________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦)
ચોસઠ પ્રકારી પૂજા સાથે તેમાં (હવે આવવું નથી) આવવું તે આગતિ, તેને દૂર કરી છેનિવારી છે. ત્રણ વેદને છેદ કર્યો છે. સંસારના સંગથી રહિત-અસંગી થયા છે. ભવરૂપી બીજ આપે બાળી નાખ્યું છે તેથી અજન્મા થયા છે. આ પ્રમાણે શ્રી આચારાંગ સૂત્રમાં કહેલું છે. ૩-૪. વળી આપ અરૂપી થયા છે, પરંતુ તેમાં રૂપનું આરોપણ કરીને આપની પ્રતિમા બનાવવામાં આવે છે તે પૂજનિક છે એમ શ્રી અનુગદ્વાર સૂત્ર કહે છે. (આ પ્રમાણે ૨૦-૫-૩-૧-૧-૧=૩૧ ગુણ થાય છે, આ વિષમ કાળમાં–પાંચમા આરામાં જિનબિંબને જિનાગમ [ સિદ્ધાંત ] તેને જ ભવ્ય ને આધાર છે. ૫. હે ભવ્યાત્માઓ! તમે મેવા—મીઠાઈના તેમજ ષડુરસ ભેજનના થાળ ભરીને તે થાળે પુરુષે તથા સ્ત્રીઓના હાથમાં આપીને મંગળ વાત્રે બજાવતાં પ્રભુ પાસે આવે અને તેમની પાસે તે નૈવેદ્યના થાળે સ્થાપન કરીને જેમ હળી-ખેડૂત રાજા થયેલ છે, તે સુરભવ કરી અનાદિ કાળનો આહારનો વિકાર ટાળી દઈ સાતમે ભવે અણુહારીપદ પામ્યા તેમ અમે પામીએ, એવું પ્રભુની પાસે માગે. આ સાત પ્રકારની શુદ્ધિ સહિત+ કરેલી સાતમી પૂજા સાત ગતિ અને સાત ભયને હરનારી છે. પ્યારા એવા શ્રી શુભવીર પરમાત્મા અને જિનના આગમ જયવંત વર્તે છે. ૬-૮.
બીજી રીતે ૩૧ ગુણ આઠ કર્મના નાશથી ઉત્પન્ન થાય છે. ૫ જ્ઞાનાવરણીય, ૯ દર્શનાવરણીય, ૨ વેદનીય, ૨ મેહનીય (દન ને ચારિત્ર), ૪ આયુ, ૨ ગેત્ર, ૨ નામ (શુભ ને અશુભ), ૫ અંતરાય. કુલ ૩૧.
* હળી રાજાની કથા શ્રી વિજ્યચંદકેવળી ચરિત્રમાં છે.
+ સાત શુદ્ધિ-ભૂમિશુદ્ધિ, ઉપકરણશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, મનશુદ્ધિ, વચનશુદ્ધિ, કાયશુદ્ધિ અને દ્રવ્યશુદ્ધિ.
For Private and Personal Use Only