Book Title: Pravachana sara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 537
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦૨ પ્રવચનસાર [ ભગવાનશ્રીકુંદકુંદ तरङ्गिणीपयःपूरसमवायात्मकैकमकराकरवदनन्तधर्माणां वस्तुत्वेनाशक्यविवेचनत्वान्मेचकस्वभावानन्तधर्मव्याप्येकधर्मित्वात् यथोदितानेकान्तात्मात्मद्रव्यम्। *स्यात्कारश्रीवासवश्यैर्नयौधैः पश्यन्तीत्थं चेत् प्रमाणेनचापि। पश्यन्त्येव प्रस्फुटानन्तधर्म સ્વાત્મદ્રવ્ય: શુદ્ધવિન્માત્રમા: इत्यभिहितमात्मद्रव्यमिदानीमेतदवाप्तिप्रकारोऽभिधीयते-अस्य तावदात्मनो नित्यमेवानादिपौद्गलिककर्मनिमित्तमोहभावनानुभावघूर्णितात्मवृत्तितया तोयाकरस्येवात्मन्येव क्षुभ्यतः क्रमप्रवृत्ताभिरनन्ताभिज्ञप्तिव्यक्तिभिः परिवर्तमानस्य ज्ञप्तिव्यक्तिनिमित्ततया ज्ञानानुचरणरूपाभेदरत्नत्रयात्मकनिर्विकल्पसमाधिसंजातरागाधुपाधिरहितपरमानन्दैकलक्षणसुखामृतरसा સ્વ સમવાયાત્મક (સમુદાયસ્વરૂપ) એક સમુદ્રની માફક, અનંત ધર્મોને વસ્તપણે જાદા પાડવા અશકય હોવાથી આત્મદ્રવ્ય મેચકસ્વભાવવાળું, અનંત ધર્મોમાં વ્યાપનારું, એક ધર્મી હોવાને લીધે યથોક્ત અનેકાન્તાત્મક (અનેકધર્મસ્વરૂપ) છે. [ જેમ એક વખતે એક નદીના જળને જાણનારા જ્ઞાનાશ વડે જોવામાં આવે તો સમુદ્ર એક નદીના જળસ્વરૂપ જણાય છે, તેમ એક વખતે એક ધર્મને જાણનારા એક નયથી જોવામાં આવે તો આત્મા એક ધર્મસ્વરૂપ જણાય છે; પરંતુ જેમ એકીસાથે સર્વ નદીઓનાં જળને જાણનારા જ્ઞાન વડે જોવામાં આવે તો સમુદ્ર સર્વ નદીઓના જળસ્વરૂપ જણાય છે, તેમ એકીસાથે સર્વ ધર્મોને જાણનારા પ્રમાણ વડ જોવામાં આવે તો આત્મા અનેક ધર્મસ્વરૂપ જણાય છે. આ રીતે એક નયથી જોતાં આત્મા એકાંતાત્મક છે અને પ્રમાણથી જોતાં અનેકાંતાત્મક છે.] [હવે એ જ આશયને કાવ્ય દ્વારા કહીને આત્મા કેવો છે' એ વિષેનું કથન પૂરું કરવામાં આવે છે.] [અર્થ:-] આ રીતે સ્યાત્કારશ્રીના (સ્તાત્કારરૂપી લક્ષ્મીના) વસવાટને વશ વર્તતા નયસમૂહો વડે (જીવો) જાએ તોપણ અને પ્રમાણ વડે જુએ તોપણ સ્પષ્ટ અનંત ધર્મોવાળા નિજ આત્મદ્રવ્યને અંદરમાં શુદ્ધચૈતન્યમાત્ર દેખે છે જ. એ રીતે આત્મદ્રવ્ય કહેવામાં આવ્યું. હવે તેની પ્રાપ્તિનો પ્રકાર (રીત) કહેવામાં આવે છે: પ્રથમ તો, અનાદિ પૌદ્ગલિક કર્મ જેનું નિમિત્ત છે એવી મોહભાવનાના (મોહના અનુભવના) પ્રભાવ વડે આત્મપરિણતિ સદાય ઘૂમરી ખાતી હોવાથી આ આત્મા સમુદ્રની માફક પોતામાં જ ક્ષુબ્ધ થતો થકો ક્રમે પ્રવર્તતી અનંત જ્ઞતિવ્યક્તિઓ વડે પરિવર્તન પામે * શાલિની છંદ * મેચક = જુદા જુદા; વિધવિધ; અનેક. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548