________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭)
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
अथ द्रव्यलक्षणमुपलक्षयति
अपरिच्चत्तसहावेणुप्पादव्वयधुवत्तसंबद्धं । गुणवं च सपज्जायं जं तं दव्वं ति वुच्चंति।।९५।।
अपरित्यक्तस्वभावेनोत्पादव्ययधुवत्वसंबद्धम्। गुणवच्च सपर्यायं यत्तद्रव्यमिति ब्रुवन्ति।। ९५ ।।
अथ द्रव्यस्य सत्तादिलक्षणत्रयं सूचयति-अपरिचत्तसहावेण अपरित्यक्तस्वभावमस्तित्वेन सहाभिन्नं उप्पादव्वयधुवत्तसंजुत्तं उत्पादव्ययध्रौव्यैः सह संयुक्तं गुणवं च सपज्जायं गुणवत्पर्यायसहितं च जं यदित्थंभूतं सत्तादिलक्षणत्रयसंयुक्तं तं दव्वं ति वुचंति तद्रव्यमिति ब्रुवन्ति सर्वज्ञाः। इदं द्रव्यमुत्पादव्ययध्रौव्यैर्गुणपर्यायैश्च सह लक्ष्यलक्षणभेदे अपि सति सत्ताभेदं न गच्छति। तर्हि किं करोति। स्वरूपतयैव तथाविधत्वमवलम्बते। तथाविधत्वमवलम्बते कोऽर्थः। उत्पादव्ययध्रौव्यस्वरूपं
ભાવાર્થ:- “હું મનુષ્ય છું, શરીરાદિની સમસ્ત ક્રિયાઓ હું કરું છું, સ્ત્રી-પુત્ર-ધનાદિકના ગ્રહણત્યાગનો હું સ્વામી છું” વગેરે માનવું તે મનુષ્યવ્યવહાર (મનુષ્યરૂપ વર્તન) છે; “માત્ર અચલિત ચેતના તે જ હું છું” એમ માનવું-પરિણમવું તે આત્મવ્યવહાર (આત્મારૂપ વર્તન) છે.
જેઓ મનુષ્યાદિપર્યાયમાં લીન છે, તે એકાંતદષ્ટિવાળા લોકો મનુષ્યવ્યવહારનો આશ્રય કરતા હોવાથી રાગીણી થાય છે અને એ રીતે પરદ્રવ્યરૂપ કર્મ સાથે સંબંધ કરતા હોવાથી તેઓ પરસમય છે; અને જેઓ ભગવાન આત્મસ્વભાવમાં જ સ્થિત છે, તે અનેકાંતદષ્ટિવાળા લોકો મનુષ્યવ્યવહારનો આશ્રય નહિ કરતાં આત્મવ્યવહારનો આશ્રય કરતા હોવાથી રાગી-દ્વેષી થતા નથી અર્થાત્ પરમ ઉદાસીન રહે છે અને એ રીતે પરદ્રવ્યરૂપ કર્મ સાથે સંબંધ નહિ કરતાં કેવળ સ્વદ્રવ્ય સાથે જ સંબંધ કરતા હોવાથી તેઓ સ્વસમય છે. ૯૪.
હવે દ્રવ્યનું લક્ષણ દર્શાવે છે:
છોડયા વિના જ સ્વભાવને ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત છે, વળી ગુણ ને પર્યય સહિત જે, “દ્રવ્ય ” ભાખ્યું તેહને. ૯૫.
અન્વયાર્થઃ- [ પરિત્યpવમાન] સ્વભાવને છોડ્યા વિના [ વત] જે [ઉત્પાદ્રવ્યધૃવત્વસંવર્] ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસંયુક્ત છે [૨] તથા [ ગુણવત્ સપર્યાય] ગુણવાળું ને પર્યાયસહિત છે, [તત્] તેને [દ્રવ્યમ્ તિ] “દ્રવ્ય' [વૃત્તિ ] કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com