Book Title: Chosath Prakari Pooja Arth Evam Katha Sathe
Author(s): Veervijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 338
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચ્યવન કલ્યાણકેન્થલપૂજા (૩૨૫). રાત્રીએ પિતાની સુખશય્યામાં આનંદપૂર્વક વિશ્રામ લેતા (નિદ્રાવશ થયેલા) એવા વામામાતાએ મેટા ચૌદ સ્વપ્ન દીઠાં. ૧-૨. હવે તે સ્વપ્નનું વર્ણન કરે છે. બીજી ઢાળને અર્થ પાર્શ્વપ્રભુ ગર્ભમાં આવ્યા અને માતાએ સ્વપ્ન જોયા તે વખતે વસંતઋતુ ચાલતું હોવાથી કર્તા પ્રથમ વસંતઋતુનું વર્ણન કરે છે–શ્રેષ્ઠ એવા વસંતઋતુના ( ચૈત્ર અથવા ફાગણ) માસમાં સર્વે વનરાજી ફળવતી થઈ છે, રાયણ ને આંબાના વૃક્ષને પણ ફળ આવ્યા છે. કેતકી, જાઈ ને માલતીના પુષ્પોની ઉપર ભમરાએ ઝંકાર કરી રહ્યા છે, હંસના યુગળ જળમાં ઝીલે છે (ન્હાય છે) અને આંબાની ડાળ ઉપર બેસીને મધુર સ્વરે બેલી રહ્યા છે તેમજ મંદ મંદ પવન વાઈ રહ્યો છે તેવે વખતે તેવા શીતળ પવનની લહેરમાં માતાએ સ્વપ્ન જોયા. ૧-૨. - હવે તે સ્વપ્ન નામ સાથે વર્ણવે છે–પ્રથમ સ્વપ્ન ઉજજવળ એ હાથી દીઠે, બીજે સ્વને ગુણવાન એ વૃષભ દીઠે, ત્રીજે સ્વને કેસરીસિંહ દીઠે, એથે સ્વને મહંત (શ્રેષ્ઠ) એવી શ્રીદેવી-લક્ષ્મીદેવી દીઠા, પાંચમે સ્વપને પુષ્પની માળાનું યુગળ દીઠું, છઠું સ્વપને રોહિણીના સ્વામી(ચંદ્ર)ને ઠે, સાતમે સ્વને ઊગત-રક્તવણી સૂર્ય દીઠે, આઠમે સ્વપ્ન પવનવડે લહકતી–ફરફરતી દવજા દીઠી, નવમે સ્વને ઉજજવળ એ રૂપાને કળશ દીઠે, દશમે સ્વને પદ્મ સરોવર (જે ચૂદ્ધહિમવંત પર્વત ઉપર છે તે) દીઠું, અગ્યારમે સ્વપને રત્નાકર-રત્નની ખાણુરૂપ સમુદ્ર દીઠા, બારમે સ્વને દેવના નિવાસયુક્ત–દેવવાળું (ખાલી નહીં એવું) વિમાન દીઠું, તેરમે સ્વને રત્નને ગંજ એટલે ઢગલા દીઠે અને ચૌદમે સ્વપને નિર્ધમ અગ્નિ દીઠે. એ સ્વપ્ન આકાશમાંથી ઉતરતા અને પિતાના મુખમાં પ્રવેશ કરતા જોયા. ૩-૬ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377