Book Title: Chosath Prakari Pooja Arth Evam Katha Sathe
Author(s): Veervijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 339
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સાર્થ આ પ્રમાણે સ્વપ્ન દેખીને માતા જાગૃત થયા. તે વખતે અવધિજ્ઞાનવડે છે જેયું. એટલે વામામાતાના ઉદરમાં પાશ્વપ્રભુને જીવ ઉત્પન્ન થયા અને માતાને પૂર્વોક્ત ચૌદ સ્વપન આવ્યા એમ દીઠું. તરત જ આસનથી ઊઠી, સાત-આઠ ડગલા સામા આવી માતાના ઉદરમાં રહેલા જિનેશ્વરને ઇંદ્ર શકસ્તવ કહેવાવડે વંદન કર્યું. પછી ઈંદ્ર માતાની પાસે લાજ ધરીને એટલે વિનયપૂર્વક મર્યાદા જાળવતા આવ્યા અને કહ્યું કે હે પુણ્યવંતી. માતા ! તમે ત્રણ ભુવનનું રાજ્ય પામ્યા છે કારણ કે ત્રણ ભુવનના પૂજ્ય થનારા એવા તીર્થકરે તમારા ઉદરમાં આવ્યા છે.” આમ કહીને માતાને આવેલા ચૌદ સ્વપ્નને અર્થ સમજાવી. ઇંદ્ર (સૌધર્મેદ્ર) પિતાને સ્થાનકે ગયા. પછી તરત જ ચોસઠ. ઇંદ્રિો મળીને જિનેશ્વરના ધામવાળા એટલે (બાવન) સિદ્ધાયતનવાળા નંદીશ્વરદ્વીપે એકઠા મળીને ગયા અર્થાત્ ત્યાં એકઠા. થયાં. (ત્યાં અષ્ટાબ્લિકા મહોત્સવ કરીને સૌ પોતપોતાને સ્થાને ગયા એટલું ઉપરથી સમજી લેવું.) ૭–૯. આ ચ્યવન કલ્યાણકના ઉત્સવમાં ભગવંતની શ્રીફળવડે પૂજા કરવી અર્થાત્ પ્રભુની પાસે શ્રીફળ વિગેરે ઉત્તમ ઉત્તમ ફળે. ધરવા. શ્રી શુભવિજયના શિષ્ય વીરવિજયજી કહે છે કે-તે સમયે ચ્યવન કલ્યાણકના અવસરે જગતના જીવ માત્રને વિશ્રામાં મળે એટલે ક્ષણવાર સ્થાવર ઓને અને નરકમાં રહેલા નારકી જીને પણ પ્રકાશાદિવડે સુખ પ્રાપ્ત થયું. ૧૦ (ઈદ્ર સ્વપ્નના અર્થ કહેવા માટે માતા પાસે આવવાની હકીકત પાર્શ્વપ્રભુના ચરિત્રમાં જ છે, બીજા પ્રભુના ચરિત્રમાં નથી. વળી ચ્યવન કલ્યાણ કે ચોસઠ ઇં મળીને નંદીશ્વર દ્વીપે મહોત્સવ કરવા ગયાની હકીકત પણ બીજા ચરિત્રમાં પ્રાયે આવતી નથી. તીર્થકરના પાંચ અથવા ચાર કલ્યાણકે ઈંદ્રા મહત્સવ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377