________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા ]
પરિશિષ્ટ
૪૯૯
दैववादिवदयत्नसाध्यसिद्धिः ३३। ईश्वरनयेन धात्रीहटावलेह्यमानपान्थबालकवत्पारतन्त्र्यभोक्तृ ३४ । अनीश्वरनयेन स्वच्छन्ददारितकुरङ्गकण्ठीरववत्स्वातन्त्र्यभोक्तृ ३५। गुणिनयेनोपाध्याय
मारकवरणग्राहि ३६। अगणिनयेनोपाध्यायविनीयमानकमारकाध्यक्षवत केवलमेव साक्षि ३७। कर्तृनयेन रञ्जकवद्रागादिपरिणामकर्तृ ३८। अकर्तृनयेन स्वकर्मप्रवृत्तरञ्जकाध्यक्षवत्केवलमेव साक्षि ३९। भोक्तृनयेन हिताहितान्नभोक्तृव्याधितवत् सुखदुःखादिभोक्तृ ४०। अभोक्तृनयेन हिताहितान्नभोक्तृव्याधिताध्यक्षधन्वन्तरिचरवत्
ज्ञानदर्शनस्वभावनिजपरमात्मतत्त्वसम्यक्श्रद्धानज्ञानानुष्ठानरूपाभेदरत्नत्रयात्मकनिर्विकल्पसमाधिसंजातरा गाद्युपाधिरहितपरमानन्दैकलक्षणसुखामृतरसास्वादानुभवमलभमानः सन् पूर्णमासीदिवसे जलकल्लोलाभितसमुद्र इव
આત્મદ્રવ્ય ઇશ્વરનયે પરતંત્રતા ભોગવનાર છે, ધાવની દુકાને ધવડાવવામાં આવતા મુસાફરના બાળકની માફક. ૩૪.
આત્મદ્રવ્ય અનીશ્વરનયે સ્વતંત્રતા ભોગવનાર છે, હરણને સ્વચ્છેદે (સ્વતંત્રપણે, પોતાની મરજી અનુસાર) ફાડી ખાતા સિંહની માફક. ૩૫.
આત્મદ્રવ્ય ગુણીનયે ગુણગ્રાહી છે, શિક્ષક વડે જેને કેળવણી આપવામાં આવે છે એવા કુમારની માફક. ૩૬.
આત્મદ્રવ્ય અગુણીનયે કેવળ સાક્ષી જ છે (-ગુણગ્રાહી નથી), શિક્ષક વડે જેને કેળવણી આપવામાં આવે છે એવો જે કુમાર તેને જોનાર પુરુષની (-પ્રેક્ષકની) માફક. ૩૭.
આત્મદ્રવ્ય કર્તુનયે, રંગરેજની માફક, રાગાદિપરિણામનું કરનાર છે (અર્થાત્ આત્મા કર્તાનયે રાગાદિ પરિણામોનો કર્તા છે, જેમ રંગારો રંગકામનો કરનાર છે તેમ). ૩૮.
આત્મદ્રવ્ય અકર્તુનયે કેવળ સાક્ષી જ છે ( કર્તા નથી), પોતાના કાર્યમાં પ્રવૃત્ત રંગરેજને જોનાર પુરુષની (–પ્રેક્ષકની) માફક. ૩૯.
આત્મદ્રવ્ય ભોıનયે સુખદુ:ખાદિનું ભોગવનાર છે, હિતકારી-અહિતકારી અન્નને ખાનાર રોગીની માફક. [ આત્મા ભોક્તાનયે સુખદુઃખાદિને ભોગવે છે, જેમ હિતકારી કે અહિતકારી અન્નને ખાનાર રોગી સુખ કે દુ:ખને ભોગવે છે તેમ.] ૪૦.
આત્મદ્રવ્ય અભોક્નત્વનયે કેવળ સાક્ષી જ છે, હિતકારી-અહિતકારી અન્નને ખાનાર રોગીને જોનાર વૈધની માફક. [ આત્મા અભોક્તાનયે કેવળ સાક્ષી જ છે-ભોક્તા નથી, જેમ સુખદુ:ખને ભોગવનાર રોગીને જોનાર જે વૈધ તે તો કેવળ સાક્ષી જ છે તેમ.] ૪૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com