________________
४०८
[ ભગવાનશ્રીકુંદકુંદ
आत्मद्रव्यस्य द्वितीयपुद्गलद्रव्याभावात्सर्व एवोपधिः प्रतिषिद्ध इत्युत्सर्गः। अयं तु विशिष्टकालक्षेत्रवशात्कश्चिदप्रतिषिद्ध इत्यपवादः । यदा हि श्रमणः सर्वोपधिप्रतिषेधमास्थाय परममुपेक्षासंयमं प्रतिपत्तुंकामोऽपि विशिष्टकालक्षेत्रवशावसन्नशक्तिर्न प्रतिपत्तुं क्षमते, तदापकृष्य संयमं प्रतिपद्यमानस्तद्बहिरङ्गसाधनमात्रमुपधिमातिष्ठते। स तु तथा स्थीयमानो न खलूपधित्वाच्छेदः, प्रत्युत छेदप्रतिषेध एव । यः किलाशुद्धोपयोगाविनाभावी स छेदः । अयं तु श्रामण्यपर्यायसहकारिकारणशरीरवृत्तिहेतुभूताहारनिर्हारादिग्रहणविसर्जनविषयच्छेदप्रतिषेधार्थमुपा दीयमानः सर्वथा शुद्धोपयोगाविनाभूतत्वाच्छेदप्रतिषेध एव स्यात् ।। २२२ ।।
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
अथ
પ્રવચનસાર
अथाप्रतिषिद्धपधिस्वरूपमुपदिशति
अप्पडिकुट्टं उवधिं अपत्थणिज्जं असंजदजणेहिं । मुच्छादिजणणरहिदं गेण्हदु समणो जदि वि अप्पं ।। २२३ ।।
पूर्वसूत्रोदितोपकरणस्वरूपं दर्शयति- अप्पडिकुद्धं उवधिं निश्चयव्यवहारमोक्षमार्गसहकारिकारणत्वेनाप्रतिषिद्धमुपधिमुपकरणरूपोपधिं, अपत्थणिज्जं असंजदजणेहिं अप्रार्थनीयं
निर्विकारात्मोपलब्धिलक्षणभाव
ટીકા:- આત્મદ્રવ્યને દ્વિતીય પુદ્દગલદ્રવ્યનો અભાવ હોવાથી બધોય ઉપધિ નિષિદ્ધ છે-એમ ઉત્સર્ગ (-સામાન્ય નિયમ ) છે; અને વિશિષ્ટ કાળક્ષેત્રને વશ કોઈક ઉપધિ અનિષિદ્ધ છે-એમ અપવાદ છે. જ્યારે શ્રમણ સર્વ ઉપધિના નિષેધનો આશ્રય કરીને પરમોપેક્ષાસંયમને પ્રાપ્ત કરવાનો ઇચ્છક હોવા છતાં પણ વિશિષ્ટ કાળક્ષેત્રના વશે હીનશક્તિવાળો હોવાથી તેને પ્રાપ્ત કરવાને અસમર્થ હોય છે, ત્યારે તેમાં અપકર્ષણ કરીને (અનુત્કૃષ્ટ) સંયમ પ્રાપ્ત કરતો થકો તેના બહિરંગ સાધનમાત્ર ઉપધિનો આશ્રય કરે છે. એ રીતે જેનો આશ્રય કરવામાં આવે છે એવો તે ઉપધિ ઉપધિપણાને લીધે ખરેખર છેદરૂપ નથી, ઊલટો છેદના નિષેધરૂપ (-ત્યાગરૂપ ) જ છે. જે (ઉપધિ ) અશુદ્ધોપયોગ વિના હોતો નથી તે છેદ છે. પરંતુ આ (સંયમના બાહ્યસાધનમાત્રભૂત ઉપધિ) તો શ્રામણ્યપર્યાયના સહકારી કારણભૂત શરીરની વૃત્તિના હેતુભૂત આહાર-નીહારાદિનાં ગ્રહણ-વિસર્જન સંબંધી છેદના નિષેધને અર્થે ગ્રહવામાં આવતો હોવાથી સર્વથા શુદ્ધોપયોગ સહિત છે તેથી છેદના નિષેધરૂપ જ છે. ૨૨૨. હવે અનિષિદ્ધ ઉપધિનું સ્વરૂપ ઉપદેશ છેઃ
ઉપધિ અનિંદિતને, અસંયત જન થકી અણપ્રાર્થ્યને, મૂર્છાદિજનનરહિતને જ ગ્રહો શ્રમણ, થોડો ભલે. ૨૨૩.
૧. પ૨મોપેક્ષાસંયમ
૫૨મ-ઉપેક્ષાસંયમ. [ઉત્સર્ગ, નિશ્ચયનય, સર્વપરિત્યાગ, પ૨મોપેક્ષાસંયમ, વીતરાગચારિત્ર અને શુદ્ધોપયોગ-એ બધાં એકાર્થ છે.]
૨. અપકર્ષણ = ઓછપ. [ અપવાદ, વ્યવહારનય, એકદેશપરિત્યાગ, અપહૃતસંયમ (હીણો-ઓછપવાળો સંયમ, સરાગચારિત્ર અને શુભોપયોગ–એ બધાં એકાર્થ છે.]
૩. ગ્રહણ-વિસર્જન = ગ્રહણ-ત્યાગ.
=
Please inform us of any errors on rajesh@AtmaDharma.com