________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦
પ્રવચનસાર
[ ભગવાન શ્રીકુંદકુંદपीततादयो गुणाः, यथा च सुवर्णं क्रमपरिणामेनेति तेन क्रमपरिणामेनार्यमाणा वा अर्थाः कुण्डलादयः पर्यायाः। एवमन्यत्रापि। यथा चैतेषु सुवर्णपीततादिगुणकुण्डलादिपर्यायेषु पीततादिगुणकुण्डलादिपर्यायाणां सुवर्णादपृथग्भावात्सुवर्णमेवात्मा तथा च तेषु द्रव्यगुणपर्यायेषु गुणपर्यायाणां द्रव्यादपृथग्भावाद्रव्यमेवात्मा।। ८७।।
एव स्वभाव इति। अथ विस्तर:-अनन्तज्ञानसुखादिगुणान् तथैवामूर्तत्वातीन्द्रियत्व-सिद्धत्वादिपर्यायांश्च इयर्ति गच्छति परिणमत्याश्रयति येन कारणेन तस्मादर्थो भण्यते। किम्। शुद्धात्मद्रव्यम्। तच्छुद्धात्मद्रव्यमाधारभूतमिति गच्छन्ति परिणमन्त्याश्रयन्ति येन कारणेन ततोऽर्था भण्यन्ते। के ते। ज्ञानत्वसिद्धत्वादिगुणपर्यायाः। ज्ञानत्वसिद्धत्वादिगुणपर्यायाणामात्मा स्वभावः क इति पृष्टे शुद्धात्मद्रव्यमेव स्वभावः,
-પહોંચાય છે તેથી પીળાશ વગેરે ગુણો “અર્થો છે, અને જેમ કુંડળ વગેરે પર્યાયો સુવર્ણને ક્રમ પરિણામથી પામે-પ્રાપ્ત કરે-પહોંચે છે અથવા (તેઓ) સુવર્ણ વડે કમપરિણામથી પમાય-પ્રાપ્ત કરાય-પહોંચાય છે તેથી કુંડળ વગેરે પર્યાયો “અર્થો ” છે, તેમ અન્યત્ર પણ છે (અર્થાત્ આ દષ્ટાંતની માફક સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયોમાં પણ સમજવું).
વળી જેમ આ સુવર્ણ, પીળાશ વગેરે ગુણો અને કુંડળ વગેરે પર્યાયોમાં (–આ ત્રણમાં), પીળાશ વગેરે ગુણોનું અને કુંડળ વગેરે પર્યાયોનું સુવર્ણથી અપૃથપણું હોવાથી તેમનો (પીળાશ વગેરે ગુણોનો અને કુંડળ વગેરે પર્યાયોનો) સુવર્ણ જ આત્મા છે, તેમ તે દ્રવ્ય-ગુણ-પર્યાયોમાં ગુણ-પર્યાયોનું દ્રવ્યથી અપૃથકપણું હોવાથી તેમનો દ્રવ્ય જ આત્મા છે (અર્થાત્ દ્રવ્ય જ ગુણો અને પર્યાયોનો આત્મા-સ્વરૂપ-સર્વસ્વ-સત્ત્વ છે ).
ભાવાર્થ - ૮૬ મી ગાથામાં કહ્યું હતું કે જિનશાસ્ત્રોનો સમ્યક અભ્યાસ મોહક્ષયનો ઉપાય છે. અહીં તે જિનશાસ્ત્રોમાં પદાર્થોની શી રીતે વ્યવસ્થા કહી છે તે સંક્ષેપમાં દર્શાવ્યું છે. જિનંદ્રદેવે કહ્યું છે કે-અર્થો (પદાર્થો) એટલે દ્રવ્યો, ગુણો અને પર્યાયો. એ સિવાય વિશ્વમાં બીજાં કાંઈ નથી. વળી એ ત્રણમાં, ગુણો અને પર્યાયોનો આત્મા (–તેમનું સર્વસ્વ ) દ્રવ્ય જ છે. આમ હોવાથી કોઈ દ્રવ્યના ગુણો અને પર્યાયો અન્ય દ્રવ્યના ગુણો અને પર્યાયોરૂપે અંશે પણ થતા નથી, સર્વ દ્રવ્યો પોતપોતાના ગુણપર્યાયોમાં રહે છે.-આવી પદાર્થોની સ્થિતિ મોહક્ષયના નિમિત્તભૂત પવિત્ર જિનશાસ્ત્રોમાં કહી છે. ૮૭.
૧. જેમ સુવર્ણ પીળાશ વગેરેને અને કુંડળ વગેરેને પામે છે અથવા પીળાશ વગેરે અને કુંડળ વગેરે વડ પમાય છે (અર્થાત પીળાશ વગેરે અને કુંડળ વગેરે સુવર્ણને પામે છે, તેથી સુવર્ણ અર્થ” છે. તેમ દ્રવ્ય
અર્થ” છે; જેમ પીળાશ વગેરે આધારભૂત સુવર્ણને પામે છે અથવા આધારભૂત સુવર્ણ વડે પમાય છે (અર્થાત આધારભૂત સુવર્ણ પીળાશ વગેરેને પામે છે, તેથી પીળાશ વગેરે “અર્થો” છે, તેમ ગુણો “અર્થો ” છે; જેમ કુંડળ વગેરે સુવર્ણને ક્રમ પરિણામથી પામે છે અથવા સુવર્ણ વડે કમપરિણામથી પમાય છે ( અર્થાત સુવર્ણ કુંડળ વગેરેને કમપરિણામથી પામે છે) તેથી કુંડળ વગેરે “અર્થો ” છે, તેમ પર્યાયો “અર્થો' છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com