ષણ જિનશાસનના વશ પામો (-‘સ્યાત્કાર જેનું ચિહ્ન છે એવા જિનભગવાનના શાસનનો આશ્રય કરીને પામો) [ હવે, “અમૃતચંદ્રસૂરિ આ ટીકાના રચનાર છે' એમ માનવું યોગ્ય નથી એવા અર્થના કાવ્ય દ્વારા યથાર્થ વસુસ્વરૂપને દર્શાવી સ્વતન્તપ્રાપ્તિની પ્રેરણા કરવામાં આવે છે. ] [ અર્થ:-] (ખરેખર પુદગલો જ સ્વયં શબ્દરૂપે પરિણમે છે, આત્મા તેમને પરિણાવી શકતો નથી, તેમ જ ખરેખર સર્વ પદાર્થો જ સ્વયં શેયપણે-પ્રમેયપણે પરિણમે છે; શબ્દો તેમને શેય બનાવીસમજાવી શકતા નથી માટે) “આત્મા સહિત વિશ્વ તે વ્યાખ્યય (સમજાવવાયોગ્ય) છે, વાણીની ગૂંથણી તે વ્યાખ્યા (સમજૂતી) છે અને અમૃતચંદ્રસૂરિ તે વ્યાખ્યાતા (વ્યાખ્યા કરનાર, સમજાવનાર) છે” એમ મોથી જનો ન નાચો (–ન ફુલાઓ). (પરંતુ) સ્યાદ્વાદવિદ્યાના બળથી વિશુદ્ધ જ્ઞાનની કળા વડે આ એક આખા શાશ્વત સ્વ તત્ત્વને પ્રાપ્ત કરીને આજે (જનો) અવ્યાકુળપણે નાચો (– પરમાનંદપરિણામે પરિણમો). [ હવે કાવ્ય દ્વારા ચૈતન્યનો મહિમા ગાઈને, તે જ એક અનુભવવાયોગ્ય છે એમ પ્રેરણા કરીને, આ પરમ પવિત્ર પરમાગમની પૂર્ણાહુતિ કરવામાં આવે છે.] * શાર્દૂલવિક્રીડિત છંદ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 537 538 539 540 541 542 543 544 545 546 547 548