________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ) ચાસઠ પ્રકારી પૂજા-સાથે મુનિના નેત્રમાં પણ એ નિદ્રા જ્યારે વ્યાપે છે ત્યારે તેવા પૂર્વધર પણ શ્રુતને ભૂલી જઈ ઊંચી દશામાંથી પડે છે અને યાવત નિગેદમાં જઈ અનેક પ્રકારના દુઃખથી વીંટાઈ રહે છે. એ બે નિદ્રા અપૂર્વકરણ(આઠમ) ગુણઠાણે બંધમાંથી જાય છે અને સત્તા ને ઉદયમાંથી બારમે ગુણઠાણે જાય છે. ૨-૩-૪. મુનિરાજે . મળીને તેને લૂંટી છે અને સાતમે અપ્રમત્ત ગુણઠાણે અપ્રમત્તપણુરૂપ દંડવડે તેને કૂટી છે દૂર કરી છે. (આઠમે ગુણઠાણે ગઈ છે.) તે જુદી પડ્યા છતાં રાતી રેતી પણ મુનિના છળ જોયા કરે છે અને તેની બુટી-અંશ પણ દયાનરૂપી લહેરને બગાડે તેવી છે–નાશ કરે તેવી છે. શુભવીર પરમાત્મા જેવા અન્ય કઈ માટી (ખા પુરુષ) જણાતા નથી, કારણ કે એ પરમાત્માએ તે નિદ્રારૂપી ઝાડીને મૂળમાંથી જ કાપી નાખી છે... એટલે તે તેનાથી છેટી થઈ છે–છૂટી પડી છે અને એ પરમાત્માએ સાદિ અનંત ભાગે સહેજે શિવસુંદરીને પ્રાપ્ત કરી છે. પ-૬..
કાવ્યને અર્થ પૂર્વવત્ કહે. મંત્રને અર્થ પ્રથમ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે–નિદ્રા ને અચળાને વિચ્છેદ કરનારા પ્રભુની અમે અક્ષતવડે પૂજા કરીએ છીએ.
सप्तम नैवेद्य पूजा
દુહા આહારે ઊંધ વધે ઘણી, નિદ્રા દુઃખ ભંડાર; નૈવેધ ધરી પ્રભુ આગળ, વરીએ પદ અણહાર. ૧.
* વીર પ્રભુએ છદ્મસ્થાવસ્થાના સાડાબાર વર્ષમાં માત્ર બે ઘડી જ તેને આવવા દીધી છે. શ્રી ઋષભદેવ ભગવંતના એક હજાર વર્ષના છદ્મસ્થ પર્યાયમાં એક અહોરાત્ર પ્રમાદ કાળ છે.
For Private and Personal Use Only